________________
૩૦
ડિલે ઇસ ડેન્જરસ
તે ફરી કદી પણ પાછા આવવાના નથી. ભલે બીજા કરોડો - અબજો વર્ષો જતા રહે, ભલે બીજો અસંખ્ય કે અનંતકાળ જતો રહે જે દિવસ-રાત ગયા તે ગયા. હવે આપણા હાથમાં ફરી કદી તે સમય નહીં આવે. પિતાજી ! જે દિવસ-રાત ધર્મસાધના વિના જાય છે, તે નિષ્ફળ જાય છે. સોના જેવા એ સમયને આપણે લોઢા જેવો બનાવી દઈએ છીએ. માત્ર લોઢા જેવો જ નહીં, પણ પાપો દ્વારા લોઢાના છરા જેવો બનાવી દઈએ છીએ. જે છરો પછી આપણી જ છાતીમાં ભોંકાવાનો હોય છે. जा जा वच्चइ रयणी, ण सा पडिणियत्तइ । धम्मं च कुणमाणस्स, सहला जंति राईओ ॥ પિતાજી ! જે જે દિવસ-રાત જાય છે, તે કદી પણ પાછા આવતા નથી. જે ધર્મસાધના કરે છે, તેનો એ સમય સફળ થઈ જાય છે. પિતાજી ! આપ અમારા પર કૃપા કરો,