Book Title: Jain Drushtie Gita Darshan Part 2
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 356
________________ અધ્યાય અઢારમો ૪૨૯ (સાંભળ.) આપણી વચ્ચેના આ ધમ્મ (ધર્મલક્ષી, હિંસાલક્ષી નહિ) સંવાદનું જે (ભાવપૂર્વક) અધ્યયન કરશે, તેણે જ્ઞાનયજ્ઞ વડે મને પૂજ્યો, એમ હું માની લઈશ.) તેમ જ અદોષદષ્ટિ રાખી જે શ્રદ્ધાવાન આ જ્ઞાન માત્ર) સાંભળશે તે પણ (પાપથી) મુકત (થઈને) પુણ્યકર્મીઓ જ્યાં વસે છે ત્યાં, (તેઓ)ના શુભલોકમાં જશે. નોધ : આ સંવાદ'નું ધમ્ય વિશેષણ આપણે જે વાત ઘણી વાર વિચારી ગયા છીએ એને જ પુષ્ટિ આપે છે. ગીતામાં “યુદ્ધ” પ્રયોગ છે. પણ નક્રિ' પ્રયોગ આત્મશુત્રને હણવાના અર્થમાં જ વપરાયો છે. અગિયારમા અધ્યાયમાં હતાન', 'નહિ” એ પ્રયોગ કેવા સંયોગોમાં અને કઈ અપેક્ષાએ આવ્યો છે, તે પણ આપણે વિચારી ગયા છીએ. એટલે અહિંસાને ગીતાકારનો ઉપદેશ લેશ પણ બાધક નહિ, બલકે સાધક જ હતો, અને સૂક્ષ્મ અહિંસાનું મહાન પ્રતિપાદન કરનાર હતો, તે ફરી ફરી કહેવાનું હવે રહેતું જ નથી. | ગીતાના અધ્યયનનો મહિમા કહ્યો તે યથાર્થ છે. જેઓ આસ્તિક્તા, ગુણદષ્ટિ અને શ્રદ્ધાથી તેનું અધ્યયન કરનાર છે, તેને એણે જ્ઞાનયજ્ઞી અવશ્ય બનાવ્યા જ છે. આ અધ્યયન લૂખું હોય તો તે પોપટિયા જ્ઞાન જ ગણાય. પણ આચરણની ઈચ્છાથી ગીતાનું અધ્યયન અગાઉ જોઈ ગયા એવા સુપાત્ર માટે તો ભારે લાભકર્તા છે જ, થયું છે જ અને ભવિષ્ય પણ થશે જ. શ્રીકૃષ્ણગુરુએ કહ્યું કે, "શ્રદ્ધા અને ગુણદષ્ટિ આ બે જ ગુણ હોય અને માનો કે તપ કે ભકિત ન હોય તોય તે તેવો સદાચારી આ ગીતાજ્ઞાન સાંભળીને પાપથી છૂટીને પુણ્યતા તો જરૂર પામે જ છે.” સારાંશ કે શ્રદ્ધા અને ગુણદષ્ટિ એ તો જોઈએ જ. સદાચારનો પાયો હશે ત્યાં આ બે ગુણો આવવા અશકય નથી. માણસ કશું ન કરી શકે તોય દોષદષ્ટિથી ન જુએ અને શ્રદ્ધાળુ બને એટલું પણ ઘણું છે. આધ્યાત્મિક જ્ઞાનીમાં આ બે સદ્ગુણો અનિવાર્ય ઉપયોગી છે. એ ગુણ પર જ જ્ઞાનની પ્રતિષ્ઠા છે. જ્ઞાન થયા પછી તો પુણ્ય પણ તજવા જોગ જ છે. એ વિષે આપણે અગાઉ પણ વિચારી ગયા છીએ. આ બધો ઉપસંહાર કરી હવે શ્રીકૃષ્ણગુરુએ અર્જુન સામે તાકીને પૂછ્યું :

Loading...

Page Navigation
1 ... 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401