________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન શ્રાવિકા સેવા સંસ્થાન
પૂર્વભૂમિકા
જૈન સમાજમાં વિવિધ જ્ઞાતિઓ, સંઘો, મંડળો તેમજ સંગઠનો છે. આ જ્ઞાતિઓ સામાજિક, શૈક્ષણિક, તબીબી જેવી વિવિધ કલ્યાણકારી પ્રવૃત્તિઓ કરે છે. વિવિધ સંઘો અને મંડળોની જૈન બહેનો દ્વારા કૌટુંબિક ભાવના વિકસાવવા સાથે ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. વર્તમાન અને ભાવિ સમસ્યાઓનું સમાધાન કરવા તથા ઉપસ્થિત થનાર તકોને ઝીલી લેવા શ્રી સંઘ તથા જૈન સમાજમાં સતત જાગૃતિપૂર્વક કાર્ય કરનાર વ્યાપક મહિલા સંગઠનની આવશ્યકતા દેખાય છે. જૈન બહેનોમાં સહયોગ વધે, સંગઠનની ભાવના સુદૃઢ થાય. તેઓની પ્રવૃત્તિઓનું સંકલન થાય, માહિતીની આપ-લે વધે અને જૈન સમાજની પરંપરામાં રહી જૈન બહેનોનો ઉત્કર્ષ થાય તેને ધ્યાનમાં રાખીને શ્રી જૈન શ્રાવિકા સેવા સંસ્થાનની રચના કરવામાં આવેલ છે. જેના મુખ્ય ઉદ્દેશો આ મુજબ છે :
ને લણ " 10
For Private and Personal Use Only