Book Title: Jain Dharm Prakash 1914 Pustak 030 Ank 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 29
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન સાહિત્યને કર્મ સબંધી ગ્રંથનો વિસ્તાર. જૈનધર્મ પ્રસારક સભા તરફથી છપાઈને બહાર પડેલા છે. સંસ્કૃત કર્મ ગ્રંથ ઉપર ટીકા નથી. આ પાંચે ગ્રંથ ઉપર પિત્ત વૃત્તિ રચેલી છતાં કઈપણું કારગિથી ત્રીજ કર્મગ્રંથ ઉપરની ટીકા ઉપલબ્ધ થતી નથી. તે ગુમ થઈ જવાથી સ્થાનશૂન્ય ન રહેવા માટે કઈ આચાર્યો અવચૂરી બનાવીને તે સ્થળે દાખલ કરી દીધી છે અને તે પ્રગટ ઉલ્લેખ પણ કરેલો છે. પિતાનું નામ આપ્યું નથી. આ પાંચે કર્મ ગ્રંથની વૃત્તિ કયા કમે બનાવી હશે તે ચોકસ થઈ શકતું નથી, કારણ કે તેમાં પ્રથમના ગ્રંથમાં પાછળના ગ્રની ટીકાની સાક્ષીએ આપેલી છે. આ પાંચે કર્મશથ ઉપર બે અવચરિએ બનેલી છે. એક શ્રી મુનિશેખરસૂરિની રચેલી છે અને બીજી શ્રી ગુણરત્ન સુરિની રચેલી છે. બીજા" કર્મ ગ્રંથ ઉપરથી કર્મસ્તવ વવરણ નામનું જુદુ પ્રકરણુ શ્રી કમળસંયમ ઉપાધ્યાયે રચેલું છે. આ કર્મ ગ્રંથની પ્રવૃત્તિ બહુ વિશે પ્રચલિત છે. તેના કર્તાએ ટીકા બહેજ સરલ બનાવી છે. તેઓ તેરમા સૈકામાં વિદ્યમાન હતા, કારણકે સંવત ૧૩૨૬ માં તેઓ સ્વર્ગવાસી થયેલા છે. પ સત્તરી અથવા સપ્તતિકા નામે કર્મગ્રંથ કે જે હાલ છઠ્ઠાં કર્મગ્રંથ તરીકે પ્રસિદ્ધિમાં છે, પરંતુ તે પાંચ નવ્ય કર્મગ્રથ કરતાં ઘણું પ્રાચીન છે. તેના કર્તા શ્રી ચંદ્રર્ષિ મહત્તર છે કે જેઓ પંચ સંગ્રહના પણ કર્તા છે. તેમણે આ કર્મગ્રંથ ઉપર પણ વૃત્તિ પણ રચી છે. ચૂર્ણિ રચાયેલ છે પણ તેના કર્તાનું નામ ઉપલબ્ધ નથી. પs ઉપરાંત બીજી બે વૃત્તિ શ્રી મલયગિરિજી તથા મુનિશેખરસૂરિ કૃત છે. તેમાંની મલયગિરિજીવાની વૃત્તિ વિશેષ ઉપલબ્ધ હોવાથી પ્રચલિત છે. ટિપન્નક ખરતર ગછી રામદેવસૂરિએ રચ્યું છે અને અવચૂરિ શ્રી ગુણરત્નસૂરિએ રચી છે કે જેમણે નવ્ય પાંચ કર્મગ્રંથ ઉપર પણ અવરિ રચેલી છે. આ ગ્રંથમાં બંધ ઉદય ને સત્તા સ્થાનકો બતાવીને તેના સંધ દર્શાવેલા છે. કૃતિ મહા ચમત્કારી અને અદ્દભુત છે. આ કર્મ ગ્રંથ બીજા અગ્રાયણી પૂર્વની પાંચમી વસ્તુ માંહેના વીશ પ્રાભૂતમાં ચાર કર્મ પ્રકૃતિ નામે પ્રાકૃત છે, જેના ૨૪ અનુયેાગ દ્વાર છે, તેમાંથી ઉદ્ધરેલ છે. કર્મ પ્રકૃતિ ગ્રંથ શ્રી શિવશર્મસૂરિ મહારાજે પણ આ પ્રાભૂતમાંથી જ ઉદ્ધરેલ છે. કેઈ આઠમા કર્મપ્રવાદ પૂર્વમાંથી તે ઉદ્ધરેલ છે એમ કહે છે પણ તે માત્ર નામને અગે કરેલી કપના છે. કર્મપ્રવાદ પૂર્વમાં તે આખા પૂર્વમાં કર્મની જ હકીકત હોવાનો સંભવ છે, પરંતુ અત્યારે તે પૂર્વ કે તેમાંથી ઉદ્વરેલ ગ્રંથ કાંઈપણ લભ્ય ન હોવાથી તે વિષે કાંઈ લખી શકાતું નથી. આ સંમતિકા કર્મ ગ્રંથમાં બંધ ઉદય સત્તા સ્થાનના સંધ અને તેના ભંગ બતાવ્યા પછી પ્રાંતે ઉપશમ તથા ક્ષપક શ્રેણીનું સ્વરૂપ બતાવેલું છે, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42