Book Title: Hu Aatma Chu Part 03
Author(s): Tarulatabai Mahasati
Publisher: Gujarati Shwetambar Sthanakwasi Jain Association

View full book text
Previous | Next

Page 297
________________ 288 હું આત્મા છું હસતાં-હસતાં જુહુ બોલવું, એને તે જાણે જુઠું સમજતાં જ નથી. વાત-વાતમાં, કેઈની હાંસી-મશ્કરી કરતાં જુઠ. એ તે ખ્યાલ રાખજે જ કે કેઈની પણ હાંસી-મશ્કરી, જુઠું બોલ્યા વિના થતી નથી. જુહું બેલાય. છે માટે જ તે મશ્કરી છે. અને તમારા જીવનમાં આનંદ માણવાનું સાધન. પણ કેઈની મશ્કરી જ છે. એ સિવાય મજા આવતી નથી. ખરેખર જેને. જૂઠમાંથી બચવું છે તેણે તે આ વસ્તુને છોડી દેવાની અત્યંત આવશ્યક્તા છે. જેમાં ક્ષણિક આનંદ સિવાય કશું જ મળતું નથી. અને કયારેક તે મશ્કરી મતનું કારણ બની જાય છે. માટે એ સર્વથા ત્યાજ્ય છે. કોધના આવેશમાં આવી અન્યને નીચા દેખાડવાની વૃત્તિથી પણ માણસ જુઠી વાતે કરતે હોય છે. અને શાસ્ત્રમાં તે કહ્યું કે ક્રોધી માણસની આંખ -કાન બંધ થઈ જાય છે, માત્ર મુખજ ખુલ્લુ રહે છે. તેથી એ શું બોલે છે એની ખબર રહેતી નથી. સાચું-ખોટું બધું જ બોલાતું હોય છે. એવી જ રીતે કેઈનાં રહસ્ય ખુલ્લા કરવા, ધ્રાસકે પડે એવું બોલવું, પિતાનાં જ સ્વજનનાં મર્મ કહી દેવા, કેઈને ખોટી સલાહ આપી છે. રાહે ચડાવી દેવા, બેટા સહી સિક્કા કરવા વગેરે સ્વાર્થ કે પ્રમાદનાં કારણે જ થતું હોય છે. માટે તે સર્વ અસત્ય છે અને ત્યાજ્ય છે. આમ અનેક પ્રકારના આવેશેને કારણે જૂઠનું સેવન થતું હોય, કયારક સત્ય પણ કડવું હોય તો તે અસત્યની કેટીમાં મૂકાય છે. મૂઢ ને મૂઢ કે કાણાને કાણે કહે તે ભાષાકીય દૃષ્ટિએ સાચું હોવા છતાં પણ સામા માણસને દુઃખ ઉપજાવે છે માટે તે ત્યાજ્ય જ છે કહ્યું છે - सत्यं ब्रूयात्, प्रियं ब्रूयात् સત્ય બોલે પણ પ્રિય છે. જે કેઈને દુઃખકારી ન હોય. આમ તમારા રેજિંદા જીવનમાં આવા અસત્ય ભાષણની પરંપરા સર્જાતી હોય છે. કેટલીક વખત તે તમને ખ્યાલ પણ નથી હેતે કે તમે જૂઠ બોલે છે. કારણ ઘણાં અભ્યાસનાં કારણે બધું જ Common થઈ ગયું છે. પણ નહીં, સત્યજ ધર્મ છે. માટે જીવનમાં સત્ય બલવાને જ આગ્રહ રાખ. થોડું નુકશાન વેઠવું પડે તે વેઠી લેવું પણ સત્ય તે ન જ છોડાય. સત્યવાદી બનવા માગતા હે તે જીવનમાં બે સિદ્ધાંતને ઉતારવા પડશે.

Loading...

Page Navigation
1 ... 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330