Book Title: Jain Shasanna Vicharniya Prashno
Author(s): Bhushan Shah
Publisher: Mission Jainatva Jagaran

View full book text
Previous | Next

Page 48
________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો - ? છે (5) જૈનોના વિરોધીઓ અંગે (A) અનુપ મંડળ અંગે જૈનશાસનની મુખ્ય વિરોધી સંસ્થાનું નામ અનુપમંડળ છે. ઘણા લોકો અનુપ મંડળ ની સત્ય હકીકત જાણતા નહિ હોય. પણ આ અનુપ મંડળ ખુબ જ ખતરનાક છે. આબુરોડ થી સિરોહી..સ્વરૂપગંજ થી પાલી સુધીના દરેક ક્ષેત્રમાં આ અનુપ મંડળના લોકો રહે છે. જે મોટા ભાગે જૈનોને રાક્ષસ ગણે છે.આપના મોટા ભાગના પ્રાચીન તીર્થો તેમના હાથ પાસે છે. હાથમાં ન આવે તે ધ્યાન રાખવા જેવું છે. જૈન સાધુ-સાધ્વીજીઓ પર અનુપ મંડળે પૂર્વ ઘણા DIRECT હુમલાઓ કાર્ય છે. હવે પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોના થતા માર્ગ અકસ્માત પાછળ પણ આ મંડળ અંગે શંકા સેવાઈ રહી છે. આ મંડળ અંગે સત્ય હકીકતો www.jagathitkarni.in પર થી જોવા મળશે. યાદ રાખજો .in આપણા લોકો દ્વારા બનાવાયેલી છે. તો .com તેમની છે. તેમના પુસ્તક જગતહિતકરણી માં જૈનો ને મારી નાખવાના ખુલ્લા આદેશો પણ આપવામાં આવ્યા છે. આ અંગે વધુ જાણકારી પ.પૂ.આ.ભ. અભયદેવસૂરિજી મ. પાસે છે.તો પ.પૂ. મુ. મિત્રાનંદ સાગરજી મ.સા. એ તેમના (અનુપ) વિરૂદ્ધ PIL કરાવેલી છે. થોડા રાજકીય દબાણ સાથે અનુપ મંડળ પર પ્રતિબંધ આવશ્યક છે. વિશેષ માટે પુસ્તક અનુપ મંડળ અને જૈન સંઘનું વાંચન આવશ્યક છે. (B) લૌકિક ત્યોહારો ના વિરોધ અંગે હમણાં સોશિયલ મીડિયાનાડેવલોપમેન્ટ સાથે અમુક રોબોટ લોકો પોતાને 25 માં તીર્થકર સમજી જાત-જાતના લેખો સોશિયલ મીડિયા પર લખવા માંડ્યા છે. તો વળી કેટલાક છાપામાં, રેલીઓ દ્વારા, બેનરો દ્વારા પણ લૌકિક ત્યોહારો નો જાહેર વિરોધ કરતા હોય છે. દિવાળી આવતા જ જૈનો ફટાકડાનો જાહેર વિરોધ કરે, રેલીઓ કાઢે. નવરાત્રીમાં ગરબા રમવાથી મિથ્યાત્વ આદિની બુમરાણ કરે. સંક્રાતિના દિવસે કબૂતરો મરી જાય એવું કહે... હોળીના રંગ ઉડાડવા થી પાપ, લાકડા બળવાથી જીવહિંસા જણાવે. તો રક્ષાબંધન જેવા અહિંસક ત્યોહારોમાં પણ મિથ્યાત્વલાગે... આવી રીતે અજૈનોના દરેક ત્યોહારનો જાહેર વિરોધ કરવાથી અજૈનો આપણા વિરોધી બને છે, અને જૈનો પ્રત્યે દ્વેષ ઉભો થાય છે. માટે મારા ખ્યાલથી લૌકિક

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75