________________
૫૮૪
ગીતા દર્શન
નિરહંકારી પુરુષ હણીને ય નથી હણતો, પણ અગિયારમા અધ્યાયમાં શ્રીકૃષ્ણમુખે કહેવાયું છે તેમ હણાયેલાને હણે છે એટલે “સ ન નિવધ્યતે” તે બંધાતો નથી. હણાયેલાને હણવાનો અર્થ એ કે જ્ઞાની તો માત્ર આ લોકમાં જે ક્રિયા કરે છે, તે નિમિત્તરૂપે થઈને જ કરે છે, માલિકરૂપે થઈને કરતો નથી; એટલે તેને બંધન નડતું નથી. દા. ત., એક તળાવ ખોદાવ્યું અને તેનું પાણી પીનાર તે (જ્ઞાનીને નિમિત્તે એ તળાવ થયેલું હોઈને તે જ્ઞાની)ની દુવા બોલે છે. જ્ઞાની ત્યાં ફુલાતો નથી, કારણ કે તળાવ કંઈ માત્ર પોતાને જ લીધે નથી થયું, તેમાં બીજાં ઘણાં કારણો મળ્યાં ત્યારે થયું છે. એટલે વખાણથી તેની બુદ્ધિ લેખાતી નથી; તે જ રીતે તળાવના ખોદાણમાં જે મહારંભી હિંસા થઈ, તે હિંસાનું પાપ પણ તે જ્ઞાનીને લાગતું નથી. તેવા અર્થમાં જ આ શ્લોક બેસાડવો. અથવા બીજાની કાયાને હણનારને હણતાં પહેલાં તો પોતાનો આત્મનાશ કરવો પડે છે, પછી જ પોતે બીજાને હણી શકે છે. (‘પુરિસા નમેવ સિ તમેવ નમંલિવેવ') હે આત્મન્ ! જેને તું હણી રહ્યો છે, તે તું તને જ હણી રહ્યો છે, એમ જૈનસૂત્ર આચારાંગ' બોલે છે, તે અક્ષરે અક્ષર સત્ય છે. એટલે જ્ઞાની (પોતાના આત્માને હણનાર આવું) હિંસક કૃત્ય નથી કરતો. ગીતાના શબ્દોને આ ભાવમાં ગોઠવવો હોય તો “હવા ન હન્તિ' પ્રયોગ મળી રહે છે. બાકી માલિકીહક્કપૂર્વક જાતે કોઈ તેવો મહારંભ કરાવે, તો તે રાજસી કે તામસી કાર્યમાં ગણાય, અને એનું પાપ, પુણ્ય એને ભોગવવું જ પડે, કારણ કે ત્યાં એણે સંગ અને ફળનો ત્યાગ કર્યો નથી, બસ.
અંતરંગ વિષય હોઈને અંતરંગ અને બહિરંગ એમ ક્રિયાની પાછળના વ્યાપારોની વિચારણા મૂકે છે, કે જે પરથી સાધક પોતે કયા કર્મ પછવાડે કયો ભાવ સેવે છે તેનો ખ્યાલ આવે. જો કે આ વાત સત્તરમા અધ્યાયમાં અને ચૌદમા અધ્યાયમાં કહેવાઈ ગઈ છે, છતાં અહીં બીજા પ્રકારે તે જ વાતને પુષ્ટ કરે છે.
હણીને પણ આ લોકોને તે હણતો નથી. મતલબ એ કે પૂરો નિરહંકારી પુરુષ તો આત્મનાશ પણ કરતો નથી, તેમ લોકનાશ પણ કરતો નથી. જ્યારે અહંકારી તો આત્મનાશ પણ કરે છે, અને લોકનાશ પણ કરે છે, એમ ગીતાકાર આસુરી સંપત્તિવાળા માટે (૧૬-૯) અગાઉ કહી જ ગયા છે. સામાન્ય જ્ઞાનીના પક્ષમાં આ શ્લોક આબેહૂબ ઘટી જાય છે, અને તે એ રીતે કે જેમ હકીમ દર્દીનું દર્દ દૂર કરવાના હેતુથી દર્દીના શરીરના દર્દવિભાગ પર સ્પર્શ કરે કે દવા લગાવે તેથી દર્દીને પીડા થાય, તો ય તે સ્થૂળ રીત હિંસા છે, છતાં હકીમની દષ્ટિમાં તો દયા જ