Book Title: Dharm Sangraha Part 02
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 228
________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૪ ૨૧૧ અસંજ્ઞીની જેમ દુષ્યાદિ કરે છે=હિંસાદિને અનુકૂળ એવી કાયાની દુષ્યષ્ટિતાદિની ક્રિયાઓ કરે છે. વળી જ્યારે મનથી અને કાયાથી કરતો નથી અને કરાવતો નથી એવો બીજો વિકલ્પ પ્રાપ્ત થાય ત્યારે મનથી અભિસંધિ રહિત જ કાયાથી દુષ્યષ્ટિતાદિનો પરિહાર કરતો અનાભોગથી વાણી દ્વારા જ હણું છું હણાવું છું એ પ્રમાણે બોલે છે. વળી, જ્યારે વચનથી કાયાથી હું કરતો નથી કરાવતો નથી એ પ્રમાણે ત્રીજો વિકલ્પ કરે છે ત્યારે મનથી અભિસંધિને આશ્રયીને કરે છે અને કરાવે છે. વળી અનુમતિ ત્રણથીeત્રણેય વિકલ્પોથી, સર્વત્ર છે. એ રીતે દ્વિવિધ-દ્વિવિધમાં, ત્રણ વિકલ્પો કઈ રીતે થાય છે તેનું સ્વરૂપ ભાવન કર્યું તે રીતે, આગળમાં દ્વિવિધ-એકવિધ આદિ વિકલ્પો બતાવે છે તે પણ કઈ રીતે થાય છે ? તેનું સ્વયં ભાવન કરવું=શેષ વિકલ્પ પણ ભાવ કરવા. દ્વિવિધ એકવિધ'થી એ પ્રમાણે ત્રીજો ભાંગો છે. આમાં પણ =દ્વિવિધ-એકવિધ ત્રીજા ભાગમાં પણ, ઉત્તરના ભાંગા ત્રણ છે. દ્વિવિધ=કરણ અને કારણ=કરાવણ, રૂપ છે. એકવિધથી=મનથી અથવા વચનથી અથવા કાયાથી છે. એકવિધ-ત્રિવિધથી એ ચોથો ભાંગો છે અને આમાં=ચોથા ભાંગામાં, બે ભાંગા છે. એકવિધ કરણ અથવા કારણ છે. ત્રિવિધથી=મનથી, વચનથી, કાયાથી છે. એકવિધ-દ્વિવિધ થી એ પાંચમો ભાગો છે. અહીં પાંચમા ભાંગામાં, ઉત્તરભેદો છ છે. એકવિધ=કરણ અથવા કારણ છે. દ્વિવિધથી=મનથી-વચનથી અથવા મનથી, કાયાથી અથવા વચનથી, કાયાથી. એકવિધ-એકવિધથી એ પ્રમાણે છઠ્ઠો ભાંગો છે. અહીં પણ=છઠ્ઠા ભાંગામાં પણ, પ્રતિભાંગા=અવાંતર વિકલ્પો છ છે, એકવિધ કરણ અથવા કારણ છે. એકવિધથી=મનથી અથવા વચનથી અથવા કાયાથી છે. આ રીતે મૂલભાંગા છ છે અને છ પણ મૂલભાંગાના ઉત્તરભાગા સર્વસંખ્યાથી એકવીશ છે અને તે પ્રમાણે કહેવાયું છે. “દુવિધ ત્રિવિધ ૨ ૨ ૨ ૧ ૧ ૧ એમ છ જ વિકલ્પ થાય છે. તેઓના આ ક્રમથી ભેદો થાય છે પમવો'=પ્રથમ ભાંગાનો ઉત્તરભાંગો ‘ત્રિ તિગા'=બે ભાંગાના ત્રણ ઉત્તર ભેદોકબીજા ભાંગાના ત્રણ ઉત્તરભેદો અને ત્રીજા ભાંગાના ત્રણ ઉત્તરભેદો “યુગો'=એક ભાંગાના બે ચોથા ભાંગાતા ઉત્તરભેદો ૨ “રો છ'=બે ભાંગાતા છ=પાંચમા ભાંગાના છ ઉત્તરભેદો અને છઠ્ઠા ભાંગાના છ ઉત્તરભેદો ‘વી =એકવીસ=કુલ ઉત્તરભાગા ૨૧ અને આ સ્થાપના છે. અને આ રીતે છ ભાંગા વડે કરાયેલા અભિગ્રહવાળા છ પ્રકારના શ્રાવક છે. ૧, ૩, ૩, ૨, ૬, ૬=પ્રથમ છ ભાંગામાંથી પ્રથમ ભાંગાનો એક ઉત્તરભેદ છે. બીજા અને ત્રીજા ભાંગાના ૩-૩ ઉત્તરભેદ છે. ચોથા ભાંગાના બે ઉત્તરભેદ છે અને પાંચમા ભાંગાના અને છઠ્ઠા ભાંગાના ૬-૬ ઉત્તરભેદો છે. અને સાતમો પ્રકાર ઉત્તરગુણવાળા શ્રાવકનો છે= સ્વીકારાયેલા ગુણવ્રત અને શિક્ષાવ્રતાદિ ઉત્તરગુણવાળો શ્રાવક છે અને આમાં સાતમા શ્રાવકના ભેદમાં, સામાન્યથી ઉત્તરગુણોને આશ્રયીને એક જ ભેદ વિવક્ષિત છે શ્રાવકનો એક જ ભેદ વિવક્ષિત છે અને અવિરત સમ્યગ્દષ્ટિ આઠમો ભેદ છે. અને પાંચે પણ અણુવ્રતોમાં પ્રત્યેકને આશ્રયીને=દરેક અણુવ્રતોને આશ્રયીને, ખભંગીનો સંભવ હોવાથી અને ઉત્તરગુણવાળા

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300