Book Title: Bharatiya Path Samiksha
Author(s): S M Katre, K H Trivedi
Publisher: University Granthnirman Board

View full book text
Previous | Next

Page 4
________________ પ્રકાશન પર્વે ચારેક દાયકા પહેલા પ્રાદેશિક ભાષાને પ્રોત્સાહન આપવાની અને યુનિવર્સિટી કક્ષાએ શિક્ષણ પરીક્ષણના માધ્યમ તરીકે પ્રાદેશિક ભાષા પ્રસ્થાપિત કરવાની રાષ્ટ્રવ્યાપી યોજના અમલમાં મુકાઈ. આ યોજના અન્વયે કેન્દ્ર સરકારે રાજ્ય દીઠ ગ્રંથનિર્માણ બોર્ડ' સ્થાપવાનો નિર્ણય કર્યો અને એમ ૧૯૭૦માં આપણા ગુજરાતનું યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ અસ્તિત્વમાં આવ્યું. પુસ્તક પ્રકાશન માટે કેન્દ્ર સરકારે અનુદાન આપવાનું સ્વીકારી જ લીધેલું. ૧૯૭૬થી આપણી ગુજરાત સરકારે બોર્ડના સઘળા વહીવટી ખર્ચનું ઉત્તરદાયિત્વ સ્વીકારી લીધું. આમ બબ્બે સરકારો દ્વારા પોષાતા આ બોર્ડે સતત બદલાતા પણ નીવડેલા કેળવણીકારોના નેતૃત્વ હેઠળ વિશુદ્ધ વિદ્યાસંસ્થા તરીકે ગજબનું કાઠું કાઢ્યું છે એટલું જ નહીં; વિદ્યાવ્યાસંગીઓના સંસર્ગમાં રહીને તે સરસ્વતી ઉપાસનાનું તીર્થ બની રહ્યું છે. યુનિવર્સિટી કક્ષાએ ચાલતા વિવિધ કક્ષાના વિવિધ વિદ્યાશાખાના અભ્યાસક્રમોને અનુરૂપ સંદર્ભગ્રંથો તૈયાર કરાવવાનું મહત્ત્વનું કામ બોર્ડ કરે છે. આ માટે વિદ્વાનો અને તજ્ઞોને ગ્રંથલેખન માટે સન્માનપૂર્વક ઇજન પાઠવવામાં આવે છે, સાથે સાથે વિદ્વાનો તરફથી આવતા ઉપયોગી પ્રકાશનોના પ્રસ્તાવો ઉપર પણ ગંભીરતાથી વિચારણા કરવામાં આવે છે. એ ભાગ્યે જ કહેવાનું હોય કે બોર્ડનાં પુસ્તકો માટે ગુણવત્તા (quality) અને પ્રમાણભૂતતા (authenticity) નું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે. વળી વિદ્યાર્થીઓ માટે જ આ પુસ્તકો લખાતાં હોઈ,એની કિંમત પણ વિદ્યાર્થીઓના ખિસ્સાને પરવડે એવી રાખવામાં આવે છે.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 162