Book Title: Hu Aatma Chu Part 03
Author(s): Tarulatabai Mahasati
Publisher: Gujarati Shwetambar Sthanakwasi Jain Association

View full book text
Previous | Next

Page 321
________________ 312 હું આત્મા છું હોય તથા પ્રમાદ અને સ્વાર્થનાં કારણે જ્ઞાન આદિની વિરાધના થઈ હોય તે તસ્સ મિચ્છામિ દુક્કડ. - આચાર્ય ભદ્રબાહુ સ્વામીએ બતાવેલ બીજે વિષય : શ્રાવક તેમજ સાધુને તેનાં કર્તવ્યનાં પિષણ અર્થે, અર્થાત્ શ્રાવક ધર્મ તથા સાધુધર્મ ને સંબલ મળી રહે તે માટે, જે કંઈ આદરવાનું કહ્યું છે તેમાં પ્રથમ છે શાસ્ત્ર-સ્વાધ્યાય. - સાધુએ તથા શ્રાવકે બંનેએ પ્રભુનાં પુરુપેલ શાસ્ત્રો ને સ્વાધ્યાય ગ્ય કાળે કરે જોઈએ. જેથી પોતે જે વ્રત આદર્યા છે તે વ્રતનાંવિધિ નિષેધને તેને ખ્યાલ રહે. પિતાનાં માટે શું કરવું એગ્ય છે અને શું અયોગ્ય છે. તેની જાગૃતિ રહે. એ જ રીતે કાળ-કાળે પ્રતિલેખન કરવાથી અહિંસા ધર્મને પોષણ મળે છે. જે પ્રત્યે દયાભાવના પ્રબળ બને છે. સામાયિક તે સમતાની સાધના છે. તે જેમ-જેમ થતી જાય તેમતેમ સમતા ભાવ સધાતે જાય. માટે એ પણ કર્તવ્ય છે. આ બધાં જ કર્તા ચૂકવા જોઈએ નહીં. વળી સમતા એ સાધનાનું પરિણામ છે. સાધના કેવી અને કેટલી થઈ તેનું થર્મોમિટર છે. માટે સમતા તે અત્યંત પૃહિણીય છે. - ત્રીજો વિષય સર્વ જ્ઞનાં કહેલ તત્તમાં અશ્રદ્ધા - કેટલાંક ત તર્કગમ્ય હોય, કેટલાંક ન હોય. સર્વ કહેલ બધાં જ સિદ્ધાંતે ને તર્કની કટીથી કસવા જઈએ તે તે હંમેશાં કટી થી પાર ઊતરે એવું બનતું નથી. કારણ તર્ક એ બુદ્ધિને વિષય છે અને તે ગમે તેટલી હોવા પછી પણ શપથમિક ભાવ હવાનાં કારણે સિમીત હોય છે. સિમીત બુદ્ધિ અસીમ અનુભવગમ્ય તને સમજી શકે નહીં અને જ્યારે ન સમજાય ત્યારે અંતરમાં સર્વ પ્રત્યે, તેમનાં કહેલાં ત પ્રત્યે અશ્રદ્ધા જાગે. એ પણ જીવની સંકુચિત વૃત્તિની નિશાની છે. સંદેહ, જિજ્ઞાસાને અનુગામી હોય તે આવકાર્ય છે પણ શ્રદ્ધાને ખલિત કરનારે હોય તે તે ત્યાજ્ય છે. એ વિષય આગમ વિરૂદ્ધ પ્રતિપાદન–અશ્રદ્ધા થવી એ જયાં માનસિક અસંતુલન છે ત્યાં વિરૂદ્ધ પ્રતિપાદન વાચિક અપરાધ છે. સ્વાર્થ કે પ્રમાદ

Loading...

Page Navigation
1 ... 319 320 321 322 323 324 325 326 327 328 329 330