________________
૨૪
ડિલે ઇસ ડેન્જરસ
જે હાથ લંબાયો છે, એ હાથને જરા રાહ જોવા કહેવું. ખરો સવાલ એ નથી કે એ હાથ રાહ જોશે કે નહીં, ખરો સવાલ તો એ છે કે આપણે ફરી એ હાથને હાથ આવશું કે પછી ડુબી ગયા હોઈશું? વૈરાગ્યશતક કહે છે – जं कल्ले कायव्वं, तं अज्जं चिय करेह तुरमाणा । बहुविग्यो हु मुहुत्तो, माऽवरण्हं पडिक्खेह ॥ જે કાલે કરવાનું છે, તેને આજે જ કરો અને જલ્દીમાં જલ્દી કરો. એક મુહૂર્તની અંદર પણ કેટકેટલા વિદ્ગોની ફોજ ખડી થઈ શકે છે. તમને સવારે ભાવના થઈ હોય તો બપોર સુધીનો પણ વિલંબ ન કરતાં. શક્ય છે, કે આટલા જ વિલંબથી પણ તમારા બધાં જ અભરખા અધુરાં રહી જાય.
વૈદિક ગ્રંથોમાં પણ કહ્યું છે - यदहरेव विरजेत्, तदहरेव प्रव्रजेत् । જે દિવસે તમને વૈરાગ્ય થાય,