Book Title: Jain Paribhashik Shabdakosha
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 164
________________ જૈન ધાર્મિક ારિાષિક શબ્દકોશ સાધુતાના ગુણો જેમાં નથી તે. નરકપાલદેવ : નાકીના જીવોને દુઃખ આપનારા દેવો, અર્થાત્ પરમાધામી દેવો. ૧૫૫ પક્ષધર્મતા : કેતુનું પક્ષમાં હોવું, જેમ કે ધૂમવાળો આ પર્વત છે. વચનામૃત ઃ વચનરૂપી અમૃત, અર્થાત્ અમૃત સમાન વચનો. સકલ જગત હિતકારિણી : સંપૂર્ણ જગતનું હિત કરનારી વાણી. ભવાબ્ધિતારિણી : સંસારરૂપી સમુદ્રથી તારનારી વાણી. સહજાત્મસ્વરૂપ પરમગુરુ : શ્રી તીર્થંકર ભગવન્તો સ્વાભાવિક અનંત-જ્ઞાન-દર્શન અને ચારિત્રના સ્વરૂપવાળા છે, તથા સર્વશ્રેષ્ઠ વાણી પ્રકાશનાર હોવાથી પરમગુરુ છે. કૃત-કારિત-મોદન : મેં જે જે પાપો કર્યાં હોય, કરાવ્યાં હોય અને અનુમોઘાં હોય, તે પાપો. ભવદુઃખભંજક : સંસારનાં સર્વ દુઃખોને તોડી નાખનારા. સચ્ચિદાનંદસ્વરૂપ : પરમાત્મા સમ્યગ્નાનના ખાનંદસ્વરૂપ છે, પૂર્ણજ્ઞાનમય સ્વરૂપવાળા છે. ત્રૈલોક્ય પ્રકાશક : ત્રણે લોકનો પ્રકાશ કરનારા, સર્વ ભાવો જાણનારા. સ્વપરપ્રકાશકશાન ઃ જેમ દીપક પોતાને (દીવાને) અને ઘટપટને એમ બન્નેને જણાવે છે તેમ જ્ઞાન પણ જ્ઞાનને અને વિષયને એમ બન્નેને Jain Education International નરકપાલદેવ/આત્મરત્નદાતાર જણાવનારું છે. જિનશાસનોન્નતિકરા : જૈન શાસનનો પ્રભાવ વધારનારા, : જ્ઞાન-દર્શન અને ચારિત્ર આ રત્નત્રયીનું આરાધન કરનારા. રત્નત્રયારાધકો પ્રતિદિન ઃ દરરોજ, હંમેશાં. જિનાપાદયુગં ઃ જિનેશ્વર પરમાત્માનું ચરણયુગલ. જગત્રયચિત્તહરૈઃ ત્રણે જગના ચિત્તોને હરણ કરે એવાં સ્તોત્રો વડે. સ્વર્ગસોપાનં : પરમાત્માનું દર્શન એ સ્વર્ગનું પગથિયું છે. દુરિતધ્વસિ : પાપોનો નાશ કરનાર. વાંછિતપ્રદ : મનવાંછિત આપનાર. સુરક્રમ ઃ કલ્પવૃક્ષ. પાણક્કમણે : પ્રાણ ચાંપ્યા હોય. બીયક્કમણે : બીજ ચાંપ્યાં હોય. કમ્મવિણાસણ : આઠ કર્મોનો વિનાશ કરનારા. જગભાવિઅક્ષ્ણ : જગતના ભાવોને જાણવામાં વિચક્ષણ. દુરિઅ ખંડણઃ દુઃખ અને પાપોનો વિનાશ કરનારા. ટળ્યું દેહ અભિમાન : તે ગુરુજીને પ્રણામ કરું છું કે જેઓએ આપેલા જ્ઞાનથી દેહ એ જ હું આત્મા છું એવું અભિમાન દૂર થયું છે. આત્મરત્નદાતાર ઃ આત્માના શુદ્ધસ્વરૂપમય રત્નને આપનારા. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 162 163 164 165 166