Book Title: Jain Paribhashik Shabdakosha
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 129
________________ વિખવાદ થવો/વિધિનિરપેક્ષ વિખવાદ થવો ઃ ઝઘડો થવો, પરસ્પર ક્લેશ થવો, પરસ્પર મન ઊંચાં થવાં. વિખૂટા પડવું : જુદા પડવું, અલગ થવું (જીવ અને કર્મનું અલગ થવું). ૧૨૦ વિગઈ : શરીરમાં વિકાર કરે તે, નકાદિ વિગતિમાં લઈ જાય તે, ઘી આદિ ૬ લઘુ વિગઈ, અને માંસ વગેરે છ મહાવિગઈ. વિગ્રહગતિ : એક ભવથી બીજા ભવમાં જતાં વચગાળામાં જીવનું પંક્તિપ્રમાણે અથવા વક્રતાએ જે ગમન થાય તે. વિઘ્નજય : કોઈપણ આરંભેલા કાર્યમાં આવતાં વિઘ્નોને જીતવાં. વિઘ્નહર : વિઘ્નોને હરનારું, વિઘ્નોને દૂર કરનારું, મહાપ્રભાવશાળી મંત્રાક્ષરમય, ઉવસગ્ગહર, ભક્તામર આદિ સ્તોત્રો. વિચારવિનિમય : પરસ્પર વિચારોની આપ-લે કરવી, આગ્રહ વિના વસ્તુતત્ત્વ પૂર્વાપર સંકલનાપૂર્વક વિચારવું. વિચિકિત્સા ઃ દવા કરાવવી, સારવાર લેવી, ઔષધાદિ કરવાં. Jain Education International જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ વિચ્છેદ થવો : વિનાશ થવો, પૂર્ણ થવું, સમાપ્ત થવું. વિજાતીય વાયુ : પરસ્પર મેળ ન મળે, રોગ ઉત્પન્ન કરે તેવો વાયુ, અથવા શરીરની અંદરથી નીક્ળતો વાયુ અચિત્ત અને બહાર રહેલો વાયુ સચિત્ત એમ પરસ્પર વિજાતીય. વિજાતીય સ્વભાવ : પરદ્રવ્યના સ્વભાવને અનુસરવું, તે વાળા બનવું, પરદ્રવ્યના સ્વભાવમાં ચાલ્યા જવું. વિતર્ક : શબ્દનો અર્થ વિરુદ્ધ તર્ક, તર્કની સામે તર્ક કરવો તે થાય છે. શુક્લધ્યાનમાં વિતર્ક એટલે શ્રુતજ્ઞાન. તર્ક-વિતર્કો દ્વારા પ્રાપ્ત કરાતું સૂક્ષ્માતિસૂક્ષ્મ શ્રુતજ્ઞાન. વિદ્યાચારણ મુનિ : વિદ્યા-જ્ઞાનના બળે આકાશમાં છે વેગવાળી ગતિ જેની તે. વિદ્યાપ્રવાદપૂર્વ : જેમાં મંત્રો-તંત્રો અને અનેક વિદ્યાઓ-લબ્ધિઓનું વર્ણન છે. તે ચૌદ પૂર્વોમાંનું એક પૂર્વ. : વિધિનિરપેક્ષ ઃ જે આત્માઓ અવિધિ સેવે છે અને તેના જ રસિક છે તથા જે નથી કરતા તેના કરતાં તો અમે ઘણા સારા For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166