________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુભેચ્છા સંદેશ આ નાની પુસ્તિકા દ્વારા લગ્નની પરંપરાનું મહત્ત્વ ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું છે. ખાસ કરીને જૈન ધર્મ-પરંપરા પ્રમાણે લગ્નની સાંસ્કૃતિક અને સામાજિક વિધિઓમાં આરોગ્ય, આયુર્વેદ, વિજ્ઞાન જેવી આવશ્યક બાબતો ગુંથાયેલી છે તેને લોકો સમક્ષ લાવવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે અને જૈન દૃષ્ટિએ લગ્નના પવિત્ર સંબંધોનું મહત્ત્વ બહુ જ સાદી ભાષામાં સમજાવવામાં લેખિકા સફળ રહ્યાં છે. લગ્નનો વિધિક્રમ, સામગ્રીઓ વિષેની માહિતી અને હેતુ સમજાવતી સમજૂતી ખરેખર વારંવાર વાંચવાનું મન થાય તે રીતે રજૂ કરવા માટે લેખિકાને મારા ખૂબ ખૂબ ધન્યવાદ. આવી સરસ પુસ્તિકા પ્રગટ કરવા માટે શ્રી શ્રાવિકા સેવા સંસ્થાનને પણ અભિનંદન.
- સંવેગ લાલભાઈ
(પ્રમુખશ્રી, જૈન સંસ્થાન - ગુજરાત) જૈન સંસ્થાન-ગુજરાત સંલગ્ન શ્રી જૈન શ્રાવિકા સેવા સંસ્થાન દ્વારા જૈન લગ્નસંસ્કાર પુસ્તિકામાં જૈન ધર્મ-પ્રણાલિકા, જૈન સંસ્કૃતિ, જૈન પરંપરા, સામાજિક વિધિઓ અને મંત્રો સહ લગ્નના પવિત્ર બંધનનું નિરૂપણ કરેલ છે. આ માટે શ્રી શ્રાવિકા સેવા સંસ્થાનની બહેનોને તથા લેખિકાને આવી સરસ પુસ્તિકા તૈયાર કરવા માટે ધન્યવાદ પાઠવું છું. આ પુસ્તિકામાં દર્શાવેલ વિધિની જાણકારી જૈન સમાજ માટે ઉપયોગી નીવડશે, એવી આશા રાખું છું.
- એમ. એમ. સિંઘી (ઉપપ્રમુખશ્રી, જૈન સંસ્થાન-ગુજરાત)
છે.
For Private and Personal Use Only