Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 8
________________ આથી ચોથે નંબરે ક્રાન્તિપ્રિય સંતનું સ્થાન આ પ્રયોગમાં આવે છે. સાચું અધ્યાત્મ તે છે જે જીવનનું અને જગતનું બન્નેનું કલ્યાણ કરે. વ્યાપક ધર્મતત્વમાં પણ આ જ વાત છે. ભાલ નળકાંઠા પ્રયોગને આ દષ્ટિએ ધર્મમય સમાજરચનાને પ્રયોગ પણ કહી શકાય. એનું ધ્યેયબિન્દુ વિશ્વ વાત્સલ્ય છે. ભાલ નળકાંઠામાં આ ત્રણેયનું અનુસંધાન સફળતાથી પાર પડ્યું. પ્રયોગ હવે સાધના મટી સિદ્ધિ બની. એમાં ગામડાંથી માંડીને જગત લગીના પ્રશ્નો આવતા હોઈ અનિષ્ટોને પ્રતીકાર કરવાની અહિંસક પ્રક્રિયા પણ પ્રયોગમાં ઊભી થઈ. આર્થિક, સામાજિક, સાંપ્રદાયિક અને રાજકીય ક્ષેત્રોમાં પણ એ પ્રયોગ થયા. જેને સામુદાયિક અહિંસાના પ્રયોગ અથવા “શુદ્ધિપ્રગ”ને નામે ઓળખવામાં આવે છે. આ બધું થયા પછી જેમ બીજા પ્રાંતો અને દેશાંતરમાં આ પ્રયોગની વ્યાપ્તિને પ્રશ્ન ઊભો થશે, તેમ સાથોસાથ ચોથા નંબરના ક્રાન્તિપ્રિય સંત અને ત્રીજા નંબરના સર્વાગી રચનાત્મક કાર્યકરને અધ્યયનપૂર્વક ઘડવાની વેળા પણ પાકી ગઈ. આ પહેલાં મારી રુબરુ રચનાત્મક કાર્યક, ધાર્મિક ભાવનાવાળા ગૃહસ્થાશ્રમીઓ તેમજ કે ગ્રેસીઓના નાના મોટા વર્ગો ભરાયા હતા. આ વર્ગમાં સાધુ-સાધ્વી, સન્યાસીઓને પણ લેવાના હતા. સદ્ભાગ્યે “મુનિદય” આ પહેલાં મળી ચૂકેલ. પણ મોટા મુનિ કાળધર્મ પામતાં નેમિમુનિ મળેલા. સાધુ-સાધ્વી, સાધક-સાધિકાઓને આ શિબિર ઓછામાં ઓછા ચાર માસ લે તેમ લાગ્યું. છેટુભાઈએ આ સૂચન મૂકેલું. ત્રણ માસાં મુંબઈમાં થયાં, ત્યાર પછી આનો અમલ કરવાની શરૂઆત થઈ. તે અરસામાં સાધ્વીય આવેલ. જોકે તેઓ બને શિબિરમાં આવી શક્યા નહીં. બીજા જૈન સાધુઓની વકી હતી, તે પણ આવેલ નહીં. પરંતુ નેમિમુનિ અને બીજા બે સન્યાસીઓ આવેલા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 426