________________
૨૬
ડિલે ઇસ ડેન્જરસ
પરમ પાવન શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે – कुसग्गे जह ओसबिंदुए थोवं चिट्ठइ लंबमाणए । एवं मणुयाण जीवियं, समयं गोयम ! मा पमायए ॥ જે રીતે કુશ-વનસ્પતિના ધારદાર અગ્રભાગ (point) પર ઝાકળબિન્દુ લટકી રહ્યું હોય, તે ક્યાં સુધી આમ લટકી રહેશે ?
બસ,
પવનની એક નાનકડી લહેર ને એ બિન્દુ ખલાસ. આવું છે મનુષ્યનું જીવન. ક્ષણવારમાં હતું - ન હતું.. ક્ષણવારમાં ખલાસ. માટે હે ગૌતમ ! તું સમયમાત્રનો પણ પ્રમાદ કરીશ નહીં. આપણી આજુ-બાજુમાં જ આપણે કેટ-કેટલી એવી ઘટનાઓને જોઈ રહ્યા છીએ ! આપણી સાથે હસતી-રમતી-બોલતી વ્યક્તિ એક Dead body રૂપે એકાએક આપણી સામે ઉપસ્થિત થાય એ શું સહજ ઘટના નથી? શું આજે ને હમણાં જ