________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખાસ નોંધ :
૧. જે ઠેકાણે લગ્નવિધિ થાય તે મંડપમાં મંત્ર બોલનાર ગૃહસ્થ કે ગુરુ શુદ્ધ થઈ બધાં વસ્ત્ર શુદ્ધ પહેરી પોતાની બેસવાની જગા શુદ્ધ રાખી જૈન વિધિના મંત્ર બોલે તેમ થવું જોઈએ. આ પ્રસંગો જનસમૂહમાં થતા હોવાથી શુદ્ધિ જળવાતી નથી
. આ વિધિ ગૃહસ્થાચારનો વિધિ છે. આ પ્રસંગના મંત્ર વક્તા શુદ્ધ હોય તો બોલી શકે છે.
૨. આ પુસ્તકમાં વર્ણવેલ લગ્નવિધિ, આચાર્ય વર્ધમાનસૂરિકૃત આચાર દિનકર' ગ્રંથના આધારે તૈયાર કરવામાં આવી છે. (સમય : વિક્રમ સંવત ૧૪૬૮, ઈ.સ. ૧૪૧૧.)
જૈનવિધિનો વ્યાપક પ્રચાર-પ્રસાર થાય તેવી ભાવનાપૂર્વક આ પુસ્તિકા તૈયાર કરવામાં આવી છે.
For Private and Personal Use Only