Book Title: Jain Drushtie Gita Darshan Part 2
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 357
________________ ૬૩૦ ગીતા દર્શન कच्चिदेतच्छ्रतं पार्थ त्वयैकाग्रण चेतसा । વિજ્ઞાન સંમોz: gu/wત્તે ઇનાન્નય ||૭૨ પાર્થ ! આ સાંભળ્યું ને તે? એકાગ્ર ચિત્તથી વળી; તારો અજ્ઞાનથી જન્મ્યો,-મોહ નાઠો, ધનંજય? ૭૨ હે (પૃથાના પુત્ર) પાર્થ ! એકાગ્ર ચિત્તે તે (આ બધું) સાંભળ્યું ને? અને અજ્ઞાનથી ઊપજેલો તારો મોહ હે ધનંજય! (હવે) નાશ પામ્યો ને? નોંધ : જ્ઞાનમાં એકાગ્રતાની આવશ્યકતા છે એ ફરીને અહીં બતાવ્યું છે. અત્યાર લગીમાં આપણે એ તો જોઈ જ ગયા કે અર્જુનનો યુદ્ધસંન્યાસનો સંકલ્પ કે યત્ન અજ્ઞાનજન્યમોહને લીધે હતો. શ્રીકૃષ્ણગુરુદેવે એ બધું હસ્તામલકવત્ બતાવી પણ દીધું. અર્જુન આ ઉપદેશ ઝીલવાને પાત્ર તો હતો જ, એટલે અસર થાય તેમાં નવાઈ નહોતી. હવે તે પોતે જ પોતાને મુખે શું કહે છે તે જોઈએ. अर्जुन उवाच नष्टो मोहः स्मृतिर्लब्धा त्वत्प्रसादान्मयाच्युत। स्थितोऽस्मि गतसन्देहः करिष्ये वचनं तव ॥७३।। અર્જુન બોલ્યા આપ કૃપાથી અય્યત! નાઠો મોહ, સ્મૃતિ મળી; નિઃસંદેહ થયો સ્થિર, કહ્યું કરીશ આપનું. ૭૩ અય્યત ! આપના કૃપાપ્રસાદથી મારો મોહ નાશ પામ્યો છે. મને (આત્માની) સ્મૃતિ લાધી છે. (હવે, હું સંદેહરહિત થઈ સ્થિર થયો છું. એટલે) તમારું કહ્યું કરીશ. નોંઘ: અહીં અશ્રુત સંબોધન શ્રીકૃષ્ણગુરુને વપરાયું છે, તે અશ્રુત વિશેષણ આત્માર્થસૂચક છે. મોહ ગયા પછી જ આત્માને પોતાનું કર્તવ્યભાન થાય છે. ગુરુકૃપાની પ્રસાદીની તેમાં ખાસ જરૂર છે, અને શ્રદ્ધા, નમ્રતા વિના તે ન આવી શકે. વળી સંદેહ ગયા વિના સ્થિરતા ન આવે, એટલે જ્ઞાનમાં સંદેહરહિતપણું સાધવાની પણ જરૂર છે.

Loading...

Page Navigation
1 ... 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401