________________
પરિશિષ્ટ
૭૦૫
બહોળા ખેતરવાળા હજાર કાનવાળા ખોરશેદને વખાણું છું (ખોરશેદની આએશમાંથી (૧૬)
જે કોઈ આરાધનામાં ભલો છે અને પવિત્ર છે, તે તેમ હોવાને લીધે હોરમજદ પોતે છે તેવાં પુરુષ કે સ્ત્રીને અમે સ્તવીએ છીએ.”
(ખોરશેદની આએશ) (૧૬)
'દાદર હોરમજદને ખુશાલ કરવાને તેમની તરફના પાક કરનાર આતશની આરાધના કરું?
"આતશની આએશ’
નીસ્તઝંદ ખૂરોને જાનવર જૂચનીન અસ્ત દીને ઝરદુસ્તનેદુ (પારસીશાહનામાં)
(જાનવરને પણ બચાવવાં જોઈએ, એમ ઉપરની બે ટૂંક કહે છે.)
શ્રી કૃષ્ણગુરુએ અર્જુનને જ્યારે વિશ્વરૂપ દર્શન દેખાડયું ત્યારે ત્યાં અનેક હાથ, અનેક નયન વગેરે કહ્યું છે. (૧૧-૧૬)
જ્ઞાનીને હું અત્યંત વહાલો છું અને મને આત્માને) જ્ઞાની વહાલો છે. જ્ઞાની તો મારો (પ્રભુનો) આત્મા જ છે. (૭-૧૭,૧૮) અગ્નિમાં જે તેજ છે, તે પણ મારું (આત્માનું) તેજ છે, (૧૫-૧૨)
કૂતરો, ચંડાલ કે બ્રાહ્મણ ગાય, હાથી સૌમાં જે સમદષ્ટિ રાખે છે તે પંડિત છે. (૫-૧૮)
ચારે હુરમજદના નામ માટે અંશો જરથુષ્ટ્ર પૂછે છે ત્યારે તેઓ પોતાના નામો કહે છે :-). નિત્ય હોવાવાળો, સમૂહવાળો, સર્વ વ્યાપક, પવિત્ર, પવિત્રતાનો સર્જક, જ્ઞાન, જ્ઞાની, બુદ્ધિ, બુદ્ધિમાન, વૃદ્ધિ, વૃદ્ધિમાન જીવનદાતા, લાભદાતા અર્વરી, અજિત, ન્યાયી, દષ્ટા સ્વાસ્થદાતા, સર્જક, મહાજ્ઞાની.
આત્મા નિત્ય સનાતન સર્વભૂત સ્થિત., સર્વ વ્યાપક નિર્દોષ, જ્ઞાન, જ્ઞાની, બુદ્ધિ, બુદ્ધિમાન, વૃદ્ધિ, વૃદ્ધિમાન જીવનભર્તા, મહાજ્ઞાની”