Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
અંતમાં પરિષિષ્ટ આપવામાં આવેલ છે જેમાં જૈન ધર્મના જ્ઞાન વિજ્ઞાનની કેટલીક સમજવા પેચ વાનગી તથા સુંદર વિચારણીયસમરણીય હકિકતે આપવામાં આવેલ છે. સામાયિકની બે ઘડીમાં આ પુસ્તકનું પારાયણ થઈ શકે.
પુસ્તક પ્રકાશનમાં વિલંબ થતાં વિ. સં. ૨૦૩૫ની દિવાળી પૂરી થઈ. નવું વર્ષ વિ. સં. ૨૦૩૬ ના કારતક સુદ ૧ ના દિવસે શ્રી ગૌતમસ્વામીને રસ સાંભળવાનો મહિમા છે. સુગુરૂદેવ શ્રી. પાર્ધચંદ્રસૂરીશ્વરજીએ શ્રી ગૌતમસ્વામિને ઘણે સુંદર “લધુ રાસ” બનાવેલ છે તે અર્થ સહિત લેવામાં આવ્યું છે ? વાંચતા વાંચતાં તરત જ યાદ રહી જાય અને દરરોજ બોલી શકાય તેવે છે. ઉદયવંત મુનિશ્રીએ શ્રી ગૌતમસ્વામિનો મોટો રાસ” લખેલ છે તે પણ અતિ સુંદર છે, પરંતુ ભાષાને કારણે તે સમજ જરા મુશ્કેલ જણાય છે. દર વરસે સાંભળીયે પણ અર્થ પુરા ન સમજાય તેથી આ પુસ્તકમાં
ત તેના અર્થ સમજાય તેટલા આપવા પ્રયત્ન કરેલ છે. રાસ સાથે વાંચતા અર્થ સમજી શકાય તેવી અપેક્ષા છે.
આશા છે કે સુજ્ઞ વાંચકે આ પુસ્તકનો સદુપયોગ કરશેપાક્ષિકાદિ પ્રતિક્રમણોમાં અતિચાર સૂત્ર હૃદયપૂર્વક સમજી બોલી, શકાય તેથી દર વર્ષે ઉપયોગી પુસ્તક જીવન ભર સાચવી શકાય તેથી અમુલ્ય ગણી શકાય તેમ છે. આ પુસ્તક વાંચ્યા પછી જેન ધર્મમાં અતિચાર શું છે તે સ્પષ્ટ થઈ જવું જોઈએ.
છપાઈમાં બને તેટલી કાળજી છતાં દષ્ટિદેષ કે પ્રેસષથી ઓછામાં ઓછી કેઈ અશુદ્ધિ કે ભૂલ રહી ગઈ હોય તે તે માટે મિથ્યા દુષ્કૃત કરી આ પ્રસ્તાવના સમાપ્ત કરીએ છીએ. શ્રી “જિન આણ” વિરૂદ્ધ પ્રમાદ કે અજ્ઞાનથી લખાયું હોય તે ક્ષમા યાચીએ છીએ.
સુષ કિ બહુના!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org