________________
(૭૬)
ધર્મદેશના.
તેના
પર
जलाग्निशस्त्रादिनवं तिरश्चां सर्वतो जयम् । कियद्वा वार्यते स्वस्वकर्मबन्धनिबन्धनम् ॥७॥
ભાવાર્થ–તિર્યંચ ગતિને પામેલા પ્રથમ એકેન્દ્રિય ણને પામે છે, એકેન્દ્રિયમાં પણ પ્રથમ પૃથ્વીકાયને પામેલા જીવોની સ્થિતિ બતાવે છે (૧). પૃથકાયના જી, હલાદિશસ્ત્રો વડે ચીરાય છે, હાથી ઘેડ વિગેરેથી ખુદાય છે, જલના પ્રવાહ વડે તાણ જવામાં આવે છે તથા અગ્નિવડે બાળવામાં આવે છે. ૨.
ખારા કષાયલા ખાટા તથા મૂત્રાદિક પાણી વડે દુભવવામાં આવે છે, તથા લવણની જેમ ખારાપણને પામેલા પૃથ્વીના જીવને ઉના પાણીમાં ઉકાળવામાં આવે છે. ૩.
કુંભાર વિગેરે લેકે તેને ઘડા, ઈંટ વિગેરેના રૂપમાં બનાવી પકાવે છે, તથા કિચ્ચડરૂપ બનાવી તે પૃથ્વીના છ ભીંતમાં ચણવાના કામમાં આવે છે. ૪.
ત્યારપછી (જલ સ્વરૂપને પામેલા જીને અપ્લાય કહેવાય છે) અપકાયને પામેલા જે સૂર્યનાં કિરણેથી તપાવાય છે, હિમના સંગથી પથ્થર તુલ્ય (બરફ) બને છે, તથા પૂલ વડે શેષી જ. વામાં આવે છે અર્થાત્ કિચ્ચડરૂપ બને છે. પ.
ખારા તથા તેથી ઇતર મીઠા પાણીના જીની મેળવણી થવાથી પરસ્પર વિપદાને પામે છે, પાત્રની અંદર પાણીના જીવને ઉષ્ણ કરવામાં આવે છે તથા પીવાની ઈચ્છાવાળા પ્રાણીઓ તેને પી જાય છે. ૬.
અગ્નિકાયને પામેલા અને પાણી વડે બુજાવી નાંખવામાં આવે છે, તેમજ (તપેલા લેઢામાં રહેલા અગ્નિના જીને) ઘણ હડાઓ વડે કૂટવામાં આવે છે, તથા ઇંધણું વિગેરે વડે બાળવામાં આવે છે. ૭.
વળી વાયુકાયને પામેલા વાયરાના જ પંખા વિગેરે વડે હણાય છે, તેમજ શીત ઉષ્ણ વિગેરે વસ્તુઓને વેગ થતી વેળાએ ક્ષણે ક્ષણે વિનાશ પામે છે, ૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org