Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૫૨૮
-
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
છે, કેમકે વિશિષ્ટ જ્ઞાનવાન્ પુરૂષ પાપનું વર્જન કરે છે. તેનાથી સંયમ થાય છે, કેમકે પ્રત્યાખ્યાન કરનારને સંયમ હેય છેજ. તેનાથી અનાશ્રવ થાય છે, જે માટે સંયમવાળે પુરૂષ નવાં કર્મ બાંધતા નથી. તેનાથી તપ કરી શકાય છે, કેમકે અનાશ્રવી હોય તે લઘુકમી હોવાથી તપ કરવા સમર્થ થાય છે. - પથી વ્યવદાન એટલે કર્મની નિર્જરા થાય છે, કેમકે તપથી જુના કર્મ ક્ષય પમાડાય છે. તેનાથી અકિયા એટલે ગનિરોધ થાય છે, કેમકે કમની નિજીરાથી ગનિરોધ કરી શકાય છે. અને તેનાથી સિદ્ધિરૂપ છેલ્લું ફળ એટલે કે બધા ફળના અતે રહેલું ફળ મળે છે.
ગાથા એટલે સંગ્રહ ગાથા છે. તેનું લક્ષણ વિષમ અક્ષર અને વિષમ ચરણવાળું ઇત્યાદિ છંદ શાસ્ત્રમાં પાધરું છે.
श्री धर्म दासगणि पूज्यै रुपदेश मालाया मप्युक्तं वंदइ पडिपुच्छइ पज्जुवासए साहुणो सययमेव,
पढइ सुणेइ गुणेइय, जणस्स धम्मं परिकहेइ. त्ति. શ્રી ધર્મ દાસ ગણિ પૂજ્ય પણ ઉપદેશમાળામાં કહ્યું છે કે,
શ્રાવક હમેશાં સાધુઓને વાંદે, પૂછે, તેમની પર્યપાસના કરે, ભણે, સાંભળે, ચિંતવે, અને બીજા જનને ધર્મ કહે પણ ખરે.
किंविशिष्टः स न्नित्याह-निरीहचित्तो निःस्पृहमनाः, सस्पृहो हि शुद्धमार्गोपदेष्टापि न प्रशस्यते.
કે હઈને તે કહે છે--નિરીહચિત્ત એટલે નિઃસ્પૃહ મનવાળે છેઈને, કેમકે સસ્પૃહ હોઈ શુદ્ધ માર્ગને ઉપદેશ કરે તે પણ પ્રશંસા નથી.
तथाचोक्तं
परलोकातिगं धाम, तपः श्रुत मिति द्वयं, तदेवा र्थित्वनिर्लुप्त, सारं तृण लवायते.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org