Book Title: Jain Paribhashik Shabdakosha
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 157
________________ સ્થાનાન્તર/સ્નેહરાગ મુદ્રાવિશેષમાં મોક્ષને અનુકૂળ આત્મપરિણામ લાવવા સ્થિર થવું તે. સ્થાનાત્તર : એક સ્થાનેથી બીજા સ્થાને જવું તે, ચાલુ સ્થાનનો ત્યાગ કરવો તે. સ્થાપનાનિક્ષેપ : મુખ્ય વસ્તુની ગેરહાજરીમાં તેની સ્મૃતિ નિમિત્તે તે આકારવાળી અથવા તે આકાર વિનાની વસ્તુમાં મુખ્ય વસ્તુનો આરોપ કરી મુખ્ય વસ્તુની કલ્પના કરવી તે, જેમ કે પ્રભુની પ્રતિમાને પ્રભુ માનવા. સ્થાવર જીવ : સુખ અને દુઃખના સંજોગોમાં પોતાની ઇચ્છા પ્રમાણે જે જીવ હાલીચાલી ન શકે, સ્થિર જ રહે તે. સ્થાવર તીર્થ : જેનાથી સંસાર તરાય તે તીર્થ, એક જ સ્થાને સ્થિર જ રહે તેવું તીર્થ તે સ્થાવર તીર્થ, જેમ કે શત્રુંજય, ગિરનાર, સમ્મેતશિખર, ઇત્યાદિ. આબુ, રાણકપુર ૧૪૮ સ્થિતિ : કાળ, સમય, અવસર. સ્થિતિઘાત : કર્મોની લાંબી-લાંબી બાંધેલી સ્થિતિને તોડીને નાની કરવી તે, સ્થિતિના અગ્રિમ ભાગથી ઉત્કૃષ્ટપણે સેંકડો Jain Education International જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ સાગરોપમપ્રમાણ અને ઘન્યથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગપ્રમાણ, સ્થિતિ તોડવી, નાની કરવી તે. : સ્થિતિબંધ ઃ કર્મોમાં સ્થિતિનું નક્કી કરવું તે. બંધાયેલું કર્મ આત્મા સાથે ક્યાં સુધી રહેશે એ નક્કી થવું તે. સ્થિરચિત્ત : મનને અતિશય સ્થિર કરવું, અન્ય વિચારોથી રોકવું, વિક્ષિત કામકાજમાં મનને પરોવવું. સ્થિરબુદ્ધિ : ઠરેલ બુદ્ધિ, સારાનરસા અનુભવોથી ઘડાયેલ બુદ્ધિ, અતિશય સ્થિર ગંભીર બુદ્ધિ. સ્કૂલ વ્રત : મોટાંમોટાં હિંસા, જૂઠ, ચોરી આદિ પાપોનો ત્યાગ કરવાપૂર્વકનાં શ્રાવકનાં વ્રત. સ્થૂલ શરીર : મોટું શરીર, દૃશ્ય શરીર, ચક્ષુથી ગોચર શરીર. સ્નાત્રાભિષેક : દેવોએ પ્રભુજીને જન્મ સમયે મેરુપર્વત ઉપર જેમ નવરાવ્યા, તેના અનુકરણરૂપે સ્નાત્રમહોત્સવ કરવો તે. સ્નિગ્ધ સ્પર્શ ઃ ચીણો, સ્નેહાળ સ્પર્શ. સ્નેહરાગઃ કોઈ પણ વ્યક્તિ (અથવા વસ્તુ) પ્રત્યેના સ્નેહમાત્રથી જે For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166