________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો કોપી કરાવવી અને કોર્ટમાં પણ કેસ મારફતે દાખલ કરી દેવી, જેથી પ્રફ રહે કે આ જગ્યાએ મંદિર હતું. નાનું હતું કે દેરી હતી, અજૈનોએ અતિક્રમણ કર્યું છે. આવા કઈ નક્કર પગલા લઈશું તો જ આપણે હવે ગિરિરાજની વર્તમાન પરિસ્થિતિ પર કાબુ મેળવી શકશે. નહિતર ગિરનારની જેમ જ જોતા જોતા ગિરિરાજ આપણા હાથમાંથી ચાલ્યો જશે. આ માટે પાલિતાણામાં બિરાજમાન ગુરુભગવંતો એ ધ્યાન આપવું આવશ્યક છે, તો ભાવનગર ના યુવાનો પણ ખુબ જ જાગૃત છે. પૂ. આ. વિમલસાગરસૂરિજી મ., પૂ.આ. અજયસાગરસૂરિજી મ. આ અંગે ધ્યાન આપી રહ્યા છે.