________________ - જૈન શાસનના વિચારણીય પ્રશ્નો - ભાવો વધતા જાય છે તો શુદ્ધતા ઘટતી જાય છે. આવા સમયે દીર્ઘદ્રષ્ટી વાપરી દેવદ્રવ્ય નો સંપૂર્ણ ઉપયોગ કરી દેવો જોઈએ. અન્યથા બધું જ દેવદ્રવ્ય કોઈ એક્ટ લાવી સરકાર એક સાથે લઈ જશે. પછી માથું ખંજવાળતા રહીશું. જેમ નોટબંધી સમયે આપણી હાલત થયેલી. કયા સંઘના કેટલા ગયા કેટલા ડૂખ્યા તે ખબર કોઈનેય નહિ હોય. ખબર હશે તે બોલવાની હિંમત પણ નહિ કરે. બીજું હમણા-હમણા દેવદ્રવ્ય માંથી અલગ-અલગ વસ્તુઓમાં લોન લેવાની વાતો ચાલે છે પણ તે ખોટું છે, દેવદ્રવ્યની ભરપાઈ કોણ કરશે? દેવદ્રવ્ય તરફ નજર બગાડવાથી પરિણામ ખરાબ આવશે, અને ભવિષ્યમાં લોકો દેવદ્રવ્યના દેવાદાર બનશે. આ અંગે બહુશ્રુત ગુરુભગવંતો ખાસ વિચારે.