________________
ડિલે ઇસ ડેન્જરસ
પુત્રો જો ‘કાલે’ પર રહ્યા હોત
તો એમની ય ‘કાલ’નો ભરોસો ન હતો
તો માતા-પિતાની ‘કાલ તો ક્યાંથી આવત ?’
ને રાજા-રાણી
બિચારા રાજા-રાણી જ રહી જાત.
‘આજ’માં મજા છે.
‘કાલ’માં સજા છે.
આપણે ત્યાં બે જુની કહેવત છે
“થયું એ કામ.” “કર્યું એ કામ.” જે સમજદાર છે
એને મન ‘કરશું’ આ શબ્દનો
કોઈ જ અર્થ હોતો નથી.
નીતિશાસ્ત્રો કહે છે
करिष्यन्न प्रभाषेत, कृतान्येव तु दर्शयेत् ॥
તમે શું કરવાના છો, એ ન બોલો.
તમે જે કર્યું છે, તે જ બોલો.
કારણ કે જે કરવાનું બાકી છે,
તે કાયમ માટે બાકી જ રહી જાય
=
એવી પૂરી સંભાવના છે.
સાર આ છે -
સમય પર કામ થઈ ગયું એ થઈ ગયું. સમય વીતતો જાય,
એટલે કામ વધુ ને વધુ અઘરું થઈ શકે છે.
૩૫