Book Title: Jain Dharm Prakash 1914 Pustak 030 Ank 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવું વર્ષ. ઉપર જણાવ્યા સિવાયના ૧૭ લેખે વર્તમાન ચર્ચા અથવા વર્તમાન સમાચારને લગતા છે. તેમાં ૪– લેખ તે જીવદયાને લગતા છે, તે જીવદયા પ્રચારક ફંડના વહીવટ કર્તા ઝવેરી લલુભાઈ ગુલાબચંદને મોકલેલા પ્રસિદ્ધ કર્યા છે. ત્રણ લેખ કપડવંજમાં માંગલિક પ્રસંગ, ગેઘામાં દીક્ષા મહોત્સવ અને અમદાવાદમાં ઉજમણને મહત્સવ તેને લગતા છે તે ખાસ વાંચવા લાયક છે. બીજા નાના મોટા ચાલતા પ્રસંગને લગતા નેધ કરી રાખવા લાયક લેખે છે, જેમાં આબુ) તીર્થમાં દેરાસરની અંદર પગરખા પહેરીને નહીં જવા સંબંધી નામદાર સરકારે કરેલા ઠરાવની નકલ મુખ્ય છે. પ્રાંતે જોધપુરમાં મળેલા જૈનસાહિત્ય સંમેલનને લગતે તેની હીલચાલ જાહેર કરનારો લેખ છે. એ પ્રમાણે વર્તમાન સમાચારને લગતા ૧૭ લેખ સમાપ્ત થાય છે.. ગતવર્ષમાં ઉપર જણાવ્યા પ્રમાણેના ચિત્રવિચિત્ર પરંતુ જિનવાણીના રહસ્યને સૂચવનારા, જિનવાણીમાં રમણ કરાવનારા અને જિનાજ્ઞાને અવલંબીને તેની હદમાંજ રહીને લખાયેલા લેખો છે. કોઈ પણ લેખ અથવા તેનો વિભાગ કન નામ ધરાવનારા લેખકોએ અથવા તેવા નામવાળા માસિકેએ કે ન્યૂપેપરોએ જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરે તેવા પ્રકારને લખવે કે દાખલ કરે નજ જોઈએ. જાહેર ખબરો પણ જેન નામ ધરાવીને સાંઢાના તેલ જેવી હિંસક અથવા અનંગ વિલાસ યાકુતિ જેવી કમાદક પૈસાના લેભથી દાખલ કરવી ન જોઈએ. આ સંબંધમાં બીજે પ્રસંગે તંત્રી તરફથી વધારે લખવામાં આવનાર હોવાથી અહીં વધારે સૂચવવાની આવશ્યકતા નથી. આટલી હકીક્ત પણ મારું અંગ શોભાવવાને માટે લેખ લખવા ઈચ્છનારા મારાપર ઉપકાર કરનારા હોઈને પિતાના આત્માને અને મારા અંગને ઘણુરૂપ થાય તેવા લેખ કે લેખાંશ ન લખે અને મારા અન્ય બંધુઓ પણ તે વાત ધ્યાનમાં રાખે તેને માટે સૂચવી છે. હવે નવા શરૂ થયેલા વર્ષને માટે મારા પિષકે મને કેવા પ્રકારનું પિષણ આપવાના છે તે મારૂં ને તેમનું અંતઃકરણ એક હોવાથી હું જાણી શકું છું તેથી મારા વાંચક બંધુઓ પાસે પ્રદર્શિત કરું છું. પદ્યલેખક કવી તે સાત વ્યસન ઉપર અને બાકી રહેલી ભાવનાઓ ઉપર પા લખવાના છે. પ્રસંગોપાત ઉપદેશક અને વરાત્પાદક વિષય પરત્વે પણ પદ્ય આપશે. બીજા પદ્ય લેખકો સ્વસ્વઈરછાનુસાર લખે મોકલશે, તેમાંથી જે મહાવવાળા ધ્યાનમાં આવશે તેજ મારા અંગ તરીકે પ્રગટ થશે. ગદ્ય લેખકે પૈકી મુનિરાજ શ્રી કરવિજયજી તે પિતાની લેખિની શરૂજ રાખવાના છે. તેમના મુખ્ય વિષય પાપસ્થાનકની સઝા, ગાનાર મહિના આકે, પ્રશમરતિ અને સૂક્તમુક્તાવળી એ ચાર તે ચ લાજ છે, તે આગળ વૃદ્ધિ પામશે અને પ્રસંગે પાત બીજા લેખે પણ લખી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42