________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામાન્ય માહિતી કેસર-ચંદન : કેસર ત્રિદોષશનાશક છે અને મસ્તકને બળ આપે છે. કપાળ પર કરેલું તિલક મનને શાંત કરે છે. સર્વ પ્રકારના મનોવિકારને દૂર કરે છે. કેસર પીળું હોવાથી ગુરુ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. ગુરુ જ્ઞાનનો, લાભનો ગ્રહ હોવાથી વ્યક્તિના જ્ઞાનમાં વધારો કરે છે. ગુરુ પતિનો કારક હોવાથી પતિસુખ મેળવવામાં પણ મદદ કરે છે.
ચંદનનો મુખ્ય ગુણ શીતળતા અને સુગંધનો છે. તે વ્યક્તિને શીતળતા આપે છે, વાતાવરણમાં સુંગધ ફેલાવે છે. માનવ-મનના ક્રોધને તથા અન્ય નકારાત્મક આવેશોને શમાવી શાંતિ પ્રદાન કરે છે.
મીંઢળ : મીંઢળ એટલે મદન ફળ. મદન એટલે કામદેવ. કામદેવ લગ્નજીવનનું એક મહત્ત્વનું અંગ છે. વરકન્યાનાં સાંસરિક સુખો વધે તે માટે મદનફળ બાંધવાની પરંપરા છે. અનિષ્ટ તત્ત્વોથી રક્ષણ પણ આપે છે. નાડીને મજબૂત કરે છે.
વડી-પાપડઃ વડી : વડી એ કુટુંબભાવના વધારવા માટેની ક્રિયા છે. જેમાં દીકરીને સૌ સાથે હળી-મળીને રહેવાની શીખામણ મળે છે.
પાપડ : પાપડ અડદના હોય છે. અડદ શક્તિકારક ગણાય છે. કહેવત છે કે જે ખાય અડદ, તે થાય મરદ. એ ઉપરાંત અડદ માતાજીને પણ ખૂબ પસંદ હોય છે. અડદનો રંગ કાળો છે. તે જીવનની નકારાત્મકતાને દૂર કરવામાં ઉપયોગી બને છે.
વડી અને પાપડ હવે તો બજારમાં તૈયાર મળે છે, પરંતુ એક જમાનામાં તે ગૃહિણીઓ ઘેર જ બનાવતી હતી. આડોશ-પાડોશની ગૃહિણીઓ સાથે મળીને ઉત્સાહથી કામ કરતી હતી. એ કારણે સંબંધોમાં ઉષ્મા ખીલતી હતી. લગ્નપ્રસંગે વડી-પાપડની વિધિ દ્વારા પણ એ હળીમળીને કામ કરવાની તાલીમ આપનારી બની રહે છે.
For Private and Personal Use Only