________________
૪૪
ડૉક્ટરનું ય માથું ખાઈ જાય
ને જે એની પાસે આવે
તેનું ય માથું ખાઈ જાય.
રોગની સભાનતામાં વિલંબ અશક્ય હોય છે.
જે વિલંબ કરે
એના માટે એમ કહેવાય
કે એને એના રોગની કાંઈ પડી જ નથી.
પ.પૂ. હરિભદ્રસૂરિ મહારાજા યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથમાં કહે છે
भव एव महाव्याधि-र्जन्ममृत्युविकारवान् । विचित्रमोहजनन - स्तीव्ररागादिवेदनः ॥
કેન્સર વગેરે રોગોને
ક્યાંય પાછળ પાડી દે,
એવો એક મહારોગ છે.
જેનું નામ છે સંસાર.
કેન્સરમાં શિરદર્દ વગેરે વિકારો હોય છે,
સંસારમાં જન્મ અને મરણ-વિકારો હોય છે.
કેન્સરમાં માણસ સૂઝ-બૂઝ ગુમાવી દે છે,
સંસારમાં જીવ જાત જાતના
મોહ-ઉન્માદનો ભોગ બને છે.
કેન્સરમાં તાપ વગેરેની વેદના હોય છે
સંસારમાં તીવ્ર રાગ-દ્વેષની વેદના હોય છે.
ડિલે ઇસ ડેન્જરસ