Book Title: Jain Drushtie Gita Darshan Part 2
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad
View full book text
________________ 70 ગીતા દર્શન (આવાં અને એજ જાતનાં આત્માનાં વિશેષણો બીજા, સાતમા, દશમ, તેરમા પંદરમા અધ્યાયમાં છે) બસ આટલામાં એ બધા ધર્મનાં મુખ્ય તત્ત્વો આવી જાય છે. અશો જરથુષ્ટ્ર એક પયગંબર જ છે, તે પહેલાં પણ બીજા* મહાત્માઓ થયા હશે, પરંતુ સ્પષ્ટ નામ નથી. જે આપણે ઉપર જોઈ જ ગયા છીએ. ગીતાની જેમ આ ધર્મમાં પણ સપશુ યજ્ઞનો તો સખ્ત નિષેધ જ છે. આતશ, દરિયો વગેરેને તેઓ પૂજે છે, તે એટલા સારુ કે તે બધાં પવિત્ર છે; તેમ જીવનમાં પવિત્રતા અને પ્રકાશની પ્રરેણા પાય છે. તથા માલિકની બનાવેલી એ ઉત્તમ ચીજોથી પવિત્રતાનો ખ્યાલ આવે છે. બસ હવે ફરીફરીને એ વાત કહેવાની રહેતી નથી કે ગીતાના આ અખાતમાં ઉપલી બધી સરિતાઓ સમાય છે, અને એ અખાત બૌદ્ધગ્રંથો તથા જૈનસૂત્રોના સાગર સાથે જોડાયેલો છે જ. ઉપલા બધા ધર્મોમાં પ્રભુજ બધું સર્જે છે, માટે એની બંદગી કરવી જોઈએ વળી પ્રભુ જ ભલાઈનો બદલો સ્વર્ગ અને બૂરાઈનો બદલો નરક આપે છે; એમ જણાવી સદાચારને માર્ગે જવાની પ્રેરણા અને દુરાચારથી છેટા રહેવાની ભીતિ અપાઈ છે. અગાઉ કહ્યું તેમ પ્રાથમિક ભૂમિકાને માટે એ પથ્ય પણ છે. પરંતુ કર્મ પોતે જ ફળદાતા બને છે માટે બીજા પ્રભુ પર કોઈ ભાર મૂકવાની જરૂર નથી એ દષ્ટિ - બિંદુ જળવાઈ રહે; તેવો ગીતામાં સરસ ઉકેલ છે. પાંચમા અધ્યાયનો 14-15 શ્લોક અને કર્મ કેવી રીતે ફળદાતા બને છે - તેમજ જીવ પર એની શી અસર થાય છે અને શાથી થાય છે? તેનું વૈજ્ઞાનિક નિરૂપણ જૈનસુત્રોમાં મળે છે. આમ એ બધાનો પારસ્પરિક સંબંધ છે. આ રીતે જ બધા ધર્મો પરસ્પર સંકળાયેલા છે એકે? ધર્મને અવગણ્ય ચાલે એમ જ નથી આટલું પ્રત્યેક ધર્મના અનુયાયીઓ આ પરથી સમજી શકશે. "એમના પિતાનું નામ ઉરશસ્પ, માતાનું નામ દોમદો, જન્મ સ્થાન ઈરાન, સિમે વર્ષે તેઓ સત્ય શોધવા માટે પહાડો ફરતા છેવટે એમને સત્ય લાગ્યું - 1. આપણે અહિંસાની મૂર્તિ' નામની પ્રાર્થનામાં ત્રણ મજલા કચ્યા છે. પહેલા મલામાં સદાચાર અને એ સદાચારની પુષ્ટિને માટે જૂનો કરાર, કુરાન, અવસ્તા અને નવા કરારોમાંની તારવી કાઢેલી સારી બાજુઓ ઉપયોગી છે. બીજા મજલામાં રામાયણની વિશિષ્ટ નીતિ અને વૈદિક ગ્રંથોનું ધર્મ જ્ઞાન ઉપયોગી છે. ત્રીજી મજલામાં બુદ્ધતત્ત્વજ્ઞાન, ગીતા જ્ઞાન અને જૈન સુત્રોની ધોગ ભૂમિકા જરૂરી છે. પહેલા મજલાવાળાને ત્રીજા મજલા પર જવું જ છે. એ લક્ષ્ય એણે ન સૂવું અને ત્રીજા મજલાવાળાએ પોતે પે'લા મજલાને આધારે જ ટકયો છે, એ ન ભૂલવું.

Page Navigation
1 ... 399 400 401