________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો હથિત (12) સંગઠન વિશાલ જનસંખ્યા ધરાવતું જૈનશાસન આજે વિશ્વના 9-9 મહાધીપમાંથી એક જ મહાદ્વીપના ખૂણામાં મુકાઈ ગયું છે. ભારતની પણ 125 કરોડની જનતામાંથી જૈનો કેટલા? તે મોટો પ્રશ્ન છે. દરેક ઘરમાં 1 દીકરાની નીતિના કારણે પણ સંખ્યા ઘટે છે. પૂર્વે જૈનો ના ઘરમાં 4-5 છોકરાઓ હતા,હવે 1 હોય છે.આગળ જતા દીક્ષા લેનારા-દેનારા ને પણ આ અંગે વિચાર કરવો પડશે. વિઘટનના કારણે જૈન સમાજની જે-જે પરિસ્થિતિ ઉદભવી છે તે અંગે આપ સૌ જાણો છો.થોડી જ વસ્તી ધરાવતો સમાજ 4-5 નહિ પણ 400-500 ટુકડાઓમાં વહેચાયેલો છે. આ 400-500 ટુકડાઓની અંદર પણ 4000-5000 ટુકડાઓ હશે. કોઈ પણ જગ્યાએ એકતા-સંગઠન ની વાત કરવી એટલે હાથે કરી નિરાશાઓને આમંત્રણ આપવા જેવું શ્રમણ સંઘ અને શ્રાવક સંઘ બંને સંગઠિત થાય તે આવશ્યક છે. ભલે સામાચારી જુદી હોય પણ ચોક્કસ સમયે એકતા પણ દાખવે. ભગવાન મહાવીરના ‘એગે આયા નો સિદ્ધાંત લગભગ લુપ્ત થઈ ગયો છે. ભગવાને વિશ્વને સમાવી લેવાની વિશાલ દષ્ટિ આપેલી પરંતુ આપણે નાના વિચારો સાથે તુચ્છ દૃષ્ટિકોણ ધરાવતા થઈ ગયા છીએ.સમુદાયવાદ છોડી શાસનના ભક્તો બનાવવા. સ્વ છોડી સર્વના બનાવવા આ ધ્યેય પૂર્વક ચાલવાથી જ જૈન શાસન નો ઉદ્ધાર થશે. સંઘમાં સતત પડી રહેલા ટૂકડાઓના જ પરિણામ છે કે એક ગુરને માનતા ભક્તો બીજે જવા તૈયાર નથી. અથવા ગુરુ તેમને બીજે જવા દેતા નથી. સ્વામીનારાયણની જેમ કંઠી પહેરાવે છે. વળી એક સમુદાયમાં મોટો સંઘર્ષ થાય –અકસ્માત થાય તો બીજા બોલવા પણ તૈયાર થતા નથી. આ કરુણા છે જૈનશાસનની,પાટ પરથી બોલેલી વાતો લોકોના ગળે ઉતરતી નથી કારણ કે ખુદનું જ આચરણ હોતું નથી.આપણે લોકો આ કારણોથી દિવસોદિવસ નબળા થતા જઈએ છીએ અને બીજા લોકો આપણો ફાયદો ઉપાડે છે. આજે 20% પૈસાદારો-વગદારોને સાચવવા પાછળ 80% સામાન્ય વર્ગ સાધુ સંસ્થાથી, શાસનથી દૂર થઈ રહ્યો છે.વળી આ 20% વગદાર-પૈસાદારવર્ગ પણ પોતાના હિસાબે સાધુ સંસ્થાને નચાવે છે. પોતાના અંગત અને ધંધાકીય પ્રશ્નોનો દુશ્મનીનો વેર ધર્મક્ષેત્રમાં વસુલ કરે છે. કેવી સ્થિતિ છે શાસનની અને તે વગદારો-પૈસાદારોની પાછળ ચાલતા પુજ્યોની પણ કરુણ સ્થિતિ છે.