________________
૫૦
પ્રભુના હાથે એ રાજકુમારને રજોહરણ મળ્યું. એનો મનમયૂર નાચી ઉઠ્યો
એના રોમે રોમે રાસડાં લેવાયા.
આનંદનૃત્ય સાથે એ પ્રભુને પ્રદક્ષિણા દેવા લાગ્યો. સર્વવિરતિની પ્રાપ્તિનો આનંદ આસમાનને આંબ્યો.
આંખમાંથી આનંદના આંસું વહેવા લાગ્યા.
પણ આ શું ?
એકાએક એ પડી ગયો.
ડિલે ઇસ ડેન્જરસ
કોઈ કાંઈ સમજે એ પહેલા તો એનું પ્રાણ પંખેરું ઉડી ગયું.
પરિવાર વિલાપ કરવા લાગ્યો.
પ્રભુએ કહ્યું, “એનું આયુષ્ય હમણા જ પૂરું થવાનું હતું,
માટે જ મેં વિલંબ કરવાની ના પાડી હતી.
આ થોડી ક્ષણોમાં એણે આત્મહિત સાધી લીધું છે.
એનું મૃત્યુ મહોત્સવ બન્યું છે. શોક કરવાની કોઈ જ જરૂર નથી.’’
થોડી જ વારમાં એક મહાતેજસ્વી દેવ ત્યાં આવે છે
અને બધાંને આશ્વાસન આપે છે.
એ હતો એ રાજકુમારનો જીવ.
આજે અસંખ્ય વર્ષ પછી પણ આ ઘટના આપણને સંદેશ આપે છે
–
Delay is dangerous.
દીક્ષાનું મુહૂર્ત નીકળ્યા પછી એક દીક્ષાર્થી ટ્રેનમાં ક્યાંક જઈ રહ્યા હતાં.
કોઈ ગુંડાઓએ એમને લૂંટી લીધા.
સ્ટેશન પર ઉતરી એમની ફરિયાદ ન કરે