Book Title: Hu Aatma Chu Part 03
Author(s): Tarulatabai Mahasati
Publisher: Gujarati Shwetambar Sthanakwasi Jain Association

View full book text
Previous | Next

Page 302
________________ અન્ય અનેક નથી મારા જીરે, સાથે જ માનવ આયણ 293 જીવન જીવવાને અધિકાર આપણે છે તેમ સહુને છે. વળી તમે જે કંઈ મેળવ્યું છે તે માત્ર તમારા જ પુરુષાર્થથી નથી મળ્યું. તમારું ભાગ્ય ભલે કામ કરતું હશે પણ અન્ય અનેક જીવોની મહેનત તેમાં ઉમેરાઈ છે. તેથી માનવનું એ કર્તવ્ય થઈ પડે છે, કે તે સારી રીતે જીવે, સાથે અન્ય ને પણ જીવવામાં સહાય કરે. પિતાની પાસે રહેલી પૂંજીમાં મમત્વની ભાવના જ પરિગ્રહ છે. મમત્વ સર્વ દોષનું મૂળ છે. મમત્વ જ તૃષ્ણને વધારનાર છે. વળી બીજી રીતે વિચાર કરીએ તે સમાજમાં કંઈક છે, સમાજ માને, પૂજે, માન આપે. એવી ભાવનાથી પણ ધન મેળવવાની લાલસા વધતી જાય છે. ધન વિના કેઈ નહીં બોલાવે. માટે પાપ કરીને પણ પૈસે એકઠો કરે એવી વૃત્તિ કાયમ રહે છે. આ બધું જ માત્ર ક્ષણિક છે. માનવ પિતાનાં સદાચારથી, પોતાની આગવી પ્રતિભાથી સમાજમાં ઊંચ-સ્થાન પ્રાપ્ત કરી શકે છે. આવી શ્રદ્ધા રાખી તૃષ્ણ અને લાલસાને ઓછી કરવા પ્રયાસ થે જરૂરી છે. - પાપથી આવતા પૈસાને પરિગ્રહ કઈરીતે હિતકારી નથી એ વિશ્વાસ હૃદયમાં બેસી જ જોઈએ. અંતરમાં રહેલ ધનની અમાપ તૃષ્ણા કેટકેટલા પાપ-પ્રપંચ કરાવે છે ? એ સર્વ પ્રપંચો આત્મા માટે પરંપરાએ દુઃખકર્તા જ છે. જે જીવનમાં સંતોષ અને તૃપ્તિ હોય તે આવા પ્રપંચથી જીવ બચી જાય. ધનની આસકિત એ પ્રપંચે કરાવ્યા હોય અને તેમાં જીને હાની પહોંચાડી હોય ને પરિગ્રહ સંબંધી કેઈપણુ પાપ-દોષ લાગ્યું હોય તે અરિહંત, અનંતાસિદ્ધ, કેવળી પરમાત્માની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુકકડે. છ પાપ ક્રાધા-કોધથી કેણ પરિચિત નહીં હોય? નાના બાળકને પણ ક્રોધ કરતાં આવડે. બોલતા કે બેસતા ન શીખ્યું હોય એવડું બાળક પણ ક્રોધ તે કરે જ. એ તેને શીખવવું ન પડે. આવડા બાળકને કોઈ કરવાનું શું કારણ ? જીવમાં પડેલે અહં. નાના કે મોટા સહુનાં દીલમાં એક ઈચ્છા તે પડી જ હોય કે હું ધારું તેમ થવું જોઈએ. એમ ન થાય તે તરત

Loading...

Page Navigation
1 ... 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330