Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text ________________
અધ્યાત્મવૈભવી મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ + સ્વોપજ્ઞ ટબામાં અસાર સંસારની ઝાકઝમાળમાં અટવાયેલા જીવોને આંતરિક મોક્ષમાર્ગમાં પા-પા પગલી માંડવાની સૂઝ -શક્તિનું ગર્ભિત રીતે દિગ્દર્શન કરાવ્યું છે. આ બાબત તેઓશ્રીની કૃપાથી જ “અધ્યાત્મઅનુયોગ સ્વરૂપે પ્રથમ ભાગમાં દર્શાવેલ છે. આના માધ્યમે તેઓશ્રીએ આપણી આત્મભૂમિમાં અધ્યાત્મબીજની વાવણી કરી વાત્સલ્યથી માવજત કરી છે. એટલું જ નહિ, અધ્યાત્મ સુધારસથી સભર પદાર્થરૂપી અનેક ફળોનો રસાસ્વાદ પણ ચખાડ્યો છે. એક એક પદાર્થ = ફળ આપણા અંતરાત્માને અનંત તૃપ્તિનો અહેસાસ કરાવી દે તેમ છે.
આ જ અનૂઠા અનુસંધાનને જોડતાં મહોપાધ્યાયજીએ રાસની આગળની ઢાળોમાં દ્વિતીય તબક્કામાં અધ્યાત્મશિખરે આરૂઢ થવાનું અનાદિ કાળનું આપણું અંગત કર્તવ્ય ખૂબ જ આસાનીથી પાર પડે એ માટે અંતિમ પડાવ સુધીની પ્રક્રિયા આત્માર્થી જીવો સમક્ષ ગુપ્તપણે મૂકી છે. તેઓશ્રીની જ અપાર કરુણાદષ્ટિથી એ આધ્યાત્મિક પ્રક્રિયાને વિશેષ રીતે ખોલવાનો અતિ નમ્ર પ્રયાસ અહીં કરાયો છે. આશા છે કે જ્ઞાનજ્યોતિર્ધર એવા મહોપાધ્યાયજીના અખૂટ જ્ઞાનખજાનામાંથી સંપ્રાપ્ત આ અનુસંધાન અતૂટ બને.
પ્રસ્તુત પ્રકાશનના દ્વિતીય ભાગમાં ૧૨ થી ૧૭ ઢાળ/શાખા સુધીના પ્રત્યેક શ્લોકમાં પ્રભુકૃપાથી જે “અધ્યાત્મ અનુયોગ' લખાયેલ છે, તેમાં ૧૨ થી ૧૫ ઢાળ/શાખામાં લખાયેલ “અધ્યાત્મ અનુયોગ તો ઉચ્ચતર કક્ષાના જ્ઞાનપુરુષાર્થીઓને ઉદેશીને જાણવો.
• વિવિધ ઢાળમાં સમાવિષ્ટ “અધ્યાત્મ અનુયોગ'ના પદાર્થો • ઢાળ-૧૨ • શુદ્ધનયને પ્રધાન બનાવતાં સમકિતની પ્રાપ્તિ. • મૂર્વસ્વભાવનું વિસર્જન. • સંસાર-મોક્ષમાં આત્માની સમાનતા. • વિભાવ વળગાડમાંથી છૂટકારો. • સાધક વ્યવહારમાં સુષુપ્ત, આત્મકાર્યમાં જાગૃત. ૦ શુદ્ધાત્મધ્યાનના ૭ ફળ. • જ્ઞાનદર્પણની સ્પષ્ટતા.
રાગનું અકર્તુત્વ. • જ્ઞાનનું રાગ-વિકલ્પાદિમાંથી પૃથક્કરણ. • ગ્રંથિભેદનો પુરુષાર્થ. • નયોની મર્યાદા.
• શુદ્ધાત્મસન્મુખતા. • રાગનો રાગમાં અને જ્ઞાનનો જ્ઞાનમાં વસવાટ. • નિર્વિકલ્પસમાધિ પ્રગટીકરણ...વગેરે.
જ્ઞાનમાં પરપ્રતિભાસની ગૌણતા અને સ્વપ્રકાશસ્વભાવની પારમાર્થિકતા. = ઢાળ-૧૩
• શુદ્ધ ચૈતન્યઘન સ્વભાવમાં રાગાદિનો અપ્રવેશ. • નિર્વિકલ્પદશાનો પ્રાદુર્ભાવ. • સાત પ્રકારના અધ્યાસમાંથી મુક્તિ. • શુદ્ધ ચૈતન્ય સ્વભાવની અનુભૂતિ. ભેદજ્ઞાન જાગરણ.
• સાક્ષીભાવનો સહજ સ્વીકાર.
Loading... Page Navigation 1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 384