Book Title: Jain Drushtie Gita Darshan Part 2
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 381
________________ પરિશિષ્ટ ગીતાના અખાતમાં મળતી વિવિધ ધર્મોની સરિતાઓ. સૃષ્ટિની ઉત્પત્તિનો કાલ્પનિક ઈતિહાસ પુરાણોમાં છે તેમ જૂના કરારમાં પણ છે. કરાર એટલે પ્રતિજ્ઞા. માણસે ધર્મસંસ્થામાં દાખલ થતાં પેલી પ્રતિજ્ઞા લેવી જ જોઈએ. ઘમિષ્ઠ ન કહેવડાવતો હોય એણે પણ માનવતાની રીતે વર્તવું એમ એ માણસ થયો ત્યારથી બંધાયો છે. તો પછી ધર્મ સંસ્થામાં તો હૃદયપૂર્વક એણે પાપથી પાછા ફરવા બંધાવું જ ઘટે; એ દષ્ટિએ જૂનો કરાર યહૂદી અને ઈઝરાયેલ પ્રજાનો તો પ્રાણ છે. નવા કરારને મુખ્યપણે છતાં જૂના કરારને પણ ખ્રિસ્તી પ્રજા સુધ્ધાં માને છે. ઈસ્લામી પ્રજા કુરાનને પોતાનો પ્રાણ ગણે છે, છતાં જૂનો કરાર અને નવો કરાર પણ કુરાનની વાણીને અપ્રતિકૂળ હોય ત્યાં પ્રમાણ તરીકે સ્વીકારે છે. આપણે પ્રસ્તાવનામાં આપેલા કોલ પ્રમાણે અહીં જૂનો કરાર, નવો કરાર અને કુરાનનાં વાકયો અગર એ મૂળ સૂત્રોનાં વાક્યોનો સાર આપી અને એની સામે ગીતાનાં વચનો ટાંકી એ તારવી શકીશું કે – જેમ જૂના કરારનું વિકસિત રૂપ નવો કરાર છે; તેમ જૂનો કરાર, નવો કરાર અને કુરાન એ ત્રણેની વાણીનું ગંભીર અને વિકસિત સ્વરૂપ ગીતા વચન છે. મતલબ કે ગીતારૂપી અખાતમાં એ ત્રણે નદીઓ સમાઈ જાય છે. જેમ એ ત્રણે શાસ્ત્રો વિષે, તે જ પ્રમાણે જરથોસ્તી શાસ્ત્ર ઝંદાવસ્થા વિષે. છતાં આ ત્રણે (જૂનો કરાર, નવો કરાર અને કુરાન) તો પરસ્પર સંબંધિત છે, એટલે પ્રથમ એ વચનો સામે ગીતા વચનો ટાંકીએ અને છેવટે તો ઝંદાવસ્થાનાં વચનો સામે પણ ગીતા વચનો ટાંકીશું જ. યહોવાહદેવે આદિમાં આકાશ અને (યહોવાહને બદલે) પૃથ્વી પેદા કર્યા. અજવાળું, અંધારું, અહીં શ્રીકૃષ્ણદેવ કહે છે: પાણી, વનસ્પતિ અને સકળ જીવ- પૃથ્વી, જળ, અને અગ્નિ વાયુ, જંતુનાં નરનારી જોડકાં બનાવ્યાં. આકાશ, એ પાંચ મહાભૂતો મારી ભૂમિની માટીનું માણસ બનાવ્યું કે પ્રકૃત્તિમાં આવે છે. મન, બુદ્ધિ અને તેના નસકોરામાં જીવનનો માસ અહંકાર સુધ્ધાં તેમાં જ સમાય છે. ફૂંક્યો. (ઉપ. ૧ લું પ્ર. રજી) (અ. ૭-૪). પરાપ્રકૃતિ તે છવભૂત કે

Loading...

Page Navigation
1 ... 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401