________________
ડિલે ઇસ ડેન્જરસ
૩૯
ને અવસરને ઝડપી લે છે. સમય એ શું હોય છે ? જ્યારે માણસ બોલે છે કે સમય ખરાબ છે એનો અર્થ શું હોય છે ? પરમ પાવન શ્રી ભગવતીસૂત્રની એક ઘટના છે – ગૌતમસ્વામી પ્રભુને પ્રશ્ન કરે છે – “હે પ્રભુ! આ જે ‘સમય’ કહેવાય છે, તે શું હોય છે?” પ્રભુ જવાબ આપે છે - “નીવા વેવ નવા ચેવ - જીવ અને અજીવ એ જ સમય છે.” સમય ખરાબ છે – આનો અર્થ એ નથી કે ઘડિયાળ ખરાબ થઈ ગઈ છે. મંદી, મોંઘવારી, ચોરી, અસલામતી, દગા-ફટકો આવી બધી પરિસ્થિતિમાં એમ કહેવાય છે કે સમય ખરાબ છે. માણસ માંદો પડ્યો હોય, તો એમ કહે છે, કે ‘સમય ખરાબ છે.” પ્રભુનું વચન કેટલું સચોટ છે ! જીવ ને અજીવ – તે જ સમય.