Book Title: Dharm Deshna
Author(s): Vijaydharmsuri
Publisher: Harshchandra Bhurabhai Shah

View full book text
Previous | Next

Page 410
________________ માર્ગનુસારિના પાંત્રીસ ગુણ. तिथिपर्वोत्सवा सर्वे त्यक्ता येन महात्मना । अतिथिं तं विजानीयाच्छेषमभ्यागत विदुः ॥१॥ અતિથિ સંબંધી આ શ્લેકને અર્થ ઉપર લખાઈ ગયે. હવે સાધુ સલાચારરત ઉત્તમ પંચ મહાવ્રતના પાલનરૂપ સદાચાર, તેમાં લીન તે સાધુ અને દીન એટલે ધર્મ, અર્થ, કામ અને મેક્ષના આરાધનમાં અશક્ત; એ ત્રણેની ભક્તિ ઊચતતા પૂર્વક કરવી; અન્યથા ધર્મ કરતાં અધર્મ થવાને સંભવ છે. કારણ કે પાત્રને કુપાત્રની પંક્તિમાં મૂકવાથી અને કુપાત્રને પાત્રની પંક્તિમાં મૂકવાથી ધર્મ કરતાં ધાડ પડવાનો સંભવ છે. જુઓ, નીતિકારે આ પ્રમાણે औचित्यमेकमेकत्र गुणानां कोटिमकतः । विषायते गुणग्राम औचित्यपरिवर्जितः ॥१॥ નીતિરૂપ કટાના બન્ને બાજુના છાબડામાં એક ઠેકાણે - ચિત્ય-ઉચિતતા અને બીજે ઠેકાણે ક્રેડ ગુણ રાખીએ તે ઉચિત ગુણવાળું છાબડું નીચે નમશે અર્થાત કેડ ગુણ કરતાં ઉચિતતા અ. ધિક છે. તેટલા વાસ્તે પાત્ર પ્રમાણે પૂજા કરવી ઉચિત છે. ઉચિતતા વિના ક્રેડે ગુણને સમૂહ વિષતુલ્ય છે. તેથી કરીને અતિથિ સાધુ તથા દીન એ ત્રણેની યેગ્યતા પ્રમાણે સેવા કરનાર ગૃહસ્થ ધર્મ ને થોગ્ય છે. હવે વીશમે ગુણ આ છે–સામિાનવિય હમેશાં આ ગ્રહ રહિત પુરૂષ ધર્મને લાયક છે. આગ્રહી પુરૂષ ધર્મ લાયક થત નથી. આગ્રહી પુરૂષ યુક્તિને જ્યાં પિતાની મતિ હોય, ત્યાં લઈ જાય છે. જ્યારે અનાગ્રહી પુરૂષ જ્યાં યુક્તિ હોય ત્યાં મતિને સ્થિર કરે છે. જગતમાં યુક્તિ કરતાં કુયુક્તિ ઘણું હોય છે, કુયુક્તિ કરનારાઓ હજારે માલુમ પડે છે. જ્યારે સુયુક્તિને આદર કરનાર અને સય. ક્તિ પ્રમાણે વાતચિત કરનાર જગતમાં વિરલા છે. યુતિને આદર જ્યાં આગ્રહ નથી, ત્યાંજ હાથ છે. માટે આગ્રહ રહિત પુરૂષ ગૃહસ્થ ધર્મને લાથક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420