Book Title: Bharatiya Path Samiksha
Author(s): S M Katre, K H Trivedi
Publisher: University Granthnirman Board
Catalog link: https://jainqq.org/explore/032132/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ભારતીય પાઈ સમીક્ષા લેખક: ડૉ. એસી, એમા કી અનુવાદક. , કે. એચ. ત્રિવેદી सरि गर બંટી ગ્રંથ, मनं नुक्ता पल शीत अनगदितः सौम्यस्य गा IT રાજાએચ વગર, बोध गदिने गोमेदवा TTTTTTỰ ५ विगण सध्य नील છેTલી રે જ * યુનિવનિ રીતે રાજ તુલા યુનિવર્સિટી ગ્રંથનિમણિ બોર્ડ ગુજરાત રાજ્ય Page #2 -------------------------------------------------------------------------- ________________ ભારતીય પાઠ-સમીક્ષા ૧૩૪ : લેખક : ડો. એસ. એમ. કન્ને ડેક્કન કૉલેજ, પૂના : અનુવાદક : ડો. કે. એચ. ત્રિવેદી નલિની એન્ડ અરવિંદ આર્ટ્સ કૉલેજ, વલ્લભવિદ્યાનગર ગ્રંથનિમણૂં * lape) ગર્ડ-ગુજરાત, રાજ્ય યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય, અમંદાવાદ-૬. Page #3 -------------------------------------------------------------------------- ________________ Indian Textual Criticism by Dr. S.M. Katre Translated by Dr. K.H. Trivedi પ્રકાશક : શ્રીમતી જયંતી રવિ 0.A.S) ઉપાધ્યક્ષશ્રી અને ઉચ્ચશિક્ષણ આયુક્તશ્રી યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય, પાટનગર યોજના ભવન, ગુજરાત કૉલેજ પાછળ, એલિસબ્રિજ, અમદાવાદ-૩૮૦૦૬. © યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય પ્રથમ આવૃત્તિ : ૧૯૭૫ દ્વિતીય આવૃત્તિ : ૧૯૯૨ તૃતીય સંશોધિત આવૃત્તિ : ૨૦૦૯ નકલ : ૧૧૦૦ કિંમત : રૂા.૫૦/ "Published by the University Book Production Board, Gujarat State, under the Centrally Sponsored Scheme of Production of Books and Literature in Regional Languages at the University level, of the Government of India in the Ministry of Education and Social Welfare (Department of Culture), New Delhi.” મુદ્રક : રાજ ગ્રાફિક્સ જયેશ પટેલ એમ-૯૦૪, સર્જન ટાવર, ગુરૂકુળ રોડ, મેમનગર, અમદાવાદ ફોન : (૦૭૯) ૨૭૪૫૧૭૩૩ મોબાઈલ : ૯૮૭૯૦ ૨૭૬૦૦ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશન પર્વે ચારેક દાયકા પહેલા પ્રાદેશિક ભાષાને પ્રોત્સાહન આપવાની અને યુનિવર્સિટી કક્ષાએ શિક્ષણ પરીક્ષણના માધ્યમ તરીકે પ્રાદેશિક ભાષા પ્રસ્થાપિત કરવાની રાષ્ટ્રવ્યાપી યોજના અમલમાં મુકાઈ. આ યોજના અન્વયે કેન્દ્ર સરકારે રાજ્ય દીઠ ગ્રંથનિર્માણ બોર્ડ' સ્થાપવાનો નિર્ણય કર્યો અને એમ ૧૯૭૦માં આપણા ગુજરાતનું યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ અસ્તિત્વમાં આવ્યું. પુસ્તક પ્રકાશન માટે કેન્દ્ર સરકારે અનુદાન આપવાનું સ્વીકારી જ લીધેલું. ૧૯૭૬થી આપણી ગુજરાત સરકારે બોર્ડના સઘળા વહીવટી ખર્ચનું ઉત્તરદાયિત્વ સ્વીકારી લીધું. આમ બબ્બે સરકારો દ્વારા પોષાતા આ બોર્ડે સતત બદલાતા પણ નીવડેલા કેળવણીકારોના નેતૃત્વ હેઠળ વિશુદ્ધ વિદ્યાસંસ્થા તરીકે ગજબનું કાઠું કાઢ્યું છે એટલું જ નહીં; વિદ્યાવ્યાસંગીઓના સંસર્ગમાં રહીને તે સરસ્વતી ઉપાસનાનું તીર્થ બની રહ્યું છે. યુનિવર્સિટી કક્ષાએ ચાલતા વિવિધ કક્ષાના વિવિધ વિદ્યાશાખાના અભ્યાસક્રમોને અનુરૂપ સંદર્ભગ્રંથો તૈયાર કરાવવાનું મહત્ત્વનું કામ બોર્ડ કરે છે. આ માટે વિદ્વાનો અને તજ્ઞોને ગ્રંથલેખન માટે સન્માનપૂર્વક ઇજન પાઠવવામાં આવે છે, સાથે સાથે વિદ્વાનો તરફથી આવતા ઉપયોગી પ્રકાશનોના પ્રસ્તાવો ઉપર પણ ગંભીરતાથી વિચારણા કરવામાં આવે છે. એ ભાગ્યે જ કહેવાનું હોય કે બોર્ડનાં પુસ્તકો માટે ગુણવત્તા (quality) અને પ્રમાણભૂતતા (authenticity) નું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે. વળી વિદ્યાર્થીઓ માટે જ આ પુસ્તકો લખાતાં હોઈ,એની કિંમત પણ વિદ્યાર્થીઓના ખિસ્સાને પરવડે એવી રાખવામાં આવે છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ મને જણાવતાં આનંદ થાય છે કે ગુજરાત રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓમાં વિનયન વિદ્યાશાખાના ભાષા-સાહિત્ય વિષયના અધ્યયનઅધ્યાપનમાં ઉપયોગી પ્રમાણભૂત ગ્રંથો પ્રાપ્ય બની રહે તેવી બોર્ડની યોજનાના અનુસરણમાં આ વિષયના તજ્જ્ઞ ડૉ. એસ.એમ. કેગે લિખિત અને ડૉ.કે.એચ.ત્રિવેદી અનૂદિત ભારતીય પાઠ-સમીક્ષા ની તૃતીય આવૃત્તિ(સંશોધિત) બોર્ડ પ્રગટ કરી રહ્યું છે. લઘુગ્રંથની પ્રથમ બે આવૃત્તિને જેવો પ્રતિસાદ સાંપડ્યો છે તેટલો જ ઉમળકાભર્યો આવકાર આ આવૃત્તિને પણ મળશે એવી શ્રદ્ધા છે. આ લઘુગ્રંથ વિદ્યાર્થીઓ, સંસ્થાઓને તો ખરો જ સાથે આ વિષયમાં અભિરુચિ ધરાવનાર જિજ્ઞાસુઓને પણ એટલો જ ઉપયોગી થઈ પડશે એની ખાતરી છે. ' આ ગ્રંથના પ્રકાશન ટાણે, લેખકશ્રી તથા જેઓએ નેપથ્ય રહીને આ લઘુગ્રંથને સુલભ બનાવવા સહકાર આપ્યો છે તે સૌનું ઋણ હું સ્વીકારું છું. યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ ગુજરાત રાજ્ય, અમદાવાદ-૬. ડિસેમ્બર-૨૦૦૯ શ્રીમતી જયંતી રવિ ઉપાધ્યક્ષ Page #6 -------------------------------------------------------------------------- ________________ નિવેદન (પ્રથમ આવૃત્તિ) ડૉ. એસ.એમ. કત્રે કૃત 'Introduction to Indian Textual Criticism' નો આ ગુજરાતી અનુવાદ પ્રસ્તુત કરતાં સ્વાભાવિક આનંદ થાય છે. પ્રાચીન ભારતીય સાહિત્ય ઘણુંખરું હસ્તપ્રતો રૂપે સચવાયેલું છે. આ સાહિત્ય-વારસો અતિ સમૃદ્ધ અને મૂલ્યવાન છે તથા તેની જાળવણી લહિયાઓની અનેક પેઢીઓની પરિશ્રમપૂર્ણ અવિરત અનુલેખન પ્રવૃત્તિને આભારી છે. આજે પણ આ વિપુલ હસ્તપ્રત-સામગ્રીનો ઘણો મોટો અંશ હસ્તલિખિત સ્વરૂપમાંથી ગ્રંથકારે પ્રગટ થવાની અપેક્ષાએ પડેલો છે. આથી આ હસ્તપ્રતોને આધારે ગ્રંથના સંપાદનનું કાર્ય ભારતીય સાહિત્યના અભ્યાસની દૃષ્ટિએ સવિશેષ મહત્ત્વ ધરાવે છે. અલબત્ત, આ સંપાદન કાર્ય પ્રાયઃ જટિલ સમસ્યાઓથી સભર હોય છે. એ તો સુવિદિત છે કે પ્રાચીન ગ્રંથોની જે આધુનિક પ્રતિલિપિઓ આપણને આજે ઉપલબ્ધ થાય છે તેમની મૂળ ગ્રંથની વચ્ચે સમયનો લાંબો એવો ગાળો રહેલો હોવાથી આ પ્રતિલિપિઓમાં સહજપણે અલગ અલગ રહેવાનું. આ અશુદ્ધિઓ દૂર કરી ગ્રંથને તેના મૂળ સ્વરૂપે નિર્ધારિત કરવાના કાર્ય માટે સંપાદકને પક્ષે ઊંડા અધ્યયન, અવિરત પરિશ્રમ અને ધૈર્યની અપેક્ષા રહે એ સ્વભાવિક છે. અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને પાઠ-સમીક્ષા શાસ્ત્રનો અભ્યાસ કરવાનો હોય છે. આ વિદ્યાર્થીઓને પાઠ-સમીક્ષા શાસ્ત્રનું અધ્યાપન કરતી વખતે ડૉ. કન્નેના પ્રસ્તુત પુસ્તકનું વધુ સઘન અનુશીલન કરવાની તક સાંપડી. આ લઘુકાય ગ્રંથમાં વિષયની જે વ્યવસ્થિતપણે શાસ્ત્રીય ઢબે વિશદ છણાવટ કરવામાં આવી છે તે આ વિષયના અભ્યાસીને બહુમૂલ્ય સહાય અને પથપ્રદર્શન કરવાની ક્ષમતા ધરાવે છે. વળી ગુજરાતી ભાષામાં આ વિષયની વિસ્તૃત ચર્ચા કરતું પુસ્તક ઉપલબ્ધ ન હોવાથી વિદ્યાર્થીઓની મુશ્કેલી હળવી કરવાના આશયથી તથા આ ક્ષેત્રમાં કાર્ય કરવા ઈચ્છતા અભ્યાસી વર્ગને પણ ઉપયોગી બને એ હેતુથી આ જ પ્રામાણિક ગ્રંથને ગુજરાતી ભાષામાં અનુદિત કરવાનું ઉચિત સમજી આ પ્રયાસ કર્યો છે. શાસ્ત્રીય ગ્રંથોનું અનુવાદ-કાર્ય અતિશય ઝીણવટભરી ચોક્કસાઈ માંગી લે છે. આ કાર્યમાં મારે સૌથી મોટી સમસ્યા પારિભાષિક શબ્દોની હતી. ગુજરાતી ભાષામાં આ વિષયનું વિસ્તૃત ખેડાણ ન થયું હોવાને કારણે પારિભાષિક શબ્દોમાં મુશ્કેલી અનુભવવી પડી. અંગ્રેજી સિવાયની અન્ય યુરોપીય ભાષાઓ-જેવી કે જર્મન, ફ્રેન્ચ વગેરેના શબ્દોના અનુવાદનું કાર્ય પણ કઠિન હતું. અહીં તે ભાષાઓના તજ્ઞોનો યથાસંભવ લાભ લીધો છે. મૂળ કૃતિને વફાદાર રહીને અનુવાદને શક્ય એટલો સુવાચ્ય બનાવવાનો પ્રયત્ન કર્યો છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ . હસ્તપ્રતોને આધારે પ્રાચીન કૃતિઓનું સંપાદન કરવા ઈચ્છતા ગુજરાતી અભ્યાસીઓને તેમના કાર્યમાં જો આ પુસ્તંક યત્કિંચિત સહાયરૂપ બનશે તો ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો આ શ્રમ સાર્થક થયો લેખાશે. - અંતમાં, આ ગ્રંથનું પ્રકાશન હાથ ધરવા બદલ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડનો હું ઋણી છું. મૂલ ગ્રંથનો ગુજરાતી અનુવાદ કરવાની અનુમતિ આપવા માટે ડેક્કન કૉલેજ, પુનાના નિયામકશ્રીનો હું આભારી છું. અનુવાદ કાળજીપૂર્વક વાંચી જઈ કેટલેક સ્થળે ઉપયોગી સૂચનો કરવા બદલ આ ગ્રંથના વિદ્વાન પરામર્શક ડૉ. રમેશભાઈ બેટાઈનો પણ અહીં આભાર માનવો ઘટે. વલ્લભવિદ્યાનગર - કે.એચ. ત્રિવેદી, Page #8 -------------------------------------------------------------------------- ________________ તૃતીય આવૃતિ પ્રસંગે નવી આવૃત્તિ નિમિત્તે અનુવાદને પુનઃ અવલોકવાનું પ્રાપ્ત થયું. સદ્ભાગ્યે એક સ્નેહી યુવા મિત્ર ડો. કન્ટેનું મૂળ પુસ્તક મેળવી આપ્યું, જે દ્વિતીય આવૃત્તિ વેળાએ સંયોગવશ મળ્યું ન હતું. આથી સમસ્ત અનુવાદનું સિંહાવલોકન કરવાની તક મળી - તજ્જ્ઞ મિત્રોનાં સૂચન પણ લક્ષમાં લીધાં પરિણામ સ્વરૂપ અનુવાદમાં યથોચિત પરિવર્તન કરી સંસ્કારવાનો પ્રયાસ કર્યો છે. અહીં એકાદ-બે સ્પષ્ટતાઓ અસ્થાને નહિ ગણાય - (૧) “લેખક' શબ્દનો વ્યુત્પત્યર્થ “લહિયો' થાય છે. પરંતુ ગુજરાતી ભાષામાં તેનો પ્રયોગ ઘણું કરીને “ગ્રંથકર્તા અર્થમાં થાય છે. આથી અહીં સર્વત્ર તે શબ્દ આ લોક-પ્રચલિત અર્થમાંજ અભિપ્રેત છે. (૨) Recension' શબ્દ ગ્રંથની “વાચના માટે વપરાય છે વળી 'Critical Recension' ને અધિકૃત વાચના” અથવા “સમીક્ષાત્મક સંસ્કરણ” કહેવામાં આવે છે. આથી પાઠ-સમીક્ષામાં હસ્તપ્રત-સામગ્રી એકત્રિત કરી વંશવૃક્ષરૂપે તેની ગોઠવણી (Heuristics) અનુસંધાન કર્યા પછી અધિકૃત વાચના તૈયાર કરવા માટે પ્રયોજાતી પાઠ-ચયન (વિભિન્ન પાઠોમાંથી યુક્તતમ પાઠની પસંદગી) પ્રક્રિયા (Recensio) માટે “સંસ્કરણ' શબ્દ પ્રયોજ્યો છે. અને અંતે હસ્તપ્રતો દ્વારા પ્રાપ્ત થતો પાઠ અશુદ્ધ જ છે. એવો નિશ્ચય થતાં તેના શુદ્ધિકરણની પ્રક્રિયા માટે સંશોધન' (Emendatio) શબ્દ ઉપયુક્ત છે. વલ્લભવિદ્યાનગર - કે.એચ. ત્રિવેદી Page #9 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ક્રમ વિગત પ્રકરણ-૧ પ્રસ્તાવના પ્રકરણ-૨ પાઠોના પ્રકાર પાઠ-સમીક્ષાનાં કેટલાંક મૂળતત્ત્વો પ્રકરણ-૩ પ્રકરણ-૪ સમીક્ષાત્મક સંસ્કરણની સમસ્યા પ્રકરણ-૫ સંચારિત પાઠમાં પ્રવેશતી અશુદ્ધિઓનાં કારણો પ્રકરણ-૬ : સંશોધન પ્રકરણ-૭ પાઠ-સમીક્ષાના કેટલાક અધિનિયમો ૯૩ પ્રકરણ-૮ પાઠ-સંપાદન અંગેનાં વ્યવહારુ સૂચનો પરિશિષ્ટ-૧ પાલ્સમીક્ષામાં પ્રચલિત કેટલાક મહત્ત્વના પારિભાષિક શબ્દોની સૂચિ પરિશિષ્ટ-૨ ભારત તથા અન્ય દેશોમાં સંસ્કૃત તથા અન્ય ભાષાઓની હસ્તપ્રતોની ગ્રંથસૂચિ બનાવવાના કાર્યના ઈતિહાસ અને વિકાસનો સંક્ષિપ્ત પરિચય. ૯૯ પરિશિષ્ટ-૩ કેટલીક મહત્ત્વપૂર્ણ હસ્તપ્રતો અને સમીક્ષાત્મક સંપાદનો ૧૩૫ સંક્ષિપ્ત સંદર્ભસૂચિ ૧૪૯ Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૧ પ્રસ્તાવના પાઠ-સમીક્ષાનો સંબંધ સ્વાભાવિક રીતે જ ગ્રંથોના પાઠ સાથે છે. તેની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય — પાઠસમીક્ષા એટલે પાઠનિર્ણય માટે માનવબુદ્ધિનો કુશળ અને વ્યવસ્થિત વિનિયોગ. પાઠ એવી જાણીતી ભાષામાં લખાયેલો દસ્તાવેજ છે કે જે અર્થપૂર્ણ હોય અને સમીક્ષક ઓછેવત્તે અંશે સમજી શકતો હોય. પાઠનો આવો અર્થ આપણે કરીએ છીએ.' આવી પરિસ્થિતિમાં પાઠ-સમાલોચક સમક્ષ ઉપસ્થિત થતી સમસ્યાઓને સ્પષ્ટ કરવા માટે ભારતમાં મુદ્રણકલાનો પ્રારંભ થયો ત્યાં સુધીની પાઠ-સંચારણ પદ્ધતિના ઇતિહાસથી શરૂઆત કરીએ તો તે ઉચિત ગણાશે. ઉપર્યુક્ત વ્યાખ્યાનુસાર પાઠનો અર્થ લિખિત દસ્તાવેજ થાય છે.આથી આપણા અભ્યાસના મૂળ આધાર તરીકે લેખનકલાનું જ્ઞાન આપણે સ્વીકારવું રહ્યું. હડપ્પા અને મોહેંજો-દડો સંસ્કૃતિનું સંશોધન થયું તે પૂર્વે ભારતમાં લેખનકલાની પુરાતનતા બહુ પ્રાચીનકાળ સુધી લઈ જઈ શકાય તેમ ન હતી. કારણ કે પ્રાચીનતમ લિખિત દસ્તાવેજો ઈ.સ.પૂ.૪થી શતાબ્દીથી પહેલાં લઈ જઈ શકાય તેમ નથી, જો કે સાહિત્યિક પ્રમાણો, ખાસ કરીને જે ગ્રીક સ્રોત દ્વારા પ્રાપ્ત થાય છે તે સૂચવે છે કે ચોથી શતાબ્દીથી ઓછામાં ઓછું એક સૈકા પૂર્વેથી લેખનકલા પ્રચારમાં આવી હતી. અત્યાર સુધી હડપ્પા કે મોહંજો-દડોમાંથી કોઈ દસ્તાવેજો શોધી શકાયા નથી, તેમ છતાં મોટી સંખ્યામાં મુદ્રાઓ (seal) મુદ્રાંકો (sealing) અને માટીકામના ટુકડા મળ્યા છે, જેમના પર હજુ સુધી સફળતાપૂર્વક અને સંતોષકારક રીતે જે ઉકેલી શકાઈ નથી તેવી લિપિમાં લખાણ કોતરેલું છે. આ લખાણ અત્યંત ટૂંકું છે. તદુપરાંત કોતરેલા લખાણવાળી તામ્રપટ્ટિકાઓ પણ પ્રાપ્ત થઈ છે. કાચ જેવી માટીની બંગડીઓ ઉપર ઝીણા અક્ષરો (સંજ્ઞાઓ) કોતરાયેલા છે. આ પ્રમાણોને આધારે સર જોન માર્શલ લખે છે -“મૃત્પટ્ટિકા (clay ૧. Postgate : Companion to Latin Studies, પૃ. ૭૯૧ ૨. Marshall : Mohenjo Daro, ૧, ૪૦ Page #11 -------------------------------------------------------------------------- ________________ ભારતીય પાઠ-સમીક્ષા tablets) જેવી અન્ય સામગ્રીના અભાવે આપણે અનુમાન કરવું રહ્યું કે સિંધુ સંસ્કૃતિના જમાનાના લહિયા માટીને બદલે ભોજપત્ર, તાડપત્ર, ચર્મપત્ર, લાકડું યા સુતરાઉ કાપડ જેવાં ઓછાં ટકાઉ સાધનોનો ઉપયોગ કરતા હતા, જે સ્વાભાવિક રીતે યુગો પસાર થતાં નષ્ટ થયાં હશે.” સિંધુ સંસ્કૃતિ પર લખેલા ndas chilisation નામના રસપ્રદ પુસ્તકમાં, સર જોન માર્શલને અનુસરીને મેકે લખે છે કે –“બધા જ પદાર્થો પરની લિપિ તદન સરખી જ જણાય છે, ભલે પછી તે પદાર્થો તે બે શહેરોના ઉચ્ચ સ્તરમાંથી ખોદી કાઢવામાં આવેલા હોય કે નીચલા સ્તરમાંથી. અલબત્ત, સામાન્ય પ્રસંગોએ લેખન માટેની કોઈ જુદી અથવા ઝડપી પદ્ધતિ પ્રચલિત હશે. પરંતુ આની સાબિતી તરીકે અત્યારે કોઈ પ્રમાણ ઉપલબ્ધ નથી. કોઈ પણ લાંબા દસ્તાવેજોનો સદંતર અભાવ સૂચવે છે કે સામાન્ય રીતે લેખનસામગ્રી તરીકે ચામડું, લાકડું અથવા સંભવતઃ પત્રનો પણ ઉપયોગ થતો હશે, જે બધાં ભેજવાળી અને ખારી જમીનમાં ક્યારનાય નષ્ટ થયાં છે..'...કેટલીક પાતળી લંબચોરસ આકારવાળી મૃત્પટ્ટિકાઓ મળે છે. તેમને એક છેડે કાણું પાડેલી દાંડી બેસાડેલી હોય છે. આમનો ઉપયોગ લેખન પટ્ટિકાઓ તરીકે થતો હોય તે સંભવિત છે. આમનું કદ નાનું છે. તેમની લંબાઈ ૪ થી ૭ ઈંચની હોય છે. અને કોઈ સમયે તેમના પર ચોક્કસપણે કોઈ એવો સુંવાળો પદાર્થ લગાડવામાં આવતો હતો, જેના પરથી લખાણ ભૂંસી શકાતું હતું....આ પ્રકારની કાઠ-પટ્ટિકાઓ ભારતમાં આજે પણ પ્રચલિત છે..... માટી પરની સંજ્ઞાઓ મોહેંજોદડોમાં બહુ સામાન્ય નથી. પરંતુ હડપ્પામાં તે વધુ પ્રમાણમાં જોવા મળે છે. વળી મોહેંજો-દડોમાં મળેલી સંજ્ઞાઓ મોટા ઘડાઓના કાંઠા (shoulders) પર કોતરવામાં આવેલી છે. આ કિસ્સામાં સંજ્ઞાઓ મુદ્રાઓ અને તાવીજો પરના વર્ષોના આકારને મળતી આવે છે. પરંતુ વિચિત્ર વસ્તુ એ છે કે લાંબા લખાણવાળું કોઈ મૃત્પાત્રખંડ (potsherd) હજુ મળ્યા નથી. કદાચ ઘણી સહેલાઈથી દ્રવી જાય તેવા શાહી વપરાઈ હોય, અને તે સૈકાઓના ગાળા દરમ્યાન વિલુપ્ત થઈ હોય તો જુદી વાત છે......તેમ છતાં મોહેંજો-દડોમાં એક મૃત્પાત્રખંડ મળી આવ્યો છે, જેની એક બાજુએ કંઈક હોડી જેવું ચિત્ર કોતરવામાં આવ્યું છે અને બીજી બાજુએ બે ચિત્રાત્મક સંજ્ઞાઓ જોવા મળે છે.” આગળ તે નોંધે છે કે - “પશુની આકૃતિવાળા પાત્રનો કેવળ એક નમૂનો પ્રકાશમાં ૩. ૪. ૫. ૬. ૭. એજન, ૧,૩૫ Indus Civilisation, પૃ. ૧૩ એજન, પૃ. ૧૩૯ એજન, પૃ. ૧૫૫ એજન, પૃ. ૧૫૫ Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના આવ્યો છે. આની આકૃતિ બેઠેલા ઘેટા જેવી છે. તેની પીઠમાં ઊંડું પોલાણ છે. તેનો ઉપયોગ કદાચ ખડિયા તરીકે થતો હશે.” આ ચર્ચા પરથી સ્પષ્ટ થાય છે કે જો કે સિંધુ સંસ્કૃતિની લિપિ વિષે અથવા સિંધુ સંસ્કૃતિના લહિયા દ્વારા વાપરવામાં આવતી શક્ય લેખનસામગ્રી વિષે આપણે નિશ્ચિતપણે કંઈ જાણતા નથી છતાં પણ તે જમાનામાં લેખનકળાં અસ્તિત્વ ધરાવતી હતી તે વિષે શંકાને કોઈ સ્થાન નથી. મોહેંજો-દડો સાથે સંકળાયેલ એક બીજી હકીકત, જે વિષે સરકારી અહેવાલોમાં આશ્ચર્યજનક રીતે કોઈ ઉલ્લેખ નથી, તે એ છે કે રાવ બહાદુરતિ વખતે શ્રી) કે.એન. દીક્ષિતે ઈ.સ. ૧૯૨૬ની પહેલી જાન્યુઆરીએ ચાંદીના એક ટુકડાની શોધ કરી હતી. તેનો ક્રમાંક ડી કે ૧૩૪૧ (એન.એસ.) છે. તેની બંન્ને બાજુએ શંકુલિપિમાં મુદ્રાંકન (cuneiform punches) હોવાનું તેમણે નોંધ્યું છે. આ સૌથી પ્રાચીન નમૂનો છે અને તે ભવિષ્યના પુરાલિપિશાસ્ત્રીએ કરવાના સંશોધન કાર્યનો ભાગ બનશે. તેણે આને આધારે બ્લરના હાલ પ્રસિદ્ધ પ્રશિષ્ટ સિદ્ધાંતનું પુનઃ સંશોધન કરવાનું રહેશે. વસ્તુસ્થિતિ આમ છે તો પછી સિંધુ સંસ્કૃતિ પછીના ભારતીય સાહિત્યમાં લેખન વિશે કોઈ સ્પષ્ટ ઉલ્લેખ કેમ મળતો નથી? ભારતમાં આ સમસ્યા મુશ્કેલીભરી છે. કારણ કે આધુનિક હિન્દુની દૃષ્ટિએ પણ વેદો અને શાસ્ત્રો ગુરુમુખમાં જ રહેલાં છે. તેમનો શબ્દ લિખિત પુસ્તક કરતાં વધુ પ્રમાણભૂત ગણાય છે. તેમનો અભ્યાસ કેવળ ગુરુ પાસેથી જ થઈ શકે, હસ્તપ્રતો કે ગ્રંથોમાંથી નહીં. આજે પણ હિન્દુઓ મુઉસ્થા વિદ્યા’ અર્થાત્ જે પંડિતની સ્મૃતિમાં જડાયેલી હોય તે વિદ્યાનો જ આદર કરે છે. બૂલર કહે છે તે પ્રમાણે ““આધુનિક કવિઓ પણ તેઓની રચનાનું પઠન યા વાચન થાય તેમ ઈચ્છતા નથી. પરંતુ તેમની કાવ્ય પંક્તિઓ વિદ્વાન પુરુષોના કંઠનું આભૂષણ' (સતાં Gભૂષણ) બની રહે તેવી આશા સેવે છે.” એ જ વિદ્વાનના મતાનુસાર, “આપણી દષ્ટિ પહોંચી શકે ત્યાં સુધી તો આ વસ્તુસ્થિતિ પ્રાચીનકાળથી માંડીને સદૈવ આ જ પ્રકારની રહી છે. પરંતુ જ્યારે તે કહે છે કે “આનું મૂળ કારણ કદાચ એ હોવાની સંભાવના છે કે હિન્દુ શાસ્ત્રો અને કાવ્યોનો પ્રારંભ એવે સમયે થયો હતો કે જયારે લેખનકલા અજ્ઞાત હતી, અને લિખિત વર્ણો પ્રચલિત થયા તે પૂર્વે મૌખિક અધ્યાપનની પદ્ધતિ પૂર્ણ રીતે વિકસિત થઈ ચૂકી હતી, જેનાં મૂળ ઋગ્વદમાં જોવા મળે છે.”૧૨ ત્યારે તેના આ વિધાન સાથે સંમત થઈ શકાય ૮. એજન, પૃ. ૧૫૭. આ માહિતી માટે હું પ્રો.ડી.ડી. કોસમ્બીનો ઋણી છું. ૧૦. Indische Palaeographie, સ્ટ્રાસબર્ગ, ૧૮૯૬. ૧૧. એજન ૧૨. એજન Page #13 -------------------------------------------------------------------------- ________________ ભારતીય પાઠ-સમીક્ષા તેમ નથી, કારણ કે મોહેંજો-દડો અને હડપ્પામાં પ્રાપ્ત થયેલ મુદ્રાઓ અને તાવીજોથી હવે સાબિત થાય છે કે આ સમય અગાઉ પણ લિખિત અક્ષરો(સંજ્ઞાઓ) અસ્તિત્વ ધરાવતા હતા. પરંતુ સિંધુ સંસ્કૃતિની ચિત્રાત્મક વર્ણમાળા અને મૌર્ય યુગની બ્રાહ્મી યા ખરોષ્ઠી લિપિના અક્ષરો વચ્ચેના સમયનો ગાળો ભારતીય ઇતિહાસમાં અંધકારમય યુગ છે, જો કે આ બન્નેને સંકલિત કરવાના પ્રયાસો ઓછા નથી થયા. પ્રો. લેંગ્વન પ્રાચીન બ્રાહ્મી મૂળાક્ષરોનો વિકાસ સિંધુ લિપિમાંથી થયો હોવાનું પ્રતિપાદિત કરે છે, પરંતુ જ્યાં સુધી નવાં સંશોધનો દ્વારા એ બન્ને વચ્ચેનો ગાળો પુરાય નહીં, સિંધુ લિપિને ઉકેલવામાં ન આવે અને તે દ્વારા અંધકારમય યુગ પર પ્રકાશ ન પડે, ત્યાં સુધી આવા સિદ્ધાંત કેવળ કલ્પનાના ક્ષેત્ર પૂરતા જ મર્યાદિત રહેશે. લેખનકલાના પ્રચારનાં સાહિત્યિક પ્રમાણ બ્રાહ્મણ ધર્મ, બૌદ્ધ અને જૈન સાહિત્યમાં પ્રાપ્ત થાય છે, પરંતુ આ ગ્રંથોનો કાલક્રમ ચોક્સાઈપૂર્વક નિશ્ચિત થયેલો ન હોવાથી આપણે વિદેશી તારીખવાળી સામગ્રીમાં પ્રાપ્ત થતાં પ્રમાણોને વધુ મહત્ત્વનાં ગણવાં પડે છે. ઈ.સ.પૂ.ચોથી સદીની અંતિમ પચીસી વિષે નિરિકોસનું વિધાન પ્રાપ્ત થાય છે, જે અનુસાર હિન્દુઓ રૂને સારી રીતે ટીપીને બનાવેલા કાપડ પર અક્ષરો લખતા હતા; અને યૂ.કર્ટિયસની નોંધ, વૃક્ષોની અંદરની કોમળ છાલ આ જ હેતુ માટે પ્રયોજાતી હોવાનો ઉલ્લેખ કરે છે અને સુપ્રસિદ્ધ ભૂર્જની છાલ પ્રાચીન કાળથી પ્રયોજાતી હોવાનું સ્પષ્ટપણે દર્શાવે છે. આ વિધાનો નિર્દેશ છે કે ઈ.સ.પૂર્વે ૩૨૭ થી ૩૨૫ ના ગાળા દરમ્યાન ભારતમાં બે ભિન્ન સ્વદેશી સામગ્રી પર લેખનનો પ્રચાર હતો. તે જ રીતે મોહેંજો-દડો અથવા હડપ્પા સિવાયના અન્ય પ્રાચીનતમ ભારતીય શિલાલેખોની પુરાલિપિશાસ્ત્રીય ચકાસણીનાં પરિણામો સાહિત્યિક પ્રમાણો સાથે સંપૂર્ણ બંધ બેસે છે, જે પાંચમી શતાબ્દી દરમ્યાન અને કદાચ તેથી પણ પૂર્વે લેખન-કલાનો વ્યાપક પ્રચાર હોવાનું સાબિત કરે છે. સિંધુ સંસ્કૃતિથી માંડીને બ્રાહ્મી અને ખરોષ્ઠી અને તેમના પાછળના સ્વરૂપ પર્વતનો લેખનકલાનો સંપૂર્ણ વિકાસ ભારતીય પુરાલિપિશાસ્ત્ર પરના સ્વતંત્ર પુસ્તકનો વિષય બનવો જોઈએ. આ કાર્ય સિંધુ લિપિ ઉકેલી શકાય ત્યારે પછી જ થઈ શકે. પછીની લિપિઓ વિષે તો બૂલરનો તે વિષય પરનો ઉત્કૃષ્ટ નિબંધ હજી પણ અવલોકનાઈ છે. . * હિંદુઓ દ્વારા વપરાતી લેખનસામગ્રીની બાબતમાં નીચેનાનો ઉલ્લેખ કરી શકાય : ૧૩. અંજન પૃ. ૬ Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના (૧) ભૂર્જ વૃક્ષની છાલ (ભૂર્જપત્ર યા ભોજપત્ર) : હિમાલયમાં ભૂર્જ વૃક્ષો વિપુલ પ્રમાણમાં થાય છે. તેમની અંદરની છાલ લેખન માટે વપરાતી હતી. સંભવતઃ કર્ટિયમ દ્વારા એવું સૂચન કરવામાં આવ્યું છે કે સિકંદરના આક્રમણ સમયે આનો લેખન-સામગ્રી તરીકે ઉપયોગ થતો હતો. પાછળથી ઉત્તરના બૌદ્ધ અને બ્રાહ્મણ ધર્મનાં સંસ્કૃત લખાણોમાં તેનો “ભૂર્જત્વમ્' તરીકે સ્પષ્ટ ઉલ્લેખ થયેલો છે. આ ઉપકરણ (ભૂfપત્ર) પર લખાયેલા સૌથી પ્રાચીન ઉપલબ્ધ દસ્તાવેજ પોતાનમાંથી મળી આવેલ ખરોષ્ઠી ધમ્મપદ અને અફઘાનિસ્તાનના સૂપમાં મેસનને મળી આવેલા દોરીથી બાંધેલા “વીંટા' છે. આ પછી ગોડફ્રેના સંગ્રહના અંશો અને બાવર હસ્તપ્રતોનો ઉલ્લેખ કરી શકાય. બાવર હસ્તપ્રતનાં પાન(પત્ર) તાડપત્રના કદ પ્રમાણે કાપવામાં આવ્યાં છે. અને તેમની મધ્યમાં કાણું પાડવામાં આવ્યું છે, જેથી તેમને એકત્રિત રાખવા માટે દોરી પસાર કરી શકાય. તે પછી સમયની દૃષ્ટિએ બક્ષાલી હસ્તપ્રત આવે છે. અને ત્યાર બાદ લાંબા ગણનાપાત્ર સમયના ગાળા પછી કાશ્મીરની હસ્તપ્રતો જોવા મળે છે. આ હસ્તપ્રતો પૂના, લાહોર, કલકત્તા, લંડન, ઓકસફર્ડ, વિયેના અને બર્લિનના પુસ્તકાલયોમાં સચવાયેલી છે. આમાંની એક પણ હસ્તપ્રત ઘણું ખરું ઈ.સ.ની પંદરમી શતાબ્દીથી પૂર્વેની નથી. . (૨) સુતરાઉ કાપડ : આનો ઉલ્લેખ નિયરકોસે કર્યો છે. વળી કેટલીક પદ્યાત્મક સ્મૃતિઓ અને સાતવાહન સમયના કેટલા શિલાલેખોમાં પણ આનો નિર્દેશ કરવામાં આવ્યો છે. તે અનુસાર સરકારી અને અંગત દસ્તાવેજો આના પર લખવામાં આવતા હતા. આને “પટ” “પટિકા' અથવા કાર્યાસિક પટ' કહેવામાં આવે છે. બર્નેલ અને રાઈસના મત પ્રમાણે આજે પણ કર્ણાટકના વ્યાપારીઓ “કડતમ' નામના એક પ્રકારના કાપડનો લેખન માટે ઉપયોગ કરે છે. તેના પર આમલીના કચુકાની લુગદી લગાડવામાં આવે છે, અને પાછળથી કોલસાથી તેને કાળું કરવામાં આવે છે. તેના ઉપર ચાક અથવા સીસાપેન વડે લખવામાં આવે છે. આ અક્ષરો ધોળા અથવા કાળા હોય છે. બૂલરને જેસલમેરમાંથી એક રેશમી પટ્ટો મળ્યો હતો, જેના પર જૈન સૂત્રો શાહીથી લખાયેલાં છે. પિટરસનને અણહિલવાડ પાટણમાંથી વિક્રમ સંવત ૧૪૧૮ (ઈ.સ.૧૩૫૧-૫૨)માં કાપડ પર લખાયેલી હસ્તપ્રત મળી આવી હતી. ત્યા-મેનના અવશેષોમાં સ્ટેઈનને ખરોષ્ઠી લિપિમાં લખાયેલ સફેદ રેશમી પટ્ટી પ્રાપ્ત થઈ હતી. વળી મિરાનનાં પ્રાચીન મંદિરોમાં તેમને ખરોષ્ઠી લિપિમાં લખાયેલા (કોતરાયેલા) ઝીણા રંગીન રેશમના ત્રણ મોટા ટુકડા મળ્યા હતા. આવા જ અક્ષરોવાળો એક બીજો Page #15 -------------------------------------------------------------------------- ________________ ભારતીય પાઠ-સમીક્ષા નમૂનો તેમને “જેઈડ ગેટ’માંથી મળ્યો હતો. જ્યારે ‘ગ્રેટ મેગેઝીન ઑફ ધ લાઈમ્સ' માં તેમને એક સાંકડી રેશમી પટ્ટી મળી આવી હતી, જેના પર ભારતીય બ્રાહ્મી અક્ષરોમાં એક લાંબી લીટી લખાયેલી છે. આ અક્ષરો ભારતીય શક યા કુશાન રાજાઓના કાળ દરમ્યાન પ્રચલિત લિપિ સાથે સામ્ય ધરાવે છે. (૩) લાકડાનાં પાટિયાં : વિનિયપિટક અને જાતકોમાં આનો નિર્દેશ છે. પશ્ચિમના ક્ષત્ર નહપાનના શિલાલેખમાં નગરના સભાભવનમાં પાટિયા ફલકનો ઉલ્લેખ છે, જેના પર ઋણ સંબંધી કરારોની નોંધ છે. બ્રહ્મદેશ (બર્મા)માં રંગેલા પાટિયા પર લખાયેલી હસ્તપ્રતો સામાન્ય છે. અને આ પ્રકારની આસામમાંથી મળી આવેલી એક ભારતીય હસ્તપ્રત ઓક્સફર્ડના બોડલેમન ગ્રંથાલયમાં સંગ્રહાયેલી છે. (૪) તાડપત્ર : હ્યુ-એન-સંગ (ઈ.સ.ની ૭મી શતાબ્દી) લેખનસામગ્રી તરીકે તાડપત્રનો ઉલ્લેખ કરે છે. પરંતુ તેનો ઉપયોગ તો તેનાથી પણ ઘણા સમય પૂર્વે થયો હશે એમ જણાય છે. હોયુિઝીની તાડપત્ર પર લખાયેલી હસ્તપ્રત ચોક્કસપણે છઠ્ઠી શતાબ્દીની છે, અને ગોડફેના સંગ્રહમાં કાશગરમાંથી મળી આવેલા કેટલાક અંશો છે, જે પુરાલિપિશાસ્ત્ર પ્રમાણે ચોથી શતાબ્દીના હોવાનું મનાય છે. આ અંશો બાવર હસ્તપ્રતથી વધુ પ્રાચીન છે. બાવર હસ્તપ્રતનાં ભૂfપત્રો તાડપત્રનો માપ પ્રમાણે કાપવામાં આવેલાં છે. તક્ષશિલાનું તાંબાનું દાનપત્ર, જેનો સમય પ્રથમ શતાબ્દી કરતાં પછીનો નથી, પણ આ પ્રકારનું છે. આ પરથી એમ સૂચિત થાય છે કે તાડપત્રની સ્વાભાવિક જન્મભૂમિ એવા દક્ષિણથી સેંકડો માઈલ દૂર પંજાબમાં આવા પ્રાચીન સમયમાં આ તાડપત્રનો ઉપયોગ થતો હોવો જોઈએ. તેમની લંબાઈ એકથી ત્રણ ફુટ સુધીની અને પહોળાઈ સવા ઈંચથી ચાર ઈંચ સુધીની હોય છે. ભારતની તાડપત્ર પર લખાયેલી હસ્તપ્રતો બે પ્રકારના તાડ (Corypha umbraculifera 349141 Borassus flabellifera)-i 41:14iell off19914i Balack છે. પ્રથમ પ્રકાર ભારત દેશનો છે. જ્યારે બીજો કદાચ આફ્રિકામાંથી લાવવામાં આવ્યો હશે. આ બંને પ્રકારનાં વૃક્ષોનાં પાન લાંબાં અને છેડે અણીદાર અને મધ્યવર્તી નસવાળાં હોય છે. જાણીતી તાડપત્ર હસ્તપ્રતોના સંપૂર્ણ પરીક્ષણ દ્વારા હોર્નલે એવા નિર્ણય પર આવ્યા છે કે પ્રારંભ કાળની બધી જ તાડપત્ર પર લખાયેલી હસ્તપ્રતો ભારતીય તાડ (Corypha)ના પાનમાંથી બનાવવામાં આવેલી છે. હોરિયુઝી હસ્તપ્રતથી શરૂ કરીને પછીની સંખ્યાબંધ તાડપત્ર હસ્તપ્રતો સાબિત કરે છે કે પ્રાચીન કાળથી માંડીને ઉત્તર, પૂર્વ, મધ્ય અને પશ્ચિમ ભારતમાં બધે જ તેમના પર શાહીથી લખાણ લખવામાં આવતું હતું. દ્રવિડ પ્રદેશમાં અને ઓરિસ્સામાં Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના પ્રાચીન કાળમાં અને હજુ આજે પણ અક્ષરો અણીદાર સાધન વડે કોતરવામાં આવતા હતા અને પાછળથી કાજળ યા કોલસાથી તેમને કાળા કરવામાં આવતા હતા. બધી જ તાડપત્ર-હસ્તપ્રતોમાં સામાન્ય રીતે વચ્ચે અને કોઈ વાર જવલ્લે જ, કાશગરમાંથી મળી આવેલા નમૂનામાં છે તેમ, ડાબી બાજુએ એક કાણું પાડવામાં આવતું હતું. અથવા ડાબી અને જમણી એ બન્ને બાજુએ એક એમ બે કાણાં પાડવામાં આવતાં. આ કાણાંમાંથી દોરી (સૂત્ર અથવા શરયંત્રક) પસાર કરવામાં આવતી જેને પરિણામે પાનાં એકત્રિત રહેતાં. (૫) ચર્મ : સુબંધુની વાસવદત્તામાં પ્રાપ્ત થતા એક ઉલ્લેખ પરથી એવું અનુમાન થાય છે કે ચામડાનો ઉપયોગ લખવા માટે થતો હતો. પરંતુ ધાર્મિક ક્રિયાઓમાં ચામડાને અપવિત્ર માનેલું હોવાથી હિંદુઓના લેખોને લાગેવળગે છે ત્યાં સુધી તો આ અનુમાન જરા જોખમી જણાય છે. યુરોપના સંગ્રહોમાં કાશગરમાંથી મળેલા અને જેમના પર ભારતીય અક્ષર કોતરેલા છે તેવા ચામડાના ટુકડા અસ્તિત્વ ધરાવે છે એમ કહેવાય છે. ચીની તુર્કસ્તાનમાં સ્ટેઈન (અત્યારે સર ઓરેલ) ને તેમની યુગપ્રવર્તક શોધયાત્રા દરમ્યાન નિયામાંથી ચામડી પર લખાયેલા આશરે બે ડઝન ખરોષ્ઠી દસ્તાવેજો મળી આવ્યા છે, જેમાંના ઘણા ખરા પર સમય નોંધાયેલો છે. દેખીતી રીતે આ સરકારી દસ્તાવેજો જણાય છે. લેખન માટે પ્રયોજાયેલી તે સામગ્રી ભારતીય સંસ્કૃતિથી રંગાયેલી બૌદ્ધ પ્રજામાં પ્રચલિત હોવા વિશે કોઈ શંકા નથી. આ સંબંધે વિલ્સન સ્મિથ (જર્નલ ઓફ રોયલ એશિયાટિક સોસાયટી, ૧૯૦૨, પૃષ્ઠ ૨૩ર પર લખેલી ટૂંકી નોંધમાં) ફ્રેબોનો ઉલ્લેખ કરે છે. બ્રેબોએ (૧૫,૭૨,૭૩; અનુવાદ: મેકક્રીન્ડલ, Ancient India as described by Strabo, પૃ.૭૧) ઓગસ્ટસ સીઝર (અવસાન ઈ.સ.૧૪) ને મોકલવામાં આવેલ ચર્મપત્ર પર લખાયેલ ભારતીય સરકારી દસ્તાવેજની નોંધ સાચવી છે. આમ ધાર્મિક દૃષ્ટિએ અપવિત્ર માનવામાં આવેલ હોવા છતાં ચામડાનો યા ચર્મપત્રનો લખાણ માટે ઉપયોગ પ્રાચીન ભારતીય લહિયાઓના કાર્યક્ષેત્રથી તદ્દન બહાર રહ્યો હોય એમ જણાતું નથી. (૬) ધાતુઓ : ધાતુઓનો કેવળ ઉલ્લેખ જ ભારતીય સાહિત્યમાં છે તેમ નથી, પરંતુ ઘણાયે મહત્ત્વનાં દાન ધાતુપુત્ર પર કોતરેલાં જોવા મળે છે. લખાણ માટે સુવર્ણ અને રજતપત્રોનો પ્રયોગ થયેલો છે અને તક્ષશિલા નજીક ગાંગુમાં તેમજ ભઢિપ્રોલના સ્તૂપોમાં વ્રતપૂર્તિ માટે આપેલાં દાન સંબંધી લખાણોના નમૂના પ્રાપ્ત થયા, છે. આના કરતાં પણ તાંબાના પત્રો (તામ્રપટ, તામ્રપત્ર, તામ્રશાસન અથવા કેવળ તામ્ર)નો ઉપયોગ લાંબા સમય સુધી ટકાવવા હોય તેવા વિંવિધ પ્રકારના દસ્તાવેજોને માટે ખાસ કરીને ભૂમિદાનો માટે વધુ પ્રમાણમાં પ્રચલિત હતો. ફાહિયાન (ઈ.સ.૪૦૦ની Page #17 -------------------------------------------------------------------------- ________________ ભારતીય પાઠ-સમીક્ષા આસપાસ) બુદ્ધના સમયથી પ્રાપ્ત થયેલાં તામ્રપત્ર પર અપાયેલાં દાનોનો ઉલ્લેખ કરે છે. સોઘરા-પત્ર આપણને જણાવે છે કે મૌર્યયુગ દરમ્યાન સરકારી હુકમનામાં તાંબા પર લખવામાં આવતાં હતાં. આ પત્ર(plate)ને રેતીના બીબામાં ઢાળવામાં આવેલું છે, જેમાંના અક્ષરો અને તેમના પરનાં મુદ્રાંકો પહેલેથી જ અણીદાર સાધન યા ધારદાર લાકડાના ટુકડા વડે કોતરવામાં આવેલા હતા. આથી અક્ષરો તથા મુદ્રાંકો એ બન્ને બીબામાં ઢાળેલો પત્ર પર ઊપસી આવે છે. બીજાં બધાં તામ્રપત્રો હથોડાથી ટીપીને તેયાર કરવામાં આવેલાં છે; અને તેમાંનાં ઘણાંના ઉપર હથોડાના ઘાનાં ચિહ્નો સ્પષ્ટપણે વરતાય છે. તેમની જાડાઈ અને કદમાં સારું એવું વૈવિધ્ય પ્રવર્તે છે; જેમ કે કેટલાંકનું પતરું એટલું પાતળું હોય છે કે તેમને બેવડા વાળી શકાય અને તેમનું વજન થોડા સમાત્ર હોય છે. જ્યારે બીજાં કેટલાંક અતિશય વજનદાર હોય છે, જેમનું વજન આઠ યા નવ પાઉન્ડ(શેર) કે તેથી પણ વધુ હોય છે. તેમનું કદ કંઈક અંશે જે પ્રદેશમાંથી મૂળ બહાર પાડવામાં આવ્યાં હોય ત્યાં સામાન્યતઃ જે પ્રકારની લેખન-સામગ્રી પ્રચલિત હોય તે પર આધારિત હોય છે અને કંઈક અંશે જે દસ્તાવેજ તેમના પર કોતરવાનો હોય તેની લંબાઈ, લખનાર અધિકારીના અક્ષરોનું કદ, ઇત્યાદિ પર અવલંબે છે. લુહારો હંમેશાં તેમને જે મૂલાદર્શ આપવામાં આવ્યો હોય તેનું જ અનુકરણ કરતા હોય છે. અને પરિણામે જો મૂલાદર્શ તાડપત્ર પર હોય તો ધાતુપત્ર સાંકડું ને લાંબુ રહેતું અને જો તે ભૂર્જપત્ર પર હોય તો વધુ પહોળું બનાવવામાં આવતું, જે ઘણીવાર લગભગ ચોરસ બની જતું. સાંકડાં તામ્રપત્ર દક્ષિણ ભારતની વિશિષ્ટતા છે, અને વધુ પહોળાં તેનાથી ઉત્તરના પ્રદેશોની વિશિષ્ટતા છે. જો એક કરતાં વધુ પત્રોની જરૂર પડે તો આવાં પત્રોને સામાન્ય રીતે તેમાં ગોળ કાણાં પાડી તેમાંથી તાંબાની કંડીઓ પસાર કરીને જોડવામાં આવતાં. દક્ષિણમાં માત્ર એક જ કડી જોવા મળે છે. વિવિધ તામ્રમૂર્તિઓના પાયા પર પણ વ્રતપૂર્તિ (યા પ્રતિજ્ઞાપૂર્તિ) સંબંધી લખાણ કોતરેલાં દેખાય છે. - - (૭) પથ્થર : અતિ પ્રાચીન કાળથી, તદ્દન ભિન્ન ભિન્ન પ્રકારના પથ્થરો, ગોળ અને કૃત્રિમ રીતે સુંવાળા બનાવેલા અસિતાશ્મ (basalt) અથવા ટ્રેપની શિલાઓ, તેમજ કલાત્મક રીતે કોતરેલા પથ્થરના ખડકોના સ્તંભ અને સ્ફટિકના પાસા (prism) પણ દસ્તાવેજ લખવા માટે પ્રયોજાતા હતા. આવું લખાણ સરકારી યા બિનસરકારી (અંગત) દસ્તાવેજોથી માંડીને કાવ્યાત્મક ઉગારો સુધી ગમે તે પ્રકારનું રહેતું. અજમેરમાં ચાહમાન રાજા વિગ્રહ ચોથા અને તેના રાજકવિ સોમદેવનાં નાટકોના ઘણા અંશ પ્રાપ્ત થાય છે. વળી બિઝોલ્લીમાં જૈન “સ્થલપુરાણ'ના ઘણાં સર્ગો આ રીતે અસ્તિત્વ ધરાવે છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના 0 () ઈંટો : વાયવ્ય પ્રાંતોમાંથી બૌદ્ધ સૂત્રો જેમના પર કોતરવામાં આવ્યાં હોય એવી ઈંટો મળી આવી છે. દેખીતી રીતે જ માટી ભીની હોય ત્યારે પહેલાં તેમના પર અક્ષરો કોતરવામાં આવતા અને પછી તે ઈંટોને પકવવામાં આવતી. " (૯) કાગળઃ કાગળ પરની હસ્તપ્રતો ઘણું કરીને તેરમી શતાબ્દીથી પ્રાચીન નથી. કાશગરમાંથી મળી આવેલી જિપ્સમના થરવાળા વિશિષ્ટ કાગળ પર લખાયેલી પ્રાચીન હસ્તપ્રતો મૂળ ભારતીય હોવા વિષે શંકા છે. હોર્નલના મત પ્રમાણે આ બધી જ હસ્તપ્રતો મધ્ય એશિયામાં લખાયેલી હતી. કાગળ પર લખાયેલી હસ્તપ્રતોની બાબતમાં ઘણું સંશોધન કરવાનું બાકી છે.અત્યાર સુધી આ પ્રકારની હસ્તપ્રતોની સામગ્રીનો અભ્યાસ કરવાનો સ્થિરતા અને ખંતપૂર્વક કોઈ પ્રયત્ન થયો નથી, કારણ કે તેમની પ્રાપ્તિ આપણને જુદે જુદે સ્થળેથી થઈ છે, અને તેમનો સમય જુદો જુદો છે. આ દિશામાં કરવામાં આવેલો અભ્યાસ આપણને, ઉદાહરણ તરીકે, કાગળની પ્રાપ્ત થયેલી હસ્તપ્રતોનો સમય વાજબી મર્યાદામાં રહીને નિશ્ચિત કરવા શક્તિમાન બનાવી શકે; જે કાગળ પર હસ્તપ્રત લખાઈ હોય, તેની બનાવટ, દેખાવ, માપ, વોટર-માર્ક (જો હોય તો) ઈત્યાદિના અભ્યાસથી તેનું કાલક્રમની દૃષ્ટિએ વર્ગીકરણ શક્ય બને અને પુરાલિપિવિદ્યાના સંદર્ભમાં હસ્તપ્રતના કાલ-નિર્ણય માટે સ્વતંત્ર પ્રમાણ તરીકે કાર્ય કરી શકે. એક રીતે ઐતિહાસિક પુરાલિપિવિદ્યા પર આ એક નિયંત્રણરૂપ બની શકે. બહુ પ્રાચીન સમયથી લેખન માટે શાહીનો ઉપયોગ થયેલો હોવાનું મનાય છે. મેકે અને અન્ય વિદ્વાનોની ધારણા એવી છે કે મોહેંજો-દડોમાં પીઠ પર ઊંડા પોલાણવાળા તથા બેઠેલા ઘેટાના આકારવાળા પશ્વાકૃતિ પાત્રનો જે નમૂનો મળ્યો છે તે ખડિયો હોવાની શક્યતા છે. વધુ જાણીતા સમય તરફ આવતાં નિયરકોસ અને યુ.કર્ટિસનાં વિધાનો ભારતમાં ઈ.સ. પૂર્વે ચોથી શતાબ્દી દરમિયાન શાહીનો ઉપયોગ થતો હોવાની વાતને અત્યંત સંભવિત બનાવે છે. પોતાનમાંથી પ્રાપ્ત થયેલા ખરોષ્ઠી દસ્તાવેજો ઈ.સ.ની પહેલી શતાબ્દીમાં શાહીના ઉપયોગની લોકપ્રિયતા સાબિત કરે છે. પરંતુ શાહીના લખાણોનો અત્યાર સુધી જાણમાં આવેલ સૌથી પ્રાચીન નમૂનો અંધેરના સ્તૂપના અવશેષ-પાત્ર (relic vase) પરનું લખાણ છે. અને તે નિશ્ચિતપણે ઈ.સ.પૂર્વે બીજી શતાબ્દી પછીનું તો નથી જ. અજંટાની ગુફાઓમાં હજીયે રંગીન શિલાલેખો મળે છે. જૈનોએ પાછળથી તેમની હસ્તપ્રતોમાં રંગીન શાહીનો છૂટથી ઉપયોગ કર્યો છે. તદુપરાંત પ્રાચીન કાળથી જ શાહીની જગ્યાએ ચાક, સિંદુર તેમ જ હિંગળોક (હિંમુત્ત) નો ઉપયોગ પણ કરવામાં આવતો હતો. લખવાના સાધનનું સામાન્ય નામ “લેખની’ છે, તેમાં અણીદાર સીસાપેન, પીંછી, બરુ અને લાકડાની કલમનો સમાવેશ થાય છે. ઈ.સ.પૂર્વે ચોથી શતાબ્દીમાં Page #19 -------------------------------------------------------------------------- ________________ છે. ભારતીય પામીક્ષા ધંધાદારી લહિયાને “લિપિકર' યા “લિબિકર' કહેવામાં આવતો હતો. ઈ.સ.ની સાતમી અને આઠમી સદીઓમાં દસ્તાવેજોના લહિયાને “દિવિરપતિ' કહેવામાં આવતો હતો. અને અગિયારમી શતાબ્દીથી ધંધાદારી લહિયાનો કાયસ્થ' તરીકે ઉલ્લેખ પણ જોવા મળે છે, જો કે તે શબ્દનો જ્ઞાતિનામ તરીકે સર્વ પ્રથમ ઉલ્લેખ ઈ.સ. ૭૩૮-૩૯ના કણસ્વના શિલાલેખમાં મળે છે. શિલાલેખકો માટે પ્રયોજાતાં બીજાં નામ “કરણ” (કરણક) અથવા કોઈક જ વાર “કરસિન્', “શાસનિક અને ધર્મલેખિનું છે. સુલેખનની દૃષ્ટિએ ભારતીય હસ્તપ્રતો મહત્ત્વપૂર્ણ નથી. આ તબક્કે શિલાલેખો અને હસ્તપ્રતોની પંક્તિઓ, શબ્દોની ગોઠવણી, વિરામ ચિહ્નો ઇત્યાદિ સંબંધી બહિરંગ વ્યવસ્થા તેમ જ અન્ય વિગતો જાણી લેવી પણ જરૂરી છે. સુંવાળા પથ્થરો પર કોતરેલા પ્રાચીનતમ શિલાલેખોમાં પણ શિલાલેખકોએ વ્યવસ્થિત સીધી લીટીમાં લખવાનો અને માત્રા(માતૃ1)ઓના ઉપરના છેડા સરખી ઉંચાઈના કરવાનો પ્રયાસ કર્યો છે; જો કે અશોકના સલાટોનો આ પ્રયત્ન ઘણું ખરું થોડાક શબ્દો પૂરતો જ સફળતા પામ્યો છે. પરંતુ તે જ સમયના અન્ય દસ્તાવેજોમાં, જેમકે ઘસુંડી શિલાલેખમાં, પાછળના અને આજે પણ માન્ય સિદ્ધાંતનું વધુ કાળજીપૂર્વક પાલન થયું છે, જે અનુસાર સ્વરચિહ્નો તથા રકારના રેફ તથા આ પ્રકારનાં ચિહ્નો જ શિરોરેખાની ઉપર બહાર કાઢવામાં આવેલાં છે. હસ્તપ્રતોમાંની પંક્તિઓ હંમેશાં તદ્દન સીધી રહેતી. જેમકે, પોતાનમાંથી મળેલ પ્રાકૃત ધમ્મપદ અને બૌદ્ધ નાટકોના અંશો જેવા સૌથી પ્રાચીન નમૂનાઓમાં પણ આ જોવા મળે છે. અને સંભવ છે કે આ માટે કોઈ સીધી ધારવાળાં સાધનોની મદદ લેવામાં આવતી હશે. પ્રાચીન તાડપત્ર પરની હસ્તપ્રતોમાં અને પાછળની કાગળ પરની હસ્તપ્રતોમાં પંક્તિના અંતભાગમાં બે ઊભી લીટીઓનું ચિહ્ન કરવામાં આવતું અને આ ઊભી લીટીઓ પત્રના અંત સુધી ચાલુ રહેતી. હસ્તપ્રતોમાં પંક્તિઓ આદિથી અંત સુધી હંમેશાં સીધી (આડી, સમક્ષિતિજી) રેખામાં લખવામાં આવતી. સામાન્ય રીતે શબ્દોને અલગ પાડ્યા સિવાય પંક્તિના યા શ્લોકના યા શ્લોકાર્ધના યા અન્ય કોઈ પણ વિભાજનના અંત સુધી સળંગ ભેગા લખવાની પદ્ધતિ હતી; તેમ છતાં કેટલીક પ્રાચીનતમ હસ્તપ્રતોમાં એકલા શબ્દોને યા પરસ્પર જોડાયેલા શબ્દસમૂહોને તેમનાં અર્થ પ્રમાણે યા અધિકારીની કે લહિયાની વાંચવાની રીત પ્રમાણે છૂટા પાડેલા આપણે જોઈએ છીએ. આ રીતે પોતાનમાંથી પ્રાપ્ત થયેલ ખરોષ્ઠી ધમ્મપદમાં પ્રત્યેક પંક્તિ એક શ્લોક યા શ્લોકાર્ધની બનેલી છે. બાવર હસ્તપ્રત જેવી અન્ય પ્રાચીન હસ્તપ્રતોમાં એકલા શબ્દો યા શબ્દસમૂહોને દેખીતી રીતે નિશ્ચિત Page #20 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના કરી શકાય એવા કોઈ સિદ્ધાંતોને અનુસર્યા વિના જ ઘણીવાર અલગ લખવામાં આવેલા છે. ખરોષ્ઠી શિલાલેખોમાં વિરામચિહ્નો જોવા મળતાં નથી. પરંતુ પ્રાકૃત ધમ્મપદમાં પ્રત્યેક પદ્યને અંતે એક ગોળાકાર ચિહ્ન જોવા મળે છે, જે ઘણીવાર બેદરકારીથી કરવામાં આવ્યું છે, છતાં જે આજના શૂન્યને મળતું આવે છે. “વગરને અંતે પણ ચિહ્ન હોય છે. આ ચિહ્ન સંભવતઃ કમળ દર્શાવે છે. આવું ચિહ્ન કેટલાક શિલાલેખોને અંતે પણ જોવા મળે છે. પરંતુ બાહ્મીમાં પ્રાચીનતમ કાળથી ઘણાં વિરામચિહ્નો જોવા મળે છે. બૂલર આઠ ચિહ્નો ગણાવે છે – એક દંડ (ઊભી લીટી), બે દંડ, ત્રણ દંડ (જે અનુક્રમે શબ્દસમૂહો અથવા ગદ્યનું પઘથી પૃથક્કરણ, વાક્યની સમાપ્તિ અને દસ્તાવેજની સમાપ્તિ દર્શાવે છે), એક આડી લીટી, બે આડી લીટીઓ, બે ઊભી લીટીઓ પછી એક આડી લીટી, અર્ધ ચંદ્રાકાર ચિહ્ન, અને અર્ધચંદ્ર વચ્ચે લીટી. પ્રાચીન વિરામચિહ્નોના ઇતિહાસને અનુલક્ષીને શિલાલેખોના અભ્યાસની ફલશ્રુતિનો સારાંશ આ પ્રમાણે દર્શાવી શકાય: “પ્રાચીનતમ સમય દરમ્યાન કેવળ એકલી લીટીઓ, સીધી યા વાંકી, પ્રયોજાયેલી છે. અને આ પ્રથા આપણા યુગના (અર્થાત ઈસવીસનના) પ્રારંભ સુધી પ્રચલિત હતી. પરંતુ તેમનો ઉપયોગ જવલ્લે જ થયેલો છે. ઈ.સ.ના પ્રારંભ પછી આપણને વધુ જટિલ ચિહ્નો જોવા મળે છે. પરંતુ પાંચમી શતાબ્દી સુધી તેમના ઉપયોગની બાબતમાં અચોક્કસતા પ્રવર્તે છે. તે સમય પછી આપણને વિરામચિહ્નોની વધુ વ્યવસ્થિત પદ્ધતિ જોવા મળે છે. ખાસ કરીને, પથ્થર પર લખાયેલી પ્રશસ્તિઓમાં આ વિશેષ નજરે પડે છે. ઈ.સ. ૪૭૩-૭૪માં લખાયેલી મંદસોર પ્રશસ્તિ સાબિત કરે છે કે શ્લોકાઈને અંતે એક દંડ અને શ્લોકાન્ત બે દંડ એ આજે પણ ટકી રહેલો સિદ્ધાંત તે સમયે અસ્તિત્વ ધરાવતો હતો. પરંતુ આઠમી શતાબ્દી પર્યત ખાસ કરીને દક્ષિણમાં, વિભિન્ન તામ્રપત્રો તથા પથ્થર પર લખાયેલા લેખો મળે છે, જેમના પર કોઈ પણ વિરામચિહ્ન જોવા મળતું નથી." અન્ય માનવીય પ્રવૃત્તિની જેમ જ લેખનકલા પણ ક્ષતિઓથી પર નથી. આથી શિલાલેખનું લખાણ કોતરતી વખતે અથવા ભોજપત્ર, તાડપત્ર યા કાગળ પર લખતી વખતે પણ ભૂલો તો થવાની જ. આ ભૂલોને બે વર્ગમાં વિભાજિત કરી શકો (૧) ભૂલભર્યા શબ્દો, પરિચ્છેદો અને (૨) ભૂલથી શબ્દો, વર્ણો કે શબ્દ-સમૂહો લખવા રહી જવા તે (omission). અશોકના શિલાલેખ જેવા પ્રાચીનતમ શિલાલેખોમાં ભૂલભર્યા પરિચ્છેદો કેવળ છેકી નાખવામાં આવેલા છે. તે પછીના સમયમાં લહિયાની ભૂલ બતાવવા પંક્તિની ઉપર યા નીચે ટપકાં યા તૂટક લીટીઓનો પ્રયોગ કરવામાં ૧૫. dische Palaeographie. પૃ. ૮૪-૮૫ Page #21 -------------------------------------------------------------------------- ________________ ભારતીય પાઠ-સમીક્ષા આવેલો છે. હસ્તપ્રતોમાં પણ આ જ પદ્ધતિ અપનાવવામાં આવેલી છે. પરંતુ પાછળના સમયમાં હસ્તપ્રતમાં કાઢી નાખવાના લખાણ પર હળદર અથવા પીળો રંગ લગાડવામાં આવતો હતો. અશોકના તેમ જ અન્ય પ્રાચીન શિલાલેખોમાં ભૂલથી રહી ગયેલા અક્ષરો યા શબ્દોને પંક્તિની ઉપર કે નીચે તે ક્યાં મૂકવાના છે તેના સ્થળનો નિર્દેશ કર્યા સિવાય જ ઉમેરવામાં આવેલા છે. અથવા તો અક્ષરો વચ્ચે રહેલી જગ્યામાં તે ઉમેરવામાં આવે છે. પાછળના શિલાલેખોમાં અને હસ્તપ્રતોમાં તે જે સ્થળે લખવાના રહી ગયા હોય તે સ્થળે નાના સીધા યા ત્રાંસા “ક્રોસ (જેને “કાકપદ' યા “હંસપદ' કહે છે) દ્વારા દર્શાવવામાં આવે છે અને રહી ગયેલી વસ્તુ હાંસિયામાં અથવા બે પંક્તિઓની વચ્ચે ઉમેરવામાં આવે છે. કેટલીક વાર “ક્રોસને બદલે “સ્વસ્તિક મૂકવામાં આવે છે. દક્ષિણ ભારતીય હસ્તપ્રતોમાં “ક્રોસ'નો પ્રયોગ જાણી જોઈને કરેલા લોપ (omission) દર્શાવવા માટે પણ કરવામાં આવે છે. અન્ય સ્થળોએ, જાણી જોઈને કરવામાં આવેલા અથવા મૂળ પ્રત યા આદર્શપ્રતમાં રહેલી ક્ષતિને કારણે ઉદ્દભવેલા લોપને પંક્તિ પર ટપકાં દ્વારા અથવા પંક્તિની ઉપર તૂટક રેખા દ્વારા દર્શાવવામાં આવે છે. કેટલીક હસ્તપ્રતોમાં જગ્યા ખાલી રાખવામાં આવી છે. “ગ' સ્વરનો લોપ દર્શાવવા પ્રયોજાતું અવગ્રહ ચિહ્ન (ડ)સર્વ પ્રથમ રાષ્ટ્રકૂટ રાજા ધ્રુવના સમયના (ઈ.સ.૮૩૪-૩૫) વડોદરાના તામ્રપત્રમાં જોવા મળે છે. અવાચ્ય પરિચ્છેદોને દર્શાવવા માટે “કુંડલ' અર્થાત્ વીંટી અને “સ્વસ્તિકનો પ્રયોગ કરવામાં આવતો હતો. સંક્ષેપો(ટૂંકું રૂપ)નો પ્રયોગ સર્વપ્રથમ પશ્ચિમ ભારતના ઈ.સ. ૧૫૦ની આસપાસના કેટલાકે શિલાલેખોમાં જોવા મળે છે; જેમ કે, સિરિ પુલુમાઈનો શિલાલેખ, નાસિક ગુફા નં.૧૫ અને સકસેન-માઢરીપુત્ર યા સિરિસેનનો શિલાલેખ, કાન્હેરી ગુફા નં.૧૪. વાયવ્ય પ્રદેશમાં કુશાન યુગથી સંક્ષેપો સામાન્યપણે પ્રયોજાતા દેખાય છે. તેમાં સૌથી વધુ સામાન્ય સંક્ષેપો વર્ષ, ઋતુ, માસ અને વાર (દિવસો) સંબંધે અને વળી પક્ષ સંબંધે પણ હોય છે. છઠ્ઠી શતાબ્દીથી પશ્ચિમ ભારતના શિલાલેખોમાં અન્ય શબ્દો માટે પણ છૂટાછવાયા સંક્ષેપો જોવા મળે છે, જેમ કે “દૂત' માટે “દૂ. અગિયારમી શતાબ્દીથી બિરુદો, જાતિ, જ્ઞાતિનાં નામ ઈત્યાદિના સંક્ષેપો અતિ પ્રચલિત બનતા દેખાય છે. હસ્તપ્રતોમાં આનાં દર્શન થાય છે. ખરોષ્ઠી ધમ્મપદમાં પણ આ જોવા મળે છે, જેમકે “ગાથા' માટે “ગા' એવો સંક્ષેપ પ્રયોજાયો છે. હસ્તપ્રતોનું પૃષાંકન પૃષ્ઠની દષ્ટિએ નહીં પરંતુ પાન(પત્ર)ને એકમ તરીકે સ્વીકારી કરવામાં આવે છે. પાન યા પત્રની સંખ્યા દક્ષિણમાં પ્રથમ પૃષ્ઠ પર (એટલે કે પાનની આગળની બાજુ પર) અને અન્યત્ર દ્વિતીય પૃષ્ઠ પર (એટલે કે પાનની પાછળની બીજી બાજુ પર) લખવામાં આવે છે. મકાઈનીના સંગ્રહમાં મધ્ય એશિયામાંથી Page #22 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના મળેલાં અને ઉત્તર ભારતીય (ગુપ્ત) બ્રાહ્મી લિપિમાં લખાયેલાં કેટલાંક ભૂર્જપત્ર પર પાનના પ્રથમ પૃષ્ઠ પર પત્ર સંખ્યા લખવામાં આવી છે. તે પરથી બૂલરે તે દક્ષિણ ભારતનાં હોવાનું પ્રતિપાદિત કરેલું છે. પરંતુ હોર્નલનો મત એવો હતો કે ઉત્તર ભારતીય લિપિના અક્ષરો દક્ષિણ ભારત સાથે તેમનો કોઈ પણ સંબંધ ન હોવાનું દર્શાવે છે અને પૃછાંકનની આ પદ્ધતિ સ્વતંત્ર રીતે પણ મધ્યએશિયામાં પ્રચલિત બની હોય એ સંભવ છે, કારણ કે મકાઈનીની હસ્તપ્રતોમાંની જ કેટલીક મધ્ય એશિયાઈ બ્રાહ્મી લિપિમાં કાગળ પર લખાયેલી હસ્તપ્રતો આ હકીકતને પ્રમાણિત કરે છે. દોરી વડે બાંધેલાં ભૂર્જપત્ર અને તાડપત્રનાં પાનાં પર તેમના માપનાં લાકડાનાં કવર (આવરણ) મૂકવામાં આવતાં અને આ રિવાજ હજી પણ કાગળની હસ્તપ્રતોની બાબતમાં પ્રચલિત છે. દક્ષિણમાં આવરણોને પણ ઘણું ખરું કાણાં પાડવામાં આવતાં હતાં અને તેમાંથી લાંબી દોરી પસાર કરવામાં આવતી હતી. આ દોરીને આવરણની આજુબાજુ વિટાળવામાં આવતી અને તેને ગાંઠ મારવામાં આવતી હતી. આ કાર્યપદ્ધતિ અતિપ્રાચીન કાળમાં પણ પ્રચલિત હતી અને પશ્ચિમ તથા ઉત્તર ભારતની તાડપત્ર હસ્તપ્રતોમાં આ દૃષ્ટિગોચર થતી હતી. નેપાળમાં ખાસ કરીને મૂલ્યવાન હસ્તપ્રતોનાં આવરણ કેટલીક વાર ધાતુમાંથી બનાવવામાં આવતાં. આ રીતે તૈયાર કરેલી હસ્તપ્રતો સામાન્ય રીતે રંગીન અથવા ભરત ભરેલા કાપડમાં વીંટાળવામાં આવતી. કાશ્મીરમાં મુસ્લિમ પ્રણાલિકા પ્રમાણે હસ્તપ્રતોને ઘણી વાર ચામડામાં બાંધવામાં આવતી. આવી હસ્તપ્રતો સામાન્યતઃ મંદિરો, મહાવિદ્યાલયો, મઠો, રાજસભાઓ અથવા ઘણી વ્યક્તિઓનાં અંગત રહેઠાણોમાંના ગ્રંથાલયોમાં સાચવવામાં આવતી. ગ્રંથાલય માટેનું પ્રાચીન નામ (સંજ્ઞા) ભારતીભાંડાગાર' અથવા “સરસ્વતીભાંડાગાર' છે. કવિ બાણ (ઇ.સ.૬૨૦ની આસપાસ) વિશે કહેવાય છે કે તે પોતાનો અંગત વાચક રાખતો. તે પરથી તેની પાસે સમૃદ્ધ અંગત ગ્રંથાલય હશે એવું અનુમાન કરી શકાય. મધ્યયુગનું એક પ્રસિદ્ધ રાજદરબારી ગ્રંથાલય ૧૧મી શતાબ્દીમાં થઈ ગયેલ ધારાનગરીના રાજા ભોજનું હતું. આશરે ઈ.સ.૧૧૪૦માં માળવા પર ચડાઈ કરી | વિજયી બનેલ સિદ્ધરાજ જયસિંહ તેને અણહિલવાડ (આજનું પાટણ) લઈ ગયો હતો, જ્યાં તેને ચૌલુક્યોની રાજસભાના ગ્રંથાલયની સાથે જોડી દેવામાં આવેલું જણાય છે. સૈકાઓ વીતતાં આ ગ્રંથાલયો અત્યંત સમૃદ્ધ બન્યાં. આ રીતે બૂલરને ખંભાતનાં બે જૈન ગ્રંથાલયોમાંથી ત્રીસ હજાર ઉપરાંત હસ્તપ્રતો અને તાંજોરના રાજમહેલ ગ્રંથાલય' (Palace Library)માંથી બાર હજાર ઉપરાંત હસ્તપ્રતો મળી હતી. ચૌલુક્યા વિશળદેવ (ઈ.સ. ૧૨૪૨-૬૨)ના ગ્રંથાલયમાં “નૈષધીય'ની હસ્તપ્રત મળી હોવાનું કહેવાય છે, જેના પર વિદ્યાધરે તે કાવ્યની સર્વપ્રથમ ટીકા લખી હતી. આ ઉપરાંત ; Page #23 -------------------------------------------------------------------------- ________________ ભારતીય પાઠ-સમીક્ષા કામસૂત્ર'ની હસ્તપ્રત પણ અહીંથી પ્રાપ્ત થઈ હતી, જેને આધારે યશોધરે જયમંગલા ટીકાની રચના કરી હતી. બોને યુનિવર્સિટીના ગ્રંથાલયમાંની રામાયણની એક હસ્તપ્રત વિશળદેવના સંગ્રહમાંની આદર્શપ્રતને આધારે બનાવામાં આવી છે. આ રીતે ભારતમાં મોડામાં મોડું સાતમી શતાબ્દીની હસ્તપ્રતો તેમ જ તેમને માટેનાં ગ્રંથાલયોના અસ્તિત્વનાં કેટલાંક પ્રમાણ ઉપલબ્ધ થાય છે, જો કે ભારતની બહાર શોધાયેલા સંગ્રહોમાં આથી પણ ઘણા પહેલાંના સમયની ભારતીય હસ્તપ્રતો મળી આવી છે. આમ સિંધુ ખીણ સંસ્કૃતિના સમયથી ભારત લેખન-કલાથી નિશ્ચિતપણે પરિચિત હતું અને તે સમયનાં મુદ્રા-તાવીજોમાં ઈ.સ.પૂર્વે ચોથી શતાબ્દીના શિલાલેખો રૂપે પ્રાપ્ત થતા દસ્તાવેજોમાં લેખનકલાનાં ચિહ્નો જોવા મળે છે. તેમ છતાં લિખિત (લિપિબદ્ધ) ગ્રંથોના અસ્તિત્વ માટે કોઈ પ્રમાણ મળતું નથી. વૈદિક અધ્યયનની સાથે સંકળાયેલી મૌખિક પરંપરા ખરેખર અતિ પ્રાચીન છે અને જો કે લિખિત પાઠ્યગ્રંથો અસ્તિત્વ ધરાવતા હતા તેમ છતાં લેખન દ્વારા તેમના સંચારણનું મહત્ત્વ તેમના મૌખિક સંચારણની સરખામણીમાં ઓછું હોય એમ જણાય છે. વાસ્તવમાં પતંજલિ (આશરે ઈ.સ.પૂ.૧૫૦) દ્વારા પાણિનિની અષ્ટાધ્યાયી પર મહાભાષ્યની રચના લિખિત સ્વરૂપમાં જ સંભવે છે. તેમ છતાં પતંજલિ લેખનકલા વિષે કોઈ ઉલ્લેખ કરતા નથી. ખરેખર તો તે સમજાવે છે કે “લિશ' ધાતુ ૩વરણજ્યિ છે. અને પાણિનીય પરંપરા હંમેશ મૌખિક રહી છે, જે કેવળ બોલાતા ધ્વનિની ચર્ચા કરે છે, લિખિત અક્ષરોની કદાપિ નહીં. આ સિદ્ધાંતના સચોટ ઉદાહરણ તરીકે આ સંપ્રદાયનું જ સિદ્ધાંત-વાક્ય “પ્રતિમાનુનાસિયા: પનીયા:' સમજી શકાય. પાછળના સમયમાં જ્યારે લેખનકલા વધુ વ્યાપક બની ત્યારે પણ મહત્ત્વના ગ્રંથોનું સંચારણ મૌખિકરૂપે જેટલું થતું તેટલું લિખિતરૂપે ન હતું. અને મધ્યયુગમાં બનારસના એક પંડિતની કથા છે જે નદિયા જઈને નવ્યન્યાય સંપ્રદાયના સુપ્રસિદ્ધ શાસ્ત્રીય ગ્રંથનો સંપૂર્ણ પાઠ તેમની ગંજાવર સ્મૃતિમાં સંઘરી લાવ્યા હતા. - ગ્રંથોના મૌખિક સંચારણની આ વધુ રૂઢિચુસ્ત અને પરંપરાવાદી પદ્ધતિને પરિણામે હિન્દુઓનું ધાર્મિક સાહિત્ય લૌકિક સાહિત્યની સરખામણીએ વધુ પ્રમાણમાં શુદ્ધ રીતે સચવાયેલું છે. કારણ કે આ ધર્મગ્રંથોનું વિદ્યાર્થીએ અધ્યાપક બોલે તે પ્રમાણે અનુપઠન કરવાનું રહેતું અને તેને કંઠસ્થ કરવાનું રહેતું. આ પ્રકારે ઋગ્વદનાં સૂકતો આજે આપણે છપાયેલી આવૃત્તિઓમાં જે પ્રકારે જોઈએ છીએ તે જ પ્રકારે છેલ્લાં ત્રણ હજાર વર્ષ દરમ્યાન શબ્દ શબ્દ, વર્ણ વર્ણ, સ્વર સહિત, ઘણું ખરું અપરિવર્તિત રહ્યાં છે. પરંતુ ધર્મનિરપેક્ષ અને લૌકિક સાહિત્યની બાબત જરા જુદી હતી. અહીં પાઠમાં સાચે જ સંખ્યાબંધ વિકૃતિઓ પ્રવેશતી, કારણ કે પ્રત્યેક શિક્ષક યા પાઠક માનતો કે તેને પોતાને તેમાં મન ફાવતું Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ૧૫ પરિવર્તન - વધારા ઘટાડા - કરવાનો હક્ક હતો. અને આવા પાઠને તેમના પ્રાચીનતમ યા મૂલ સ્વરૂપે પહોંચાડવાનું કાર્ય પાઠસમીક્ષક માટે અઘરું અને ઘણી વાર અશક્ય બને છે. તદુપરાંત એવી પણ શક્યતા રહેલી હતી કે મૂળ પરંપરામાં વિક્ષેપ પહોંચે અને પાછળથી તેને કેવળ અંશતઃ પુનર્જીવિત કરવામાં આવે. પરિણામે જેમ જૈન આગમ ગ્રંથોમાં બન્યું છે તેમ મૂલ આગમ ગ્રંથ કેટલાક પરસ્પર સંકળાયેલા અથવા પરસ્પર વિરોધી વર્ગોમાં વહેંચાઈ જતો. મૌખિક સંચારણમાંથી લિખિત યા પ્રલેખીય (documental) સંચારણ તરફ સંક્રાંતિ ક્રમશઃ થઈ હોવી જોઈએ. જેમ જેમ મૌખિક રીતે સંચારિત કરવાના ગ્રંથોની સંખ્યા વધવા માંડી તેમ તેમ બધી જ પરસ્પર સંકળાયેલી વિદ્યાશાખાઓ પર પ્રભુત્વ ધરાવનારા સમર્થ વ્યક્તિઓની સંખ્યા પાઠ્યગ્રંથોની સરખામણીમાં ઘટવા લાગી હોવી જોઈએ. આને પરિણામે મૌખિક સંચારણોની વિશિષ્ટ પરંપરાઓનો ઉદ્ભવ થયો. બૌદ્ધ અને જૈન ધાર્મિક સાહિત્યની બાબતમાં આપણે જાણીએ છીએ કે તેમના આગમ ગ્રંથોને નોંધવાનું કાર્ય વિશિષ્ટ ચર્ચાસભાઓને સોંપવામાં આવ્યું હતું. આ સભાઓનું * કાર્ય આ રીતે આ સંચારણની વિખરાયેલી પરંપરાઓને એક જગ્યાએ એકત્રિત કરવાનું અને સંચારણના વિશિષ્ટ સંપ્રદાયોમાં અલગ અલગ રીતે જાણીતા પાઠોને એક બિંદુએ પ્રસ્થાપિત કરવાનું રહેતું. બૌદ્ધ અને જૈન ધર્મગ્રંથોના પાઠોને નિશ્ચિત કરવા માટે યોજાયેલી આવી કેટલીક ચર્ચાસભાઓ વિશે આપણે જાણીએ છીએ. પરંતુ સાહિત્યના ઈતિહાસને અન્ય પાઠ્યગ્રંથો સંબંધે આવા પ્રસંગો નોંધાયા હોવાનું સદ્ભાગ્ય સાંપડ્યું નથી. આ નોંધાયેલા પ્રસંગોની બાબતોમાં પણ તેઓએ આ વિખરાયેલા પાઠોને સંગઠિત કરી તેમનું એકીકરણ કરવા માટે કઈ પદ્ધતિ અપનાવી હતી તે વિષે આપણે અજ્ઞાત છીએ; જેમ કે, આપણે જાણતા નથી કે તે પાઠને ખરેખર લિપિબદ્ધ કરવામાં આવ્યા હતા કે પછી ફરીથી કોઈ કેન્દ્રિય સંપ્રદાય (school) દ્વારા કેવળ મૌખિક રીતે તેમનું સંચારણ કરવામાં આવ્યું હતું. જેમ મૂળ પરંપરામાં વિક્ષેપ પહોંચે તે પ્રમાણે પાડ્યગ્રંથોનું મૌખિક સંચારણ ખંડિત થવાની શક્યતા હતી, તેવી જ રીતે લિખિત ગ્રંથને તેના સંચારણનાં વધુ ગંભીર વિક્ષેપ પહોંચવાની ખરેખર વધારે શક્યતા રહેતી. આપણે પ્રાચીન તથા મધ્યકાલીન ભારતમાં પ્રચલિત લેખનસામગ્રી વિષે જોયું. જેમના પર આપણા પાઠ્યગ્રંથો આધારિત છે તે હસ્તપ્રતોમાંની ઘણીખરી દશમી શતાબ્દી પહેલાંની નથી, અને તેમાંની ઘણીખરી તેરમા સૈકા પછીની છે. આ હકીકત પરથી લિખિત દસ્તાવેજોના નશ્વર સ્વરૂપને આપણે સહેજે સમજી શકીએ. આ પ્રમાણે જે ગ્રંથોને ઘણાખરા ધર્મગ્રંથોની જેમ, અથવા રામાયણ મહાભારત કે પુરાણગ્રંથોની જેમ, મૌખિક સંચારણનું સૌભાગ્ય સાંપડ્યું ન હતું, તેવા ગ્રંથોનું સંરક્ષણ ખાસ કરીને હસ્તપ્રતોના સંગ્રહ અને તેમના પ્રતિલિપીકરણ પર Page #25 -------------------------------------------------------------------------- ________________ 36 ભારતીય પાઠ-સમીક્ષા આધારિત હતું. આ અનુલેખનનું કાર્ય એટલું મહત્ત્વપૂર્ણ હતું કે પાછળનાં પુરાણોમાં, બૌદ્ધ મહાયાન ગ્રંથોમાં અને પ્રાચીન મહાકાવ્ય(રામાયણ-મહાભારત)માં પાછળથી થયેલાં અર્વાચીન ઉમેરણોમાં પુસ્તકોના પ્રતિલિપીકરણ અને હસ્તપ્રતોના નિર્માણની પ્રશંસા મહાપુણ્યદાયી ધાર્મિક ક્રિયા તરીકે કરવામાં આવી છે. આ પ્રવૃત્તિનું મહત્ત્વ એ પરથી આંકી શકાય કે જે હસ્તપ્રતો દ્વારા આપણે પ્રાચીન ગ્રંથો પ્રાપ્ત કર્યા છે તે હસ્તપ્રતોનો સમય બહુ પ્રાચીન કાળ સુધી પહોંચી શકતો નથી, અને આ રીતે જેમના દ્વારા હજારો ગ્રંથો સચવાયેલા છે તે હસ્તપ્રતો તે ગ્રંથોની મૂળપ્રતો હોતી નથી, પરંતુ કેવળ પ્રતિલિપિઓની પ્રતિલિપિઓ હોય છે, અને તે પણ કેટલામી પ્રતિલિપિ તેનો નિર્ણય કરવો પ્રાયઃ અશક્ય હોય છે. આથી વર્તમાન ઉપલબ્ધ હસ્તપ્રતોમાં સમાયેલ મહાન વારસાનું સંરક્ષણ કરવા માટે આપણે પ્રાચીન અને મધ્યયુગીન લહિયાઓએ આદરેલી અનુલેખનની અવિરત પ્રવૃત્તિના ઋણી છીએ. ભારતમાં છેલ્લાં બે હજાર વર્ષની સાહિત્યિક પ્રવૃત્તિઓના ઇતિહાસનું સંશોધન કરીએ તો અનેક કારણવશ આપણે જે ગ્રંથો સદાયને માટે ગુમાવ્યા છે તેમની સંખ્યા જોઈને કદાચ આપણને આઘાત થાય. ઉપલબ્ધ હસ્તપ્રતોમાં આપણને ઘણીવાર સુપ્રસિદ્ધ લેખકોની* એવી કૃતિઓ સંબંધી ઉલ્લેખો પ્રાપ્ત થાય છે જે હજુ સુધી શોધી શકાઈ નથી. એવી જ રીતે અમુક લેખકોની કૃતિઓમાંનાં ઉદ્ધરણો કેટલીક વાર તે કૃતિઓની ઉપલબ્ધ હસ્તપ્રતોમાં જડતાં નથી. શિલાલેખો અને તામ્રપત્રો પર લખાયેલાં દાનો અથવા સિક્કાઓ કે અન્ય કોતરાયેલી સામગ્રીમાં સચવાયેલી દંતકથાઓની બાબતમાં આપણે ઘણીવાર મૂળ દસ્તાવેજની પ્રમાણિત પ્રતિલિપિઓથી કામ ચલાવવાનું હોય છે. આમાં જો ભૂલો હોય તો તે કર્તા અથવા કર્તા દ્વારા અધિકા૨પ્રાપ્ત મંડળ (commission)ના આદેશ અનુસાર અધિકૃત રીતે કામ કરતા લહિયા (શિલાલેખક : inscriber) યા લહિયાઓના ક્ષતિપૂર્ણ કાર્યને આભારી છે. આ સામગ્રી ટકાઉ હોવાને કારણે અહીં સંચારણનો કોઈ સવાલ પેદા થતો નથી; અને આ દસ્તાવેજોનું મૂલ્ય આપણે માટે તો શિલાલેખકના માર્ગદર્શન માટે સંભવતઃ પહેલાં ભોજપત્ર યા તાડપત્ર પર લખવામાં આવેલ લખાણ જેટલું જ છે. પરંતુ હસ્તપ્રતોની બાબતમાં આમ નથી. કોઈ એક હસ્તપ્રતની અનેક પ્રતિલિપિઓ બનાવવા માટે છેલ્લા કેટલાક સૈકાઓ દરમ્યાન વિકાસ પામેલી યાંત્રિક પદ્ધતિઓના અભાવે પ્રાચીન કાળમાં શબ્દે શબ્દ, અક્ષરે અક્ષર હાથ વડે લખીને જ પ્રતિલિપિ તૈયાર કરવી પડતી હતી. આ સાથે જ એક ધીરી અને કંટાળાજનક પ્રક્રિયા હતી, પરંતુ લૌકિક યા ધાર્મિક વિચારધારાઓને લીધે પ્રતિલિપીકરણનું કાર્ય કરવામાં ⭑ આ અનુવાદમાં ‘લેખક' શબ્દ પ્રાયઃ ‘ગ્રંથકર્તા'ના અર્થમાં પ્રયોજાયો છે - અનુ. Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના આવતું અને તે પણ જરૂરિયાતોને સંતોષે એટલી હદે. આમ અમુક ગ્રંથની જરૂરિયાત પ્રમાણે ગમે તેટલી પ્રતિલિપિઓ તૈયાર કરવાનું કામ પ્રતિલિપિકાર સમક્ષની પ્રત અર્થાત્ આદર્શપ્રતને આધારે કરવામાં આવતું હતું. આથી, આ બધી પ્રતિલિપિઓને હસ્તપ્રતો' યા 'હસ્તપ્રત પ્રતિલિપિઓ' કહે છે. તેમની સામગ્રી ભોજપત્ર, તાડપત્ર યા કાગળરૂપે હતી. જૂની પુરાણી અને જીર્ણ બની ગયેલી હસ્તપ્રતની પ્રતિલિપિ બનાવવાના ઉત્સાહનો આધાર તે પાઠ્યગ્રંથના મહત્ત્વ પર રહેતો. હસ્તપ્રતોને ગ્રંથાલયોમાં એકત્રિત કરવામાં આવવા માંડી, તે પૂર્વે આ અનુલેખન (પ્રતિલિપીકરણ) સંભવતઃ તે હસ્તપ્રતોની દેખરેખ માટે રહેલા માણસો દ્વારા વ્યક્તિગત ધોરણે અને પાછળથી કદાચ ગ્રંથાલયોના માલિકોના આદેશ અનુસાર કરવામાં આવતું હશે. ગ્રંથોના સંરક્ષણની દૃષ્ટિએ આવું પ્રસંગોપાત્ત અનુલેખન જરૂરી હતું. જેને પરિણામે ક્રમશઃ જીર્ણ થયેલી પ્રતની જગાએ નવી તાજી હસ્તપ્રત મૂકી શકાય. રાજશેખરની “કાવ્યમીમાંસા'માં એક રસપ્રદ પરિચ્છેદ મળે છે, જેમાં કવિને તેની રચનાઓ સારી રીતે નિશ્ચિતપણે સચવાઈ રહે તે માટે તેમની કેટલીક પ્રતિલિપિઓ તૈયાર કરવાનું અથવા કરાવવાનું જણાવામાં આવ્યું છે. આવા ખ્યાલોથી પ્રેરાઈને લેખકોએ પોતે જ તેમના જીવનકાળ દરમ્યાન તેમની કૃતિની એક કરતાં વધુ પ્રતિલિપિઓ તૈયાર કરાવી હોવાનો સંભવ છે. તદુપરાંત જો કોઈ લેખકની રચના સુપ્રસિદ્ધ બને તો ભારતના વિભિન્ન પ્રદેશોમાંથી વિદ્યાના આશ્રયદાતા રાજાઓ દ્વારા કે વિદ્યાના ઉપાસકો દ્વારા તેની પ્રતિલિપિઓ માટે માંગણીઓ થવાની સંભાવના રહેતી. આ સંચારણની પ્રક્રિયામાં મૂળ પ્રતમાંથી જ એકથી વધુ વાર અનુલેખન કરવામાં આવે અથવા આ પ્રક્રિયા દ્વારા તૈયાર થયેલી બીજી કોઈ પ્રત જ આદર્શપ્રત બને અને નવી હસ્તપ્રતોના નિર્માણનો આધાર બને. જ્યારે ગ્રંથની મૂળપ્રત વર્તમાન હોય એવે સમયે પણ આ પદ્ધતિ અચોક્કસપણે ચાલુ રહેવાની સંભાવના હતી, કારણ કે આપણે એવા સમયની વાત કરીએ છીએ જ્યારે મુસાફરી પ્રમાણમાં ધીરી અને અગવડભરી હતી અને વ્યક્તિ મૂળ સ્રોતનો લાભ લેવા ઈચ્છતી હોય ત્યારે પણ તેમ કરવાનું સાધનોને અભાવે શક્ય ન બનતું. જ્યારે પાડ્યગ્રંથોનો વિચાર કરીએ છીએ ત્યારે આપણે બે વિભિન્ન શક્યતાઓનો ખ્યાલ કરવો રહ્યો. પ્રાચીન ભારતીય સાહિત્ય ઘણુંખરું વ્યક્તિગત લેખકોની રચના હોવા કરતાં વિશેષતઃ વિશિષ્ટ સંપ્રદાયની પેદાશ હતું અને તેનું સંચારણ મૌખિક રીતે થતું. આથી તેને લિપિબદ્ધ કરવાનું કામ વિભિન્ન વિદ્યાધામો યા સંસ્કૃતિકેન્દ્રોમાં વિભિન્ન સમયે કરવામાં આવ્યું હોવું જોઈએ. જ્યાં પાઠ્યગ્રંથોના પવિત્ર સ્વરૂપને કારણે અત્યંત ચોક્કસાઈ જાળવવી જરૂરી હતી, જેમ કે વૈદિક સાહિત્યમાં, તે સ્થળે લિખિત પાઠ ૧૬. Kane Festsecrift, પૃ.૪૪૫ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૮ : ભારતીય પાઠ-સમીક્ષા અને મૌખિક રીતે સંચારિત પાઠ વચ્ચે બહુ મોટો ભેદ હોવાની સંભાવના નથી, અને પાઠપરંપરામાં એકરૂપતા જળવાઈ રહે તે સંભવિત છે. પરંતુ જ્યાં આવા કોઈ ખ્યાલ પ્રવર્તતા ન હોય ત્યાં ઉપર દર્શાવેલ પ્રકારના ગ્રંથોના લિખિત પાઠ એકરૂપ નહિ હોય. પ્રત્યેક કેન્દ્રનું તેનું પોતાનું સ્થાનિક રૂપાન્તર હોય તે સ્વાભાવિક છે. આ સ્થાનિક રૂપાન્તરનું આગળ સંચારણ થતાં, તે એવા પરિવર્તનમાંથી પસાર થવાનું કે જે સામાન્યતઃ કોઈ પણ પાઠને અસર કરે, જેમ કે અવિરત પ્રતિલિપીકરણ, સંશોધન ઈત્યાદિ. ગમે તે પરિસ્થિતિમાં આપણા માટે કોઈ પણ એક પ્રતને ગ્રંથના મૂળ પાઠની પ્રતિલિપિ તરીકે જાહેર કરવાનું શક્ય નહિ બને, પછી ભલે તે મૌખિક રીતે સંચરતા ગ્રંથનું સર્વપ્રથમ લિપિબદ્ધ સ્વરૂપ (પ્રતિલિપિ) હોય; કારણ કે ગ્રંથની મૂળ રચના અને તેના લિપિબદ્ધ સ્વરૂપ અર્થાત્ સર્વપ્રથમ પ્રતિલિપિ વચ્ચેના ગાળામાં પાઠકો, વિદ્વાનો અને સંપાદકોની કેટલીય પેઢીઓ વીતેલી હોય છે. પરંતુ જેની કૃતિનું સંચારણ પણ મૌખિક રીતે જ થયું હોય એવા વ્યક્તિગત લેખકની બાબતમાં તેની મૂળ રચના અને પ્રથમ લિપિબદ્ધ પાઠ વચ્ચેનો તફાવત બહુ મોટો નહિ હોય અને તે જ પ્રમાણે સ્થાનિક રૂપાન્તરોની શક્યતા પણ ઓછી થશે. મૌખિક રીતે સંચરિત સમુદાયનિર્મિત રચનાઓમાં જે વિસંવાદી તત્ત્વો દષ્ટિગોચર થાય છે, તેની વિરુદ્ધ વ્યક્તિગત લેખકની રચનામાં પ્રમાણમાં વધુ એકરૂપતા દેખાતી હોય છે. બીજી શક્યતા એ છે કે લેખક પોતે જ તેની રચનાને લિખિત સ્વરૂપ અર્પે. આ કામ તે પોતાને હાથે લખીને કરી શકે અથવા પોતાના વ્યક્તિગત નિરીક્ષણ હેઠળ બીજા દ્વારા લખાવે અને પોતાને હાથે તેમાંની ભૂલો સુધારી લે. આ રીતે લેખકના સ્વહસ્તે લખાયેલી અથવા લેખકના આદેશ અનુસાર લખાયેલી અને લેખકના સ્વહસ્તે સુધારાયેલી હસ્તપ્રતને “સ્વહસ્તલેખ” (autograph) કહે છે. હવે કોઈ પણ એક પાક્યગ્રંથની વાત હોય ત્યારે સ્વહસ્તલેખ એ અંતિમ પ્રમાણે છે. આ રીતે આપણી પાસે બે પ્રકારના પાઠ્યગ્રંથો હોય છે. (૧) જેમનો કોઈ સ્વહસ્તલેખ અસ્તિત્વ જ ધરાવતો ન હોય અને (૨) જેમનો સ્વહસ્તલેખ અસ્તિત્વ ધરાવતો હોય, પછી ભલે તે ઉપલબ્ધ હોય યા અનુપલબ્ધ. આ બે પ્રકારના પાઠ્યગ્રંથોમાંથી ઉદ્ભવતી સમસ્યાઓ સ્વાભાવિક રીતે જ ભિન્ન પ્રકારની રહેશે. પ્રથમ પ્રકારમાં તે મૌખિક રીતે સંચારિત ગ્રંથના મૂળ સ્વરૂપ તથા સર્વપ્રથમ લિખિત આદર્શપ્રત (exemplar) વચ્ચેના સમયના ગાળા પર, અને બીજા પ્રકારમાં સ્વહસ્તલેખ અને પ્રાચીનતમ ઉપલબ્ધ આદર્શપ્રત વચ્ચેના સમયના ગાળા પર આધારિત હશે. Page #28 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ -૨ પાકોના પ્રકાર ભારતમાં દુર્ભાગ્યે આપણને પાઠપરંપરાનો કોઈ લિખિત ઇતિહાસ સાંપડતો નથી. ઉદાહરણ તરીકે, કાલિદાસ કે ભવભૂતિની સ્વલિખિત હસ્તપ્રતોનું શું થયું અથવા તેમના પછીના ઇતિહાસના વિભિન્ન યુગોમાં તેમની કઈ પ્રતિલિપિઓ થઈ હતી તે વિષે આપણે અજ્ઞાત છીએ. તેમનો પોતાનો સમય પણ વિવાદનો વિષય બનેલો છે. મધ્યયુગીન હસ્તપ્રતોની એક જ સૂચિ પ્રસિદ્ધ થઈ છે, અને તે છે બનારસના પંડિત કવીન્દ્રાચાર્ય(ઈ.સ. ૧૬૫૬)ની સૂચિ. અન્ય પ્રસિદ્ધ સંગ્રહો વિષે આપણને વિવિધ હસ્તપ્રતોમાંની પુષ્પિકાઓ(colophon)માં કેવળ છૂટીછવાયી માહિતી મળે છે. આવા કોઈ ઇતિહાસના અભાવમાં આપણે તો કેવળ સ્વહસ્તલેખો યા તેમની તરતની અથવા પાછળની પ્રતિલિપિઓમાંથી આજે ભારતમાં યા ભારત બહારનાં જુદાં જુદાં ગ્રંથાલયોમાં આપણને પ્રાપ્ત થતી વિભિન્ન હસ્તપ્રતોનો ઉદ્ભવ કેવી રીતે અર્થાતુ કેવા સંજોગોમાં થયો તેનો ચિતાર પ્રસ્તુત કરી શકીએ. - સ્વહસ્તલેખ(લેખકની સ્વલિખિત પ્રત)ની વ્યાખ્યા આપણે અગાઉ આપી દીધી છે. હવે પાઠ્યપુસ્તક કાં તો સ્વહસ્તલેખ હોય અથવા સ્વહસ્તલેખ પરથી લખાયેલી તેની તરતની પ્રથમ પ્રતિલિપિ હોય અથવા પ્રતિલિપિઓમાંથી ક્રમશઃ તૈયાર થયેલી પાછળની પ્રતિલિપિ હોય. સ્વહસ્તલેખો પાઠસમીક્ષાના કાર્યક્ષેત્રમાંથી મુક્ત નથી. આધુનિક યુગમાં પણ આપણો એ સામાન્ય અનુભવ છે કે પત્ર-પત્રિકાઓના સંપાદકો લેખકોના કલમદોષ શ્રી ગોડે જણાવે છે કે આ સૂચિ તદ્દન પ્રમાણભૂત નથી કારણ કે એમાં દર્શાવાયેલી ઘણી હસ્તપ્રતો કવીન્દ્ર પછી ઘણે લાંબે સમયે લખાયેલી છે. બર્મામાં પેરામાં એક રસપ્રદ શિલાલેખ પ્રાપ્ત થયો છે, જેમાં આશરે ૨૯૫ ગ્રંથોની યાદી છે. તેનો સમય ઈ.સ.૧૪૪રની આસપાસ છે. આ ગ્રંથો ટોન્ગવીન અને તેમની પત્નીએ બૌદ્ધ સંઘને દાન આપ્યા હતા. (Cat. of Palm-leaf Mss Colombo. પૃ.૨૫) Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ભારતીય પાઠ-સમીક્ષા સુધારી લેતા હોય છે. પુસ્તકોના સંપાદકો પણ તેમના લેખકોની આ પ્રકારની ભૂલોને સામાન્યતઃ પાદટીપોમાં સુધારતા હોય છે. પરંતુ પાઠસમીક્ષાની આ શાખા સાથે આધુનિક ભારતીય પંડિતોને કોઈ સીધો સંબંધ નથી, જો કે સ્વહસ્તલેખ પરથી કરવામાં આવેલી પ્રતિલિપિઓ માટે આવું નથી. પાઠસમીક્ષકનું એ પણ કર્તવ્ય ગણી શકાય કે શિલાલેખો અર્થાત્ પથ્થર પર લખાયેલાં લખાણોને માનવીય દુર્વ્યવહાર, હવામાનનાં પરિવર્તન અથવા શિલાલેખકની ભૂલો દ્વારા થતી ક્ષતિ તેણે દૂર કરી આપવી જોઈએ. આ પ્રકારનાં ઉદાહરણો ભારતમાં પ્રગટ થયેલાં વિભિન્ન પુરાલેખશાસ્ત્રીય (Epigraphical) પ્રકાશનોના પ્રત્યેક પૃષ્ઠ પર જોવા મળે છે. ભારતીય પાઠસમીક્ષાનું પ્રમુખ ક્ષેત્ર ખાસ કરીને પ્રતિલિપિઓની પ્રતિલિપિઓ છે. આપણે પ્રસ્તાવના(પ્રકરણ-૧)માં જોયું તે પ્રમાણે, જે પાઠ્યગ્રંથો આજે આપણને પ્રાપ્ત થાય છે, તેમની પ્રતિલિપિઓ ઘણું કરીને શિલા કે અન્ય ચિરસ્થાયી ઉપકરણ પર નહીં, પરંતુ ભૂર્જપત્ર, તાડપત્ર, કાગળ આદિ પર કરવામાં આવેલી છે. સમય જતાં વપરાશને કારણે થતી હાનિ સામે તકેદારીરૂપે અને જેની મૂળ માલિકીની તે હસ્તપ્રત હોય તે સિવાયના અન્ય જિજ્ઞાસુ લોકોની તે વિશે જાણવાની ઈચ્છાને સંતોષવા માટે આ હસ્તપ્રતોની પ્રતિલિપિઓ જુદે જુદે સમયે ઘણીવાર તૈયાર કરાવવી પડતી હતી. આ મૂલાદર્શની પ્રતિલિપિ બનાવવાનું કામ, પૂર્વે કહ્યું તે પ્રમાણે, યાંત્રિક ઉપકરણો (જેમ કે આધુનિક ફોટોગ્રાફી દ્વારા થતી આબેહૂબ નકલ) દ્વારા નહીં, પરંતુ માનવહસ્ત દ્વારા થતું, જે ઓછેવત્તે અંશે માનવબુદ્ધિ દ્વારા સંચાલિત હતું. જો આમ ન હોત તો ભારતીય પાઠસમીક્ષાનો ભારતીય પાઠ્યગ્રંથો સાથે ભાગ્યે જ કંઈ સંબંધ હોત. હવે આ પ્રકારે બનતી પ્રતિલિપિ, જેમાંથી તેની નકલ કરવામાં આવી છે એટલે કે તેની આદર્શપ્રત(exemplar)ને ક્યારેય ચોક્સાઈપૂર્વક તે જ સ્વરૂપે પ્રસ્તુત કરી શકે નહીં. (અનુલેખનની) ત્રુટિઓ અનિવાર્યપણે પ્રવેશી જતી હોય છે. આથી કોઈ પણ પ્રતિલિપિ કદી તેની આદર્શપ્રતની તોલે આવીં શકે નહીં. એટલું જ નહિ, તેનાથી ઘણી ઊતરતી હોવાની સંભાવના હોય છે. આ પ્રમાણે પેદા થતો ડ્રાસ અથવા અપકર્ષ ક્રમશઃ પ્રતિલિપિઓ થતાં વૃદ્ધિ પામતો જાય છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો *મિક અનુલેખનમાં ભૂલોની માત્રા સતત વધતી જાય છે, અને ધીરે ધીરે સ્વહસ્તલેખ અને તે પરથી લખાયેલી તરતની પ્રતનો લોપ થતાં પ્રતિલિપિની પ્રતિલિપિઓ અને તેમની પણ ક્રમશઃ થતી પ્રતિલિપિઓને જ આગળના અનુલેખ માટેના સ્રોત બનવું પડે છે. સંચારિત પાઠોમાં ઘણું કરીને ભૂલોની માત્રા સામાન્ય પરિસ્થિતિમાં અવિરતપણે વધતી જ રહે છે. આથી હસ્તપ્રતનો સમય ધ્યાનમાં લેવા જેવી મહત્ત્વની બાબત છે, જો કે ત્રુટિઓ ન હોય તે માટે આ એકમાત્ર માપદંડ નથી. Page #30 -------------------------------------------------------------------------- ________________ પાઠોના પ્રકાર ૨૧ આ હ્રાસ યા અવનતિને સમજાવવા એક સાંખ્યિક ઉદાહરણ જોઈએ :- સંપૂર્ણ શુદ્ધિ દર્શાવવા ૧૦૦નો આંકડો લઈએ. હવે મૈં ગ્રંથની બે પ્રતિલિપિઓ બનાવવામાં આવે છે તેમ ધારીએ. અ માંથી વ પ્રતિલિપિ બનાવવામાં આવી છે અને વ માંથી જ પ્રતિલિપિ તૈયાર કરવામાં આવી છે. હવે આપણે ધારી લઈએ કે અ હસ્તપ્રતમાંથી પ્રથમ લહિયાની ત્રુટિને કારણે વ હસ્તપ્રતમાં ૩% અશુદ્ધિ પ્રવેશી છે. વળી બીજા લહિયાની ત્રુટિને કારણે હ્ર હસ્તપ્રતમાં પણ ૩% અશુદ્ધિ પ્રવેશે છે. આથી અ ની સરખામણીમાં વ અને હ્ર હસ્તપ્રતોનું સાપેક્ષ મૂલ્ય અનુક્રમે ૯૭.૦ ને ૯૪.૦૯ ગણાય. હવે જો જ માંથી ૬ પ્રતિલિપિ તૈયાર કરવામાં આવે અને તેમાં પણ અગાઉની પ્રતિલિપિઓના પ્રમાણે જ અશુદ્ધિ પ્રવેશતી રહે તો ૩ હસ્તપ્રતનું સાપેક્ષ મૂલ્ય ૯૧.૧૭ થશે. જો આપણે ધ્યાનમાં રાખીએ કે ઘણાખરા સંસ્કૃત અને પ્રાકૃત પ્રશિષ્ટ ગ્રંથોના પાઠ ‘સંચારિત પાઠ’ છે, એટલે કે એવા પાઠ છે જે અનુલેખનના કેટલા તબક્કામાંથી પસાર થયા હશે તેથી આપણે અજ્ઞાત હોઈએ છીએ, તો આપણે આનું મહત્ત્વ સ્પષ્ટપણે સમજી શકીએ. હાથ વડે થતા અનુલેખનની પ્રક્રિયાને આધુનિક પ્રિન્ટિંગ પ્રેસોમાંના કૉમ્પોઝિટરની કલા સાથે સરખાવી શકાય. (પછી ભલે તેમાં કોમ્પોઝિટર અક્ષરોને હાથથી ગોઠવતો હોય કે મશીનથી.)કૉમ્પોઝિટર સર્વપ્રથમ તો પોતાની સમક્ષ પોતાની પ્રત રાખે છે, જેને આધારે તેમાંના અક્ષરે અક્ષર માટે પોતાના ‘ટાઈપ' પસંદ કરે છે. અલબત્ત, યાંત્રિક લાભો ઉપલબ્ધ હોય ત્યારે કૉમ્પોઝ કરવાના કાર્યમાં થતી ત્રુટિઓ ઘણે અંશે ઓછી થઈ શકે. પરંતુ જ્યાં-આવાં સાધનો સુલભ ન હોય ત્યાં કૉમ્પોઝિટરને તેની સઘળી મર્યાદાઓ સહિત લહિયા સાથે સરખાવી શકાય. કૅમ્પોઝિટર પાઠ્યપુસ્તકને અક્ષરે અક્ષર લખવાને બદલે તે પોતાના ટાઈપ પસંદ કરે છે. તેની આંખ અવિરતપણે ઘડીક કૉમ્પોઝ ૫૨ અને ઘડીક તેની પોતાની પ્રત પર ફરતી રહે છે. અને જો પુસ્તકનું લખાણ તેને માટે બહુ રસપ્રદ ન હોય તો તેનું મન બીજે ક્યાંય ભટકતું રહે છે. પાઠ્યપુસ્તક કૉમ્પોઝ થાય કે તરત જ પ્રૂફરીડરોનો વર્ગ ધ્યાનપૂર્વક ‘ગેલીપ્રુફ’ તપાસવા લાગે છે. આ લોકો તે પ્રુફને મૂળપ્રત સાથે સરખાવે છે અને આસ્મિક રીતે થયેલી ભૂલોને નોંધે છે. આ રીતે જોઈએ તો છાપકામ એક સહકારી પ્રવૃત્તિ છે. હાથ દ્વારા થતા અનુલેખનંના કાર્યમાં આમ બનતું નથી. જેમ મુદ્રણકાર્યમાં આજે પ્રૂફરીડરની સહાય લેવાય છે. તેમ પ્રાચીન લહિયાઓ પણ કેટલીકવાર સંશોધકો(revisers)નો લાભ લેતા હતા, જેઓ પ્રતિલિપિમાં જ પરિવર્તન યા સુધારા નોંધતા. જો આધુનિક સમયમાં કૃતિનો લેખક જીવતો હોય તો તે પોતે જ છાપવાની મંજૂરી આપતાં પહેલાં મુદ્રણદોષો સુધારી લેશે. જો લેખક જીવતો ન હોય તો લેખકનો કોઈ પ્રતિનિધિ આ અંતિમ પ્રુફવાંચનનું કાર્ય કરશે. હસ્તલિખિત ગ્રંથોમાં લેખક યા તેના પ્રતિનિધિ જીવતા હોય Page #31 -------------------------------------------------------------------------- ________________ ભારતીય પાઠ-સમીક્ષા તો પણ સામાન્ય રીતે આ લાભ ન મળે તે સંભવિત હતું. આમ સારા છાપકામમાં અમુક એક આવૃત્તિને લાગેવળગે છે ત્યાં સુધી પાઠ પ્રમાણિત અને પરિનિશ્ચિત હોય છે. પરંતુ હાથ દ્વારા થતા અનુલેખન કાર્યમાં આમ બનતું નથી. અહીં તો વ્યક્તિદીઠ ભૂલોના પ્રમાણમાં વધઘટ થાય છે. પ્રતોની સંખ્યામાં અભિવૃદ્ધિ કરવા માટે થતું પાછળનું પ્રત્યેક અનુલેખન પાઠમાં ભૂલોના નવા સ્રોત પેદા કરે છે. પરંતુ આ બંને વચ્ચે તાત્વિક ભેદ એ છે કે કોમ્પોઝિટરની પાસે તેના નમૂના તરીકે સ્વહસ્તલેખ (autograph) મોજૂદ હોય છે. જ્યારે લહિયા પાસે નમૂના તરીકે સ્વહસ્તલેખ હોય યા તે પરથી લખાયેલી તરતની પ્રતિલિપિ હોય યા પ્રતિલિપિની પ્રતિલિપિ (કેટલામી પ્રતિલિપિ તે નિશ્ચિત નહિ) હોય. જેટલી હદે લહિયો સ્વહસ્તલેખથી દૂર હશે તેટલી હદે તેની અશુદ્ધિની માત્રા વધશે. કોમ્પોઝિટરની બાબતમાં લહિયાની સરખામણીમાં ભૂલોનું પ્રમાણ ઓછું હશે; તો પણ, કાળજી રાખવા છતાંય, થોડી ભૂલો તો રહેવા પામશે જ. . આ બંને કિસ્સાઓમાં મૂળમાંથી આ પ્રમાણે જે વિચલન થાય છે તેનાં બે પ્રસિદ્ધ કારણો છે : (૧) નેત્રદોષ અને (૨) માનસશાસ્ત્રીય દોષ. આ બંને પ્રકારની ભૂલોની માત્રા પ્રત્યેક કોમ્પોઝિટર યા પ્રતિલિપિકાર પ્રમાણે વ્યક્તિદીઠ અલગ અલગ રહેશે. લહિયો યા પ્રતિલિપિકાર બંને પ્રકારની ભૂલો કરે તે સંભવિત છે. અને આમ તે મૂળમાંથી થોડેઘણે અંશે પણ વિચલિત થાય એ સ્વાભાવિક છે. નેત્રદોષ એવી ભૂલોને કહે છે જે લહિયાની આંખ તેની નબળાઈને કારણે યા અજાણતાં (બેધ્યાનપણે) કરતી હોય છે. આવી ભૂલોમાં એક શબ્દને સ્થાને બીજો શબ્દ મૂકવો, શબ્દ યા શબ્દસમૂહ રહી જવો, ઉમેરવો ઇત્યાદિનો સમાવેશ થતો હોય છે. અને પોતે જાતે કરેલી ભૂલો અથવા જેમાંથી પ્રતિલિપિ કરવામાં આવી રહી હોય તે આદર્શપ્રતની ભૂલોમાંથી કંઈક અર્થ શોધી કાઢવાની મનોવૃત્તિમાંથી માનસશાસ્ત્રીય ત્રુટિઓનો ઉદભવ થાય છે. પ્રશિષ્ટ ગ્રંથોમાં જોવા મળતી મુખ્ય અશુદ્ધિઓ ઘણું કરીને આ પ્રકારની ભૂલોને કારણે હોય છે. સારામાં સારો લહિયો પણ લાંબા સમય સુધી યાંત્રિક ઢબે પોતાની બુદ્ધિને કંઈક રમત રમવા દીધા સિવાય અનુલેખનનું કામ કરી શક્તો નથી. આમાં જે લખાણ તેને સમજાતું હોય તેમાં તો તે ભાગ્યે જ અક્ષરે અક્ષરનું અનુલેખન કરતો હોય છે. ઘણાખરા પ્રસંગોએ જોવા મળે છે કે લહિયાઓ શબ્દોનું અનુલેખન કરતા હોય છે, અક્ષરોનું નહિ. આ ભૂલોના બે મુખ્ય પ્રકારોમાંથી ઉદ્ભવતી પાઠ્યગ્રંથની વિકૃતિઓની મીમાંસા અન્ય પ્રકરણમાં કરવામાં આવશે. પરંતુ લહિયાની કેટલીક લાક્ષણિકતાઓ આપણે અહીં તપાસીએ. અનુલેખનમાં થતી લહિયાની ત્રુટિયોનો ઉત્પત્તિકાળ લેખકની પ્રત અર્થાત્ સ્વહસ્તલેખ હોઈ શકે. “હોમર (જવો મહાકવિ) પણ કોઈ કોઈ વાર ભૂલો Page #32 -------------------------------------------------------------------------- ________________ પાઠોના પ્રકાર sed elu 9.' (Quandoque bonus dormitat Homerus : Even Homer nods sometimes.) આ સૂક્તિ સ્વહસ્તલેખમાં થતી ભૂલોનું સ્વરૂપ દર્શાવે છે. શ્રેષ્ઠ લેખકો પણ હંમેશાં પોતાને છાજે તે રીતે લખતા હોતા નથી. સર્વોત્કૃષ્ટ રચનાઓમાં પણ અવારનવાર શૈલીનું સૌષ્ઠવ, વિશદતા, સુસંવાદિતા આદિમાં અલનો અને કેટલીક વાર બેદરકારીથી શુદ્ધ વ્યાકરણ સંબંધી દોષો પણ હોવા સંભવ રહે છે. જો લેખક કે જે સામાન્ય રીતે તે વિષયમાં પારંગત હોય છે, તેની બાબતમાં પણ આમ બનતું હોય તો લહિયાની બાબતમાં તે વધુ સંભવે છે. અજાણતાં અને જાણી જોઈને પણ તેની આદર્શપ્રતમાં ક્યારનીય પ્રવેશી ચૂકેલી ભૂલોમાં તે વધારો કરતો રહે છે. આમાંની ઘણીખરી ભૂલો લહિયા યા પ્રતિલિપિકારની ત્રુટિને કારણે હોય છે. આ ત્રુટિઓમાં પ્રતિલિપિકારની ઈચ્છા અભિવ્યક્ત થાય છે કે નહિ તેને આધારે તેનું વર્ગીકરણ અનૈચ્છિક (યા યાંત્રિક), “અર્ધ ઐચ્છિક અને “ઐચ્છિક એ પ્રમાણે કરી શકાય. અન્ય વર્ગીકરણ પ્રમાણે ત્રુટિઓના “આકસ્મિક' અને “વૈચ્છિક એવો ભેદો પણ પાડવામાં આવે છે. પ્રતિલિપિકારે ઉપયોગમાં લીધેલ આદર્શપ્રત ભેજ અને સતત વપરાશને કારણે અવાચ્ય બનવાની સંભાવના રહે છે. તેના કેટલાક ભાગો ફાટી જાય અને આખા પાનાં છૂટાં પડી જઈ કાં તો ખોવાઈ જાય યા તો ખોટી જગ્યાએ મુકાઈ જાય એ શક્ય છે. હસ્તપ્રતના સૌથી નબળા અંશ તેના હાંસિયા હોય છે. અને તેથી પંક્તિઓના પ્રારંભ અને અંતના ભાગ તેમજ પૃષ્ઠની પ્રથમ અને અંતિમ પંક્તિને સવિશેષ હાનિ પહોંચવાનો સંભવ રહે છે. આથી પ્રતિલિપિમાં પ્રવેશેલી કેટલીક અશુદ્ધિઓ આદર્શપ્રતની આવી બહિરંગ ક્ષતિઓને કારણે હોઈ શકે. આ રીતે દુર્ગેઈલ દ રીન્સ દ્વારા શોધાયેલ પ્રસિદ્ધ પ્રાકૃત ધમ્મપદના અંશોને પણ આ બાબત લાગુ પડે છે. આ હસ્તપ્રતનાં પાનાં બાહ્ય ક્ષતિને કારણે ખંડિત થયેલાં હતાં અને આ પાનાંને એકત્રિત કરી પ્રકાશિત કરતાં સોનાર્ટ દ્વારા સંપાદિત આવૃત્તિમાં કેટલીક ત્રુટિઓ પ્રવેશી છે. - જો ગ્રંથ દળદાર હોય તો તેનું આલેખન એક યા એકથી વધુ પ્રતિલિપિકારો દ્વારા થયું હોય તેવી સંભાવના રહે છે. જો અનુલેખન એક કરતાં વધુ લહિયાઓ દ્વારા થયું હોય તો આપણે કેવળ એક લહિયાના નહિ પરંતુ અનેક લહિયાઓના મનોવિજ્ઞાન સાથે કામ કરવાનું રહે છે. આ હકીકત પાઠ-પરંપરાના અભ્યાસને વધુ ગૂંચવણભર્યો બનાવે છે. કારણ કે સમયના આટલા ગાળા પછી આપણે કહી શકીએ નહીં કે એક જ આદર્શપ્રતને આધારે એક જ સ્થળે અનુલેખન કરવામાં આવ્યું હતું કે પછી જુદી જુદી આદર્શપ્રતોને આધારે ભિન્ન ભિન્ન સ્થળે અને ભિન્ન ભિન્ન સમયે તૈયાર કરવામાં આવેલા અંશો - એકમોને એકત્રિત કરીને હસ્તપ્રત તૈયાર કરવામાં Page #33 -------------------------------------------------------------------------- ________________ શ ભારતીય પાઠ-સમીક્ષા આવી હતી. કારણ કે દળદાર ગ્રંથોના અંશોનું અનુલેખન પ્રત્યેક હસ્તપ્રતમાં અલગ અલગ રીતે કરવામાં આવેલું હશે એમ માનવું વધુ તર્કસંગત છે. લેખન-સામગ્રીનું સ્વરૂપ અને પુરાલિપિશાસ્ત્રીય પ્રમાણોને આધારે આવા ગ્રંથના સંયોજિત વિભિન્ન અંશો ક્યા ક્યા સમયે લખાયા હશે તેનું અનુમાન આપણે સંભવતઃ કરી શકીએ. આથી હસ્તપ્રતના નિર્માણમાં કામે લાગેલા જુદા જુદા હાથોને ઓળખી કાઢવા જરૂરી છે. જે રીતે હસ્તલિખિત ગ્રંથો આપણી પાસે ઊતરી આવ્યા છે, તે પ્રમાણે કોઈપણ હસ્તપ્રત સામાન્ય રીતે સ્વચ્છ પ્રત હોતી નથી કે એક હાથે સળંગ લખાયેલી હોતી, નથી. તેમાં ઘણીવાર પરિવર્તનો, જેમ કે છેકાછેકી, ઉમેરા, એકને સ્થાને બીજું મૂકવું ઈત્યાદિ હોય છે. આ પરિવર્તન હસ્તપ્રતના લહિયા યા લહિયાઓ દ્વારા અથવા સંશોધક તરીકે ઓળખાતી બીજી વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતાં હોય છે. આ સુધારાઓનું તુલનાત્મક મહત્ત્વ ભિન્ન ભિન્ન હોય એ સંભવિત છે. પ્રત્યેક લહિયાને તેનું પોતાનું પ્રકૃતિ-વૈશિષ્ટ્ય હોય છે અને પ્રત્યેક હસ્તપ્રતની તેની પોતાની વિશિષ્ટતાઓ હોય છે. લહિયાનું પ્રકૃતિ-વૈશિષ્ટ્ય, તેના હસ્તાક્ષરની લઢણ, અમુક પ્રકારની ભૂલો કરવાની પ્રવૃત્તિ તેમજ અન્ય પ્રકારની ભૂલોમાંથી નિવૃત્તિ અને જ્યારે બે કે વધુ પાઠાન્તરોમાંથી પસંદગી કરવાની હોય ત્યારે તેની પ્રતિલિપિમાં વ્યક્ત થતું અમુક વિચારતરફી વલણ યા અભિરુચિ, ઇત્યાદિમાં પ્રગટ થાય છે. આ વિશિષ્ટતાઓ હસ્તપ્રતના અવિરત અને ઊંડા અધ્યયન દ્વારા જ જાણી શકાય. * લહિયામાં જે વિશિષ્ટ ગુણોની ખાસ આવશ્યકતા છે તે છે પ્રામાણિકતા અને કાળજી અથવા એક શબ્દમાં કહીએ તો નિષ્ઠા (તથા બુદ્ધિ). પરંતુ આ ગુણો તેનામાં ઉચ્ચ કક્ષાએ વિકસ્યા હોય તેવું ભાગ્યે જ જોવા મળે છે. કારણ કે અનુલેખનની કાર્યપદ્ધતિ ગમે તેટલી યાંત્રિક હોય છતાં પણ માનવબુદ્ધિ અસંપ્રજ્ઞાતપણે દૃષ્ટિગત યા માનસશાસ્ત્રીય દોષો દ્વારા અનુલેખનમાં ભૂલો કરવાના નવા નવા પ્રકારો શોધી કાઢે છે. ભલે એ વિચિત્ર જણાય તો પણ નોંધવું ઘટે કે મૂર્ખ પરંતુ મૂળને વફાદાર (નિષ્ઠાવાન) લહિયાએ કરેલું યાંત્રિક અનુલેખન વધુ યોગ્યતા ધરાવનાર લહિયાએ કરેલા બુદ્ધિશાળી પરંતુ મૂળને વફાદાર ન હોય એવા અનુલેખન કરતાં પાઠનો વધુ સારો ખ્યાલ આપે છે. લહિયાની આ નિષ્ઠાનો નિર્ણય આંતરિક કસોટીઓ વડે કરવાનો હોય છે. જે લહિયો પોતાની પ્રતિલિપિના પાઠમાં તેની આદર્શપ્રતમાંના લુમાંશ અને અન્ય દોષોને સુધારવાનો પ્રયત્ન કર્યા વિના જેમને તેમ સાચવી રાખે તે સંભવતઃ વિશ્વસનીય છે. જો તે નાની બાબતોમાં મૂળને વફાદાર હોય તો તે સામાન્ય રીતે પણ વફાદાર જ હશે એમ માની શકાય. જેમ કે, જો તે આદર્શપ્રતની ખાસ જોડણી ' Page #34 -------------------------------------------------------------------------- ________________ પાઠોના પ્રકાર * ર૫ સંબંધી વિશિષ્ટતાઓ પણ ચીવટપૂર્વક સાચવે અથવા જે આદર્શપ્રતની તે પ્રતિલિપિ કરતો હોય તેમાં રહેલો લુખાંશ યા અવાચ્ય અંશ તેમને તેમ જ રહેવા દે તો આપણે તેનામાં વિશ્વાસ મૂકવા પ્રેરાઈએ છીએ. વર્તમાન પાઠ્યગ્રંથોની પ્રાપ્તિ આપણને બે પ્રકારનાં સંચારણ દ્વારા થઈ છેઃ એક પ્રકાર અનુજ્ઞપ્ત licensed) યા સંરક્ષિત સંચારણ છે. આ પ્રકારમાં ગ્રંથનું અનુલેખન લેખક યા લેખકના પ્રતિનિધિ અથવા મૂલાદર્શના વિદ્વાન માલિકની રાહબરી નીચે કરવામાં આવે છે, અથવા અનુલેખન આશ્રયદાતા રાજાના આદેશથી કરવામાં આવે, જે પોતે અનુલેખન-કાર્યના નિરીક્ષણ માટે અધિકૃત વિદ્વાનોને નીમે છે. બીજા શબ્દોમાં કહીએ તો આ પ્રકારના સંચારણમાં પાઠની અખંડતા અને સચ્ચાઈ જળવાઈ રહે તે માટે પ્રતિલિપિકાર પર નિયંત્રણ મૂકવામાં આવે છે. કારણ કે જો આવુ નિયંત્રણ ન રાખવામાં આવે તો ગ્રંથની અખંડતા અને સચ્ચાઈ લેખકના પોતાના જ જીવનકાળ દરમ્યાન અવશ્ય જોખમાઈ જાય. લેખક જીવિત ન હોય તો આવી અશુદ્ધિની તકો ઘણી વધી જાય છે. બીજો પ્રકાર કદાચ ઘણો વધુ પ્રચલિત છે. તે છે અનિયમિત યા અનિયંત્રિત સંચારણ. આ પ્રકારના સંચારણમાં હસ્તપ્રતોનું અનુલેખન ઘણી વાર મૂર્ખ અને અલ્પશિક્ષિત માનવીઓ દ્વારા કરવામાં આવે છે, જેઓ પોતાને જે લખવાનું છે તેનાથી સદંતર અજ્ઞાત નથી હોતા. જે જમાનામાં ગ્રંથની મૂળ આદર્શપ્રતો વૈભવનો વિષય માનવામાં આવતી અને એવી ચીવટ અને ઉત્સાહપૂર્વક સાચવવામાં આવતી હતી કે જેથી કોઈ વિદ્વાન પુરુષ માટે પણ તેની પ્રાપ્તિ મુશ્કેલ બને, તે જમાનામાં આવી વૈયક્તિકરૂપે પ્રતિલિપિ તૈયાર કરવામાં શી મુશ્કેલી પડતી હશે તેની કલ્પના આજે પણ આધુનિક વિદ્વાનોને વ્યક્તિગત માલિકીનાં પુસ્તકાલયોમાં સંગ્રહાયેલી હસ્તપ્રતોની પ્રતિલિપિઓ મેળવવામાં પડતી મુશ્કેલી પરથી કરી શકાય. અહીં “ધવલા', જયધવલા” અને “મહાધવલા’ વિષેનું આધુનિક દષ્ટાંત આપી શકાય. આ કૃતિઓની એક માત્ર પ્રમાણભૂત હસ્તપ્રત દક્ષિણ કન્નડના મુદિબિદ્રીના જૈન ધર્મસ્થાનમાં સચવાયેલી છે. ઘણા સમય પછી અગાધ ધેર્ય, રાજદ્વારી કુનેહ અને વિપુલ ખર્ચ પછી આમની પ્રતિલિપિઓ પ્રાપ્ત કરી શકાઈ હતી. હવે આવી મૂલપ્રતો સંબંધે આપણે અગાઉ જણાવ્યું છે કે આ વર્તમાન હસ્તપ્રતોમાં ઘણી વાર નિરીક્ષકો(revisers)એ સંશોધન કર્યું હોય એમ જણાય છે. આ મૂલાદર્શની પ્રતિલિપિ કેવી રીતે તૈયાર કરવામાં આવતી હતી અને પ્રતિલિપિકારનું કામ નિરીક્ષક દ્વારા કઈ રીતે સુધારવામાં અાવતું હતું તે વિષે આપણે હજુ અંધારામાં છીએ. સંભવતઃ પ્રતિલિપિકાર કોઈની મદદ વિના જ પોતાની આદર્શપ્રત લઈ તેનું અનુલેખન કરતો હશે અથવા તો બીજા કોઈ લહિયા યા વાચકની મદદ લેતો હશે, જે પાઠનું મોટેથી વાંચન કરતો હશે અને તે અનુસાર લહિયો અનુલેખન કરતો હશે. Page #35 -------------------------------------------------------------------------- ________________ ભારતીય પાઠ-સમીક્ષા તે જ રીતે સંશોધક પણ કોઈની મદદ વિના જાતે મૂળપ્રત સાથે પ્રતિલિપિને સરખાવી જતો હશે અથવા બીજાની મદદ લેતો હશે, જે તેની સમક્ષ મૂળપ્રત વાંચી જોતો હશે અને તે પ્રમાણે તે સુધારતો હશે. અગાઉ કહ્યું તે પ્રમાણે આવા સુધારા સામાન્ય રીતે હાંસિયામાં અથવા બે લીટીઓની વચ્ચે નોંધવામાં આવતા. જે પરિચ્છેદો ભૂલથી પ્રતિલિપિમાં લખવાના રહી ગયા હોય તે પણ આવી જ રીતે દર્શાવવામાં આવતા હતા. ૨૦ “હવે હસ્તપ્રત એક સ્થળેથી બીજે સ્થળે કઈ રીતે પ્રવાસ કરતી તે વિષે જરા વિચાર કરીએ. જો હસ્તપ્રત કોઈ ધનિક આશ્રયદાતાની માલિકીની હોય તો તે પ્રતને તે પોતાના પ્રવાસ દરમ્યાન પણ પોતાની સાથે લઈ જતો હોય એમ માની શકાય. વળી કેટલાક વિદ્વાન સાથીદારો પણ સાથે હોય જ. ત્યારે એક શક્યતા રહેતી હતી કે જે વિદ્યાધામોની તે મુલાકાત લેતો તે વિદ્યાધામોમાં પણ તે ગ્રંથની અન્ય હસ્તપ્રતો રહેતી અને પોતાની હસ્તપ્રત સાથે તેમની સરખામણીના પરિણામે સંશોધકને પાઠાન્તરો, વધારાના પરિચ્છેદો ઇત્યાદિ પ્રાપ્ત થતું, જેની નોંધ હાંસિયામાં કે બે પંક્તિઓની વચ્ચે કરવામાં આવતી. સુથનકર સૂચવે છે તે રીતે યાત્રાધામોએ હસ્તપ્રતોનાં સંસ્કરણ, સંશોધન અને સંમિશ્રણમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હોવાનો સંભવ છે. તે લખે છે કે “એવી કલ્પના કરી શકાય કે ઉજ્જયિની, રામેશ્વરમ્, કાશી જેવાં સુપ્રસિદ્ધ યાત્રાધામોનાં વિખ્યાત મંદિરોમાં સમય સમય પર રામાયણ-મહાભારતના ગાનના કાર્યક્રમ રાખવામાં આવતા. આમ યાત્રાધામોએ ધાર્મિક યાત્રાળુઓમાં - આ યાત્રાળુઓના વર્ગમાં ત્યાં આવતા ભાટચારણો અને રામાયણ-મહાભારતના ધંધાદારી ગાયકોનો પણ અવશ્ય સમાવેશ થતો તે ગ્રંથોનાં સ્થાનિક રૂપાન્તરો(version)નું જ્ઞાન પ્રસારવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે.” ભલે કાંઈક ઓછે અંશે પણ આ જ વસ્તુ અન્ય પ્રકારના હસ્તલિખિત ગ્રંથોને, ખાસ કરીને વધુ લોકપ્રિય નાટકો અને કાવ્યોને, પણ લાગુ પડી શકે. આવું જ કાંઈક બન્યું હોવું જોઈએ, એનું અનુમાન આજે આપણને પ્રાપ્ત થતા વિભિન્ન પ્રકારના પાઠો અવલોકતાં થઈ શકે. - જો આવી સંશોધિત પ્રતો જ ભવિષ્યની પ્રતિલિપિઓના સ્રોત બને તો નવા પ્રતિલિપિકારોને ઘણીવાર પાકની પસંદગીની તક રહે છે. અને તે પોતાની ઈચ્છા - અનિચ્છા પ્રમાણે કોઈ એક પાઠને પસંદ કરે અને અન્યનો અસ્વીકાર કરે. વધારાના પરિચ્છેદોની બાબતમાં પણ આ વસ્તુ બની શકે. આને પરિણામે પાઠમાં ત્વરિત ગતિએ અશુદ્ધિ પ્રવેશ પામતી. આ કહેવાતા સંશોધકો દ્વારા પ્રતિલિપિઓમાં થતાં સંસ્કરણ ઉપરાંત કેટલાક કિસ્સાઓમાં મૂળ લેખકે સ્વયં પોતાના હસ્તલેખમાં કેટલીક વાર સુધારા યા સંસ્કરણ Page #36 -------------------------------------------------------------------------- ________________ પાઠોના પ્રકાર કર્યા હોવાનું જણાયું છે. આધુનિક યુગમાં છપાયેલાં પુસ્તકોમાં પણ આમ બનતું આપણે ઘણીવાર જોઈએ છીએ. પરંતુ આજના જેવાં યાંત્રિક ઉપકરણોને અભાવે, તે કાળે લેખક પોતે જ તેની પોતાની હસ્તપ્રતને તેના સંશોધિત સ્વરૂપે નવેસરથી લખી નાખતો અથવા તો વધુ સંભવિત એ છે કે બીજી હસ્તપ્રત બનાવતાં પહેલા પ્રથમ સ્વહસ્તલેખમાં જ જરૂરી સુધારાવધારા કરી લેતો. આ બન્ને પ્રસંગોએ લહિયા પાસે તેની સમક્ષ સ્વયં લેખક દ્વારા સંશોધિત સ્વહસ્તલેખ છે અને તેને બે પાઠમાંથી કોઈ પણ એક પાઠની પસંદગીની તક રહે છે. બન્ને પાઠોનો મૂળ સ્રોત લેખક પોતે જ હોય છે. અને લહિયો પોતાની વ્યક્તિગત પસંદગીને આધારે કોઈ એક પાઠને સ્વીકારશે અને અન્યનો અસ્વીકાર કરશે અથવા તો અસ્વીકૃત પાઠને હાંસિયામાં કે બે પંક્તિઓની વચ્ચે ઉમેરશે. આ મૂલાદર્શની પાછળની પ્રતિલિપિઓમાં હાંસિયામાં કે બે લીટીઓ વચ્ચે લખાયેલા પાઠોને સદંતર કાઢી નાખવામાં આવે એ સંભવિત છે. માલતીમાંધવની બધી જ પ્રાપ્ત હસ્તપ્રતોની ચકાસણી ર્યા પછી ભાંડારકર એવા નિર્ણય ઉપર આવ્યા હતા કે ભવભૂતિએ પોતે જ તેના સ્વહસ્તલેખમાં કેટલાંક પરિવર્તન કર્યાં હતાં. ટોડરમલે મહાવીરચરિતના તેના સંપાદનમાં પણ આ જ મુદ્દો સ્પષ્ટ કર્યો છે. ભાંડારકરની ધારણા માટે નીચેનાં બે ઉદાહરણો ટાંકી શકાય : ૧ માલતીમાધવ ૧,૩ માં તેમણે સરખાવેલી નવ હસ્તપ્રતોમાંથી છ હસ્તપ્રતોમાં આ પાઠ આપ્યો છે :- ત્યાળાનાં ત્વમસિ મમાં માનનું વિશ્વમૂર્તે । આ જ પંક્તિ બાકીના ત્રણ હસ્તપ્રતો (મ, ૢ અને ઓ) માં આ પ્રમાણે મળે છે : ત્યાળાનાં સ્વમિદ મહસામીશિષત્વ વિધત્તે). આ પાઠ પાછળની પંક્તિમાંની પ્રાર્થનાને લક્ષમાં લેતાં વધુ સારી રીતે બંધ બેસે છે. અને TM હસ્તપ્રતમાં પ્રથમ પંક્તિનો પાઠ છેલ્લા બે શબ્દો સિવાય (જેમાં તે નાના વર્ગ સાથે ઐક્ય ધરાવે છે) આવો જ છે. વળી ત્રીજા અંકના સાતમા શ્લોકના પ્રથમ ચરણમાં કેવળ જગદ્ગુરની ટીકાને આધારે રચાયેલ પાઠમાં અને હસ્તપ્રત ન માં આ પ્રકારનો પાઠ છે : સ્વાતિ વચનં તે પયત્વજ્ઞમમ્ । આ પાઠ ભાંડારકરની દૃષ્ટિએ બાકીની આઠ હસ્તપ્રતોના પાઠ કરતાં વધુ સારો છે, જેઓમાં સ્વંયંતિ ની જગ્યાએ સંયતિ એવો પાઠ છે. દક્ષિણની ‘7’ હસ્તપ્રતનો વધુ ઉત્કૃષ્ટ પાઠ તે તરફના વિદ્વાન વાચકોની પટુતાને આધારે હોઈ શકે, કારણ કે કેટલાક સમય સુધી દક્ષિણ સંસ્કૃતિ અને વિદ્યાનું ધામ રહ્યું હતું. પરંતુ આવા સમાન રીતે બંધબેસતા સંખ્યાબંધ પરિચ્છેદો આ સંશોધન કવિએ પોતે કર્યું હોય તે સંભાવનાને વધુ પુષ્ટિ આપે છે. 1 હસ્તપ્રતોના સંશોધકોએ કેટલીક વાર સંપાદકોનું પણ કામ કર્યું છે. એ રીતે તેમણે હસ્તપ્રતમાંના લુપ્તાંશની પૂર્તિ કરવા અથવા પાઠમાં પ્રવેશેલી ત્રુટિઓને દૂર Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ભારતીય પાઠ-સમીક્ષા કરવા પોતે ઉપયોગમાં લીધેલી આદર્શપ્રત ઉપરાંત તેઓ પ્રાપ્ત કરી શકે તેવી વિદ્યમાન હસ્તપ્રતો સાથે તુલના કરી તેમના પાઠને સુધારવા પ્રયાસ કર્યો છે. આ અર્થમાં તેઓએ હસ્તપ્રતના સંપાદક તરીકે કામ કર્યું છે એમ કહી શકાય. સમય દ્વારા થતી બરબાદી, લહિયાઓની બેદરકારી અને અજ્ઞાન, તેમ જ કેટલી ત્વરાથી કૃતિ દૂષિત થઈ શકે તેના ઉદાહરણ તરીકે પારંપરિક અહેવાલ અનુસાર જ્ઞાનેશ્વરીના પાઠનો ઇતિહાસ અવલોકી શકાય. જ્ઞાનેશ્વર દ્વારા શક સંવત ૧૨૧૨ (ઈ.સ. ૧૨૯૦) માં રચાયેલા આ ગ્રંથનો પાઠ કવિ એકનાથના સમય સુધીમાં તો એટલો બધો દૂષિત થઈ ગયો હતો કે સ્વહસ્તલેખથી ૩૦૦ વર્ષથી પણ ઓછા ગાળામાં ઉપલબ્ધ હસ્તપ્રતોને આધારે શક સંવત ૧૫૦૬ (ઈ.સ.૧૫૮૪)માં તેમણે તેનું સંશોધન કરવું પડ્યું હતું. દુર્ભાગ્યવશ એકનાથે જ્ઞાનેશ્વરીના પાઠનું સંશોધન ક્યા સિદ્ધાંતોને આધારે કર્યું હતું તે જાણવા માટે આપણી પાસે અત્યારે કોઈ સાધન નથી. તે ત્યારે જ થઈ શકે કે જ્યારે એકનાથથી પૂર્વેના સમયની જ્ઞાનેશ્વરીની હસ્તપ્રતો મળી આવે. પરંતુ અન્ય પ્રાચીન સંપાદકોની જેમ તેમને પણ એ ખ્યાલ તો હશે જ કે વિવિધ હસ્તપ્રતોની સરખામણી દ્વારા પાઠને સુધારવો શક્ય બને છે. ઘણીખરી હસ્તપ્રતોમાં હાંસિયામાં તેમ જ બે લીટીઓ વચ્ચે સુધારા કરવામાં આવ્યા હોય છે, તેનું પણ આ જ કારણ છે. જો કે સંપાદકોએ શાસ્ત્રીય ઢબે કામ કર્યું નથી, પરંતુ તે દોષ તેમનો નહીં, પણ જે યુગમાં તેઓ રહેતા હતા તે યુગનો છે. આને પરિણામે અમુક પાઠ્યપુસ્તકની પોતાની પાસેની આદર્શપ્રત સાથે તેની અન્ય ઉપલબ્ધ હસ્તપ્રતોના પાઠના સંમિશ્રણ યા સંકરીકરણ દ્વારા, જેને આપણે સંમિશ્રિત હસ્તપ્રતો (Conflated Mss) અર્થાત મિશ્રમતો (misch corices) કહીએ છીએ તેમની ઉત્પત્તિ થઈ. આ સંમિશ્રણ યા સંકરીકરણ કોઈ સુવ્યવસ્થિત સિદ્ધાંતોને આધારે કરવામાં આવતું ન હતું. અને આથી તે હાનિકારક રીતે સારગ્રાહી (સંકલનાત્મક : eclectic) હતું. - પ્રાચીન ગ્રંથો આપણી પાસે પૂર્વપ્રતોમાંથી ક્રમિક પ્રતિલિપીકરણની પ્રક્રિયા દ્વારા જ ઊતરી આવ્યા છે. અને અંતે બધાનું મૂળ એક જ હોય છે. આથી કોઈ પણ ગ્રંથની બધી જ હસ્તપ્રતો, જો તે પ્રમાણભૂત હોય તો, પરસ્પર સંબંધ ધરાવતી હોય છે, અને આ સંબંધને વંશાનુક્રમે (વંશવૃક્ષરૂપે) દર્શાવી શકાય.’ ' બીજા શબ્દોમાં કહીએ તો આ હસ્તપ્રતો અમુક નિશ્ચિત પ્રણાલિકા અનુસાર વિસ્તરતી પરંપરાની ઘોતક છે, પરંતુ ઘણાખરા કિસ્સાઓમાં પરંપરાનો પ્રત્યેક પ્રવાહ ૨. જે સિદ્ધાન્તો, કસોટીઓ અથવા લક્ષણોને આધારે આ વંશાનુક્રમ પ્રસ્થાપિત કરી શકાય તેમનું નિરૂપણ અધિકૃત વાચનાના પ્રકરણમાં કરવામાં આવશે, Page #38 -------------------------------------------------------------------------- ________________ પાઠોના પ્રકાર ૨૯ સ્વતંત્ર રીતે વહેતો નથી. પહેલાં જણાવ્યું તે પ્રમાણે સંશોધકો અને સંપાદકોની અવિરત પ્રવૃત્તિ દ્વારા આ પ્રવાહો શરૂઆતથી જ સંમિશ્રિત થયેલા હોય છે. આ રીતે ભારતીય હસ્તપ્રત-પરંપરા દર્શાવે છે કે જ્યારે કાળ દ્વારા થતા વિનાશ અને અન્ય પરિબળોએ ઘણાખરા સ્વહસ્તલેખો અથવા તેમની તરતની પ્રતિલિપિઓ અથવા તેમની પ્રારંભિક પ્રતિલિપિઓને પણ નષ્ટ કર્યાં હતાં ત્યારે તેમની જે પાછળની પ્રતિલિપિઓ આજે આપણને ઉપલબ્ધ થાય છે, તેઓ મૂળ પાઠને ખંડિત, વિકૃત અને અપભ્રષ્ટ સ્વરૂપે પ્રસ્તુત કરે છે. કેટલીકવાર પાઠને થયેલી ક્ષતિ એવા પ્રકારની હોય છે કે તે પાઠ પ્રાયઃ અગમ્ય બને છે. ભારતમાં ઘણા ગ્રંથો કાલનિર્મિત વિનાશ, કલા પ્રત્યેની વિમુખતા યા અહેતુક વિનાશથી, ગ્રંથ પોતે મહત્ત્વનો ન હોય તેને લીધે તથા કીડા અને ઉધેઈના આક્રમણને કારણે સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે. ઉપલબ્ધ ગ્રંથોમાં તેમના છૂટાછવાયા ઉલ્લેખ સિવાય તેમની કોઈ નિશાની બાકી રહી નથી. પરંતુ મહાયાન બૌદ્ધોની અવિરત સાહિત્યિક પ્રવૃત્તિઓને કારણે કેટલાક બ્રાહ્મણ ધર્મના તેમ જ બૌદ્ધ ધર્મના, ઘણુંખરું બૌદ્ધ ધર્મના, મહત્ત્વના ગ્રંથો તિબેટ અને ચીનના સરકારી દફતરખાનામાં તિબેટી યા ચીની ભાષામાં પ્રતિલિપિ રૂપે યા અનુવાદ રૂપે સચવાયેલા છે. કેટલાક કિસ્સાઓમાં લુપ્ત ગ્રંથોનાં રૂપાંતરો પ્રાપ્ત થાય છે. આનુ સૌથી પ્રશિષ્ટ ઉદાહરણ પરંપરા અનુસાર મૂળ પૈશાચી ભાષામાં રચાયેલ ગુણાઢ્યની બૃહત્કથા છે, જે સદાને માટે લુપ્ત થઈ ગયેલી છે. પરંતુ ક્ષેમેન્દ્ર અને સોમદેવે કરેલાં બે સ્વતંત્ર સંસ્કૃત રૂપાન્તરો દ્વારા તે સચવાઈ છે. આવા કેટલાક લુપ્ત ગ્રંથો વિષેની માહિતી આપણને નીચેના સ્રોતો દ્વારા પ્રાપ્ત થાય છે :- (૧) ભાષાન્તરો (૨) ઉપલબ્ધ હસ્તપ્રતોમાં નામોલ્લેખ (૩) ઉદ્ધરણો અને (૪) ટીકાઓ. જો કે ભારતનો સાહિત્યિક અને પાઠસમીક્ષાનો ઇતિહાસ હજુ પણ અમર્યાદિત ક્ષેત્રવાળા નવીન સંશોધનનો વિષય છે, તેમ છતાં વર્તમાન હસ્તપ્રતોના અધ્યયનમાંથી કેટલાક મુદ્દાઓ ઊભા થાય છે. આપણે આ અગાઉ જોયું કે આ હસ્તપ્રતો અવિચ્છિન્ન પરંપરાના એક યા વધુ પ્રવાહોમાં વિભક્ત હોય છે. તેઓ દેશના વિભિન્ન પ્રદેશોમાં પ્રચલિત વિભિન્ન લિપિઓમાં લખાયેલી હોય છે. હવે મધ્યકાલીન યુગમાં ધંધાદારી લહિયા એક કે વધુમાં વધુ બે કરતાં વધુ લિપિઓથી પરિચિત હોય તે સંભવિત ન હતું. સ્વાભાવિક રીતે જ તેમની પ્રતિલિપીકરણની પ્રવૃત્તિ એક યા બે લિપિ પૂરતી જ મર્યાદિત રહે. આ પરથી એમ નિર્ણય કરી શકાય કે હસ્તપ્રત-પરંપરા જે લિપિમાં મૂલ આદર્શપ્રત લખાઈ હોય તેને સમાંતર પ્રવાહ યા શાખામાં ઊતરી આવતી. જે Page #39 -------------------------------------------------------------------------- ________________ : ૩૦ ભારતીય પાઠ-સમીક્ષા લહિયો બન્ને લિપિથી પરિચિત હોય તે જ તે આદર્શપ્રતનું અનુલેખન બીજી લિપિમાં કરી શકે અને ત્યાર બાદ આ પ્રત તે લિપિમાં નવી સંચરણ-પરંપરાનો મૂળ સ્રોત બની શકે. જેટલા પ્રમાણમાં લિપિ અલ્પ પ્રચલિત હોય, તેટલા પ્રમાણમાં તે લિપિની હસ્તપ્રતો એક જ પ્રકારની પરંપરાને અનુસરવાની વધુ શક્યતા રહે છે. જો સંશોધકો, સંપાદકો અથવા લહિયાઓ સ્વયં એક કરતાં વધુ લિપિઓથી પરિચિત ન હોય અને આ પ્રિતિલિપિઓ તૈયાર કરવામાં ઘણી હસ્તપ્રતો ઉપયોગમાં લઈ શકે એવી સ્થિતિમાં ન હોય તો, સુક્શનકર જણાવે છે તે પ્રમાણે, આ વિભાજનનો સિદ્ધાંત (principum divisionis) જેટલો પ્રથમ નજરે દેખાય છે એટલો આપખુદ નથી. અનુભવથી જણાયું છે કે વાસ્તવમાં આ લિપિના ઉપરછલ્લા ભેદનો, પાઠમાં જોવા મળતા ઊંડા ભેદ સાથે મેળ બેસે છે. આ સામાન્ય નિયમનો એક માત્ર અપવાદ દેવનાગરી લિપિ છે; જે સારા યે ભારતવર્ષમાં વ્યાપકપણે પ્રયોજાતી અને સમજાતી એક પ્રકારની “જનસાધારણા' લિપિ છે. જેમ આ સિદ્ધાન્ત સંપૂર્ણપણે યત્રવત યા આપખુદ નથી તેમ તે પૂર્ણ રીતે આદર્શ યા સંપૂર્ણ પણ નથી. ઉદાહરણ તરીકે, આ દેવનાગરી લિપિ દ્વારા આ નિયમનું ઉલ્લંઘન થાય છે. અવ્યવસ્થાનું બીજું કારણ એ છે જ્યાં ભિન્ન ભિન્ન લિપિઓ પ્રચલિત હોય છે અને ભિન્ન ભિન્ન ભાષાઓ બોલાતી હોય છે, તે પ્રાન્તીય સરહદોમાં અવશ્ય દ્વિભાષી અને ક્રિલિપીય કટિબંધો હોય છે અને ત્યાં બે લિપિઓ દ્વારા રજૂ થતા પરંપરાના જુદા જુદા પ્રવાહોના સંમિશ્રણની ઉપર જણાવેલી તેનો ઉજ્જવળ હોય છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ -૩ પાઠ-સમીક્ષાનાં કેટલાંક મૂળતત્વો પાઠ-સમીક્ષાનો એક માત્ર ઉદ્દેશ એ છે કે પાઠ્યગ્રંથની હસ્તપ્રતોમાં અથવા દસ્તાવેજોમાં સાંપડતા અભિસાક્ષ્ય(evidence)નું અર્થઘટન અને નિયમન કરવું, જેને પરિણામે આપણે શક્ય એટલા વધુ પાછળના (મૂળપ્રતથી નજીકના) સમય સુધી પહોંચી શકીએ અને પ્રમાણભૂત પાઠ પ્રાપ્ત કરી શકીએ, અર્થાત્ લેખકે પોતે શું લખ્યું હશે તેનો શક્ય હદે નિર્ણય કરી શકીએ. બીજા શબ્દોમાં કહી તો પાઠ-સમીક્ષા એટલે શક્ય હોય ત્યાં સુધી પાઠના મૂળ સ્વરૂપના પુનર્નિર્માણના એકમાત્ર પ્રયોજનથી પ્રેરાઈને પાઠ-નિર્ણય માટે માનવબુદ્ધિનો કુશળ અને પદ્ધતિસરનો વિનિયોગ કરવો તે. પાઠનું મૂળ સ્વરૂપ એટલે લેખક દ્વારા અભિપ્રેત સ્વરૂપ: આ પ્રકારના પાઠના પુનર્નિર્માણ(પુનરુદ્ધાર)ને ઘણીવાર સમીક્ષાત્મક સંસ્કરણ” યા “અધિકૃત વાચના' (critical recension) કહે છે. એક સ્વીકૃત પદ્ધતિ પ્રમાણે પાઠ-સમીક્ષાને બે પ્રક્રિયાઓમાં વિભક્ત કરવામાં આવે છે : (૧) સંસ્કરણ (Recension) અને (૨) સંશોધન (Emendation). આ પ્રચલિત પરંપરાગત વિભાજન છે. સંસ્કરણની પ્રક્રિયામાં સૌથી વધુ વિશ્વસનીય હસ્તપ્રતો યા દસ્તાવેજીય પ્રમાણોને પસંદ કરવામાં આવે છે, જેને આધારે લેખકના સ્વહસ્તલેખની સૌથી નજીકની પ્રતનો નિર્ણય થઈ શકે. આ પસંદગી ઉપલબ્ધ સર્વ અભિસાઢ્યોની તલસ્પર્શી સમીક્ષાત્મક ચકાસણી પછી જ શક્ય છે. સંશોધનની પ્રક્રિયામાં હસ્તપ્રત પરંપરામાં રહેલાં સર્વ અવિશ્વસનીય તત્ત્વોને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. આવાં અવિશ્વસનીય તત્ત્વો સર્વોત્તમ દસ્તાવેજો અને હસ્તપ્રતોમાં પણ જોવા મળતાં હોય છે. એક રીતે જોઈએ તો પરંપરાથી આગળ જવાનો - તેનું અતિક્રમણ કરવાનો આ પ્રયત્ન છે અને એટલે તે લિખિત પ્રમાણનો અસ્વીકાર કરવાનો વિચારપૂર્વકનો તેમજ વ્યવસ્થિત પ્રયાસ છે. ' એફ. ડબલ્યુ. હૉલ લખે છે – “ઘણા માણસો પાઠ-સમીક્ષાને એક પ્રકારનો રોગ માનવાનું વલણ ધરાવે છે. પરંતુ તે રોગ પણ નથી કે શાસ્ત્ર પણ નથી. એ તો કેવળ સર્વ Page #41 -------------------------------------------------------------------------- ________________ કર ભારતીય પાઠ-સમીક્ષા સંશોધકો સમક્ષ ઉપસ્થિત થનારી અને જેમનું સાક્ષ્ય હસ્તપ્રતોના દસ્તાવેજના પ્રમાણ પર આધારિત છે, તેવી કેટલીક સમસ્યાઓના ઉકેલ માટે સામાન્ય માનવબુદ્ધિનો વિનિયોગ છે'' આમાંની ઘણીખરી સમસ્યાઓ ક્રમિક અનુલેખનને કારણે પાઠમાં પ્રવેશતી અશુદ્ધિઓ સાથે સંકળાયેલી છે. અને તેમને સુધારતાં પહેલાં સંપાદકે તે જે પાઠ્યપુસ્તક પર કામ કરતો હોય તેનો ઇતિહાસ લક્ષમાં લેવો જ રહ્યો; નહીં તો એમ બનવા સંભવ છે કે તે અતિ પ્રાચીન કાળથી પ્રવેશી ચૂકેલી ભૂલોને સુધારવા પ્રયત્ન કરતો હોય અને એ ભૂલો એટલી પ્રાચીન કાળથી પ્રવેશેલી હોય, કે જેથી આધુનિક પદ્ધતિઓ દ્વારા તેમનું સંશોધન શક્ય ન હોય. અથવા તો તે મૂળ લેખક સુધી પહોંચતો હોય એટલે કે મૂળ લેખકે જ લખ્યો હોય તેવા પાઠ વિષે શંકા ઉઠાવતો હોય. આથી ગ્રીક અને લેટિન ગ્રંથોની પાઠસમીક્ષા માટે અપનાવવામાં આવેલા પ્રશિષ્ટ આદર્શ પ્રમાણે પાઠ-સમીક્ષાની પ્રક્રિયાના ચાર વિભાગ પાડવામાં આવે છે ઃ (૧) અનુસંધાન (Heuristics) અર્થાત્ હસ્તપ્રતો તથા તેમની સહાયક સામગ્રી (Testimonia) ની બનેલી બધી સામગ્રી એકત્રિત કરવી અને તેને વંશાનુક્રમ પદ્ધતિ પ્રમાણે અર્થાત્ વંશવૃક્ષ (stemma codicum) રૂપે ગોઠવવી. (૨) સંસ્કરણ(Recensio) અર્થાત્ ઉપયુક્ત સામગ્રીને આધારે પાઠ્યગ્રંથનો તેના સૌથી પ્રાચીન સ્વરૂપે પુનરુદ્ધાર કરવો. (૩) સંશોધન (Emendatio) લેખક (ગ્રંથકર્તા)ના પાઠની પુનઃસ્થાપના કરવી અને (૪) ઉચ્ચતર સમીક્ષા (Higher Criticism) અર્થાત્ લેખકે ઉપયોગમાં લીધેલા મૂળ સ્રોતોનું પૃથક્કરણ. પ્રથમ પ્રક્રિયા દ્વારા સંપાદક હસ્તપ્રતના પ્રમાણને નિશ્ચિત પરંપરા-પ્રવાહોમાં વિભાજિત કરી શકે છે. આ પ્રવાહો તદ્દન સ્વતંત્ર હોય અથવા આંતર સંમિશ્રણથી પરસ્પર સંકળાયેલા હોય. આ પ્રક્રિયાનો પ્રારંભ પાઠ્યપુસ્તકના સંચરિતરૂપે પ્રાપ્ત થયેલ સ્વરૂપની ચકાસણીથી થાય છે. જેને માટે હસ્તપ્રતો પર આધાર રાખવાનો રહે છે. આ હસ્તપ્રતો ઉપલબ્ધ હોય અથવા ન પણ હોય. વર્તમાન હસ્તપ્રતોમાં પ્રાપ્ત સાક્ષ્ય(પ્રમાણ)નો સંતુલન (Collation) દ્વારા નિર્ણય કરવો જોઈએ. હસ્તપ્રતનું સંતુલન કરવું એટલે હસ્તપ્રત જેમાંથી ઊતરી આવી હોય તે મૂળ સ્રોતના નિર્ણય માટે જે કાંઈ ઉપયોગી હોય તેનું નિરીક્ષણ કરવું અને તેની નોંધ લેવી તે. મહાભારતના આદિપર્વની સમીક્ષાત્મક આવૃત્તિના ‘ઉપોદ્ઘાત' (Prolegomena)માં સુકથનકરે અને Pancatantra Reconstructed માં ૧. Companion to Classical Studies, પૃ. ૩. Page #42 -------------------------------------------------------------------------- ________________ પાઠ-સમીક્ષાનાં કેટલાંક મૂળતત્ત્વો એડગરટને સંતુલન માટેનાં કેટલાંક વ્યવહારુ સૂચનો આપ્યાં છે. કાવ્યગ્રંથમાં સંતુલન માટે એક શ્લોકને એકમ તરીકે લઈ શકાય અને કોઈ સારી હસ્તપ્રત યા વિશ્વસનીય આવૃત્તિને આદર્શ તરીકે લઈ શકાય અને આ પાઠને પાનાને મથાળે અક્ષરે અક્ષર યોગ્ય રીતે વિભાજિત ચોરસોમાં લખી શકાય. આ પાઠથી જુદા પડતા પાઠોને તદનુરૂપ ચોરસોમાં દર્શાવી શકાય. ડાબા હાથ તરફનો હાંસિયો સંતુલિત હસ્તપ્રત દર્શાવશે અને જમણા હાથ તરફનો વધુ મોટો હાંસિયો ખાસ ટીકા ટિપ્પણ તથા વધારાના પરિચ્છેદ ઇત્યાદિ માટે રહેશે. મહાભારતના સમીક્ષાત્મક સંપાદન માટે અખત્યાર કરેલી સંતુલન પદ્ધતિની સંપૂર્ણ વિગતોનો અભ્યાસ ઉપર્યુલ્લિખિત સુકથનકરના ‘ઉપોદ્ઘાત' (Prolegomena)માંથી કરી શકાય. 33 એડગરટને અપનાવેલી પદ્ધતિ આ પ્રમાણે છેઃ પ્રથમ તેમણે પંચતંત્રનાં રૂપાન્તરો (versions)ની પસંદગી કરી, જે રૂપાન્તરોને વિષે પહેલાંના અભ્યાસને આધારે એમ ધારી શકાય કે તેઓમાં મૂળ પંચતંત્રના પુનરુદ્ધાર માટે ઉપયોગી એવી બધી જ અથવા પ્રાપ્ત બધી જ સામગ્રીનો સમાવેશ થઈ જતો હતો. ત્યાર બાદ તેમણે પ્રત્યેક રૂપાન્તરમાં પ્રાપ્ત બધી જ સામગ્રીની ઝીણવટભરી તુલનાત્મક ચકાસણી શરૂ કરી; અને તે એ દૃષ્ટિએ કે એ સામગ્રીઓનો બીજાં રૂપાન્તરોમાં કોઈ સાથે મેળ બેસે છે કે નહિ. આ હેતુથી, તેમણે પાઠ્યગ્રંથને શક્ય એટલાં નાનાં એકમોમાં વિભાજિત કર્યો. પ્રત્યેક એકમમાં નિયમ તરીકે એક જ ગદ્ય-વાક્ય અથવા કોઈ વાર વાક્યાંશનો સમાવેશ થતો. ત્યાર પછી ઉ૫૨ દર્શાવેલી પદ્ધતિને ઘણુંખરું મળતી રીતે તુલનાત્મક ચકાસણી અર્થાત્ સંતુલન (collation) શરૂ કર્યું. આ પ્રમાણે ગદ્ય અને પદ્ય - ઉભય પ્રકારના પાઠોનું સંતુલન કરી શકાય. આવા સંતુલનને આધારે હસ્તપ્રતોનો આનુવંશિક સંબંધ સ્પષ્ટ થાય છે; અને આ સંબંધને ત્યાર પછી વંશવૃક્ષ દ્વારા અથવા વંશાનુક્રમ રૂપે દર્શાવી શકાય. દ્વિતીય પ્રક્રિયા અર્થઘટનની પ્રક્રિયા છે. આમાં હસ્તપ્રતોના લિખિત પ્રમાણનો અર્થ ઘટાવવામાં આવે છે. અમુક (દૃષ્ટિબિન્દુઓ અને હકીકતો)ના પ્રકાશમાં તેમનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને એમને આધારે આ પછીના પ્રકરણમાં દર્શાવવામાં આવનારા સિદ્ધાંતો પ્રમાણે પાઠના શક્ય હોય તેવા પ્રાચીનતમ સ્વરૂપનો નિર્ણય કરવામાં આવે છે. આ પ્રક્રિયા ખરેખર પાઠ-સમીક્ષાની પ્રાચીન અવસ્થા છે અને તેનું લક્ષ્ય પ્રસ્તુત પાઠના નિશ્ચિત થઈ શકે એવા પ્રાચીનતમ સ્વરૂપને શોધી કાઢવાનું છે. તૃતીય પ્રક્રિયા તત્ત્વતઃ લેખકના પાઠ સુધી પહોંચવાની પ્રક્રિયા છે, અને આમાં એક રીતે જ્યાં જરૂર જણાય ત્યાં અમુક આંતરિક બાબતોને ધ્યાનમાં લઈ લિખિત પ્રમાણ (હસ્તપ્રત) ને બાજુએ મૂકી તેનાથી આગળ જવાનું રહે છે. આ શક્ય છે, કારણ કે આપણા ઘણાખરા પ્રશિષ્ટ (classical) લેખકો એક્લવાયા હોતા નથી. હૉલ કહે છે તે Page #43 -------------------------------------------------------------------------- ________________ ભારતીય પાઠ-સમીક્ષા પ્રમાણે, જો પ્રત્યેક પ્રશિષ્ટ લેખક એકલવાયો હોત અને તેની કૃતિનું એકમાત્ર જીવિત પ્રમાણ તે કૃતિની હસ્તપ્રત જ હોત તો હસ્તપ્રતોની પાછળ રહેલા પાઠના ઇતિહાસમાં ઊંડા ઊતરવાનું શક્ય બનત નહિ. ઘણીવાર એમ કહી શકાય કે અમુક હસ્તપ્રત યા હસ્તપ્રત-સમૂહનું અનુલેખન અમુક સમયના તથા અમુક પ્રકારના હસ્તાક્ષરવાળા મૂલાદર્શ (archetype)માંથી કરવામાં આવ્યું છે. તેમ છતાં જે બિન્દુ આગળ તપાસને અટકી જવું પડત તે બિન્દુ પણ પ્રાચીનતમ હસ્તપ્રતો જે સમયની હોય તે સમયથી ઘણું દૂર ન હોત. એવા સંયોગોમાં સમીક્ષકની સ્થિતિ ખાણના ઈજનેર જેવી હોત, જે જમીનની ઉપરની સપાટીના ખડકોની ચકાસણીને આધારે સોનાની ખાણને અનુમાન દ્વારા શોધવાનો – દલીલો દ્વારા સમજાવવાનો - પ્રયત્ન કરે, અને જેવી રીતે એ ઈજનેર જુદે જુદે સ્થળે સપાટીની નીચે શારકામ દ્વારા સોનાની ખાણના સ્થાનનો પત્તો મેળવશે, તે જ રીતે પાઠ-સમીક્ષકને પણ ઘણીવાર વર્તમાન હસ્તપ્રત-પંરપરાનો પ્રારંભ થયો હોય તે પૂર્વેના સમયમાં ગ્રંથના સ્વરૂપ વિષે બહિરંગ યા પરોક્ષ પ્રમાણ પ્રાપ્ત થઈ શકતાં હોય છે. આવાં પરોક્ષ પ્રમાણને બૃહત્કાય સમીક્ષાત્મક સંપાદનોમાં “સહાયક સામગ્રી' (testimonium) કહેવામાં આવે છે અને એક અલગ વિભાગમાં તેમને ચર્ચવામાં આવે છે. આ સહાયક સામગ્રીને સામાન્ય રીતે નીચે પ્રમાણેના વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે - પ્રાચીન અથવા મધ્યકાલીન સુભાષિત - સંગ્રહો (Anthologies) અથવા ઉદ્ધરણોના સંગ્રહો. આ પ્રકારના સંગ્રહોનાં કેટલાંક ઉપલબ્ધ ઉદાહરણો તરીકે હાલની સત્તસઈ'; શાગધરની પદ્ધતિ યા જલ્પણની “સૂક્તિમુક્તાવલીને આપણે નોંધી શકીએ. પ્રાચીન ગ્રંથમાંથી અન્ય લેખકોએ કરેલાં આવા ઉદ્ધરણો ઘણીવાર અત્યંત મૂલ્યવાન પ્રમાણ બને છે. કારણ કે ઘણીવાર આવા લેખકોનો સમય ઉપલબ્ધ પ્રાચીનતમ હસ્તપ્રતના સમય કરતાં કેટલીક સદીઓ જેટલો પુરાણો હોય છે. એક ભાષામાંથી બીજી ભાષામાં થયેલા અનુવાદો પણ મૂળ ગ્રંથના પુનર્નિર્માણમાં સહાયક બની શકે. અને તેવી જ રીતે મૂળગ્રંથ પણ અનુવાદના પુનર્નિર્માણમાં સહાયક થઈ શકે. ખાસ કરીને જ્યારે પ્રસ્તુત પાઠ્યગ્રંથની વર્તમાન પ્રાચીનતમ હસ્તપ્રત કરતાં અનુવાદનો સમય વધુ પ્રાચીન હોય ત્યારે તેનું મૂલ્ય અત્યંત વધી જાય છે. અને તેનું પ્રમાણ “સમીક્ષાત્મક સામગ્રી' (apparatus criticus)નો જ એક અનિવાર્ય અંશ બને છે. ઘણાખરા સંસ્કૃત મહાયાન ગ્રંથોના મૂળ પાઠના પુનર્નિર્માણ અર્થે સૌથી મહત્ત્વનાં પ્રમાણે તે ગ્રંથોના પ્રાચીન સમયે થયેલા તિબેટ તથા ચીનની ભાષાના અનુવાદો બન્યા છે. મહાભારતની બાબતમાં પણ આપણને અગિયારમા સૈકાનાં જાવા અને તેલગુ ભાષામાં લખાયેલાં મૂળ ગ્રંથનાં અનુક્રમે જાવા (આશરે ઈ.સ.૧000) અને તેલગુ (આશરે ઈ.સ.૧૦૨૫) રૂપાન્તરો યા સારસંગ્રહો ઉપલબ્ધ થાય છે, અને તે મહાભારતની પ્રાચીનતમ વર્તમાન હસ્તપ્રતો કરતાં સદીઓ પુરાણી છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ પાઠ-સમીક્ષાનાં કેટલાંક મૂળતત્ત્વો પાછળના સાહિત્યમાં ખાસ કરીને શાસ્ત્રીય ગ્રંથોમાં મૂળ ગ્રંથોમાંથી ઘણા પરિચ્છેદોનાં સીધાં અવતરણો અવારનવાર ઉદ્ધૃત કરેલાં દૃષ્ટિગોચર થાય છે. આ પ્રકારનાં અવતરણોનાં ઉદાહરણ વ્યાકરણશાસ્ત્ર અને અલંકારશાસ્ત્રના ગ્રંથોમાં પ્રચુર માત્રામાં મળે છે. અહીં પૂર્વેની કૃતિઓમાંથી અનેક ઉદ્ધરણો પ્રસ્તુત નિયમ યા નિરૂપિત પ્રકારના ઉદાહરણ રૂપે આપેલાં જોવા મળે છે. આ ઉદ્ધરણો સાથે કર્તાનું નામ કોઈ વાર હોય પણ ખરું અને કોઈવાર ન પણ હોય. ૩૫ મૂળ કૃતિનાં દેખીતાં અનુકરણો (જેમાં વ્યંગ-કાવ્ય(parody)નો પણ સમાવેશ થઈ શકે) પણ અનુકર્તા અથવા અનુકાર્ય (મૂળ લેખક)ના શબ્દોનો નિર્ણય કરવામાં સહાયક બની શકે. ઉદાહરણ તરીકે, કાલિદાસના સુપ્રસિદ્ધ ‘મેઘદૂત’ને આપણે જિનસેનના ‘પાર્શ્વભ્યુદય’ નામના કાવ્યમાં ગૂંથી લીધેલું જોઈએ છીએ. આ કાવ્યના પ્રત્યેક પદ્યમાં મેઘદૂતની એક કે બે પંક્તિઓ લેવામાં આવી છે. સંક્ષેપો યા રૂપાન્તરો (જેમાં વિવરણોનો પણ સમાવેશ કરી શકાય) પણ જે મૂળ ગ્રંથના આવા સંક્ષેપો યા રૂપાન્તરો કરવામાં આવ્યાં હોય તેમના પાઠ-નિર્ણયમાં આંશિક રૂપે સહાયક બને છે. આ રીતે કાશ્મીરી કવિ ક્ષેમેન્દ્રની ‘ભારતમંજરી’ મહાભારતના કાશ્મીરી રૂપાંતરનો સંક્ષેપ છે અને આ રૂપાન્તર પર કંઈક પ્રકાશ પાડે છે. પ્રાચીન ટીકાઓ પણ એક ગૌણ સ્વરૂપની સહાયક સામગ્રી બને છે. જે ગ્રંથ પર ટીકા લખવામાં આવી હોય તેના પાઠને સંપૂર્ણપણે યા આંશિકરૂપે ઉદ્ધૃત કરવામાં આવ્યો હોય ત્યારે આવાં ઉદ્ધરણો તે ગ્રંથના તેમને મળતા આવતા અંશોના પુનર્નિર્માણમાં આપણને સહાયરૂપ બની શકે. કેટલાક ગ્રંથો કોઈ એક લેખકની રચના નહિ, પરંતુ પારંપરિક સાહિત્યસમ્પ્રદાયની રચના હોય છે, જેમ કે મહાભારત અને અન્ય પુરાણો. આવા ગ્રંથોમાંના કેટલાક ગૌણ પ્રસંગો (અવાન્તર ક્થાઓ) યા પરિચ્છેદોનાં સમાન્તર રૂપાન્તરો અન્ય કૃતિઓમાં જોવા મળે છે. આવાં સમાન્તર રૂપાન્તરો પણ મૂળ ગ્રંથના પાઠ-નિર્ણયમાં સહાયક બને છે. ઉદાહરણ તરીકે, મહાભારત (૧,૬૨ થી આગળ)માં આવતી શકુન્તલાની કથાનું સમાન્તર રૂપાન્તર પદ્મપુરાણમાં મળે છે. પાઠ-સમીક્ષાનું અંતિમ સોપાન લેખકે ઉપયોગમાં લીંધેલી મૂળ આધાર-સામગ્રીનું પૃથ્થકરણ કરવું તે છે. જો કે આ દિશામાં લ્યૂડર્સ (Die Sage von svaśria) syasrnga) જેવા સુપ્રસિદ્ધ વિદ્વાનો દ્વારા કરવામાં આવેલાં પ્રારંભિક અભ્યાસકાર્ય પ્રકાશિત થયાં છે, તેમ છતાં ભારતીય પાઠ-સમીક્ષાના ઇતિહાસમાં આ કાર્ય હાથ ધરવાનો પ્રયાસ હજુ પણ ઘણો વહેલો ગણાય, ખાસ કરીને જ્યારે વિખ્યાત પ્રશિષ્ટ કૃતિઓની શાસ્ત્રીય ઢબે સંપાદિત આવૃત્તિઓનો અભાવ પ્રવર્તતો હોય ત્યારે. આથી પ્રસ્તુત પુસ્તકને લાગેવળગે છે ત્યાં સુધી અહીં પાઠોના સમીક્ષાત્મક મૂલ્યાંકનના આ ચતુર્થ સોપાનનો સમાવેશ કરવામાં આવશે નહિં. Page #45 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૪ સમીક્ષાત્મક સંસ્કરણની સમસ્યા આપણે ધારી લઈએ કે સંપાદકે હજુ સુધી જેનું સંપાદન થયું જ ન હોય અથવા ઓછામાં ઓછું જેનું સમીક્ષાત્મક સંપાદન ન થયું હોય એવા ગ્રંથની સમીક્ષાત્મક આવૃત્તિ પ્રકાશિત કરવાનું નક્કી કર્યું છે. આ માટે સર્વપ્રથમ તો તેણે ઉપલબ્ધ પ્રમાણોને શોધી કાઢવાનાં છે. આ પ્રમાણો એટલે ઘણુંખરું સંચરિત(સંચરણ-પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થયેલી) હસ્તલિખિત પ્રતો અર્થાતુ હસ્તપ્રતો. આ બાબતમાં આપણે આશરે એક સૈકા કરતાં પણ વધુ સમયના વિદ્વાનોના અવિરત પ્રયાસોના ઋણી છીએ, જેમને પરિણામે આજે આપણને અનેક વિખ્યાત સાર્વજનિક પુસ્તકાલયોમાં સચવાયેલી સંસ્કૃત, પ્રાકૃત અને પ્રાન્તીય ભાષાઓની ઘણી ગ્રંથસૂચિઓ(catalogues), હસ્તસૂચિઓ(hand-lists) અને વિવરણાત્મક ગ્રંથસૂચિઓ (descriptive catalogues) પ્રાપ્ત થાય છે. વળી કેટલીકવાર આપણને વ્યક્તિગત માલિકીની હસ્તપ્રતોનો ઉલ્લેખ પણ જોવા મળે છે, જેમકે (રાજેન્દ્રલાલ) મિત્રની Notices. સંસ્કૃત હસ્તપ્રતોની બાબતમાં ઑફેટનું સર્વોત્તમ Catalogus Catalogorum આપણને વ્યક્તિગત ગ્રંથસૂચિઓ હસ્તપ્રતસૂચિઓ અને પત્ર-પત્રિકાઓમાં પ્રકાશિત થયેલ વિવિધ નોંધો, વર્ણનો ઇત્યાદિ દ્વારા જેમનું અસ્તિત્વ જાણીતું છે તેવા પાઠ્યગ્રંથો અને તે ગ્રંથોની હસ્તપ્રતો વિષે સામાન્યતઃ સંક્ષિપ્ત સઘન માહિતી પૂરી પાડે છે. જો કે હસ્તપ્રતોને એકત્રિત કરી તેમનો વિવરણાત્મક પરિચય આપવાનું કામ હજુ પણ ચાલુ જ છે. અને પ્રતિવર્ષ નવી તાજી માહિતી ઉમેરાતી રહે છે, છતાં પણ સંપાદક તેને પ્રાપ્ય સ્રોતોમાંથી જે કાંઈ માહિતી ઉપલબ્ધ થાય તેનાથી સંતોષ માનવાનો રહે છે. આમ તેનું સર્વપ્રથમ કર્તવ્ય તેના કાર્ય માટે કઈ હસ્તપ્રતો ઉપલબ્ધ છે તે શોધી કાઢવાનું અને પછી હસ્તપ્રતોના સંતુલન (collation) અને અવિરત અભ્યાસ માટે તેમને મેળવી લેવાનું છે. તે દસ્તાવેજોનું અનવરત અધ્યયન કરીને તેમજ તેમની વિશિષ્ટતાઓ નોંધીને તેણે પોતાની જાતે ખાતરી કરી સંતોષ મેળવી લેવો જોઈએ કે તે પાઠ્યગ્રંથની વિશુદ્ધપણે સંચારણ પામેલી હસ્તપ્રતો પર જ કામ કરી રહ્યો છે. ૧. અથવા ફ્રેંચ catalogues raisounse Page #46 -------------------------------------------------------------------------- ________________ સમીક્ષાત્મક સંરકરણની સમસ્યા ૩૦ સર્વ ઉપલબ્ધ હસ્તપ્રતોની તુલનાત્મક ચકાસણી અને તેમનું કાળજીપૂર્વક પરીક્ષણ કર્યા બાદ સંપાદક ગ્રંથની રચના માટે સાક્ષી તરીકે ખરેખર વિશ્વસનીય હોય એવી બધી જ હસ્તપ્રતોને પસંદ કરવાની રહે છે. જેવી રીતે કોઈ પણ સાક્ષી જે વિધાન કરે તે માનવા યોગ્ય છે કે નહિ તેનો નિર્ણય કરવા માટે તે સાક્ષીનું સામાન્ય ચારિત્ર્ય લક્ષમાં લેવામાં આવે છે, તેવી જ રીતે હસ્તપ્રતની સામાન્ય લાક્ષણિકતા કોઈ એક પાઠ સંબંધે તેણે આપેલા સાસ્યના મૂલ્યનો નિર્ણય કરવામાં આપણને સહાયક બને છે. ઉદાહરણ તરીકે, “” અને એ બે હસ્તપ્રતોની તુલના જો એમ દર્શાવે કે જ્યાં જ્યાં તેઓ પરસ્પર જુદી પડે છે ત્યાં ત્યાં જ દ્વારા સૂચિત પાઠોમાં “ગ” દ્વારા સૂચિત પાઠો કરતાં વધુ નિશ્ચિત અથવા અત્યંત સંભાવ્ય હોય તેવા પાઠોની સંખ્યા ઘણી મોટી છે, તો સામાન્ય વિશ્વસનીયતાની દૃષ્ટિએ 1 કરતા જ ચઢિયાતી છે એવો નિર્ણય બાંધી શકાય. વ નું આ ચઢિયાતાપણું જ્યારે ૩ અને ૪ માંથી કોનો પાઠ પસંદ કરવો તે કાર્ય કઠિન હોય એવા પ્રસંગોએ લક્ષમાં લઈ શકાય; જો કે ૪ ના બધા જ પાઠોની શુદ્ધિ માટે એ બિનશરતી ધોરણ નથી, કારણ કે સંભવ છે કે કોઈ કોઈવાર માં સાચો પાઠ સચવાયેલો હોય, 8 માં નહિ, પછી ભલે એ બે હસ્તપ્રતોમાં 5 વધુ અશુદ્ધ હોય. આ રીતે પિશલે શાકુન્તલની બીજી આવૃત્તિ માટે જે હસ્તપ્રત જ ની તુલનાત્મક ચકાસણી કરી હતી તેમાં અનેક પ્રકારની ગંભીર ક્ષતિઓ પ્રચુર માત્રામાં દૃષ્ટિગોચર થતી હતી, જેમકે સામાન્યતઃ પ્રચલિત ગાયુમા' ને સ્થાને તેમાં અર્થહીન નામુમ્માન' એવો પાઠ હતો (જે લહિયાની વિદ્વત્તા અને બુદ્ધિમત્તાની પારાશીશી ગણાય) અને તે ભાગ્યે જ મૂળ પાઠ પ્રસ્તુત કરે છે. તેમ છતાં કવચિત્ એ હસ્તપ્રતમાં મૌલિક પાઠ સચવાયેલો જણાય છે. જેમ કે ૧,૪,૪માં તેમાં ગ૩િ ને બદલે રિગ પાઠ છે, જે પાઠ દક્ષિણ ભારતની સંક્ષિપ્ત વાચનામાં પણ દષ્ટિગોચર થાય છે. આ રીતે પસંદ કરેલી હસ્તપ્રતોની સાપેક્ષ વિશ્વસનીયતાનું મૂલ્યાંકન કરતી વખતે, અગાઉ જણાવ્યું તે પ્રમાણે, યાદ રાખવું ઘટે કે પ્રત્યેક હસ્તપ્રતને પોતપોતાની આગવી વિશિષ્ટતાઓ હોય છે. આ વિશિષ્ટતાઓ તે તે હસ્તપ્રતના ઊંડા અને અવિરત અભ્યાસ દ્વારા જ સમજી શકાય અને આ વિશિષ્ટતાઓને બરાબર સમજવી તે પાઠસમીક્ષકના કાર્યનું આવશ્યક અંગ છે. સંક્ષેપમાં સિદ્ધાંત એ છે કે કોઈ પાઠ સંબંધી નિર્ણય અપાય તે પૂર્વે પાઠના બધા જ સાક્ષીઓને સાંભળવા જોઈએ (લક્ષમાં લેવા જોઈએ) અને તે પણ વારંવાર સાંભળવા જોઈએ. વુલ્ફ કહે છે તે પ્રમાણે ખરી જરૂર “સંસ્કરણ' (recensio)ની છે, કેવળ “ઓળખાણ' (recognitio) ની નહિ. જ્યારે ગ્રંથની એક જ હસ્તપ્રત આપણને ઉપલબ્ધ હોય ત્યારે આ સવિશેષ મહત્વનું બને છે. અમુક પાઠ અશુદ્ધ છે એમ નિર્ણય કરતાં પહેલાં તથા તેના સંશોધનનો પ્રયાસ કરતાં પહેલાં આ એકલા અટુલા ૨. હૉલ, એજન પૃ.૧૨૨ Page #47 -------------------------------------------------------------------------- ________________ - ૩૮ ભારતીય પાઠ-સમીક્ષા સાક્ષીઓની સામાન્ય લાક્ષણિકતાઓનો ગાઢ પરિચય પ્રાપ્ત કરવો જરૂરી છે. ખાસ કરીને શિલાલેખોમાં આવું બનતું હોય છે. બીજી બાજુ જયારે હસ્તપ્રતોની સંખ્યા મોટી હોય ત્યારે તેમની સામાન્ય વિશ્વસનીયતાની તુલના કરવાનું કાર્ય વધુ કપરું બનતું જાય છે. આ કિસ્સાઓમાં આ હસ્તપ્રતોનો વંશાનુક્રમ શોધી શકાય તેમ છે કે નહિ અને શોધી શકાય તેમ હોય તો તે કેટલી હદ સુધી શક્ય છે તે તપાસવું અત્યંત આવશ્યક છે. . આમ સંસ્કરણની સમસ્યા હંમેશાં સરળ હોતી નથી અને તે ગ્રંથના વર્તમાન સાક્ષીઓ (હસ્તપ્રતો) પોતે જે વિભિન્ન પરંપરાઓ દર્શાવતા હોય તેમના પર મહદંશે આધારિત હોય છે. આગળના પરિચ્છેદમાં પાઠ્યગ્રંથના સાક્ષી તરીકે સંરક્ષાયેલ પ્રત્યેક હસ્તપ્રતના સતત અભ્યાસની આવશ્યકતા સંબંધી જે શરત મૂકી છે તેને સુસંગત રહીને આપણે અહીં સગવડની દષ્ટિએ મુખ્ય પ્રકારોની અલગ અલગ ચર્ચા કરીએ. અનુકૂળ સંયોગોમાં જ્યારે ગ્રંથ સંદતર લુપ્ત ન થયો હોય ત્યારે, તેનું સંચારણ અને સંરક્ષણ નીચેનામાંથી ગમે તે એક પ્રકારે થઈ શકે – (૧) કેવળ એક જ હસ્તપ્રત ' રૂપે અને (૨) એક કરતાં વધુ હસ્તપ્રતો રૂપે. હવે જ્યારે સંચારણ એક જ વર્તમાન હસ્તપ્રત (codex unicus) પર આધારિત હોય ત્યારે અધિકૃત વાચના એટલે આ એકલવાયા સાક્ષીનું સૌથી ચોકક્સાઈભર્યું નિરૂપણ અને તેના ગૂઢાર્થનું સ્પષ્ટીકરણ એમ માનવામાં આવે છે. ઘણાખરા શિલાલેખો અને તામ્રપત્રોનાં દાનોને આ બાબત લાગુ પડે છે. તદુપરાંત ભૂંડર્સ દ્વારા સંપાદિત ખોતાન તથા તુફનમાંથી શોધાયેલા બૌદ્ધ નાટકોના અંશો તેમજ વિશ્વનાથના “કોશકલ્પતરુ' અથવા ના દેવના “ભરતભાષ્ય' જેવા ગ્રંથો જેઓ કેવળ એક જ જાણીતી વર્તમાન હસ્તપ્રત રૂપે સચવાયેલા છે, તેઓને પણ આ લાગુ પડે છે. * વંશાનુક્રમ પદ્ધતિ, જેમની ચર્ચા અગાઉનાં પ્રકરણોમાં થઈ ગઈ છે તેવી સરળ પ્રકારની ધારણાઓ પર આધારિત છે. પરંતુ તેનો ઉપયોગ આધુનિક છે. કારણ કે રેલ્વેનું આગમન થયું તે પૂર્વે ભાગ્યે જ કોઈ વિદ્વાન પાસે એવાં સાધન હતાં જે દ્વારા આ વિશાળ દેશના ખૂણાઓમાં દૂર સુધી વિખરાયેલાં પુસ્તકાલયો અને વ્યક્તિગત સંગ્રહોમાં સચવાયેલી કોઈ એક ગ્રંથની બધી જ હસ્તપ્રતોનો ઉપયોગ કરી શકે કે તેમનાં સંતુલન પણ ચોક્કસાઈપૂર્વક તૈયાર કરાવી શકે. તે સાથે જરૂરી હસ્તપ્રતોની આબેહૂબ નકલ મેળવવાની આધુનિક યાંત્રિક પદ્ધતિઓ પણ તે સમયે અજ્ઞાત હતી. ગ્રંથની વિવિધ હસ્તપ્રતો સદીઓના લિખિત સંચારણ દ્વારા ઊતરી આવેલી સંચારિત પ્રતો છે. અને આથી અંતે તો તેઓ એકબીજાથી સ્વતંત્ર હોઈ શકે નહિ. તેઓ એક જ સામાન્ય મૂળસ્રોત - જે આજે સંભવતઃ લુપ્ત થયો છે - માંથી અવતરેલી છે. આ અવતરણ વિભિન્ન પરંપરા – પ્રવાહો દ્વારા થયું છે. જો આ સામાન્ય મૂળસ્રોત લિખિત Page #48 -------------------------------------------------------------------------- ________________ સમીક્ષાત્મક સંસ્કરણની સમસ્યા મૂલાદર્શ હોય તો હસ્તપ્રતોની એક સળંગ પરંપરા બનશે અને બધી જ આદર્શપ્રતો છેવટે તે મૂલાદર્શને જઈને મળશે. જો તેમના સંચરણ સંબંધી બધી જ હકીકતો આપણે શોધી શકીએ તો આપણે તેમના વંશજોના ચોક્કસાઈભર્યા વંશાનુક્રમ(વંશવૃક્ષ)નું નિર્માણ કરી શકીએ. જેમ જેમ આપણે આ વંશવૃક્ષનિર્માણની વધુ ને વધુ નજીક પહોંચતા જઈએ તેમ તેમ વિશુદ્ધ યા મૌલિક પાઠમાંથી પ્રક્ષિપ્ત યા અમૌલિક પાઠને વધુ ને વધુ સારી રીતે જુદા પાડી શકીએ. ૩૯ જે સામાન્ય સિદ્ધાંતને આધારે આપણે હસ્તપ્રતોના ઉદ્ભવસ્થાન (derivation) નો નિર્ણય બાંધીએ છીએ તે એ છે કે અપવાદોને બાદ કરતાં, એકસરખો પાઠ એક જ મૂલસ્રોત સૂચવે છે (Identity of reading implies identity of origin). એ પાઠનો મૂલસ્રોત લેખકનો સ્વહસ્તલેખ પણ હોઈ શકે. અને જો તે ન હોય તો સંચરણ-પરંપરામાંની બીજી કોઈ હસ્તપ્રત હોવી જોઈએ. ધારો કે અમુક ગ્રંથની પંદર હસ્તપ્રતો ઉપલબ્ધ છે, અને તેના અમુક પરિચ્છેદમાં તેમાંની આઠ હસ્તપ્રતોમાં એક પાઠ છે જ્યારે બાકીની સાત હસ્તપ્રતોમાં બીજો પાઠ છે. તો આ હકીકત પરથી એમ સૂચિત થાય છે કે આઠ હસ્તપ્રતોના સમાન પૂર્વજ પાસે એક પાઠ હતો અને સાત હસ્તપ્રતોના સમાન પૂર્વજ પાસે બીજો પાઠ હતો, જો તેઓની વચ્ચે પરસ્પર સપર્ક(સંમિશ્રણ) ન થયો હોય તો. હસ્તપ્રતો વચ્ચેના આનુવંશિક સંબંધોના નિર્ણય માટેની વધુ પ્રચલિત કસોટીઓ આ પ્રમાણે છે— (૧) શબ્દો યા પરિચ્છેદોનો લોપ (રહી જવા તે) અને પરિચ્છેદોનું સ્થળાંતર. હૉલ કહે છે કે લોપ (omissions) એ સંબંધની સૌથી વધુ નિર્ણયાત્મક કસોટી છે. કારણ કે આ લોપોની સંખ્યા વધુ હોય તો તે કેવળ આકસ્મિક રૂપે થયા હોય એમ ભાગ્યે જ બને. અને તે બધા જ અન્ય હસ્તપ્રતો સાથે સરખામણી દ્વારા પાઠમાં પ્રવેશ્યા હોય એ પણ સંભવિત નથી. ઘણુંખરું તેઓ સમાન પાઠ દ્વારા જે સંબંધનું અનુમાન કરી શકાય છે તે કરતાં ઘણો વધુ નિકટનો સંબંધ સૂચવે છે, અને ઘણીવાર એક હસ્તપ્રત બીજી હસ્તપ્રતમાંથી તત્કાળ ઊતરી આવેલી હોવાનું દર્શાવે છે. (૨) સંખ્યાબંધ વિશિષ્ટ પાઠો અને બીજી વિશિષ્ટતાઓમાં સમાનતા. યાદ રાખવું ઘટે કે હસ્તપ્રતો વચ્ચેનો સંબંધ હંમેશાં સરળ હોતો નથી. પાઠ-નિર્ધારણના પરિબળ ૩. આ નિયમને ભાષા - વિજ્ઞાનના નિયમ સાથે સરખાવી શકાય અને તે એ કે સંરક્ષણ (conservations) ભાષાઓનું મૂળ સંબવતઃ એક હોવાનું સૂચવે છે જ્યારે સમાન નવીન પ્રણાલીઓ (innovations) તે ભાષાઓ વચ્ચે પારસ્પરિક સંબંધ હોવાનો સચોટ નિર્દેશ કરે છે. સામાન્યતઃ પાઠોની એકરૂપતાને સંરક્ષણ સાથે સરખાવી શકાય, જ્યારે હસ્તપ્રતો વચ્ચે અસ્તિત્વ ધરાવતા પારસ્પરિક સંબંધ સ્થાપિત કરવાની દૃષ્ટિએ ઉપર દર્શાવેલ લોપ (omissions)ને આપણે નવીન પ્રણાલી (innovation) સાથે સમરૂપ લેખી શકીએ. Page #49 -------------------------------------------------------------------------- ________________ ભારતીય પાઠ-સમીક્ષા રૂપે સ્વીકારાયેલી પ્રત્યેક હસ્તપ્રત એક જ પૂર્વજમાંથી ઊતરી આવેલી હોય એમ અનિવાર્યપણે બનતું નથી. પરિણામે છેવટે એક જ મૂળ સ્રોતમાંથી અવતરેલી હસ્તપ્રતોમાં પણ હંમેશાં પાઠોની એકરૂપતા સંભવતી નથી. જેમને આધારે સંપાદક અધિકૃત વાચના તૈયાર કરે છે તે હસ્તપ્રતોના સંતુલન(collation)થી હસ્તપ્રતોની પરસ્પર સમાનતાઓ સામાન્ય રૂપે સ્પષ્ટ થાય છે. તેને આધારે તે હસ્તપ્રતોનું વર્ગીકરણ કરી શકશે. કોઈ વાર એમ પણ બનવા સંભવ છે કે હસ્તપ્રતો વચ્ચેનું સામ્ય એ પ્રકારનું હોય કે તે પરથી એક હસ્તપ્રત બીજીમાંથી ઊતરી આવી છે એમ નિશ્ચયપૂર્વક પ્રતિપાદિત ન કરી શકાય. છતાં પણ એ સામ્ય બે હસ્તપ્રતો વચ્ચે કોઈ પ્રકારનો પારસ્પરિક સંબંધ સિદ્ધ કરવા પૂરતું હોય. ત્યારે આપણે અનુમાન કરીએ છીએ કે આ સંબંધ મૂળસ્રોતની એકતામાંથી ઉદ્ભવે છે. આ રીતે આપણે હસ્તપ્રતોના કુટુંબ વિષેના ખ્યાલ તરફ આવીએ છીએ. હવે આપણે એમ ધારી લઈએ કે કોઈ એક ગ્રંથની આઠ હસ્તપ્રતો મળે છે. તેમને આપણે , ૭, ૧, ૨, ૪, છ, જ, એવાં નામ આપીએ. હવે જો આપણને એમ માલૂમ પડે કે આ હસ્તપ્રતોમાં ય હસ્તપ્રત પાઠોની વિશિષ્ટતાની દૃષ્ટિએ અલગ તરી આવે છે અને બાકીની સાતમાંથી એકેયની સાથે ખાસ સમાનતા દર્શાવતી નથી, વળી એક તરફ ઉં, , અને બીજી તરફ , , ૪, ૫, ૩ બીજી પ્રતોથી ઠીક ઠીક જુદી પડતી હોવા છતાં પરસ્પર સારું એવું સામ્ય ધરાવે છે, તો આ હકીકતને આપણે એ રીતે દર્શાવી શકીએ કે , , એક જ કુટુંબ કુળ)ના સભ્યો છે, જે એક સામાન્ય કાલ્પનિક પૂર્વજ - જેને માટે આપણે “ એવી સંજ્ઞા પ્રયોજીએ - માંથી ઊતરી આવેલા છે. તથા ૧, ૨, છ, જ, ફ બીજા કુટુંબના સભ્યો છે, જે એક સામાન્ય કાલ્પનિક પૂર્વજમાંથી ઊતરી આવેલ છે, જેને આપણે જ એવું નામ આપીએ. હસ્તપ્રતોની અવિરત સંચરણ પ્રક્રિયામાં અશુદ્ધિઓ કેવી રીતે પ્રવેશતી હોય છે તે આપણે અગાઉ જોયું છે. આ પરથી જો આપણે એવી અપેક્ષા રાખીએ કે ૪ અથવા જ માંથી કોઈના પણ પાઠો કરતાં “ક્ષના પાઠ વધુ શુદ્ધ હશે તો તે તર્કસંગત છે, અને “ક્ષ એ હ તથા આ હસ્તપ્રતોનો માની લીધેલો મૂલસ્રોત હોવાથી “ક્ષના પાઠ ઘ અને માંથી કોઈ એકના પાઠ કરતાં વધુ પ્રાચીન તેમજ પ્રમાણભૂત હશે. સ્વાભાવિક રીતે જ ક્ષ ના પાઠ અને 1 ના પાઠોની તુલના દ્વારા મેળવવાના રહે છે, કારણ કે જો “I” વર્તમાન હોય તો અને માંથી કોઈ પણ એકના કરતાં “ વધુ પ્રાચીન અને પ્રમાણભૂત છે - એ હકીકતની આપણે ચકાસણી કરી શકીએ, તથા અને ૪ ના પાઠમાં લહિયા દ્વારા પ્રવેશ પામેલી કેટલીક ત્રુટિઓ - અશુદ્ધિઓને તો અવશ્ય સમજાવી શકીએ. તે જ રીતે “જેના પાઠ ઘ, ચ, છ, Page #50 -------------------------------------------------------------------------- ________________ સમીક્ષાત્મક સંસ્કરણની સમસ્યા ૪૧ , રૂ માંથી કોઈ પણ એકના પાઠની સરખામણીમાં વધુ પ્રાચીન તેમ જ વધુ પ્રમાણભૂત રહેશે. હવે ૧, ૨, ૪, ૫, રૂ ના કુટુંબમાં જો આપણને એમ માલુમ પડે કે ન અને રૂ તેમની સામાન્ય કુટુંબગત વિશિષ્ટતાઓ જાળવી રાખતાં છતાં તેઓના પાઠોની વિશિષ્ટતામાં ઘ, ચ, છ, ની સરખામણીમાં પરસ્પર વધુ સામ્ય ધરાવે છે, તો એવું તારણ કાઢી શકાય કે ન એ ફ એક સમાન કાલ્પનિક પૂર્વજ ન માંથી ઊતરી આવેલી છે. આ ન હસ્તપ્રત ઘ, ચ, છ, “ કુળની જ સભ્ય છે. અને ર અને ના પાઠોની તુલના દ્વારા પુનનિર્માણ પામેલા જ ના પાઠન અને ફ માંથી કોઈ પણ એકના પાઠ કરતાં વધુ પ્રાચીન અને વધુ મૂલ્યવાન રહેવાનાં. આપણે આટલેથી અટકવાની જરૂર નથી. આપણે ઇ, ૨, ૪, ગ, રૂ ના પાઠોની પારસ્પરિક તુલના કરી શકીએ અને તે દ્વારા “જેના પાઠનો નિર્ણય કરી શકીએ. અને આ ઉપરાંત આપણે “ક્ષ અને “જના પાઠોની પરસ્પર તુલના કરીને તેમને ના પાઠ સાથે સરખાવી શકીએ અને તે દ્વારા આ બધાથી વધુ પ્રાચીન પૂર્વજના પાઠનો નિર્ણય કરી શકીએ, જેને આપણે “ફ નામ આપીએ. આ “ તે પુસ્તકની વર્તમાન આઠેય હસ્તપ્રતોનો કાલ્પનિક સર્વસામાન્ય પૂર્વજ હશે. આ જ્ઞમાંથી જ સર્વપ્રથમ હસ્તપ્રતોનું સંચારણ અલગ અલગ પ્રવાહો અર્થાત્ શાખાઓમાં, જેમકે વ8 ક્ષ અને માં વિભક્ત બને છે, અને આથી તે જ્ઞ પાઠ્યગ્રંથની વર્તમાન સંચરિત પ્રતોમાંથી તારવેલા “લ”, “જે અને વા' ના પાઠોની સરખામણી દ્વારા પુનનિર્માણ કરી શકાય તેવો સૌથી પ્રાચીન સર્વસામાન્ય પૂર્વજ છે. આને કારણે એને બધી જ વર્તમાન હસ્તપ્રતોનો મૂલાદર્શ (archetype) કહે છે. અને આ રીતે આપણે હસ્તપ્રતોનો વંશાનુક્રમ યા વંશાવલી યા વંશવૃક્ષ (Stemma codicum) તૈયાર કરી શકીએ, જેને નીચે પ્રમાણે રજૂ કરી શકાય: (મૂલાદર્શ archetype) ख ઉપર દર્શાવેલ વંશવૃક્ષમાં કાલ્પનિક માતૃપ્રતો “ક્ષ અને “જને ઉપમૂલાદર્શ (sub-archetype) અર્થાત્ “વર્તમાન હસ્તપ્રતોને આધારે પ્રમાણિત થતી સંરક્ષણની સ્વતંત્ર શાખાઓમાં વિભક્ત થયેલ મૂલાદર્શના અનુપલબ્ધ સર્વપ્રથમ વંશજો” કહી શકાય. પાઠોને જુદા પાડવાના કાર્યમાં હસ્તપ્રતોના વશાનુક્રમનો સરલતમ વ્યાવહારિક ઉપયોગ એ છે કે તેને આધારે એમ દર્શાવી શકાય કે આમાંથી એક મૂલપ્રત છે અને Page #51 -------------------------------------------------------------------------- ________________ ભારતીય પાઠ-સમીક્ષા બાકીની બધી તેમાંથી ઊતરી આવેલી છે. ઉદાહરણ તરીકે, જો આપણી પાસે ૨, ૩, ૫, ૧, ૨, ૪, ૫, , ૮, ૩, ૪, ૪ એમ બાર હસ્તપ્રતો હોય, અને જો એમ બતાવી શકાય કે ૬ અને ૪ સુધીની અગિયારે હસ્તપ્રતો માંથી ઊતરી આવેલી છે, તો વાચના તૈયાર કરવાનું કામ એકદમ સરળ બની જાય છે, કારણ કે મૂળપાઠનો નિર્ણય કરવામાં આ અગિયાર હસ્તપ્રતોનું કોઈ સ્વતંત્ર મૂલ્ય નથી; કારણ કે જ્યારે જ્યારે તેઓનો પાઠ તેમની માતૃપ્રત ૪ થી જુદો પડે ત્યારે તે પાઠભેદ લહિયાની સ્વભાવગત વિલક્ષણતાઓ અને ત્રુટિઓ અથવા કાલ્પનિક અનુમાનોને પરિણામે હોવો જોઈએ. આથી મૂળપ્રતમાંથી આ પ્રતિલિપિઓ તૈયાર કરવામાં આવી હોય તે પછી મૂળપ્રતમાં જ્યાં નુકશાન પહોંચ્યું હોય તેવાં સ્થળો સિવાય આ બધી જ ઊતરી આવેલી પ્રતિલિપિઓની ઉપેક્ષા કરી શકાય. પાઠ-સંપાદનનો મુખ્ય સિદ્ધાંત એ છે કે પાઠ-સંપાદકે પાઠ્ય ગ્રંથના કેવળ સ્વતંત્ર સાક્ષીઓનો જ ઉપયોગ કરવાનો છે અને તેથી સ્વતંત્ર પ્રતોમાંથી ઉદ્ભવેલી વ્યુત્પન્ન (derived) હસ્તપ્રતોનું સ્વતંત્ર સાક્ષી તરીકે કઈ મૂલ્ય નથી અથવા ભાગ્યે જ કંઈ મૂલ્ય છે. આથી અમુક વિશિષ્ટ સંયોગોને બાદ કરતાં વર્તમાન માતૃપ્રતમાંથી તૈયાર કરવામાં આવેલી પ્રતિલિપિઓને ત્યજી દેવાની હોય છે. પરંતુ આ હસ્તપ્રતો અમુક આદર્શપ્રતમાંથી ઊતરી આવી હોવા સંબંધે દર્શાવાયેલાં પ્રમાણોની ચકાસણી ખૂબ સાવચેતીથી કરવી જરૂરી છે. વ્યુત્પન્ન માનેલી હસ્તપ્રતોની ઉપેક્ષા કરતાં પહેલાં એ પ્રમાણોની સ્પષ્ટ રજૂઆત જરૂરી છે. એમ પણ બની શકે કે અમુક હસ્તપ્રતના પ્રતિલિપિકારે તેની માતૃપ્રતનો અશુદ્ધ પાઠ સુભગ તર્ક દ્વારા અને બીજી આદર્શપ્રત સાથે તેને સરખાવીને સુધાર્યો હોય. અને જો બીજી આદર્શ પ્રત સાથેની તે સરખામણી સાબિત કરી શકાય તો તેને સ્થળે તેની પ્રતિલિપિ સ્વતંત્ર સાક્ષી હોવાનો દાવો કરી શકે છે, અને તેની સદંતર અવગણના કરી શકાય નહિ. જ્યારે માતૃત વર્તમાન ન હોય, જેમ કે ર “ કે “જ, ત્યારે તેના પાઠનું પુનર્નિર્માણ તેના વંશજોના અભિસાક્ષ્ય (પ્રમાણ) દ્વારા કરી શકાય. જો આપણે આપણું કાર્ય યોગ્ય રીતે કર્યું હોય તો “ અને “જ ના જે પાઠ આપણે નિર્ધારિત કર્યા હશે તે અનુક્રમે ૪ , તથા ૧, ૩, ૪ અને ૫, ૭ ના પાઠ કરતાં અનુલેખનમાં થતી ક્ષતિઓથી વધુ મુક્ત હશે. અને “નો પાઠ કોઈ પણ વર્તમાન હસ્તપ્રતના પાઠ કરતાં આવી ત્રુટિઓથી સૌથી વધુ મુક્ત હશે. અહીં પણ માતૃપ્રતના નિર્ધારણ અર્થે જેમનું સ્વતંત્ર મૂલ્ય ન હોય એવી હસ્તપ્રતોને અવગણી શકાય, જો કે આગળના કિસ્સામાં દર્શાવેલી સાવચેતીઓ અને શરતો લક્ષમાં લેવાવી જોઈએ. આગળ આપેલા વંશવૃક્ષમાં “” અને “જના નિર્ધારિત પાઠો કાં તો પરસ્પર મળતા આવતા હોય અથવા મળતા ન પણ આવતા હોય. જો તેઓ મળતા આવે તો Page #52 -------------------------------------------------------------------------- ________________ સમીક્ષાક સંરકરણની સમસ્યા તેઓ “ના પાઠ હોવા જોઈએ એટલે કે તે મૂળપાઠ હોવા જોઈએ. જો તેઓ પરસ્પર જુદા પડતા હોય તો બંને “જ્ઞના પાઠ હોઈ શકે નહીં. એવે સમયે તે બેમાંથી એક “નો પાઠ હશે અને બીજો લહિયાની અનુલેખનીય ત્રુટિયા આકસ્મિક અનુમાનમાંથી ઉદ્ભવેલો હશે. અહીં આપણે બે પાઠો વચ્ચે પસંદગી કરવાની રહે છે, જેને “પાઠાન્તર' (variants) કહે છે, અને જેમાંનો એક “શ' નો પાઠ હશે. આવા પ્રસંગે, ” અને “તેમજ ૪ ને માતૃપ્રત “ના “પાઠાન્તર-ધારક' (variant bearers) કહી શકાય. તે જ પ્રકારે રની દષ્ટિએ ર અને ૩ પાઠાન્તર-ધારકો છે. જો “જે કુળની બે જ હસ્તપ્રતો - ૫ અને ૪ - વર્તમાન હોય તો‘ના પાઠનું નિર્ધારણ કેવળ ૫ અને ના પ્રમાણને આધારે જ કરવાનું રહે. અને જયારે આ બેના પાઠ પરસ્પર મળતા ન આવે ત્યારે આપણે આ બે ઉપ-પાઠાન્તરમાંથી એકની પસંદગી કરવાની રહે અને આ રીતે નિર્ધારિત થયેલો પાઠ રનું પાઠાન્તર બનશે. . અત્યાર સુધી આપણે જે પદ્ધતિ અપનાવી તેમાં આપણે માની લીધું હતું કે “ક્ષ એ “કુળ (શાખા) વચ્ચે મિશ્રણ યા આન્તર સંયોજન થયું નથી. પરનું આ એક આદર્શ પરિસ્થિતિ છે, જેની કેવળ આશા જ સેવી શકાય. કારણ કે સામાન્ય રીતે હસ્તપ્રતો એક જ પરંપરા-પ્રવાહમાંથી એવી એકરૂપતાથી અવતરતી નથી. ઘણી હસ્તપ્રતો બે યા વધુ વિભિન્ન (કુળની) હસ્તપ્રતોના સંમિશ્રણ દ્વારા ઉત્પન્ન થયેલી હોય છે. પાઠ્યગ્રંથોના સંચરણના વ્યવસ્થિત કડીબંધ ઇતિહાસના અભાવમાં તેમના સ્વતંત્ર સંચરણમાં ભળી ગયેલા વિભિન્ન પ્રવાહોને શોધી કાઢવા અત્યંત કઠિન છે, કારણ કે ઘણી વાર તો પ્રવાહો પ્રારંભ કાળથી એકબીજામાં ભળી ગયેલા જણાય છે. સંચરણના વિભિન્ન પ્રવાહોની એબીજામાં ભળી જવાની પ્રક્રિયાને “સંમિશ્રણ' યા “આન્તર મિશ્રણ' કહે છે. અને આ રીતે ઉત્પન્ન થયેલી હસ્તપ્રતોને સંમિશ્રિત હસ્તપ્રત (conflated manuscripts) અથવા ‘મિશ્રપ્રત' (misch-codices) હસ્તપ્રત કહે છે. બે હસ્તપ્રતોની તુલના દ્વારા પાઠ સુધારી શકાય છે, એ કંઈ હમણાંની નવી શોધ નથી. દેવબોધ અને અર્જુનમિશ્ર જેવા મહાભારતના ટીકાકારો પાઠભેદો યા પાઠાન્તરોનાં ઉદાહરણો નોંધે છે. વળી શ્રી ગોડેએ તેમના “Textual Criticism in the Thirteenth Century નામના લેખમાં મધ્યયુગીન પાઠ-સમીક્ષાના એક રસપ્રદ પ્રયોગનો ઉલ્લેખ કર્યો છે. નીચે આપેલ આકૃતિમાં એક વંશવૃક્ષ દર્શાવ્યું છે, જેમાં ૫ અને ૪ મિશ્રપ્રતો છે, જે અનુક્રમે અને ૪ તથા ૧ અને ૨ના સંમિશ્રણ દ્વારા ઉદ્ભવી છે. ૪. Woolner Commemoration Volume, પૃ. ૧૦-૧૦૮ Page #53 -------------------------------------------------------------------------- ________________ ભારતીય પાઠ-સમીક્ષા + F આ પ્રકારના સંમિશ્રણને કોઈ મર્યાદા હોવી જરૂરી નથી; અને તેનો વિસ્તાર જેટલો મોટો હોય તેટલું જ એ પાક્યગ્રંથના સંચરણનું પગેરું શોધી કાઢવું મુશ્કેલ બને છે. વેસ્ટકોટ અને હોર્ટ જણાવે છે - “અન્ય પાઠો સાથેના સંમિશ્રણથી પાઠની આંતરિક શુદ્ધિને લાભ થશે યા હાનિ, તેનો નિર્ણય દેખીતી રીતે થઈ શકે નહિ. ઘણાખરા કિસ્સાઓમાં લાભ તેમ જ હાનિ બંને થશે. પરંતુ તે બંને આકસ્મિક હોવા સંભવ છે અને તે બંનેનું પરસ્પર પ્રમાણ-માપ પણ ગમે તે હોઈ શકે. આમ આ પ્રકારના સંમિશ્રણથી આંતરિક રીતે વધુ ગુણવત્તા ધરાવતો પાઠ તૈયાર થશે કે કેમ તેનો આધાર, અલબત્ત, સંમિશ્રણ કરનાર વ્યક્તિની નિર્ણયશક્તિ અને અન્તર્દષ્ટિ પર છે. સંમિશ્રણ યા આન્તર મિશ્રણમાં પસંદગીની તક રહેલી છે. આથી તેની સાથે પાઠને સુધારવાના અન્ય પ્રયાસો પણ ભળે તે સંભવિત છે. અને એમ થાય તો પાઠને માટે બગડવાની પૂરી સંભાવના રહે છે. કારણ કે વિદ્વાનો દ્વારા કરવામાં આવેલાં સંશોધનોમાં પણ પાઠનો સાચા અર્થમાં સુધારો ગણાય એવો અંશ બહુ અલ્પ હોય છે. તો પછી સ્વાભાવિક રીતે જ લહિયા દ્વારા થતાં સંશોધનમાં તો સાચા અર્થમાં સુધારો ગણાય એવો અંશ તેથી પણ અલ્પતર હોવાનો. - સંમિશ્રિત હસ્તપ્રતનું મૂલ્ય ખાસ કરીને એવે પ્રસંગે વિશેષ રહે છે જ્યારે જે હસ્તપ્રતોના સંયોજનમાંથી તેનું નિર્માણ થયું હોય તેમાંની એકાદ લુપ્ત થઈ હોય. આવે સમયે તેને લુપ્ત હસ્તપ્રતના આવા પાઠોના સ્વતંત્ર સાક્ષી બનવાનું અને જે અન્યથા સદાયને માટે લુપ્ત થયું હોત તેવા સત્યની નિશાનીઓ સાચવવાનું માન મળે છે. - સંમિશ્રણનો એક અતિ રસપ્રદ કિસ્સો પંચતંત્ર'ની પરંપરા સંબંધે છે. સામગ્રીના વિગતવાર અને કાળજીપૂર્વકના અભ્યાસ દ્વારા એડગરટન ચાર સ્વતંત્ર શાખાઓની સ્થાપના કરવાનો પ્રયાસ કરે છે, જે આ પ્રમાણે દર્શાવી છે : ૫. પોસ્ટગેટ દ્વારા ઉદ્ધત, Companion to Latin Studies, પૃ.૭૯૫ Page #54 -------------------------------------------------------------------------- ________________ સમીક્ષાત્મક સંસ્કરણની સમસ્યા ૧. ર. ‘તન્ત્રાખ્યાયિકા’, સંક્ષિપ્ત રૂપાન્તર (Simplicior) અને પૂર્ણભદ્ર દક્ષિણી પંચતન્ત્ર, નેપાળી પંચતંત્ર અને ‘હિતોપદેશ’ ‘બૃહત્કથા'નાં રૂપાન્તરો (સોમદેવ અને ક્ષેમેન્દ્ર દ્વારા નિર્મિત) પહલવી રૂપાન્તરો. ૪. ક્ષેમેન્દ્રની રચનાનો પણ કેટલોક અંશ પ્રથમ વર્ગમાં મૂકી શકાય, કારણ દેખીતી રીતે જ તેણે તન્ત્રાખ્યાયિકાનો ઉપયોગ કર્યો છે. આથી તેના પાઠ ૫૨ તન્ત્રાખ્યાયિકાની અસર છે અને આથી જ્યારે ૨ અને ૪ સાથે તેનો મેળ બેસતો હોય, પરંતુ ૧ સાથે નહિ, ત્યારે જ તે મહત્ત્વપૂર્ણ બને. બીજી તરફ પૂર્ણભદ્રે ઓછામાં ઓછું વિભિન્ન શાખા(પરંપરા)નો આંશિક ઉપયોગ કર્યો છે, જે શાખા અન્ય કોઈની સાથે ગૌણ આન્તર સંબંધ ધરાવતી નથી. તેથી અહીં આપણને ઓછામાં ઓછું એક પાંચમી શાખાની નિશાનીઓ પ્રાપ્ત થાય છે, જે ઉપલબ્ધ પાઠ્યગ્રંથોમાં ક્યાંય શુદ્ધ અને અમિશ્રિત રૂપે દૃષ્ટિગોચર થતી નથી. પરિણામે આ પાંચમી કલ્પિત શાખા માટે પૂર્ણભદ્રનું મહત્ત્વ એક સ્વતંત્ર સાક્ષી તરીકેનું રહેશે. ૪૫ 3. વંશાનુક્રમ પદ્ધતિ ખરું જોતાં સંમિશ્રિત હસ્તપ્રતોને આમ તો લાગુ પાડી શકાય નહિ. તેમના આન્તર સંબંધ ઘણુંખરું છૂટા પાડવા મુશ્કેલ હોય છે. તેમ છતાં પ્રસંગોપાત્ત આ હસ્તપ્રતોમાં અમુક વિશિષ્ટ પ્રકારની અશુદ્ધિઓ અથવા સારા પાઠોમાં સમાનતા પરથી દેખાઈ આવતો એક સામાન્ય તંતુ આપણે શોધી શકીએ, જેને આવા પ્રકારના અનુમાનની સહાય વિના શોધી કાઢવો કઠિન બન્યો હોત. આવી પરિસ્થિતિમાં હસ્તપ્રતોના કેટલાક ભાગોમાં જ વંશાનુક્રમ પદ્ધતિ કેળળ આંશિક રૂપે લાગુ પાડી શકાશે. કોઈ વાર એમ પણ બને કે જે સામાન્ય રીતે અવિશ્વસનીય હોય અને જે ઘણી વાર ઉદ્ધૃત કરવા લાયક ન હોય એવી હસ્તપ્રતોમાં સારા પાઠ જોવા મળે. આવી હસ્તપ્રતોને જ્યાં તેમનો પુરાવો પાઠના પુનર્નિર્માણમાં સહાયક હોય તેવે જ પ્રસંગે ઉદ્ધૃત કરી શકાય. ઘણા કિસ્સાઓમાં સંચરણના વિભિન્ન પ્રવાહોના જટિલ મિશ્રણને લીધે એમ પણ શક્ય છે કે હસ્તપ્રતોના આનુવંશિક સંબંધ એટલા અસ્પષ્ટ હોય છે કે વંશાનુક્રમ પદ્ધતિના વિનિયોગ માટે ભૂમિકા જ ન જણાય. ઉદાહરણ તરીકે, સ્વ.સર રામકૃષ્ણ ગોપાલ ભાંડારકરે તેમના સંપાદન માટે ‘માલતીમાધવ'ની જે હસ્તપ્રતો ઉપયોગમાં લીધી હતી તેમની બાબતમાં પણ એમ જ હતું. ધારો કે , ૩, ૫, ૫, ૬, ૭, એમ છ હસ્તપ્રતો છે અને સંચરણ-પ્રવાહો (શાખાઓ)ની દૃષ્ટિએ તેમનો ઇતિહાસ સ્પષ્ટ નથી. આપણે એમ કહી શકવાની સ્થિતિમાં નથી કે , રૂ, 1, એક સમાન પૂર્વજમાંથી ઊતરી આવેલ એક કુળ (શાખા)ના સભ્યો છે, અને ઘ, ચ, છ, બીજા કુળના. તેમ છતાં તેઓની તુલના Page #55 -------------------------------------------------------------------------- ________________ ભારતીય પાઠ-સમીક્ષા દ્વારા આપણને એમ માલૂમ પડે કે કેટલાક સારા પાઠ , ૩, ૫, માં સમાન રૂપે જોવા મળે છે પરંતુ ૨, ૩, , માં જોવા મળતા નથી. આ હકીકત પરથી એમ સૂચિત થાય છે કે જ્યાં સુધી આ પાઠોને લાગેવળગે છે ત્યાં સુધી , , ૫, ની પાસે કોઈ સારી હસ્તપ્રત મૂલસ્રોત તરીકે હતી, જો કે અન્ય બાબતોમાં તેમનો મૂલસ્રોત ભિન્ન યા સંમિશ્રિત હોઈ શકે. પાઠનિર્ણયની આ પદ્ધતિ એક જ હસ્તપ્રત(દસ્તાવેજ)ના સ્વરૂપના પ્રમાણ(અભિસાક્ષ્ય). પર આધારિત તથા ઘણી હસ્તપ્રતોના અર્થાત્ હસ્તપ્રતોના કુટુંબની વંશાવલીના પ્રમાણ પર આધારિત એમ બે પદ્ધતિઓ વચ્ચેનો મધ્યમ માર્ગ છે. | ઉપલબ્ધ અને અનુપલબ્ધ હસ્તપ્રતો (જેમના પાઠોનું અનુમાન તેમનામાંથી * ઊતરી આવેલી ઉપલબ્ધ હસ્તપ્રતોને આધારે કરી શકાય)ના પ્રમાણના પદ્ધતિસર ઉપયોગ દ્વારા, જેને આપણે મૂલાદર્શનો પાઠ (transmitted text) કહીએ ત્યાં સુધી પહોંચી શકીશું. આ મૂલાદર્શનો પાઠ વર્તમાન કોઈ પણ હસ્તપ્રતના પાઠ કરતાં જુદો હશે. તે શ્રેષ્ઠ પાઠ ન પણ હોય, એટલું જ નહિ તે સારો પાઠ જ હોય એ પણ જરૂરી નથી. પરંતુ સંચરણની સીધી પરંપરાને લક્ષમાં લેતાં તે સૌથી પ્રાચીન પાઠ હશે, તેમ જ એક રીતે સૌથી શુદ્ધ પણ હશે; અને તે એ રીતે કે અનુલેખનની શોધી શકાય તેવી ક્ષતિઓ, દોષો અને અનધિકૃત સુધારા-વધારાથી તે ઘણુંખરું મુક્ત હશે. અમુક વર્તમાન હસ્તપ્રતોના લુપ્ત મૂલાદર્શના પુનનિર્માણ(પાઠનિર્ધારણ)ની પદ્ધતિને સમજવા માટે આપણે એક કાલ્પનિક દષ્ટાંત લઈએ. ધારો કે કોઈ એક પાઠયગ્રંથની નવ હસ્તપ્રતો , , , ૬, ૨, ૪, ગ, શ, ટ આપણને ઉપલબ્ધ છે. તેમના પાઠોની ઊંડી ચકાસણી અને પરસ્પર સરખામણી દ્વારા એમ સ્પષ્ટ થાય છે કે આ હસ્તપ્રતોને વ, વ, , ઘ,અને ૨, ઇ , , ૪, એમ બે વર્ગ યા કુળ (શાખા)માં વહેંચી શકાય એમ છે. આ હકીકતને આપણે આ રીતે પણ પ્રસ્તુત કરી શકીએ કે પ્રથમ ચાર હસ્તપ્રતો એક અનુપલબ્ધ સમાન પૂર્વજ “ક્ષ' માંથી ઊતરી આવેલી છે અને બાકીની પાંચ બીજા લુપ્ત સમાને પૂર્વજ “” માંથી ઊતરી આવેલી છે. હવે વધુ ચકાસણી કરતાં એમ પણ જણાય કે પાંચ હસ્તપ્રતોના કુળનું ત્રણ વધુ નાના વર્ગોમાં વિભાજન થઈ શકે તેમ છે : - ૨, છે અને . આ નાના વર્ગો દર્શાવે છે કે ૨ હસ્તપ્રત બધાથી જુદી તરી આવે છે. છે અને ટ એક જ સમાન પૂર્વજ “માંથી ઊતરી આવેલી છે. અને તેમાં પણ ટ એ છે ની કેવળ પ્રતિલિપિ જ છે; અને ગ શ લુપ્ત માતૃપ્રત “ત'માંથી ઊતરી આવેલી છે. પ્રસ્તુત ઉદાહરણમાં સામાન્ય અક્ષરો દ્વારા દર્શાવાયેલી હસ્તપ્રતો વર્તમાન છે, જ્યારે અવતરણ ચિહ્નમાં મૂકેલા અક્ષરો અનુપલબ્ધ યા અવર્તમાન હસ્તપ્રતો સૂચવે છે. આપણે એમ ધારી લઈએ કે સંચરણ-પરંપરાઓનું સંમિશ્રણ થયું નથી. બીજા શબ્દોમાં કહીએ તો પરંપરા વિશુદ્ધ, એકરૂપ છે, અને કોઈ પણ હસ્તપ્રત સંમિશ્રિત (મિશ્રપ્રત) નથી. એટલે કે “ક્ષ' Page #56 -------------------------------------------------------------------------- ________________ સમીક્ષાત્મક સંસ્કરણની સમસ્યા અને “નમાંથી ઉતરી આવેલાં કુળોમાં કે‘’ શાખાના અંતર્ગત નાના વર્ગોમાં પરસ્પર સંમિશ્રણ થયું હોવાનો કોઈ પુરાવો નથી. હવે જો “અને લેખકની મૂળપ્રત (સ્વહસ્તલેખ) અને “જાને લુપ્ત મૂલાદર્શ સમજીએ, જેમાંથી “” અને “ઘ' શાખાઓ વિભાજિત થયેલી છે, તો આ હસ્તપ્રતોનું વંશવૃક્ષ આ પ્રમાણે બનશે? -- _કિન + તે વ ) -Hિ . જો “” અને “' એકરૂપ છે એમ દર્શાવી શકાય તો “જની જગ્યાએ “'ની સંજ્ઞા મૂકી શકાય. હવે આપણે આ બધી જ ઉપલબ્ધ હસ્તપ્રતોના પાઠોની ચકાસણી કરીએ અને તેમને ઝીણવટથી પરસ્પર સરખાવીએ. જો આપણને એમ સંતોષ થાય કે ર એ છ ની કેવળ પ્રતિલિપિ જ છે, તો આપણે ટ હસ્તપ્રતની તદન અવગણના કરી શકીએ. અલબત્ત છ માંથી ર પ્રતિલિપિ તૈયાર થઈ તે પછી જે સ્થળે છે ને નુકશાન પહોંચ્યું હોય તેવા પાઠોમાં ટ ને લક્ષમાં લેવી ઘટે. હવે આપણે , ૩, ૪, ૫, ૩, ૪, ૫, સ, (અને ટ પણ, ઉપર દર્શાવેલી શરત અનુસાર)ના પાઠોના પુરાવાઓને આધારે “T' નું પાઠનિર્ધારણ કઈ રીતે શક્ય છે તે વિષય તરફ આવીએ. (૧) જે પાઠ આઠેય હસ્તપ્રતો (ટ હસ્તપ્રતનો સમાવેશ કરીએ તો નવેય હસ્તપ્રતો)માં સમાનરૂપે જોવા મળતો હોય તે “મ' નો પાઠ હોવો જોઈએ. પાઠ-સમીક્ષાનો આ મુખ્ય સ્વીકૃત સિદ્ધાંત છે કે જેમને (ઓછેવત્તે અંશે) સ્વતંત્ર હસ્તપ્રતો તરીકે સાબિત કરી શકાય, તેવી હસ્તપ્રતોનો સમાન પાઠ મૂલાદર્શનો મૂળ પાઠ હોવો જોઈએ. (૨) જો “ક્ષ શાખાના ચારેય ઉત્તરાધિકારીઓમાં એક પાઠ હોય અને “' શાખાની પાંચેય હસ્તપ્રતોમાં બીજો પાઠ હોય તો વંશાનુક્રમ પદ્ધતિનું પ્રમાણ આ બેમાંથી Page #57 -------------------------------------------------------------------------- ________________ ભારતીય પાઠ-સમીક્ષા ક્યો પાઠ “T' નો હશે તે બાબતમાં નિર્ણય કરવામાં આપણને સહાયક બનતું નથી. અહીં બંને શાખાઓમાં પ્રાપ્ત થતી હસ્તપ્રતોની સંખ્યા મહત્ત્વની નથી. તેમજ “ શાખાના ત્રણ નાના વર્ગો વચ્ચે પરસ્પર સમાનતા છે, તે હકીકત પણ આ બાબતમાં મહત્ત્વની નથી. પાઠસમીક્ષાનો એક પાયાનો સિદ્ધાંત એ છે કે હસ્તપ્રતોની ગુણવત્તા મહત્ત્વની છે, zivul ! (Codices are to be weighed and noi counted). આથી “1' નું સમ્યફ પાઠનિર્ધારણ કરવામાં ઉભય પક્ષે હસ્તપ્રતોની કેવળ સંખ્યા આપણને સહાયરૂપ બનતી નથી. આવે વખતે “'ના પાઠ વિષે સંપૂર્ણ ચોક્કસાઈ થઈ શકે નહિ. અન્ય બાબતો સરખી હોય તો આ બે પાઠમાંનો એક પાઠ “જનો પાઠ ત્યારે હોઈ શકે કે જ્યારે બીજો પાઠ સ્વીકૃત પાઠનું અપભ્રષ્ટ સ્વરૂપ છે, એમ અનુલેખનીય યા દસ્તાવેજીય સંભાવના દ્વારા દર્શાવી શકાતું હોય. આમ ઉદાહરણ તરીકે જો , , ગ, ઘ, હસ્તપ્રતો ઉત્તરીય વાચના દર્શાવતી હોય અને તેઓમાં “fઘકિતા' એવો પાઠ જોવા મળતો હોય અને દક્ષિણી વાચના દર્શાવતી બાકીની પાંચ પ્રતોમાં ‘વિષ્ટિતા' પાઠ મળતો હોય, તો “fધછિતા' “T' નો પાઠ હોવો. જોઈએ. કારણ કે ઉત્તરીય લિપિમાં ઘ અને ૨ લગભગ સરખા હોવાથી ધિષ્ઠતા માંથી વિષ્ઠિતા પાઠ અપભ્રષ્ટ થયો હોય, તે અનુલેખનીય સંભાવનાની દૃષ્ટિએ શક્ય છે. (૩) હવે આપણે ધારી લઈએ કે “ક્ષ' (અથવા “')ના વંશજો અંદર અંદર વહેંચાયેલા છે; જેમ કે “ત' ના પ્રતિનિધિઓ (જ્ઞ અને ૩) “T અને થી જુદા પડે છે, પરંતુ ૨, ૩, ૫, , સાથે સામ્ય ધરાવે છે. આવી પરિસ્થિતિમાં “'નો પાઠનિર્ણય “ત ને આધારે કરવો કે પછી “' અને ૨ ના આધારે કરવો ? અહીં સ્પષ્ટ છે કે “'નું પાઠ નિર્ધારણ “ત' પ્રમાણે કરવું, કારણ કે સંમિશ્રણ યા આકસ્મિક યોગાનુયોગને બાદ કરતાં ત’ નું , ૩, ૫, ૬, સાથેનું મળતાપણું એ ધારણાને આધારે જ સમજાવી શકાય કે “ત' માં “લ” તથા “’ નો સમાન પાઠ સચવાયેલો છે, અને તે જ “Tનો પણ પાઠ હોવો જોઈએ. આવે વખતે “' અને ૨ ના પાઠની અપભ્રષ્ટ પાઠ યા અશુદ્ધ પાઠ તરીકે અવગણના કરવી જોઈએ. જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં વંશાનુક્રમ પદ્ધતિના ઉપયોગથી બે લાભ થાય છે - (૧) કેટલાંક પાઠાન્તરો દૂર થતાં કાર્ય સરળ બને છે, અને (૨) જે પાઠોમાં બધા વંશજો સામ્ય ધરાવતા હોય તે પાઠોના નિર્ણય ઉપરાંત “'ના કેટલાક અન્ય પાઠોનું અનુમાન કરવાનું શક્ય બને છે. * હવે આપણે સંક્ષેપમાં વિવિધ અનુપલબ્ધ હસ્તપ્રતોના પાઠનિર્ધારણના વિશિષ્ટ કિસ્સાઓ તપાસીએ. આવી હસ્તપ્રતોનું અસ્તિત્વ ભૂતકાળમાં કોઈ તબક્કે (સમયે) આપણે સ્વીકારીએ તો જ વર્તમાન હસ્તપ્રતોના પારસ્પરિક સંબંધો સમજાવી શકીએ. ઉપર આપેલા * વંશવૃક્ષમાં - Page #58 -------------------------------------------------------------------------- ________________ સમીક્ષાત્મક સંસ્કરણની સમસ્યા (૨) ત’ હસ્તપ્રતના પાઠનું નિર્ધારણ આ રીતે થઈ શકે : (અ) ક એ રૂ ના પાઠ વચ્ચે સામ્યને આધારે. (બ) = અથવા શુ માંથી ગમે તે એકના બીજી હસ્તપ્રતો સાથેના સામ્યને આધારે, કારણ કે “ર કુળમાં અંદરોઅંદર પાઠની આવી સમાનતા તે પાઠ ૫ માંથી જ ઊતરી આવેલો મૂળ પાઠ માનીએ તો જ સમજાવી શકાય. ત’ અને , ૩, , ઘ, વચ્ચે સામ્ય હોય તેવા પ્રસંગની ચર્ચા તો અગાઉ થઈ ચૂકેલી છે. આ પરથી એમ તારણ નીકળે છે કે ન અને ની વિશિષ્ટ ક્ષતિઓ, અશુદ્ધિઓ યા અપભ્રષ્ટ પાઠોને કારણે “તનો પાઠ શંકાસ્પદ બને એવું સામાન્યતઃ થતું નથી. જો કે જ્યારે અને ના પાઠમાં પરસ્પર વિસંવાદિતા હોય તેમજ અન્ય પ્રતોના પાઠ સાથે પણ તેમનો મેળ મળતો ન હોય અથવા જ્યારે તેમનામાં અમુક અશુદ્ધિઓ એકબીજાથી નિરપેક્ષપણે પ્રવેશેલી હોય ત્યારે “તનો પાઠ સંશયાત્મક બનશે. તે જ પ્રકારે અને તેટલી જ ચોક્કસાઈ કે અચોકસાઈપૂર્વક “સ'ના પાઠના નિર્ણય “છ અને “તને આધારે થઈ શકશે. તે જ રીતે અને તેટલી જ હદે “જનું પાઠનિર્ધારણ ૧, “' અને “તને આધારે આપણે કરી શકીએ. “ક્ષના પાઠ આ પ્રમાણે નિર્ધારિત થઈ શકે : (અ) , ૩, ૪, પ માંથી ગમે તે બે હસ્તપ્રતોના પાઠ મળતા આવે તેને આધારે, અથવા (બ) આ વર્ગની ગમે તે બે હસ્તપ્રતોના સમાન પાઠ “ઘ' વર્ગની હસ્તપ્રતો સાથે મળતા આવે તેને આધારે. કારણ કે આ પ્રકારનું સામ્ય તે પાઠ “લ” અને ઘ' ના સમાન પાઠ હોય અને આથી “'ના પાઠ હોય એમ માનવામાં આવે તો જ સમજાવી શકાય. જો , , , ઇ પરસ્પર મળતા આવતા ન હોય તેમ જ “જ' થી પણ જુદા જ પડતા હોય અને આમ વિસંવાદી પાઠ આપતા હોય તો “ક્ષનો પાઠ સંશયાત્મક રહેશે. આ પરથી સ્પષ્ટ થાય છે કે , , , , , “' (૪) Page #59 -------------------------------------------------------------------------- ________________ ભારતીય પાઠ-સમીક્ષા (૫) (૪), ગ અને રૂ ના બધા જ વિશિષ્ટ અર્થાત અસમાન પાઠો “ક્ષ' અને “ઘ'ના પાઠનિર્ધારણ માટે સામાન્ય રીતે નિરર્થક છે. આથી તેમની ઉપેક્ષા કરવી જોઈએ. - આ જ બાબત મૂલાદર્શ “' જ્યારે “ક્ષ” અને “' ઉપરાંત વધુ સંચરણના પ્રવાહો (શાખાઓ)માં વિભક્ત થતો હોય ત્યારે પણ સમાનરૂપે લાગુ પડે છે. અને “ક્ષ” તથા “' ના પાઠ પાઠનિર્ધારણના તે જ નિયમોને આધારે નિર્ધારિત કરી શકાય. મૂલાદર્શ “નના પાઠનિર્ધારણની બાબતમાં પરિસ્થિતિ સહેજ જુદી છે. જો સંચરણ 8 અને “’ એમ બે જ શાખાઓમાં વિભક્ત થયું હોય અને “” તેમજ “ના પાઠ મળતા આવતા હોય તો, અગાઉ ખૂબજ વિગતવાર સમજાવ્યું છે તે પ્રમાણે, મળતો આવતો પાઠ “પનો પાઠ સમજવો. પણ જે બને શાખાના પાઠો પરસ્પર વિસંવાદી હોય તો તે બેમાંથી એક પાઠ “જનો પાઠ હશે; પરંતુ આગળ દર્શાવ્યું તે પ્રમાણે, વંશાનુક્રમ પદ્ધતિ આપણને અહીં મદદરૂપ થઈ શકે નહિ અન્ય બાબતો સરખી હોય તો પાઠનિર્ધારણ માટે અનુલેખનીય (યા દસ્તાવેજીય) સંભાવના તથા આત્તર સંભાવના એ બંનેને લક્ષમાં લેવી પડશે. આ મુદ્દાની ચર્ચા હવે પછીના પ્રકરણમાં કરવામાં આવશે. (અ) જો “ક્ષ” અને “' કુળ (શાખા)માં દરેકની માત્ર એક જ હસ્તપ્રત જેમ કે વ અને ર જ સચવાઈ હોય તો આપણે ન'નો પાઠ આવી જ ચોક્કસાઈથી નિર્ધારિત કરી શકીએ. તે પરિસ્થિતિમાં વ અને ર પાઠાન્તર-ધારકો (variant bearers) ગણાય. પરંતુ જો “ક્ષ” અને “'ના શરૂઆતથી જ દૂષિત પાઠોમાં સંચરણ પ્રક્રિયા દરમ્યાન વધુ હાનિ પહોંચે અથવા તો “ક્ષ'નો પાઠ અશુદ્ધ હોય અને “'માં તે શુદ્ધ રીતે સચવાયો હોય પરંતું પાછળથી ટમાં અશુદ્ધિ પ્રવેશી હોય તો તે પાઠમાં અપભ્રષ્ટતા અર્થાત્ વિકૃતિ અનિવાર્યપણે રહી જ જવાની. (બ) જો , ૨ અને ૮ પ્રતો જ સચવાઈ હોત તો પણ આવી જ પરિસ્થિતિ સર્જાત. ૩ અને ૪ નો પાઠ સમાન હોય પરંતુ નો પાઠ જુદો હોય તો તે અને “ઘ' (એટલે કે , ટ) Page #60 -------------------------------------------------------------------------- ________________ સમીક્ષાત્મક કકરણની સમસ્યા પાઠાંતર-ધારકો (variant-bearers) બને. જો અને ર ના પાઠ મળતા આવે પરંતુ ૨ થી જુદા પડે, અથવા તો ૧, ૨ ના પાઠ મળતા આવે પરંતુ ર થી જુદા પડે, ત્યારે એકલા પડી ગયેલા પાઠને નિરર્થક સમજવો. જો ૧, ૨ અને ટ એ ત્રણેયના પાઠ પરસ્પર વિસંવાદી હોય તો “' કે “ઘ' બેમાંથી એકેયનું નિર્ધારણ વર્તમાન સામગ્રીને આધારે થઈ શકે નહિ. આવે સમયે સર્વપ્રથમ ૨ અને એ ઉપ-પાઠાંતરો (subvariants) ને આધારે “રનું પાઠનિર્ધારણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, જેથી કરીને આ પાઠાંતરો પણ વાચનાની દૃષ્ટિએ જોવા જતાં 5 ના પાઠ જેટલાં જ સરખાં મહત્ત્વનાં બને. જો કેવળ વ અથવા રગ અથવા ના હસ્તપ્રતો જ સચવાઈ હોય તો કેવળ “ક્ષ' યા “' યા ' એ માતૃપ્રતોનું જ પાઠનિર્ધારણ શક્ય બનશે અને આ પ્રત્યેક લુપ્ત સ્રોત માટે તે બે વર્તમાન હસ્તપ્રતો પાઠાંતર ધારક (variant-bearers) બનશે. (૭) જો “I”નું વિભાજન ત્રણ (યા ત્રણ કરતાં વધુ) સંચરણ પ્રવાહો (શાખા)ઓમાં થયું હોય, જેમ કે “” “અને “જ્ઞ' (યા વધુ), તો જાનું પાઠનિર્ધારણ આ ઉપ-મૂલાદર્શી (sub-archetypes) માંથી ગમે તે બેના પાઠસામ્યને આધારે કરી શકાય. જયારે આ શાખાઓ(ઉપ-મૂલાદર્શી)ના પાઠોનો પરસ્પર મેળ બેસતો ન હોય અથવા જ્યારે બે વચ્ચેનું સામ્ય આકસ્મિક યા એકબીજાથી સ્વતંત્ર યા નિરપેક્ષ પ્રકારનું હોય, એવે પ્રસંગે “1' ના પાઠ વિષે સંપૂર્ણ નિશ્ચિતતા થઈ શકે નહિ. ઉપર દર્શાવેલા તર્ક એ ધારણા પર આધારિત છે કે સંચરણની વિભિન્ન શાખાઓમાં આંતરમિશ્રણ યા સંયોજન થયું નથી. હવે આપણે આ પ્રકારનું સંમિશ્રણ યા પારસ્પરિક અસર જ્યાં થઈ હોય એવા કિસ્સાઓ તપાસીએ. ઉદાહરણ તરીકે, ઉપલબ્ધ હસ્તપ્રતો તેમના મૂળ સ્રોતશાખા)માંથી શ્રુત થાય અને વિભિન્ન સ્રોતો (શાખાઓ) સાથે સંમિશ્રિત બને, જેમ કે “ક્ષ' અને ' (વિરુદ્ધ “1') અથવા “” અને “3” (વિરુદ્ધ જ) અથવા “ઘ' અને “જ્ઞ' (વિરુદ્ધ “ક્ષ') તો “લ”, “ર” અને “' ના જે એકલવાયા પાઠોને સામાન્ય સંયોગોમાં નિરર્થક સમજી અવગણવામાં આવે તે બધા જ “' ના પાઠ Page #61 -------------------------------------------------------------------------- ________________ ભારતીય પાઠ-સમીક્ષા નિર્ધારણમાં “માન્ય પાઠાંતરો (Presumptuous Variants) બનશે. કારણ કે “” “' અને “3” એ સર્વ પરસ્પર સંમિશ્રિત છે. અને તેથી ગમે તે બેના સમાન પાઠ ત્રીજાથી જુદા પડે ત્યારે આપણને મૂલાદર્શના પુનનિર્માણમાં સરખા મહત્ત્વનાં બે પાઠાંતર પ્રાપ્ત થશે. જે નિશ્ચિતપણે મિશ્રપ્રતો ગણાઈ હોય તેવી હસ્તપ્રતોને આ સિદ્ધાંતો લાગુ પાડવામાં આવ્યા હોય તેવું વ્યવહારુ ઉદાહરણ મહાભારતના સમીક્ષાત્મક સંસ્કરણમાં જોવા મળે છે. મહાભારતનું વંશવૃક્ષ અહીં બે મુખ્ય શાખાઓમાં વહેંચાયેલું છે. ઉત્તરીય (N) અને દક્ષિણી (S). ઉત્તરીય શાખા પણ બે ઉપશાખાઓમાં વિભક્ત થાય છે , અને . સમીક્ષાત્મક ચકાસણી દર્શાવે છે કે અન્યની સરખામણીમાં શુદ્ધ કહેવાય તેવી જ હસ્તપ્રતના પાઠ પણ સંમિશ્રણથી મુક્ત નથી. મહાભારતના તેમના ઉપદ્યાત (Prolegomena)માં સુકથનકર જણાવે છે કે પાઠની પ્રામાણિકતા વિષેના સર્વ તર્કો પાછળનો મુખ્ય સિદ્ધાંત જેમને ઓછેવત્તે અંશે સ્વતંત્ર રૂપાન્તરો સાબિત કરી શકાય એવાં રૂપાંતરો વચ્ચે ધારી લીધેલ મૌલિક સામ્યનો છે. આવા સ્વતંત્ર પાઠો-વાચનાઓ અને રૂપાન્તરો વચ્ચેના સામ્યમાંથી ઉદ્દભવતો નિયમ સહેલાઈથી સમજાય તેવો અને વિનિયોગમાં સરળ છે. કેવળ તેનું કાર્યક્ષેત્ર જરા મર્યાદિત છે. જ્યાં ભિન્નતા હોય ત્યાં મુશ્કેલીઓ પેદા થાય છે અને સામાન્ય રીતે એવું જ બનતું હોય છે. આથી જયાં ભિન્નતા જણાઈ છે ત્યાં સંપાદકે ઉપર્યુક્ત નિયમના ઉપસિદ્ધાંત રૂપે એવા પાઠને પસંદગી આપી છે જેને દેખીતી રીતે જ ઓછેવત્તે અંશે સ્વતંત્ર કહેવાય તેવાં વધુમાં વધુ રૂપાન્તરોનો ટેકો હોય તથા જેને અંતરંગ સંભાવના દ્વારા પણ પુષ્ટિ પ્રાપ્ત થતી હોય. આવા કિસ્સાઓમાં મૌલિકતાની ધારણાને ઘણીવાર વિસંવાદી રૂપાન્તરો વચ્ચે નિશ્ચિત પ્રકારના સામ્યને અભાવે સમર્થન મળે છે. પરંતુ જયારે દ્વિવિધ સામ્ય જોવા મળે અર્થાત્ પ્રત્યેક વાચનામાં બે કે વધુ વર્ગો વચ્ચે સામ્ય જોવા મળે ત્યારે ખરી મુશ્કેલી પેદા થાય છે. અહીં સામાન્ય રીતે બેમાંથી એક પાઠ આકસ્મિક હોવો જોઈએ કારણ કે બંને પાઠ ભાગ્યે જ મૂળનાં પાઠ હોઈ શકે. અને જો બંને સમાન રીતે આત્તર સંભાવનાતે સંતોષતા હોય તો બેમાંથી ગમે તે એકને સ્વીકારી શકાય. આવા પાઠોમાં ઉભય પક્ષે સંભાવનાઓનું સમતોલપણું હોય છે અને પસંદગી મુશ્કેલ બને છે. આ પ્રસંગે જ જે સાક્ષી (હસ્તપ્રત) ચોકસાઈની બાબતમાં સર્વોત્તમ જણાતો હોય તેને વિશેષ પ્રાધાન્ય આપી શકાય. તદનુસાર સુકથનકરે s,K વર્ગનો પાઠ સ્વીકાર્યો છે. જ્યારે બે વાચનાઓમાં બે વૈકલ્પિક પાઠો જોવા મળે જેમાંનો એકે ય બીજામાંથી ઉદ્ભવ્યો હોવાની શક્યતા ન હોય અને બંનેની આંતરિક ગુણવત્તા સરખી જ હોય (ઉત્તરીય દક્ષિણી) ત્યારે પસંદગી અત્યંત કઠિન બને છે. બંને વાચનાઓમાં Page #62 -------------------------------------------------------------------------- ________________ સમીક્ષાત્મક સંસ્કરણની સમસ્યા ૫૩ સંભાવનાઓનું સમતોલપણું હોય છે. કેવળ આવા પ્રસંગોએ જ જે સાક્ષી (હસ્તપ્રત) ચોકસાઈનું સર્વોત્તમ પ્રમાણ આપતો હોય તેને પસંદગી આપવાનો સિદ્ધાંત સ્વીકારીને વધુ વિશ્વસનીય સાક્ષીને કામચલાઉ અવેજી તરીકે સુસંગતપણે અપનાવી શકાય, જેથી વિભિન્ન રૂપાન્તરોનું અનાવશ્યક અને વિવેકશૂન્ય (અવ્યવસ્થિત) મિશ્રણ પેદા ન થાય. જ્યારે આ બધી કસોટીઓ નિષ્ફળ જાય અથવા કેવળ નિષેધાત્મક પરિણામ દર્શાવે ત્યારે સુકથનકરે એવા પાઠને સ્વીકારવાની પદ્ધતિ અપનાવી હતી કે જે પાઠમાંથી અન્ય પાઠો ઉદ્દભવ્યા હોવાનું સૌથી વધુ સારી રીતે સમજાવી શકાય. આ રીતે, ૧, ૯૮, ૧૮માં સમુદ્>સમુદ્ર, સમૂદે, સમૃદ્ધ ઈત્યાદિ. આવા પ્રસંગોએ ઘણીવાર કઠિનતર પાઠ (lectio difficilior) અથવા આર્ષ પ્રયોગ (archaism) અથવા વ્યાકરણની દૃષ્ટિએ અશુદ્ધ પ્રયોગ (solecism) સાચો પાઠ હોવાનું સાબિત થયું છે, જેનું નિવારણ કરવાની ઈચ્છામાંથી નવા પાઠનો જન્મ થતો હોય છે. તે જ રીતે, જ્યારે વર્તમાન હસ્તપ્રતો સંમિશ્રિત હોય ત્યારે ભિન્ન ભિન્ન રૂપાન્તરોના ઉપ-મૂલાદર્શોના પાઠોના પુનનિર્માણમાં નડતી મુશ્કેલી મહાભારતની હસ્તપ્રતોના અભ્યાસમાંથી પ્રાપ્ત થયેલ નીચેની વિચારણાઓ પરથી સમજી શકાય. સુકથનકર લખે છે - ધારો કે આપણે અમુક રૂપાન્તર(ગ્રંથ)નો અધિકૃત પાઠ તૈયાર કરવા માટે તેની છ હસ્તપ્રતો તપાસીએ છીએ. અહીં એવું બની શકે કે તેમાંની ચાર હસ્તપ્રતો (G૧, ૨,૪,૫), જે મિશ્રપ્રતો છે, તેમાં એક પાઠ છે; ત્યારે માત્ર બે (G ૩,૬) માં જ સાચો મૂળ પાઠ છે. આવી પરિસ્થિતિમાં પાઠાન્તરોના સાચા મૂળ સ્વરૂપનું અનુમાન કેવળ આ રૂપાન્તર(G)ના પાઠોમાંથી થઈ શકે નહીં. એ તો અન્ય રૂપાન્તરો (T અથવા M અથવા N)ના અવલોકન દ્વારા જ થઈ શકે. વાસ્તવમાં અન્ય રૂપાન્તરોના પરામર્શ સિવાય અમુક રૂપાન્તરની હસ્તપ્રતોમાં સંમિશ્રણ થયું છે કે નહિ (જો સંમિશ્રણ થયું હોય તો) તે શોધી કાઢવાનો કોઈ ઉપાય નથી. આમ એક વાત સ્પષ્ટ થાય છે, કે આ પ્રકરણમાં જે આદર્શ પ્રકારની આપણે ચર્ચા કરી છે તેમાં, જેને આધારે આપણે ગ્રંથની અધિકૃત વાચનાનું પુનર્નિર્માણ કરવાનું છે તે વર્તમાન હસ્તપ્રતોના સ્વરૂપ પ્રમાણે વ્યવહારમાં યથોચિત પરિવર્તન કરવું આવશ્યક બને છે. શક્ય હોય ત્યાં વર્તમાન હસ્તપ્રતોના નિશ્ચિત કુળ(વંશ)ને શોધી કાઢવાના કાર્યનું મહત્ત્વ નીચેની હકીકત પરથી આંકી શકાય : ધારો કે કોઈ એક હસ્તપ્રત તેની મૂલપ્રતના પાઠને સંપૂર્ણ રીતે સાચવી રાખે છે તથા તેની પરંપરા શુદ્ધ અને અમિશ્રિત સ્વરૂપે જળવાઈ રહે છે, પરંતુ તેની મૂલપ્રત તેમ ૬. Prolesomema, પૃ.૮૧.* Page #63 -------------------------------------------------------------------------- ________________ પજ ભારતીય પાઠ-સમીક્ષા જ તે મૂળ પ્રતમાંથી નિષ્પન્ન અન્ય હસ્તપ્રતો સાથેનો તેનો આનુવંશિક સંબંધ સ્થાપી શકાયો નથી. ઉદાહરણ તરીકે, ઉપર દર્શાવેલા વંશવૃક્ષમાં જો “'માંથી અનુલેખન દરમ્યાન છ માં કોઈ વિશિષ્ટ ત્રુટિઓ દેખાય નહીં, તો ટ પ્રતિલિપિ સીધી ‘’માંથી તૈયાર થઈ છે કે છ દ્વારા તૈયાર થઈ છે તેનો આપણે નિર્ણય કરી શકીએ નહીં. હવે ધારી લઈએ કે કેવળ ટ અને છ જ હસ્તપ્રતો ઉપલબ્ધ હોય તો ય એ માન્ય “પાઠાન્તર-ધારક બનશે. પરંતુ બીજી તરફ જો આપણે સંચરણ-પરંપરાના ઇતિહાસમાં વધુ ઊંડા ઊતરીએ તો આપણે ટ ની સંપૂર્ણપણે ઉપેક્ષા કરવાની રહે. આમ આનુવંશિક સંબંધનો નિર્ણય ન થતાં તેના જે વ્યક્તિગત પાઠો વાસ્તવિક ત્રુટિઓ હોય તે સર્વેની પણ ચકાસણી કરવી જરૂરી બને. છે. તે જ રીતે જ્યારે પ્રતિલિપિકાર તેની આદર્શપ્રતમાંના દોષને આકસ્મિક અનુમાન દ્વારા સુધારે પરંતુ ખુલ્લી રીતે તેનો એકરાર ન કરે ત્યારે એવો ભાસ થવાનો સંભવ છે કે તે પાઠ માટે તેની પ્રતિલિપિ તેની પોતાની આદર્શ-પ્રત કરતાં કોઈ બીજા મૂલગ્નોતને અનુસરી છે. બીજા શબ્દોમાં કહીએ તો અહીં હસ્તપ્રત-સમૂહનું વર્ગીકરણ કરનાર વ્યક્તિ કોઈ પ્રકારના સંમિશ્રણની કલ્પના કરે તે સંભવિત છે. પરંતુ લહિયાના તર્કસંગત અનુમાનને પરિણામે જે સાચા પાઠ જોવા મળે તેમને સમીક્ષાની દૃષ્ટિએ અન્ય દલીલોને આધારે દૂર કરી શકાય નહિ. આથી એક શુદ્ધ પરંપરા-પ્રવાહમાં કે મિશ્ર પરંપરા-પ્રવાહોમાં હસ્તપ્રતોના પારસ્પરિક સંબંધ(વંશાનુક્રમ)નો નિર્ણય કરતી વખતે ખૂબ જ સાવધાની રાખવી જરૂરી છે. - લેખકોના અથવા તેમના હસ્તલિખિત ગ્રંથના નિશ્ચિત કાલક્રમના અભાવમાં વર્તમાન હસ્તપ્રતોના તુલનાત્મક પરીક્ષણ(સંતુલન)ના સમીક્ષાત્મક વિશ્લેષણ દ્વારા પુનર્નિમિત મૂલાદર્શ અને ગ્રંથકારનો સ્વહસ્તલેખ અભિન્ન છે કે નહિ તે કહેવું શક્ય નથી. મૂલાદર્શ મૂલપ્રત(સ્વહસ્તલેખ)થી અભિન્ન પણ હોઈ શકે, અને તેનાથી પાછળનો પણ હોઈ શકે. જો મૂલાદર્શ મૂલપ્રત પછીનો હોય તો તે સ્વહસ્તલેખની પ્રથમ પ્રતિલિપિ હોઈ શકે અથવા વર્તમાન હસ્તપ્રતોને આધારે જેનું પાઠનિર્ધારણ કરી શકાય તેવી પ્રાચીનતમ અંતર્વર્તી (intermediate) પ્રત હોય. પરંપરાની વિભિન્ન શાખાઓ વચ્ચે અથવા તો લુપ્ત માતૃ-પ્રત અને સંરક્ષાયેલી હસ્તપ્રતો વચ્ચે સંચરણના કેટલા તબક્કા પસાર થયા હશે તેનું નિશ્ચયાત્મક કથન હમેશાં શક્ય નથી. Page #64 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૫ સંચરિત પાઠમાં પ્રવેશતી અશુદ્ધિઓનાં કારણો પાઠ્યગ્રંથના યોગ્ય સંસ્કરણ માટેનું પ્રમુખે કર્તવ્ય દસ્તાવેજીય પ્રમાણો (હસ્તપ્રતો) જે આ પ્રમાણે ઊર્તરી આવતા લખાણના પ્રાથમિક સાક્ષીઓ છે, તેમની નોંધ લેવી અને તેમના સમય અને સ્વરૂપને આધારે તેઓમાંની કઈ હસ્તપ્રતો સૌથી વધુ વિશ્વસનીય છે તેનો નિર્ણય કરવો તે છે. ઘણુંખરું આ દ્વારા આપણે લેખકની મૂળપ્રતની ઠીકઠીક નજીક પહોંચીએ છીએ, છતાં એવા કેટલાક પરિચ્છેદો તો બાકી રહે છે જે, જેમાં મૂળ લેખકે લખ્યા હોય તે જ શબ્દો ન સંગ્રહાયા હોય. તેમની સંખ્યા ગ્રંથના સ્વરૂપ અને ઇતિહાસને આધારે ઓછીવત્તી હોઈ શકે. આવા પરિચ્છેદોને સામાન્ય રીતે અશુદ્ધ (corrupt) કહેવામાં આવે છે. અને આપણે આવી અશુદ્ધિઓને પાઠમાં રહેવા દઈએ તે પૂર્વે તેમનું નિવારણ અથવા “સંશોધન થઈ શકે તેમ છે કે કેમ તે આપણે ચકાસવું જોઈએ. જો એમ પ્રમાણિત થાય કે પાઠનો અમુક અંશ તદ્દન નષ્ટ થઈ ગયો છે અને તેનું કોઈ ચિહ્ન અવશિષ્ટ નથી તો તે હાનિ ન સુધારી શકાય તેવી ગણાય, અને એવા સંજોગોમાં પાઠ-સંપાદકે પાઠનો લુખાંશ ચીવટપૂર્વક નોંધવો જોઈએ. પરંતુ ઘણાખરા અશુદ્ધ પરિચ્છેદોમાં એવું બનતું હોય છે કે પાઠ અશુદ્ધ હોય છે પરંતુ સંપૂર્ણપણે નષ્ટ થતો હોતો નથી અને સંશોધન દ્વારા * ઓછીવત્તી સંભાવના અનુસાર તેનું પુનર્નિર્માણ શક્ય હોય છે. ઉપલબ્ધ પ્રમાણોને આધારે દેખીતી રીતે આવા અશુદ્ધ પરિચ્છેદો સહિત પાઠને સફળતાપૂર્વક મૂળ સ્વરૂપ આપવા માટે પાઠને અશુદ્ધ બનાવનારાં કારણો સમજવાં અને ચકાસવાં જોઈએ.' આપણે પૂર્વે જોઈ ગયા તે પ્રમાણે સંચારિત પાઠમાં પ્રવેશતી અશુદ્ધિઓ દષ્ટિદોષ પર આધારિત અને માનસશાસ્ત્રીય, આકસ્મિક અથવા વિચારપૂર્વક થયેલી તથા અનૈચ્છિક, અર્ધ-ઐચ્છિક અથવા ઐચ્છિક પ્રકારની હોય છે. આટલા અનુભવ છતાં અનુલેખન કરવામાં થતી અશુદ્ધિઓ અથવા લેવાતી છૂટછાટોનું સંપૂર્ણ વર્ગીકરણ વિવેચકો દ્વારા થઈ શક્યું નથી. જેબ લખે છે કે - ઈરાદાપૂર્વકનાં પરિવર્તન પાછળના આશયો અથવા ગંભીર ભૂલો તરફ દોરી જતી આકસ્મિકતાઓની સૂચી બનાવવી અશક્ય છે; કારણ કે પાઠ Page #65 -------------------------------------------------------------------------- ________________ પદ ભારતીય પાઠ-સમીક્ષા પરંપરામાં પ્રતિલિપીકરણ યંત્રો દ્વારા નહિ, પરંતુ માનવી દ્વારા કરવામાં આવતું હતું. અલબત્ત, અનુભવ આપણને શીખવે છે કે નીચે દર્શાવેલી વિવિધ પ્રકારની ક્ષતિઓનું પુનરાવર્તન અલગ અલગ પ્રમાણમાં હોય છે અને સંશયાત્મક પ્રસંગોએ તેઓમાં જુદી જુદી સંભાવનાઓ સમાયેલી છે. પાઠ-સમીક્ષાના આ વિભાગનો પાયો મજબૂત બનાવવા માટે જેમના મૂલસ્રોત ખરેખર ઉપલબ્ધ હોય (અને જેમના પાઠોને સામાન્ય રીતે આપણા સમીક્ષાત્મક સંપાદનમાં આપણે લક્ષમાં ન લઈએ) એવી હસ્તપ્રતોને આધારે ભિન્ન ભિન્ન સમયના ગાળા, સાહિત્ય-પ્રકાર અને લેખનનાં સ્થળ પ્રમાણે તેમના સઘળા વ્યક્તિગત દોષોની સૂચિ બનાવવી જઈએ અને પ્રકારો પ્રમાણે એમનું વર્ગીકરણ કરવું જોઈએ. ત્યાર બાદ સંસ્કરણ (recension) દ્વારા જેમના મૂલસ્રોતનું નિશ્ચયાત્મક રીતે પુનિર્નિર્માણ કરી શકાય તેવી હસ્તપ્રતોના વ્યક્તિગત દોષો તરફ જવું જોઈએ; આ બાબતમાં સર્વપ્રથમ કરવાનું કામ એ છે કે જેમના મૂલસ્રોતનું નિર્ધારણ પાઠ-ચયન (પાઠ-પસંદગી) દ્વારા શક્ય હોય એવી હસ્તપ્રતોને જેમના મૂળસ્રોતનું નિર્ધારણ અનુમાન યા તર્ક દ્વારા શક્ય હોય એવી હસ્તપ્રતોથી અલગ પાડવી જોઈએ. હાલને તબક્કે આ અશુદ્ધિઓનું વર્ગીકરણ વિવિધ રીતે થઈ શકે. હોલે દર્શાવેલું વર્ગીકરણ સ્વીકારીએ તો અશુદ્ધિઓને આ પ્રમાણે વિભાજિત કરી શકાય : ૧. અસ્પષ્ટતાઓ અને તેમને નિવારવાના પ્રયાસ : . (૧) સામાન્ય અક્ષરો અને વર્ષો સંબંધી અવ્યવસ્થા (૨) સામાન્ય સાદશ્યને કારણે શબ્દોના અનુલેખનમાં થતી ભૂલ સંક્ષિપ્ત રૂપો(contractions)નું ખોટું અર્થઘટન શબ્દોને ખોટી રીતે ભેગા લખવા અથવા શબ્દનું ખોટું વિભાજન કરવું તે (૫) શબ્દોના અત્યાક્ષરો (પ્રત્યયો) એકબીજામાં ભેળવી દેવા | (assimilation) અને નજીકની વાક્યરચનાની અસર વર્ણોનું સ્થળાંતર અર્થાત્ ક્રમ-પરિવર્તન(anagrammatism) અને વાક્યોનું સ્થળાંતર; વાક્યો, વિભાગો, અને પૃષ્ઠો અલગ પડી જવાં તે (૭) સંસ્કૃતનું પ્રાકૃત યા પ્રાંતીય ભાષામાં તેમજ પ્રાકૃત યા પ્રાંતીય ભાષાનું સંસ્કૃતમાં ખોટું રૂપાંતર (૮) ઉચ્ચાર-ભેદને કારણે થતી ભૂલ (૯) આંકડાઓની અવ્યવસ્થા ગોટાળો) * (૬) Page #66 -------------------------------------------------------------------------- ________________ સંચરિત પાઠમાં પ્રવેશતી અશુદ્ધિઓનાં કારણો , પs. (૧૦) વ્યક્તિવાચક નામોમાં અવ્યવસ્થા (૧૧) અપરિચિત શબ્દોને સ્થાને પર્યાયવાચી અથવા પરિચિત શબ્દોનો વિન્યાસ (૧૨) જૂની જોડણીને બદલે નવી જોડણીનો પ્રયોગ (૧૩) પ્રક્ષેપ (interpolation) અથવા અજાણતાં થયેલી ભૂલોનાં પરિણામને સુધારવાનો પ્રયાસ ૨. લોપ (Omissions) : (૧૪) સમાક્ષરલોપ (Haplography) અર્થાત સમાન પ્રારંભ યા અંતવાળા શબ્દો યા અક્ષરો રહી જવા તે (૧૫) અક્ષરલોપ (Lipography : Parablepsia) અર્થાત્ કોઈ પણ પ્રકારનો સામાન્ય લોપ ૩. ઉમેરા (Additions) : (૧૬) તરતના યા નજીકના સંદર્ભથી પુનરાવૃત્તિ (Ditography) (૧૭) બે પંક્તિઓ વચ્ચેનું યા હાંસિયામાં લખાયેલું ટિપ્પણ ઉમેરવું તે (૧૮) પ્રક્ષિપ્ત પાઠો યા પાઠાંતરોનો સમાવેશ (Conflated readings) (૧૯) સમાન વિષયવાળી અન્ય રચનાઓની અસર તળે થતા ઉમેરા. આમાંની કેટલીક ક્ષતિઓનાં ઉદાહરણ નીચે આપવામાં આવ્યાં છે. આ ક્ષતિઓમાં લહિયાની ઈચ્છાશક્તિ કેટલા પ્રમાણમાં છે કે નથી તેના આધારે તેમને આપણે અનૈચ્છિક' (involuntary) અથવા “યાંત્રિક' (mechanical), “અર્ધ-ઐચ્છિક (Semi-voluntary) અને “ઐચ્છિક' (voluntary)એમ ત્રણ પ્રકારે વિભાજિત કરી શકીએ. અનૈચ્છિક (Involuntary) (અથવા યંત્રવત) (Mechanical) અશુદ્ધિઓ :. નેત્રદોષ : () અક્ષરોની ભાત્તિ : આ સમસ્યાનો ઉકેલ પુરાલિપિશાસ્ત્રના પ્રમાણ દ્વારા જ લાવી શકાય. ઉદાહરણ તરીકે, દેવનાગરી, જે જૈન સાહિત્યની વિલક્ષણતા છે, તેમાં નીચેના અક્ષરોમાં ઘણી વાર અદલાબદલી થતી જોવા મળે છે: (૧) ૩, ૩ અને ૨ (૨). સ્થ અને છ (૩) થ અને ૫ (૪) કર્મ અને જ્ઞ (૫) , દ્ધ, ટુ, ટુ, અને રૃ. થોડાં ઉદાહરણોથી આ સ્પષ્ટ થશે. Page #67 -------------------------------------------------------------------------- ________________ va મહાવીરચરિત – स्थ ओ : Ø ૧, ૧ સ્વસ્થાય > સ્વચ્છાય E : આ ૨,૧૩ મહાોસો > મહાવાસો Bo : ૧ ૧, ૪ વાયનિષ્યન્ત - > વાવયનિષ્પન્ટુ - K, Bo, E વગેરે. 3, ४० कल्पापाय > कल्याणाय U].. : ૫ ૩, ૪૦ પાપાય > ત્યાગાય Md, Mt, Mg સામાન્ય રીતે આવી ભૂલો ત્યારે થતી હોય છે કે જ્યારે લહિયો એવી પ્રતની નકલ કરતો હોય જેનું લખાણ અપરિચિત હોય અને જેમાં પોતાને પરિચિત લિપિ જેવા જ અક્ષરો યા ચિહ્નો આવતાં હોય પરંતુ ભિન્ન અર્થ દર્શાવતાં હોય. આ રીતે ૪૧ જે મહાભારતના આદિપર્વની શારદા લિપિવાળા નમૂનાની આધુનિક અને અશુદ્ધ પ્રતિલિપિ હોવા છતાં ઠીક ઠીક વિશ્વસનીય પ્રતિલિપિ છે, તેમાં શારદા અને દેવનાગરીના મૂળાક્ષરોમાં કેટલાક અક્ષરોમાં દેખાતી ભ્રામક સમાનતામાંથી પેદા થતી અવ્યવસ્થા દૃષ્ટિગોચર થાય છે. લહિયો ઘણી વાર # ને બદલે મ, તા ને બદલે ૩, થ ને બદલે હૈં (આમ તથા ને બદલે ૩), ૠ ને બદલે હૈં, મ અથવા 7 ને બદલે જ્ઞ, નીચે જોડેલા ‘વ'ને બદલે ૩ કાર, વૃ બદલે વ્ય, ત્ર ને બદલે તુ, ત્રને બદલે ત્ત, ન્ય ને બદલે ય, ત્ત્વ ને બદલે શ્રુ, નીચે જોડેલા ત ને સ્થાને ૩ કાર, ત ને સ્થાને ત્ર, જ્ય ને બદલે હૈં વગેરે લખે છે. ભારતીય પુરાલિપિશાસ્ત્ર પરના કોઈ પણ સારા પુસ્તકમાંથી જુદી જુદી લિપિઓમાં પ્રચલિત વિભિન્ન વર્ણોની સંપૂર્ણ વિગતો પ્રાપ્ત થશે. આ પરથી એક જ લિપિમાં જેમાં એકને સ્થાને બીજો વર્ણ ભૂલથી મુકાઈ જવાની સંભાવના રહે તેવા વર્ણોની તથા જુદી જુદી લિપિઓમાં દેખીતી રીતે સરખા હોય પરંતુ જુદો અર્થ દર્શાવતા હોય એવા વર્ગોની સૂચિ તૈયાર કરી શકાય. ભારતીય પાઠ-સમીક્ષા य < (જી) અક્ષરો યા વર્ણોનો લોપ ઃ ખાસ કરીને વર્ણની ઉપર લખાતાં સ્વરચિહ્નોનો લોપ, જેનું એક ઉદાહરણ ઉપર દર્શાવ્યું છેઃ વસો ૮ વોસો. મહાભારત ૧,૧૪૨,૨૫ પૃથૈવ સો વિનતિને સ્થાને D માં વિનસિ` એમ પાઠ છે. સરખાવો TGવિનશિષ્યત્તિ. આ ભૂલ શ્રુતિદોષને કારણે પણ હોઈ શકે. € વર્ણલોપનાં ઉદાહરણો - રામાયણ ૧,૨૮: યે મક્રિષયવાસિન: D માં ય ઊડી ગયો છે અને વિષવાસિનઃ એવો પાઠ છે. A માં યે ને સ્થાને ૬ સમજવામાં આવ્યો છે અને તેને ઉડાવી દેવામાં આવ્યો છે. ૧,૫: નાનાનાનિવાસિન: અહીં D, માં 7 નો લોપ થયો છે. આ લોપ નજીકના વર્ણોની અસરને કારણે થયો હોવા સંભવ છે. અને જો એમ હોય તો આને નીચે દર્શાવેલા (જુઓ નીચે (૬)) Homoiographon ના ઉદાહરણ તરીકે આપવું પડે. Page #68 -------------------------------------------------------------------------- ________________ સંચરિત પાઠમાં પ્રવેશતી અશુદ્ધિઓનાં કારણો (૧) વર્ણવિપર્યય : અર્થાત અક્ષરો યા વર્ણોનું સ્થળાંતર (Anagrammatism) - મહાવીરચરિત ૩, ૩૭, જ્ઞાનેન પામ્યો ને બદલે Mt અને Md માં જ્ઞાને વ નાન્યો પાઠ છે. (સંભવતઃ પાઠનું ખોટું વિભાજન જ્ઞાને-1-ન-પાન્યો આને માટે કારણભૂત હોઈ શકે.) રામાયણ ૧,૨૩૧ ત્રિાવળâવ > D પૃ (૫) વર્ણવૃદ્ધિ (વિવિધ કારણવશ)ઃ મહાવીરચરિત ૧,૨* મહાપુરષસંમ્મો > B૦ ૦સમારમ્ભો. Че (૬) શબ્દોની અવ્યવસ્થા : ભાષામાં કોઈ પણ શબ્દો વચ્ચે કેટલીક બાબતોમાં અસમાનપણું હોય પણ તેમનું સામાન્ય મળતાપણું તેને ઢાંકી દેવા પૂરતું હોય તો તે શબ્દોમાં ગરબડ થવા સંભવ છે. (૪) સમવર્ણલોપ અર્થાત લખાણની સમાનતાને લીધે અક્ષરો, વર્ણો, શબ્દો યા પંક્તિઓ છૂટી જવી તે (Homoiographon) : જ્યારે સમાન અક્ષરો એકબીજાના સાન્નિધ્યમાં હોય ત્યારે તે લોપને ‘સમાક્ષરલોપ ત્રુટિ' (haplography) કહે છે. જેમ કે મહાભારત ૧, ૧૦૩, ૧૩૩ માં K D ૢ D માં અભ્યસૂયયામ્ ને બદલે અમ્યસૂયામ્ પાઠ છે. સમવર્ણલોપ (Homoiographon) નું ઉદાહરણ મહાવીરચરિત ૨, ૭માં સ્રોતોગળો ને સ્થાને I માં સ્રોતમળો; ૩, ૧૮૬ પાષન્ડ બ્ડી > પાવણ્ડી Bo; ૩, ૧૯૩ - ૧૫ ० प्रसवपांसन > प्रसवासन E - (૭) પુનરાવર્તન, પુનર્લેખ (Dittography) વગેરે : વર્ણો, વર્ણસમૂહો, શબ્દો અને પંક્તિઓ એક વારને બદલે બે વાર (યા તેથી પણ વધુ વાર) લખવા તે. જેમ કે - મહાભારત ૧, ૫૭, ૨૧ : હાસ્યરૂપે શર: > K ૧માં હામ્યહામ્ય -૦ (જે હાસ્યહાસ્ય-૦નું અપભ્રષ્ટ રૂપ છે.) આ પુનર્લેખ (dittography)નું સ્પષ્ટ ઉદાહરણ છે. (ન) કેવળ બેદરકારીને લીધે વર્ણસમૂહો, શબ્દો, યા પંક્તિઓ છૂટી જાય તે ઃ જેમ કે મહાવીરચરિત ૨,૯૯ -અભિન્નરન્તિ > અવન્તિ E અર્ધ-ઐચ્છિક (Semivoluntary) અને ઐચ્છિક (Voluntary) અશુદ્ધિઓ : (ક) ઉચ્ચાર-દોષ : જ્યારે કોઈ અન્ય વ્યક્તિ લખાવે તે અનુસાર લહિયો પોતાની હસ્તપ્રતનું અનુલેખન કરતો હોય ત્યારે ઉચ્ચારગત અશુદ્ધિઓ પ્રવેશવાનો સંભવ રહે છે. આ રીતે આગળના વિભાગના (ખ) માં મહાભારત ૧,૧૪૨,૨૫માંથી જે ઉદ્ધરણ આપ્યું હતું, તેમાં Đ ્નો વિનતિ એ પાઠ ઉચ્ચારણની દૃષ્ટિએ વિનિ་તિને તદ્દન મળતો આવે છે. પરંતુ આને શ્રુતિદોષ જ ગણવો એ બહુ જરૂરી નથી. કારણ કે Page #69 -------------------------------------------------------------------------- ________________ ભારતીય પાઠ-સમીક્ષા લહિયાઓ દ્વારા જે વર્ણો યા વર્ણસમૂહો સાંભળવામાં કાનને સરખા જણાય તેમની અદલાબદલી થવાની સંભાવના રહે છે, પછી ભલે નજરે જોતાં તેઓ વચ્ચે સમાનતા ન પણ હોય. (ખ) શબ્દખંડો અથવા આખા શબ્દોનું સ્થળાન્તર - જેમ કે રામાયણ ૧,૯૬ -ä વવનામૃવત્ > B, વન વિમવી; ૧, ૧૧ તસ્મિન્ ા સ ત્વયા > A તસ્મિન काले त्वया सह। મહાવીરવરિત ૧,૧૩ મૈથિતસ્થ રાનÈ >T૧ ર રનર્જેથિ70; ૧,૧૪ નીચ >T, ચત્ શિd, ૩, Mારે કનક્વન્ પુરુષાધમ > Mg? પુરુષાર્થનું મનદ્વમહાભારત ૧,૧,૨૫ ઘાતે યક્ દિનાતિપ: > D૧ યદું થાત દિગતિમ (છંદની દૃષ્ટિએ. દોષયુક્ત). (ગ) એક યા વધુ પંક્તિઓનું સ્થળાંતર : આ પ્રકારનું સ્થળાંતર વાસ્તવમાં ક્ષતિપૂર્તિ દોષ ગણી શકાય. પ્રતિલિપિકારને પાછળથી ખ્યાલ આવે છે કે તેનાથી એક કે વધુ પંક્તિઓ અકસ્માત લખવાની રહી ગઈ છે. અને તેના પાનામાં છેકછાક કરવા કરતાં અથવા તેની સાધનસામગ્રી તેમજ સમયની બરબાદી કરવા કરતાં તે રહી ગયેલા અંશને હાંસિયામાં અથવા પત્રને અંતે લખે છે. અને સામાન્ય રીતે તે અંશનું અનુસંધાન ક્યાં કરવાનું છે તે સાંકેતિક ચિહ્ન દ્વારા દર્શાવે છે. પછીનો બીજો પ્રતિલિપિકાર તે ચિહ્નને ધ્યાનમાં રાખી તે પંક્તિને યોગ્ય સ્થળે મૂકવાનું ભૂલી જાય એ ઘણું સંભવિત છે, અને પરિણામે તેની હસ્તપ્રતમાં તે પંક્તિઓ સદાને માટે ખોટી જગ્યાએ મુકાઈ જાય છે, જેમ કે- કપૂરમંજરીના પ્રથમ અંકમાં હસ્તપ્રત T માં શ્લોક ૨ અને ૪ ની અદલાબદલી થયેલી છે, તે જ રીતે હસ્તપ્રત NR માં સાતમો શ્લોક આઠમા પછી મુકાયો છે. (ઘ) વ્યાકરણ સંબંધી તેમજ અન્ય પ્રકારના સંદર્ભનું આત્મસાકરણ : જેમ કે રામાયણ ૧,૧૨‘ત્વ તિર્દિ મ મમ > Aદિ મતિર્મમ; ૧, ૧૬ વૃતઃ શતાત્રે, વાનરા તસ્વિનામ્ >A (K) શતદઐશ વાનર' એ બહુવચનની અસર નીચે અહીં પણ બહુવચન થયું. ૧.૮ તત: પુતિનાંશ નિશૈવ માત > B (K) માં ક્રાંતિન્દ્રાંશ આ પરિવર્તન પ્રથમ પાદમાં પુતિન્દ્ર શબ્દની અસર નીચે થયું છે. મહાભારત ૧,૯૬,૮ માહૂર ટ્રાનં વન્યાનાં ગુણવત્J: મૃત વુર્ધઃ >T) માં ગુણવઃ પાઠ છે. મૃતમ્ સાથે સંકળાયેલા વૃધે ને કારણે અહીં પણ તૃતીયા થઈ. (ડ) શબ્દોની ખોટી રીતે જોડ-તોડ : એક સમયે શબ્દો ભેગા જ લખાતા. પછી જયારે શબ્દોને છૂટા લખવાની પ્રથા પ્રચલિત થઈ ત્યારે શબ્દોનું ખોટી રીતે વિભાજન Page #70 -------------------------------------------------------------------------- ________________ સંચરિત પાઠમાં પ્રવેશતી અશુદ્ધિઓનાં કારણો યા જોડાણ થાય તે સંભવિત છે. મહાવીરચરિતમાંથી અગાઉ ઉદ્ધૃત કરેલી પંક્તિ અહીં પણ વિચારી શકાય : મહાવીરચરિત ૩,૩૭ જ્ઞાનેન નાનો > શાને ન પામ્યો > Mt Md ज्ञाने च नान्यो. ૧ તેવી જ રીતે ગીતાનો સુપ્રસિદ્ધ શ્લોક - અહં વૈશ્વાનરો મૂત્વા – આજે પણ અજ્ઞાની પાઠકો દ્વારા અહં હૈ શ્વા નો ભૂત્વા એ રીતે સમજાવવામાં આવે છે. મહાભારત ૧,૯૬,૪૭ અન્નવીટ્ હૈં સતીને બદલે અન્નવીદ્ધસતી'; ૩,૬૯,૨૫ ૦ત્રમ્ પણ્ અશોમનમ્ ને બદલે ત્રં परमशोभनम्. (૨) સમાનાર્થી યા વિરુદ્ધાર્થી શબ્દો યા શબ્દસમૂહો યા ઉપસર્ગોની અદલાબદલી : આ રીતે અષિ અને અમિ અથવા અતિ માં ઘણીવાર અદલાબદલી થાય છે. સરખાવોઃ રામાયણ ૧, ૧૬૪ અધિાવ્ડ વિશે પૂર્વામ્ >A ૢ K‚ અમિળ‰0. સુકથનકરે મહાભારતના ઉપોદ્ઘાત(Prolegomena)માં (પૃ.૩૭) મહાભારતમાંથી છંદની દૃષ્ટિએ સમાનતા ધરાવતા પર્યાયવાચક શબ્દોની એક લાંબી સૂચિ આપી છે. તે જ રીતે શબ્દસમૂહો માટે પણ છે. આમ શબ્દોની અદલાબદલીના ઉદાહરણ તરીકે આપણે નરેશ્વર – નરાધિપ, ૧. ડૉ. વી.એસ. સુથનકર આ પંક્તિને આ રીતે સમજાવે છે : ‘હસતી’ શબ્દમાં અર્થની પુષ્ટતા,સચોટતા ન હોવાને કારણે તે કેવળ પાદપૂરણ શબ્દ છે. અણીને સમયે તે નખરાંનો ભાવ દર્શાવે છે, જે તે પાત્રવિશેષ(અંબા)ના વર્તન સાથે તદ્દન અસંગત છે. પરંતુ ‘હૈં સતી’ માં ‘સતી' શબ્દ અર્થપ્રચુર છે. કુરુવંશ સાથેનાં તેનાં આ લગ્ન તેની પોતાની પસંદગી કરતાં પણ ચઢિયાતાં હતાં. શાલ્વ સાથે તેનું વિધિસરનું વાગ્નાન પણ થયું ન હતું. અને પોતાનો મોભો સુધારવા તે સરળતાથી શાલ્વને તરછોડી શકી હોત. તે તો તેને કેવળ માનસિક રૂપે જ વરી હતી (મનસા વૃત:). પરંતુ પોતે ‘મી' સ્રી હોવાને કારણે પોતાની પસંદગીમાંથી તે પાછી ફરે નહિ (સરખાવો – સાવિત્રી પણ) અને તે સતી (પવિત્ર કન્યા) હોવાને લીધે જ પરશુરામ તેને માટે ભીષ્મ સામે લડ્યા હતા. તેણે શિવની આરાધના કરી તેમની પાસેથી વરદાન મેળવ્યું તે પણ આને લીધે જ. એક ‘સતી’ તરીકે ભીષ્મ પ્રત્યેનો તેનો દ્વેષ બીજા જન્મે પણ ચાલુ રહે છે અને શિખંડી રૂપે પુનર્જન્મ પામી તે ભીષ્મનો વધ કરે છે. આમ આ સમસ્ત સંદર્ભમાં સતી શબ્દ કેટલો અર્થપૂર્ણ છે તે આપણે જોઈ શકીએ છીએ. હસતી પાઠ લેવાથી આ અર્થ ઢંકાઈ જાય છે અને તેને લટકાળી સ્રીરૂપે દર્શાવી સમસ્ત અર્થસંદર્ભને બગાડી મૂકે છે. આપણે ઘણીવાર એવો અર્થ સ્વીકારવા પ્રેરાઈએ છીએ જે અર્થ આપણને કદાચ સંતોષ આપે પરંતુ પ્રાચીન ઋષિઓની વિચારસરણીથી આડે રસ્તે જતો હોય. - Page #71 -------------------------------------------------------------------------- ________________ ભારતીય પાઠ-સમીક્ષા નરોત્તમ-નરર્ષમ, અને શબ્દસમૂહની અદલાબદલી માટે “નિ:શ્વસતં યથા નY' ની સામે ‘સમિવ પત્રમ્' નોંધી શકીએ. | (છ) દેખીતી રીતે બિનમહત્ત્વના જણાતા શબ્દો ઉમેરવા યા કાઢી નાખવા તે આમાં ઘણું કરીને એકાક્ષરી અવ્યયો (નિપાતો યા ઉપસર્ગો), સામાન્ય અવ્યયો અને ઉભયાન્વયી અવ્યયોનો સમાવેશ થાય છે. જેમ કે પંચતંત્ર : TA ૧૩ : થાત્ર મવાન િ વર્તુનામ: SP ૧૧૧ ૩થ મન વિક્ષ્યતિ Hp ૫૫.૪ અને Hm ૧૪.૫ મણ બ્રવીતિ. (જ) ખોટાં સંસ્મરણો યા સ્મૃતિદોષ : કોઈવાર એમ બનવા સંભવ છે કે લહિયા સમક્ષના પરિચ્છેદમાંની કોઈ એક વસ્તુને કારણે તેને કોઈ બીજી વસ્તુનું સ્મરણ થાય અને પરિણામે તે તેનાં નેત્રો સમક્ષ હોય તે લખવાને બદલે જે તેના મનમાં હોય તે વસ્તુ લખી નાખે. " જેમકે મહાભારત ૫,૧૨૭, ૨૯માં વન્દ્રિય નિતામત્ય પાઠ છે પરંતુ K D, T, G,,, -માં નિતાત્માને એવો પાઠ જોવા મળે છે. આ પાઠ શ્લોક ૨૨માં વિનિતાત્મા અને ર૭માં નિતાત્મા શબ્દ આવેલા હોવાને પરિણામે છે, જે લહિયાની સ્મૃતિમાં સચવાયેલા છે. () હાંસિયામાંના લખાણનો ગ્રંથમાં સમાવેશ કરવો તે ઃ આ લખાણમાં સમજૂતી અથવા ભાષ્ય, ઉદાહરણરૂપ ઉદ્ધરણો યા વાચકોની ટીકા-ટિપ્પણ હોઈ શકે. આ રીતે “સંદેશરાસકની હસ્તપ્રતમાં (ભાંડારકર ઈન્સ્ટિટ્યૂટમાંના હસ્તપ્રતોના સરકારી સંગ્રહનો ક્રમાંક ૧૮૧/૧૮૮૧-૮૨) ગ્રંથમાં જ આવી ગયેલી કેટલીક છંદોની વ્યાખ્યાઓને મુખ્ય પાઠમાં સમાવવામાં આવી છે. મૂળમાં આ પરિચ્છેદો હાંસિયામાં લખાયેલા હોવા જોઈએ અને પાછળથી ગ્રંથના પાઠમાં પછીના કોઈ પ્રતિલિપિકારે સમાવી લીધા હોવા જોઈએ. 0 (2) પ્રક્ષેપઃ પ્રક્ષેપ એટલે મૂળ પાઠમાં જાણી જોઈને કરવામાં આવેલા વધારાઘટાડા. પ્રતિલિપિ તૈયાર કરતી વખતે અજાણપણે જે ભૂલો થતી હોય છે તમને સુધારવાનો આમાં આશય હોય છે. પ્રક્ષેપ માટે હંમેશા કોઈ ને કોઈ હેતુ હોય છે; જેમ કે, પાઠમાં કોઈ દેખીતી અશુદ્ધિ યા લુપ્તાં(lacuna)ને આમાં સુધારવાનો પ્રયાસ કરવામાં આવે છે. અને ઘણીવાર આ કાર્ય બિન-આવડતભરી રીતે થતું હોય છે. પ્રક્ષેપ(જનો અર્થ સંસ્કારવું, સુધારવું એવો થાય છે)માં વધારો તેમજ ઘટાડો એ બંનેનો સમાવેશ થાય છે. પરંતુ આ ઘટાડા જયારે યોજનાપૂર્વક કર્યા હોય ત્યારે તેમને શોધી કાઢવા મુશ્કેલ બને છે. સામાન્ય રીતે પરિવર્તન યોજનાપૂર્વક કરવામાં આવ્યું છે કે કેમ તે કહેવું ઘણીવાર કઠિન હોય છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ સંચરિત પાઠમાં પ્રવેશતી અશુદ્ધિઓનાં કારણો : આ દિશામાં ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટમાં કરવામાં આવેલ મહાભારતના અભ્યાસમાંથી મળેલા અનુભવને આધારે પ્રક્ષેપોનું આપણે નીચે પ્રમાણે વર્ગીકરણ કરી શકીએ - ૧. પાઠની અંદર રહેલી કેટલીક આંતરિક મુશ્કેલીઓને નિવારવા અવેજી (substitution)નો આશ્રય લેવામાં આવે છે. (અ) કેટલીક હસ્તપ્રતોમાં લહિયા અથવા સમીક્ષકો (redactors) દ્વારા મૂળપાઠના સ્વર સન્ધિના અભાવવાળા અંશhiatus)ને નિવારવા ગુપચુપ કરાયેલા પ્રયત્ન જણાઈ આવે છે. સરખાવો - Polegomena, પૃ.૯૩. (આ) છંદની મર્યાદાથી વધુ અક્ષરો ધરાવતી (hyper-metric) પંક્તિઓને સુધારવાના પ્રયત્ન : ૧, ૨૦ વિનતાં વિષાણવનાં > v.૧. વિષહપ વિનામ, વિનતાં વીનવતનામ, વિષUવનાં | (ઈ) વ્યાકરણની દૃષ્ટિએ અશુદ્ધ પ્રયોગોને દૂર કરવાના પ્રયાસ :- મહાભારત ૫,૮૬, ૧૬ થતો વિમાનીમવત્ : S માં વિના વ્યથિતોડવ. (ઈ) આર્ષપ્રયોગ અને કઠિન યા અપરિચિત શબ્દો અને શબ્દસમૂહોનું નિવારણ મહાભારત ૫,૩૪,૭૮ N અપાવીનર : આ સપનોતાન. (ઉ) કઠિન અથવા વિચિત્ર વાક્યરચના અથવા અર્થમાં સુધારો કરવો : મહાભારત ૫,૭,૨૯ N si વાપહૃત સાત્વા યુદ્ધાનું કેને નિતં નમ્l >s wi चापि महाबाहुमामन्त्र्य भरतर्षभ । ૨. અમર્યાદિત ઉમેરણો : આ ઉમેરણો એક પંક્તિ કે શ્લોક ઉમેરવાથી માંડીને એક લાંબો પરિચ્છેદ કે પછી આખો અધ્યાય યા કાવ્યની રચના સુધીનાં પણ હોઈ શકે છે. પરંતુ આવા પ્રક્ષેપોનું કર્તુત્વ પ્રતિલિપિકારોને લાગુ પાડી શકાય નહીં. હસ્તપ્રતના સમીક્ષકો (redactors) પાસે આધારસામગ્રી તરીકે વિપુલ પ્રમાણમાં સમાન્તર સાહિત્ય ઉપલબ્ધ થયેલું હોવું જોઈએ. (અ) સૂચિમાં ઉલ્લેખાયેલી વિગતોમાં વૃદ્ધિ કરવી અથવા વર્ણનમાં વધુ વિગતો ઉમેરી તેને સંપૂર્ણ બનાવવું. સરખાવો સુકથનકર Prolegomena પૃ.૩૮ થી...... (આ) કથાઓ, હેતુઓ (motives) યા વાર્તાલાપોની પૂર્વ-કલ્પના યા પુનરાવર્તન. . () પ્રસંગોને સર્વ પ્રકારે અનુરૂપ એવાં નૈતિક, ધાર્મિક અથવા સૂત્રાત્મક સુવાક્યોનો પ્રયોગ. Page #73 -------------------------------------------------------------------------- ________________ ભારતીય પાઠ-સમીક્ષા (ઈ) સૈદ્ધાંતિક યા સામ્પ્રદાયિક પ્રક્ષેપો જેમ કે રામાયણમાં R ૫,૨૭, ૨૦૩૨ માં રામાનુજ સમ્પ્રદાયનો સિદ્ધાંત સમાયેલો છે, કારણ કે તે પરિચ્છેદમાં રામનું ઈશ્વરના અવતાર રૂપે નિરૂપણ છે. (ઉ) લુપ્તાંશ(સાચા યા કાલ્પનિક)ની પૂર્તિ કરવાના આશયથી કરવામાં આવતા વધારા : મહાભારત ૧, ૪૮૨. () પ્રક્ષેપોનું સુસંગતીકરણ અર્થાતુ પરસ્પર વિસંવાદી પરિચ્છેદોને સુસંવાદી બનાવવાનો પ્રયાસઃ સરખાવો-મહાભારતના મુંબઈના સંપાદનનો ૧૩૯મો અધ્યાય (મહાભારતની ભાંડારકર ઈન્સ્ટિટ્યૂટની સમીક્ષાત્મક આવૃત્તિનું પરિશિષ્ટ-૧, ક્રમાંક ૮૦). આ એક જ જગ્યાએ રાજગાદીના સ્પષ્ટ વારસદાર તરીકે યુધિષ્ઠિરની નિશ્ચિત સ્થાપના અને પોતાના જ ગુરુ સામે યુદ્ધ કરવાના પાપમાંથી અર્જુનની મુક્તિનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. (8) અભિનેતા (નટ) દ્વારા થતા પ્રક્ષેપ : આ પ્રક્ષેપ રંગમંચ પર ભજવવામાં આવતાં નાટકોમાં થાય છે. ઉદાહરણ તરીકે, કાલિદાસના શાકુન્તલ'ની કેટલીક વાચનાઓ માટે આ પ્રકારના પ્રક્ષેપોને ઘણું કરીને કારણભૂત માનવામાં આવ્યા છે. આ ચર્ચા પરથી સ્પષ્ટ થશે કે ઘણીવાર પાઠની અશુદ્ધિ પેદા કરવામાં એક કરતાં વધુ કારણો જવાબદાર હોય છે. અને તેથી અમુક પ્રસંગે અમુક જ કારણ જવાબદાર છે એવું નિશ્ચિત વિધાન હંમેશાં શક્ય હોતું નથી. આવા પ્રસંગોએ પદ્ધતિ એ છે કે જે કારણો સૌથી વ્યાપક રીતે કાર્યશીલ હોવાનું જાણીતું હોય તેમને પ્રથમ પસંદગી આપવી જોઈએ, અને બાકીનાં કારણોને સંભવતઃ યા નિશ્ચયાત્મક રીતે જવાબદાર લેખી શકાય. વળી એ પણ સારી રીતે સ્વીકારાયેલું છે કે એક અશુદ્ધિ અન્ય અશુદ્ધિની જન્મદાત્રી છે. આથી ફળસ્વરૂપે પાઠ્યગ્રંથને તેના શુદ્ધ સ્વરૂપે સાચવવામાં ગમે તે કારણે બહિરંગ અને અંતરંગ એ ઉભય પ્રકારની પરિસ્થિતિઓ પ્રતિકૂળ હોય તો એ અશુદ્ધિઓ અને તેમનાં કારણો શોધી પાઠની સ્થાપના કરવાનું કાર્ય પાઠ-સંપાદકની શક્તિ બહારનું હોવા સંભવ છે, કારણ કે પાઠનો બગાડ એટલો ઝડપી હોય છે કે નિત્ય નવીન અશુદ્ધિઓ મૂળ પાઠને ઢાંકી દે છે અથવા તેને સ્થાનભ્રષ્ટ કરી દે છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૬ સંશોધન પાઠ્યગ્રંથના સ્વરૂપ, સ્થિતિ અને વિષયવસ્તુ (contents) વિષે નિર્ણય બાંધવામાં આવે તે પહેલાં, ગત પ્રકરણમાં દર્શાવ્યા પ્રમાણેની સંચરણ સમયે પાઠમાં પ્રવેશતી અશુદ્ધિઓ અને અવ્યવસ્થાઓના વિવિધ પ્રકારોનું જ્ઞાન હોવું અત્યંત જરૂરી છે. સંસ્કરણ (recension) દ્વારા સંપાદક સંચારિત પાડ્યગ્રંથના સૌથી પ્રાચીન સ્વરૂપ સુધી પહોંચી શકે છે. અને આમાં તેનું કાર્ય એક પ્રામાણિક માણસ તરીકેનું રહે છે, અને તે પણ પાઠવિષયક પુરાતત્ત્વવેત્તા તરીકેનું, પાઠ-સમીક્ષક તરીકેનું નહિ; કારણ કે ગ્રંથને શક્ય હોય ત્યાં સુધી, તેના મૂળ સ્વરૂપ સુધી લઈ જવાનું કાર્ય હજુ બાકી રહે છે; અને પાઠ્યગ્રંથનું મૂળ સ્વરૂપ એટલે લેખકને અભિપ્રેત સ્વરૂપ અર્થાત્ લેખકે જ લખ્યું હોય તે સ્વરૂપ. આથી સંપાદકે સર્વપ્રથમ આ પ્રશ્ન પોતાની જાતને પૂછવાનો છે “પ્રાચીન લેખકે અહીં આ લખ્યું હોવાની સંભાવના છે?' આ પ્રશ્નનો નિર્ણય કરતી વખતે આપણે લેખકની શૈલી અને તેના વિચાર તથા વિશિષ્ટ સંદર્ભને લક્ષમાં લેવાં જોઈએ. નિષેધાત્મક રીતે વિચારીએ તો આપણે ઠીકઠીક નિશ્ચિતતાથી કહી શકીએ કે અમુક પાઠ મૂળ પાઠ હોવાનું શક્ય નથી. પરંતુ વિધેયાત્મક રીતે જોઈએ તો આવી કસોટી હંમેશાં નિર્ણયાત્મક ન પણ હોય. અહીં આપણે લેખકની શૈલી, તેના વિચાર અને વિશિષ્ટ સંદર્ભ વિષેના આપણા પોતાના ખ્યાલો મંતવ્યો વડે દોરાતા હોઈએ છીએ. આવા પ્રસંગોએ સમાન રીતે કાર્યદક્ષ નિર્ણાયકોના નિષ્કર્ષ પણ જુદા જુદા હોય એ સંભવિત છે. આ વિવિધ નિષ્કર્ષોમાંના પ્રત્યેકને માટે સંભાવનાની માત્રા કેટલી તે આપણે શી રીતે ચકાસવું ? અને પરસ્પર વિરોધી સૂચનો વચ્ચે આપણે પસંદગીનો નિર્ણય શી રીતે કરવો? ” આથી સંસ્કરણની પ્રક્રિયા દ્વારા સંપાદકે જે પાઠોનો નિર્ણય કર્યો હોય તે પાઠોના આંતરિક સ્વરૂપને તેણે લક્ષમાં લેવું જોઈએ. જો સંચારિત પાઠ (હસ્તપ્રતોમાં જેના વિષે એકરૂપતા પ્રવર્તે છે તેવો પાઠ) અથવા “પારંપરિક પાઠ (જેને વિભિન્ન હસ્તપ્રતો તેમ જ પ્રત્યક્ષ સહાયક પ્રમાણો (testimonia) એ બંનેનો ટેકો હોય એવો પાઠ) સદંતર અર્થહીન Page #75 -------------------------------------------------------------------------- ________________ ભારતીય પાઠ-સમીક્ષા હોય અથવા પરિચ્છેદમાં કે તેના અત્યંત નજીકના સંદર્ભમાં કોઈ ગંભીર વિરોધાભાસ પેદા કરતો હોય અથવા તો કૃતિનું સ્વરૂપ, વાક્યરચના, શબ્દપ્રયોગ, લેખકનું વૈશિષ્ટય આદિમાંથી નોંધપાત્ર અને ન સમજાવી શકાય તેવું વિચલન દર્શાવતો હોય કે પછી કોઈ નિરુદ્દેશ પુનરુક્તિ અથવા લેખકે પાળેલા છંદ અને લયના નિયમોનું ઉલ્લંઘન દર્શાવતો હોય અથવા પૂર્વાપર સંદર્ભનો દેખીતો અને નિષ્કારણ ભંગ કરતો હોય, વિચાર-શૃંખલામાં અક્ષમ્ય અવ્યવસ્થા પેદા કરતો હોય, તો આપણે કહી શકીએ કે તે પાઠ અશુદ્ધ છે; પછી ભલે તેના પક્ષમાં ગમે તેટલાં બાહ્ય પ્રમાણો પ્રાપ્ત થતાં હોય. જો આ અશુદ્ધિ દૂર ન કરી શકાય તેવી હોય તો તે પાઠને અત્યંત અશુદ્ધ સમજી તેનો અસ્વીકાર કરવો ઘટે. પરંતુ ઘણે પ્રસંગે એવું બનતું હોય છે કે આપણે આમાંથી કોઈ ને કોઈ માર્ગ કે ઉપાય શોધી શકીએ છીએ અને આવે પ્રસંગે આપણે લેખકની લાક્ષણિકતાને અનુરૂપ અને પાઠના અર્થ, સંદર્ભ, વ્યાકરણ, શૈલી, છંદ અને લય આદિને સર્વ પ્રકારે સંતોષે એવું સંશોધન કરી શકીએ તો તેને ‘આન્તર સંભાવનાયુક્ત’ સંશોધન કહી શકીએ. પાઠની ‘આંતર યા અંતરંગ સંભાવના’(intrinsic probability) પાઠ્યગ્રંથના મૂળ લેખક સાથે જ સંબંધ ધરાવે છે, અને હસ્તપ્રતના લહિયા સાથે તેને કોઈ સંબંધ હોતો નથી. આ ઉપરાંત આપણે સૂચવેલો પાઠ જો આગળના પ્રકરણમાં દર્શાવી છે તે પ્રકારની અશુદ્ધિની નિશ્ચિત થયેલી પ્રક્રિયાઓ દ્વારા પરંપરાથી પ્રાપ્ત થયેલા (અર્થાત્ સંચરિત) પાઠ રૂપે અશુદ્ધ થયો હોય તો આપણે એમ પ્રતિપાદિત કરી શકીએ કે આપણા સૂચન અથવા અનુમાનને અંતરંગ તેમજ બહિરંગ એમ ઉભય પ્રકારની સંભાવનાઓનો ટેકો છે. આ પ્રકારે કરેલા અનુમાન અથવા પ્રસ્તાવને ‘અનુલેખનીય’ (અથવા ‘પ્રતિલિપીય’) (transcriptional) સંભાવના (જેને ‘દસ્તાવેજીય’ (documental અથવા documentary) સંભાવના પણ કહે છે) નો પણ આધાર હોવો જોઈએ; એટલે કે લહિયા દ્વારા આવી ભૂલ કઈ રીતે થઈ તે સમજાવી શકાય તેમ હોવું જોઈએ, અને એ માટે તેને પુરાલિપિશાસ્ત્રનો આધાર હોવો જરૂરી છે. બીજા શબ્દોમાં કહીએ તો, જો અમુક ઊતરી આવેલા (સંચારિત) પાઠો, જેમને અન્ય કારણોસર મૂલાદર્શના પાઠ હોવાનું માનવામાં આવે છે, તેઓ અન્ય (સૂચિત) પાઠોનાં શબ્દશઃ (literal) અશુદ્ધ રૂપ હોવાનું સમજાવી શકાય એવું જો આપણને જણાય, તો સૂચિત પાઠ ‘અનુલેખનીય સંભાવના યુક્ત' છે એમ કહેવાય. જે રીતે પાઠની આંતર સંભાવના કેવળ મૂળ લેખક સાથે સંબંધ ધરાવે છે અને હસ્તપ્રતના લહિયા સાથે તેને કોઈ સંબંધ હોતો નથી, તે જ રીતે પાઠની દસ્તાવેજીય સંભાવના કેવળ હસ્તપ્રતના લહિયા સાથે સંબંધ ધરાવે છે અને મૂળ લેખક સાથે તેને કોઈ Page #76 -------------------------------------------------------------------------- ________________ સંશોધન સંબંધ હોતો નથી. બીજા શબ્દોમાં કહીએ તો, ધારો કે કઢ:, શ્રદ્ધા અને કર્ણ: એમ ત્રણ પાઠાન્તરો છે. આ ત્રણ પાઠમાંથી એવો કયો પાઠ છે કે જેમાંથી બાકીના બે પાઠ ઉદ્ભવ્યા હોય તેમ સૌથી વધુ સારી રીતે સમજાવી શકાય ? આ પ્રશ્નને ત્રણેય પાઠોની આંતરિક યોગ્યતા સાથે એટલે કે તેમની તુલનાત્મક ગુણવત્તા સાથે કંઈ જ લેવાદેવા નથી. તેનો સંબંધ કેવળ લહિયાઓ દ્વારા થતા સંચારણ સાથે છે. એટલે કે ઢ: ને જો મૂળ પાઠ તરીકે સ્વીકારવામાં આવે તો તેમાંથી શ્રદ્ધા અને કર્ણઃ એ બે પાઠોની વિકૃતિ કઈ રીતે થઈ તે આપણે સૂચવી શકીશું? આને “અનુલેખનીય સંભાવના' (transcriptional probability) ની કસોટી કહે છે. હવે આપણે કલ્પી લઈએ કે સંપાદકે સંસ્કરણ તૈયાર (પાઠ-ચયન) કરવાનું પોતાનું કાર્ય પાઠ-સમીક્ષાએ પેઢીઓના અવિરત પરિશ્રમ દ્વારા જે કસોટીઓ તારવી છે તે સર્વનો ઉપયોગ કરી કાળજીપૂર્વક અને પ્રામાણિક્તાથી કર્યું છે. આવી પ્રત્યેક ચકાસણી પછી ચાર પ્રકારના નિર્ણય શક્ય છે : (૧) સ્વીકાર (૨) સંશય (૩) અસ્વીકાર અને (૪) પરિવર્તન. (પરિવર્તનને બીજા શબ્દોમાં “સંશોધન” કહી શકાય.) એટલે કે સમીક્ષક વિચારપુર સર કહી શકે કે સંચરિત પાઠ લેખકનો જ લખેલો છેઅર્થાત લેખકે લખ્યો હોવાની સંપૂર્ણ સંભાવના છે; અથવા તે પાઠ લેખકે લખ્યો હશે કે કેમ તે શંકાસ્પદ છે; અથવા તે પાઠ લેખકે લખ્યો નથી; અથવા અંતમાં તે પાઠને સ્થાને લેખકે જ લખ્યો હોય એવો બીજે પાઠ મૂકી શકાય તેમ છે. પ્રથમ ત્રણ નિષ્કર્ષોમાં (અર્થાત્ સ્વીકાર, સંશય અને અસ્વીકારમાં) કેવળ આંતર સંભાવનાને લક્ષમાં રાખીને સમીક્ષકે નિર્ણય કરવાનો હોય છે. પરંતુ અંતિમ નિષ્કર્ષમાં (અર્થાત્ સંશોધનમાં) અનુલેખનીય સંભાવનાને પણ લક્ષમાં લેવી જરૂરી છે. - જ્યારે આપણને દસ્તાવેજો અર્થાત્ હસ્તપ્રતો દ્વારા પ્રાપ્ત થતા એક યા વધુ પાઠ અસંભવિત જણાય ત્યારે લેખકનો પાઠ પ્રાપ્ત કરવાનો એક માત્ર ઉપાય અનુમાનાત્મક સંશોધન છે. આ પ્રકારના સંશોધનમાં આંતર તેમજ દસ્તાવેજીય (યા અનુલેખનીય) એમ ઉભય પ્રકારની સંભાવનાઓ સંતોષાવી જોઈએ. સંશયાત્મક પાઠોની બાબતમાં પણ આ કસોટીઓ લાગુ પાડવી જોઈએ. જે પાઠાન્તર આ કસોટીઓને સર્વાધિક રીતે સંતોષે ૧. મહાભારતના ૧,૫૭,૭માં આ તેમજ રૂમ, , શ્રેષ્ઠ:, ૩ઃ આદિ અન્ય પાઠાન્તરોને “કઠિન પાઠ' (lectio difficilior) ના સિદ્ધાંતને કારણે ઉદ્ભવતાં પાઠાંતરનાં ઉદાહરણ તરીકે ઉદ્ધત કરવામાં આવ્યાં છે. સરખાવો Prolegomena પૃ.૪૨. આ “કઠિન પાઠનું નિવારણ કરતી વખતે પણ તે પાઠને સ્વરૂપ અથવા ધ્વનિની દૃષ્ટિએ સૌથી નજીક એવાં પાઠાન્તરો સ્વીકારવામાં અનુલેખનીય સંભાવના (transcripHonal probability)નો જ સ્વીકાર થતો જણાય છે.. Page #77 -------------------------------------------------------------------------- ________________ ભારતીય પાઠ-સમીક્ષા તેને આપણે સ્વીકારીએ છીએ. પરંતુ અનુમાનાત્મક સંશોધન તો તેમને સંપૂર્ણ રીતે સંતોષતું હોય તે જોવું આપણે માટે જરૂરી છે. જ્યાં સુધી અનુમાન ચોક્કસાઈપૂર્વક અને સંપૂર્ણતઃ બંધ ન બેસે ત્યાં સુધી તે સંભાવનાની કોટિથી આગળ નિશ્ચિતતા યા પ્રાયઃ નિશ્ચિતતાની કોટિએ પહોંચી શકે નહીં. જો કોઈ સૂચિત સંશોધન અંતરંગ અને અનુલેખનીય એમ ઉભય પ્રકારની સંભાવનાઓને એકસાથે ન સંતોષી શકે, તો તે સંભાવનાઓનું તુલનાત્મક મહત્ત્વ આ પ્રમાણે છે. જે સંશોધન દસ્તાવેજીય સંભાવનાનું ઉલ્લંઘન કરતું હોય પરંતુ આંતર સંભાવનાને સંતોષતું હોય તે સંશોધન સંભવતઃ સાચું હોઈ શકે, જો કે તેની સચ્ચાઈ સ્વીકારી લેવાનો આપણને કોઈ હક્ક નથી; જ્યારે બીજી બાજુએ જે સંશોધન દસ્તાવેજીય સંભાવનાને સંતોષતુ હોય પરંતુ આંતર સંભાવનાનું ઉલ્લંઘન કરતું હોય તેને સદંતર અર્થહીન - અસ્વીકાર્ય સમજવું. અને આથી આ એક સિદ્ધાંતવચન છે કે સારો પાઠસમીક્ષક કેવળ પુરાલિપિશાસ્ત્રજ્ઞ કરતાં કંઈક વિશેષ યોગ્યતા ધરાવતો હોવો જોઈએ. " અંતરંગ સંભાવનાઓનું સમુચિત મૂલ્યાંકન કરવા માટે દસ્તાવેજીય યા બહિરંગ સંભાવના માટે જોઈએ છે તે કરતાં વધુ જ્ઞાન, નિર્ણયશક્તિ અને અંતર્દષ્ટિની જરૂર રહે છે. આમ અનુમાનાત્મક સંશોધન એ પાઠ-સમીક્ષકનું સૌથી મહત્ત્વપૂર્ણ અને સૌથી કઠિન કાર્ય છે. એવા પણ કેટલાક પ્રસંગો હોય છે કે જ્યારે આવું અનુમાનાત્મક સંશોધન પણ મદદરૂપ થતું નથી. ઉદાહરણ તરીકે, જયારે અશુદ્ધ પાઠ આપણા મૂલાદર્શ (archetype) ના સમય પૂર્વે જ લેખકની સ્વહસ્તપ્રતથી અતિ નજીકના સમયથી ગ્રંથમાં પ્રવેશી ચૂક્યો હોય, ત્યારે સામાન્ય રીતે આપણે જેને અનુલેખનીય સંભાવના કહીએ છીએ તેનો આશ્રય લઈ શકાય નહીં. કારણ કે લેખકની સ્વહસ્તપ્રત અને મૂલાદર્શનો નિશ્ચિત સમય અને તેમના વચ્ચેના સમયના ગાળાનું જ્ઞાન હોય તો જ મૂલાદર્શના પાઠ(સંચારિત પાઠ)માં પહેલેથી જ પ્રવેશી ચૂકેલ અશુદ્ધ પાઠનો અનુલેખનીય સંભાવનાને આધારે નિર્ણય લઈ શકે. આવે સમયે સંશોધન એક સુભગ તર્ક જેવું જ બની રહે છે. આ પ્રકારનું “ભવિષ્યકથન' પ્રસંગોપાત્ત નવાં પ્રમાણો ઉપલબ્ધ થતાં યથાર્થ હોવાનું પણ સાબિત થઈ શકે. આમ લેખકની પ્રતના પાઠ-નિર્ણય માટે “સંશોધન પદ્ધતિના પ્રયોગમાં ભયસ્થાનો રહેલાં છે, જેમનો સામનો અને શક્ય હોય ત્યાં ઉપાય પણ કરવો જ રહ્યો. બંને પ્રકારની સંભાવનાઓ સંતોષાતી હોય તો પણ તે સંપૂર્ણ રીતે સંતોષાતી ન હોય ત્યાં સુધી તે પાઠ સંભવિત જ રહે છે. અને સંભાવનાઓ પૂર્ણ રીતે સંતોષાય એવું હંમેશાં બનતું નથી. 2. “A good critic must be something more than a mere palaeographer." - Hall. p.153. Page #78 -------------------------------------------------------------------------- ________________ સંશોધન.. Fe ઉદાહરણ તરીકે, મહાભારતના સમીક્ષાત્મક સંપાદનમાં સંશોધનને અતિ ગૌણ સ્થાન આપવામાં આવ્યું છે. અહીં સામાન્ય રીતે સંશોધનને બદલે અર્થઘટનને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. સુકથનકર કહે છે કે - ‘અશુદ્ધ પરિચ્છેદોમાં પણ કોઈ ને કોઈ હસ્તપ્રતનો પાઠ તો એવો હોય છે કે જેનો અર્થ બંધબેસતો થાય, પછી ભલે તે અર્થ મૂળ પ્રતનો અર્થ ન પણ હોય, તેમ જ તે અર્થ સંપૂર્ણપણે સંતોષકારક અર્થ પણ ન હોય. તેમ છતાં ઉતાવળિયું સંશોધન પસંદ કરવા જેવું નથી. કારણ કે અનુભવે જણાયું છે કે વિદ્વાનો દ્વારા કરવામાં આવેલા સુધારાઓનો પણ ઘણો નાનો ભાગ સાચા અર્થમાં સંશોધન ગણી શકાય એવો હોય છે. તદુપરાંત મહાભારત જેવા ગ્રંથ-વિશેષની બાબતમાં તો, હજુ સુધી તત્કાલીન રૂઢિપ્રયોગ તથા તત્કાલીન સમાજ વિષે આપણે બહુ ઓછું જાણીએ છીએ. મહાભારતના પાઠમાં થયેલાં પરિવર્તનોથી પણ આપણે પ્રાયઃ અજ્ઞાત છીએ.વળી મૂળ મહાભારત ભાષાકીય દૃષ્ટિએ એકરૂપ અને કોઈ નિશ્ચિત સિદ્ધાંત કે આદર્શ (norm) ને અનુસરનારું હતું એમ પણ કોણ કહી શકશે ?’ ન ઉપર મુજબ સુકથનકરે જે મહાભારત માટે કહ્યું છે તે એક લેખકની ન હોય તેવી અન્ય પ્રકારની કૃતિઓને પણ સમાન રીતે લાગુ પડે છે. અનુકૂળ સંયોગોમાં સંશોધનનો આશ્રય ત્યારે જ લેવાનો છે જ્યારે શાસ્ત્રીય અર્થઘટનની બીજી બધી જ કસોટીઓ નિષ્ફળ જાય. વળી સંશોધનનો આશ્રય તો વિભિન્ન અને વિસંવાદી હસ્તપ્રત-પ્રમાણને એકરૂપ બનાવવા માટે જ લેવો જોઈએ. હસ્તપ્રતોના સ્પષ્ટ અને સર્વાનુમતિ ધરાવતા પ્રમાણથી વિરુદ્ધ જઈને કદાપિ નહિ. આમ સંશોધન એટલે જ્યારે હસ્તપ્રતના અમુક પાઠમાંથી કોઈ અર્થ ન નીકળતો હોય અથવા સંતોષકારક અર્થ ન નીકળતો હોય ત્યારે તેમાંથી વધુ સારો અર્થ કાઢવા જેને આપણે સામાન્ય અર્થમાં સુધારાવધારા કહીએ છીએ તે નથી. સંશોધન એ તો હસ્તપ્રતોના વિસંવાદી પાઠો જે તરફ સંકેત કરતા હોય તે સંભવિત પાઠ શોધી કાઢવાનો પ્રયાસ છે એમ કહી શકાય. આ સિદ્ધાન્તને અનુસરીને સુકથનકરે ૭૦૦૦ થી ૮૦૦૦ શ્લોકોવાળા બૃહત્કાય આદિપર્વમાં બધાં મળીને કેવળ છત્રીસ સંશોધન કર્યાં છે. અને તે પણ ઘણું કરીને માત્ર એક એક શબ્દનાં જ છે. આ સિદ્ધાન્તની સચ્ચાઈ નેપાળમાંથી શોધાયેલી આદિપર્વની સૌથી પ્રાચીન ઉપલબ્ધ હસ્તપ્રત દ્વારા સાબિત થઈ છે, જેમાં આમાંના પચાસ ટકા જેટલાં સંશોધનોને અનુરૂપ પાઠ જોવા મળે છે. પરંતુ ઉપર જે કહ્યું તે વ્યક્તિગત લેખકોની કૃતિઓને સંપૂર્ણ રીતે લાગુ પડે એ જરૂરી નથી. અહીં પરિસ્થિતિ કંઈક જુદી હોય છે. અહીં આપણે વર્તમાન હસ્તપ્રતોમાં સચવાયેલ પાઠમાંના વિશુદ્ધ પરિચ્છેદોના પ્રમાણને આધારે લેખકની શૈલી, શબ્દ-વિન્યાસ, વિચાર અને તેની સ્વભાવગત લાક્ષણિકતાઓનો પણ અભ્યાસ કરીએ છીએ. આવાં 3. Prolegomea પૃ.૯૨ Page #79 -------------------------------------------------------------------------- ________________ ભારતીય પાઠ-સમીક્ષા પ્રાચીન સમાન્તરો (parallels) તેમનાં આધુનિક અનુરૂપો (correspondents) કરતાં અનેક ગણાં કિંમતી હોય છે. તેમના કુશળ ઉપયોગ દ્વારા જો આ પ્રકરણમાં દર્શાવેલી બે પ્રકારની સંભાવનાઓ સંતોષાતી હોય તો આપણે સંચરણ દરમ્યાન દૂષિત બનેલા પાઠને સંતોષકારક રીતે સુધારી શકીએ. પરંતુ આવાં પ્રાચીન સમાન્તરોના અભાવમાં જ્યારે આપણે બે પાઠાન્તરો (variants) વચ્ચે પસંદગી કરવાની હોય ત્યારે આંતરિક ગુણવત્તાની કસોટી આપણને એવા પાઠને પસંદગી આપવા પ્રેરિત કરશે, જે આપણા પોતાના મત પ્રમાણે લેખકના અભિપ્રાય સાથે સૌથી વધુ મળતો હોય. અને એમ બની શકે છે કે આપણે તેના અભિપ્રાયનો એક અંશ માત્ર જોયો હોય. સંભવિત છે કે જે પાઠનો આપણે અસ્વીકાર કરીએ છીએ તે પાઠને લેખકે પસંદ કરેલો હોય. એ સંભવિત છે કારણ કે તે પાઠમાં વિચાર યા ભાવનાનું કોઈ એવું તત્ત્વ અભિવ્યક્ત થયેલું હોય, જે લેખકને અભિપ્રેત છે, પરંતુ જેને આપણે પકડી શક્યા નથી. જો પાઠાન્તરોની બાબતમાં આમ બનતું હોય તો લેખકની ચિત્તવૃત્તિ અને અભિવ્યક્તિની રીતના પૂરતા જ્ઞાન વિના આપણે પાઠમાં સંશોધન કરવાની કોશિક કરીએ તો તેથી પણ વધુ ગંભીર ભૂલો કરીએ એ સંભવિત છે. આમ જયારે સંશોધનનો પ્રશ્ન ઉદ્ભવે, ત્યારે આપણે આત્મલક્ષી નિર્ણયથી દૂર રહેવા અને પાઠ્યગ્રંથમાં જ તેના દૂષિત નહિ થયેલા પરિચ્છેદોમાંથી પ્રાચીન સમાન્તરો શોધી કાઢવા પ્રયત્ન કરવો જોઈએ. - વર્તમાન સમયમાં પાઠ-સંપાદકોની બે વિચારધારાઓ પ્રચલિત છે. આપણે જો આપણું કાર્ય સૌથી વધુ સંતોષકારક રીતે કરવું હોય તો આપણે એ બેમાંથી મધ્યમ માર્ગ અપનાવવો જોઈએ. એક વિચારધારા કહેવાતા “રૂઢિવાદી સંપ્રદાય (‘conservative' school) ની છે. તેઓ જેને કેટલીક વાર “શાસ્ત્રીય અર્થઘટન (scientific interpretation) કહેવામાં આવે છે, તે પદ્ધતિ દ્વારા, સંશોધનનું જે ઉચિત ક્ષેત્ર છે, કે પાઠમાં જે સંપૂર્ણપણે દૂષિત અંશ હોય તેને દૂર કરવો તેમાંથી તેને બહાર ધકેલી કાઢવા પ્રયત્ન કરે છે. ખાસ કરીને પાશ્ચાત્ય વિદ્વાનો આ પદ્ધતિ અપનાવતા જણાય છે. તે પદ્ધતિના બે પ્રકાર છે. પ્રથમ તો પાઠમાંથી બળજબરીથી મારી-મચડીને) એવો અર્થ ખેંચી કાઢવો જે શબ્દોમાંથી નીકળતો જ ન હોય અને સંદર્ભ દ્વારા તેની જરૂરિયાત ઊભી થઈ ન જણાઈ હોત તો જે અર્થ તેમાંથી ઉદ્ભવ્યો પણ ન હોત. ભાષાન્તરના ઉપયોગથી આ કાર્ય સરળ બને છે, જે એક ભાષામાંના વિચારોને બીજી ભાષામાં અભિવ્યક્ત કરવા માટેનું આવશ્યક સાધન છે. પરંતુ આ પ્રકારની નિરૂપણપદ્ધતિ ઘણી જ અપૂર્ણ છે. આપણે એવાં કૃત્રિમ અને સંદિગ્ધ ભાષાન્તરો આપણા તથા બીજાઓ પર સહેલાઈથી લાદી શકીએ. વેદ પરનાં ભાગોમાં આનાં સંખ્યાબંધ ઉદાહરણો જોવા મળે છે. વળી ખાસ કરીને મૃત ભાષાઓ સાથેના વ્યવહારમાં આપણી સમક્ષ એક વધુ સૂક્ષ્મ ભય તોળાઈ રહે છે, અને તે એ કે આપણે અહીં એવા અર્થ સાથે સંમત થઈએ છીએ જે આપણને સંતોષ આપે છે, પરંતુ Page #80 -------------------------------------------------------------------------- ________________ સંશોધન ૧ ગ્રંથના પ્રાચીન લેખકને જે સંતોષ અર્પી શક્યો ન હોત. ખરેખર તો આપણે આપણી સામેના પાઠના નિર્ણયને અભિરુચિ, શૈલી અને નૈતિકતાનાં આપણાં ધોરણો લાગુ પાડવાથી દૂર રહેવું ઘટે. બીજી પદ્ધતિ લેખકની સ્વભાવગત વિશિષ્ટતામાં અસાધારણતાઓ અને વિચિત્રતાઓ હોવાનું પ્રતિપાદિત કરવું તે છે, જે, જો પરંપરામાં અસંગતિ હોય તો, અવશ્યપણે પરંપરાની દોષયુકતતાને લાગુ પાડવામાં આવત. અલબત્ત સર્વોત્તમ લેખકોમાં પણ સ્ખલનો (ક્ષતિઓ) સંભવે છે, તે હકીકતને નકારી શકાય તેમ નથી. પરંતુ એ (હકીકત)ને જે સંચરિત પાઠમાંનો દોષ હોય તે મૂળગ્રંથમાંનો દોષ હશે એમ કાલ્પનિક રીતે માની લઈ, તેને તે દોષને પદ્ધતિસર રહેવા દેવા માટેનું કારણ બનાવવામાં આવે એ યોગ્ય નથી; કારણ કે આવા દોષોને જેમ હોય તેમ પાઠમાં રહેવા દેવાથી પાઠને જે નુકસાન પહોંચે છે તે તેમના પદ્ધતિસર અસ્વીકાર કરવાથી થતા નુકલાન કરતાં વધુ હોય છે. રૂઢિવાદી સમીક્ષકોની નબળાઈ એ છે કે તેઓ સંશોધનને ભોગે પાઠના અર્થઘટન અને વિવેચનની પ્રશંસા કરે છે. કેટલાક તો એટલી હદે જાય છે કે તેમને મતે પાઠનું સફળતાપૂર્વક સંશોધન કરવા કરતાં પાઠનો સફળતાપૂર્વક બચાવ કરવો તે પાઠ્યપુસ્તકની વધુ સારી સેવા છે. પરંતુ આ સાચું નથી. બંને (સંશોધન અને અર્થઘટન) આમ તો એક જ કાર્ય સાધવાનો પ્રયાસ કરે છે. અને તે એ કે પહેલાં જે અસ્પષ્ટ હતું તેને હવે સ્પષ્ટ બનાવવામાં આવ્યું છે. બીજી બાજુ આથી વિરોધી સંપ્રદાય (સંશોધનવાદી)ની ખામી એ છે કે તે અર્થઘટનનું મૂલ્ય બહુ ઓછું આંકે છે. અને સંશોધનને જ વિદ્વાન પુરુષ માટેનું યોગ્ય ક્ષેત્ર માને છે. અમદાવાદના સ્વર્ગસ્થ કેશવલાલ હર્ષદરાય ધ્રુવ આનું સારું ઉદાહરણ પૂરું પાડે છે. ‘અર્થઘટન પૂર્વે સંશોધન થવું જોઈએ' (Correction should precede interpretation.) એ સૂત્ર આ વલણનું પરિચાયક છે. પરંતુ આ સૂત્ર પણ કેવળ અર્ધસત્ય જ છે. પરિચ્છેદના સમુચિત અર્થઘટને જે અર્થે જરૂરી હોવાનું દર્શાવ્યું હોય તે અર્થ જો સંશોધન દર્શાવી ન શકે તો તે અચૂક નિષ્ફળ જવા સર્જાયું છે. રૂઢિવાદી સમીક્ષકને મુખ્યત્વે પારસ્પરિક પાઠ અને ખાસ કરીને સંચિરત પાઠ(મૂલાદર્શના પાઠ)ને સાચવવાની ચિંતા હોય છે. તે ભારપૂર્વક જણાવે છે, અને તે બરાબર પણ છે, કે જો પાઠપરિવર્તનને અમુક હદથી વધુ ખેંચી લઈ જવામાં આવશે તો તે તેના પોતાના મૂળને જ કાપી નાખશે અને કોઈ પણ પ્રકારની નિશ્ચિતતા રહેશે નહિ. આથી ઓછામાં ઓછું પરિવર્તન એ તેનું મુખ્ય લક્ષ્ય છે. ઘણા લોકો એમ ધારતા હોવાનું જણાય છે કે પાઠ્યગ્રંથમાં રહેલા પાસ્પરિક પાઠને જેમને તેમ રહેવા દેવાની યુક્તિથી સંશયાત્મક મુદ્દાઓ પર નિર્ણય લેવાનું ટાળી શકાય છે. આ નિયમ ઘણો સરળ છે અને સહેલાઈથી પ્રયોજી શકાય તેમ છે. માનવમનની (તેમનું ) સિદ્ધાંતવાક્ય છે કે - સ્થિતસ્ય ગતિશ્ચિન્તનીયા । ૪. Page #81 -------------------------------------------------------------------------- ________________ ભારતીય પાઠ-સમીક્ષા સ્વાભાવિક રચના જ એવી છે કે તેને લીધે આનાં પરિણામ એવાં આવવા સંભવ છે જેમનો કદાચ તેમણે ખ્યાલ કર્યો નથી. જ્યાં જરૂરી અર્થ દર્શાવી શકે તેવી અવેજી શક્ય હોય, પછી ભલે તે ઓછામાં ઓછું કામચલાઉ અવેજી (stop-gap) તરીકે પણ શક્ય હોય, ત્યાં પણ જો અશુદ્ધ પાઠને રહેવા દેવામાં આવે તો કાં તો તે પરિચ્છેદના અર્થને બગાડી મૂકશે અથવા તો જરૂરી અર્થની પ્રાપ્તિ અર્થે બીજા ઘટકોના અર્થને મરડવાની ફરજ પાડશે. બીજી પદ્ધતિ અનુસાર સંપાદક તેની સમીક્ષાત્મક સામગ્રીની નોંધમાં તે ગ્રંથના પાઠોનાં પ્રમાણ (evidence) વિષેની બધી જરૂરી માહિતી આપશે. પરંતુ પાઠ્યગ્રંથમાં તો જે પાઠ સંભાવનાઓની સમતુલા જાળવતો હોય તે પાઠને જ સ્થાન આપશે. પ્રત્યેક પ્રસંગે સંપાદક, તેની સમક્ષ તત્કાળ ન હોય એવા કિસ્સાઓમાં તેણે લીધેલા નિર્ણયોને ખ્યાલમાં લીધા સિવાય જ, દરેક કિસ્સાની પોતાની ગુણવત્તાને આધારે જ નિર્ણય લેશે. આમ ઉદાહરણ તરીકે, મહાભારત ૧,૯૨,૨ માં સુકથન કરે નેપાળી (N) સઘળી હસ્તપ્રતોના ફ સ્ત્રીરૂપધરિણી' એ પાઠની વિરુદ્ધ , અને K નો પાઠ “પ શ્રીસિવ રૂપી' સ્વીકાર્યો છે, જ્યારે શ્લોકના ઉત્તરાર્ધના આ જ બે હસ્તપ્રતોના ‘શયના' પાઠનો અસ્વીકાર કરી અન્ય સર્વ નેપાળી (N) પ્રતોનો ‘સતિના' પાઠ સ્વીકાર્યો છે. વિન્ટરનીટ્ઝની જેમ વિવેચક અવશ્ય પ્રશ્ન કરી શકે - 'S K, હસ્તપ્રતોના પાઠને પ્રથમ પંક્તિમાં પ્રમાણભૂત ગણ્યા અને બીજી પંક્તિમાં નહિ તેનું કારણ શું? ઉત્તર એ છે કે એમ કરવાનું કારણ એ છે કે હસ્તપ્રતોનું સ્વરૂપ તેમ જ પાઠોની આંતરિક ગુણવત્તા બંને પંક્તિઓમાં જુદી છે. જો કે પ્રસ્તુત ઉદાહરણ સંશોધનનું નથી, તેમ છતાં તે દઢતાપૂર્વક આપણા ધ્યાન પર લાવે છે કે સમીક્ષાત્મક સંસ્કરણમાં (અધિકૃત વાચનામાં) પણ આ સિદ્ધાંત પાયાનું મહત્ત્વ ધરાવે છે, અને જ્યારે સંપાદક તેના પાઠમાં સંશોધન કરવા પ્રયત્ન કરતો હોય ત્યારે આ તેથીય વિશેષ રૂપે લાગુ પડે છે. “સંશયાત્મક પાઠ” પ્રત્યે વિશેષ ધ્યાન આપવું જોઈએ અને તેમને “સંશયાત્મક રીતે સ્વીકૃત' યા “સંશયાત્મક રીતે અસ્વીકૃત પાઠ તરીકે ગ્રંથમાં અલગ દર્શાવવા જોઈએ. બહિરંગ (દસ્તાવેજીય) અને અન્તરંગ સંભાવનાની તરફેણ અને વિરોધમાં પ્રમાણો સરખાં બળવાન હોય અથવા જ્યારે દસ્તાવેજીય સંભાવના ભારપૂર્વક એક દિશા તરફ દોરતી હોય અને અંતરંગ સંભાવના બીજી દિશા તરફ લઈ જતી હોય ત્યારે ન્યાયસંગત સંશય પેદા થાય છે. જો શંકા ઉઠાવનાર વ્યક્તિએ બધા પ્રમાણોની ચકાસણી કરી હોવા વિષે જ શંકા (અચોક્કસતા) હોય ત્યારે તે સંશય ન્યાયવિરુદ્ધ છે. આવો સંશય ઘણીવાર અનુભવાતો હોય છે પણ તેનો એકરાર થતો હોતો નથી અને સમીક્ષિત ગ્રંથ પર તેની અસર અત્યંત હાનિકારક હોય છે. એક તરફ તે પરંપરાગત ૫. Annals of BORI ૧૫, પૃ.૧૬૭. ૬. એજન ૧૬, પૃ.૧૦૨-૧૦૩ Page #82 -------------------------------------------------------------------------- ________________ સંશોધન R : . પાઠોને આલોચના-સિદ્ધાંતથી પ્રતિકૂલ રીતે સ્વીકારવા તરફ પ્રેરિત કરે છે, તો બીજી તરફ ઉતાવળિયાં અને વિનાશકારી (વિધ્વંસક) અનુમાનો - અટકળોની પરંપરા સર્જે છે. - પાઠ-સમીક્ષાશાસ્ત્રની આ બે અંતિમવાદી પદ્ધતિઓમાંથી મધ્યમ માર્ગ શોધવાનો પ્રયત્ન કરીએ તો, આપણે જેને “રૂઢિગત પાઠ” (conservative text) કહી શકીએ એવા પાઠનું નિર્માણ થશે, જે પુરાતત્ત્વવેત્તાનો પાઠ પણ નહિ હોય કે સમીક્ષકનો પાઠ પણ નહિ હોય, પરંતુ બંને વચ્ચેનું સમાધાન હશે. જયારે આવો પાઠ સભાનતાપૂર્વક યા સહેતુક પ્રાપ્ત કર્યો હોય ત્યારે તે દસ્તાવેજીય સંભાવનાની તુલનામાં અંતરંગ સંભાવનાને ઓછેવત્તે અંશે વધુ અવરોધીને અથવા તો સંપાદકના ખ્યાલ પ્રમાણે પાડ્યગ્રંથમાં સ્થાન પ્રાપ્ત કરવા માટે જરૂરી ન્યૂનતમ સંભાવના ઊભી કરીને પ્રાપ્ત થાય છે. આ બંને પદ્ધતિઓ તેમના સિદ્ધાંતની દષ્ટિએ સ્વચ્છંદી અર્થાત્ અપૂર્ણ છે અને તેમના વિનિયોગમાં અચોક્કસતા પ્રવર્તવાની સંભાવના રહેલી છે. • આથી શ્રેષ્ઠ કાર્ય-પદ્ધતિ એ છે કે દસ્તાવેજો (હસ્તપ્રતો)માં પ્રાપ્ત થતાં પાઠાન્તરોને આધારે સંચરિત પાઠને શાસ્ત્રીય અર્થઘટન લાગુ પાડવું અને જ્યારે પાઠ અત્યંત ખરાબ હોય ત્યારે ખૂબ સાવચેતીપૂર્વક દસ્તાવેજીય અને આંતર સંભાવનાની બંને કસોટીઓ કામે લગાડવી અને તે દ્વારા વિસંવાદી પાઠાન્તરો ક્યા બિંદુ તરફ કેન્દ્રિત થાય છે તે કેન્દ્ર શોધી કાઢવું અને ત્યાર પછી તેને પાઠ્યગ્રંથમાં અનુમાનાત્મક સંશોધન તરીકે સ્વીકારવું. જો કોઈ પ્રાચીન સમાન્તર (parallel) પાઠ મળી આવે તો આપણે આપણા અનુમાન વિષે સંપૂર્ણપણે નિશ્ચિત બનીશું. પરંતુ જયાં એવી સમાન્તરતા ઉપલબ્ધ ન હોય ત્યાં આપણે આપણા અનુમાનની યથાર્થતા વિષે સંપૂર્ણપણે નહિ તો પણ ઠીક ઠીક પ્રમાણમાં નિશ્ચિત બની શકીશું. Page #83 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૭ પાઠ-સમીક્ષાના કેટલાક અધિનિયમો અગાઉનાં પ્રકરણોમાંથી હવે સ્પષ્ટ થશે કે વાસ્તવમાં પાઠસંપાદન એક કલા છે, જે દ્વારા પાઠ-સમીક્ષક અમુક વિશિષ્ટ સમસ્યાઓના નિરાકરણ અર્થે સામાન્ય બુદ્ધિનો કુશળતાપૂર્વક અને પદ્ધતિસર વિનિયોગ કરે છે. પ્રત્યેક અન્વેષકને આવી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. આ સમસ્યાઓના ઉકેલ માટેનું અભિસાક્ષ્ય(evidence) અહીં હસ્તપ્રતો રૂપી દસ્તાવેજોના પ્રમાણ પર આધારિત હોય છે, આથી તે છેવટે હસ્તપ્રતોના સંચારણ કાર્ય માટે જવાબદાર સાધન - માનવ - દ્વારા નિયંત્રિત બને છે. અને તેથી હસ્તપ્રતોમાં જોવા મળતી વિભિન્ન માનવનિર્મિત ક્ષતિઓ અને અશુદ્ધિઓના પ્રકારો ઉપર મુખ્યતઃ આધારિત આ પાઠસમીક્ષાના સામાન્ય નિયમો (જેમને પાઠસમીક્ષાના અધિનિયમો' કહ્યા છે)નો ઉપયોગ પણ તેમની મર્યાદિત - સબળતા(validity)ને ખ્યાલમાં રાખીને કરવો જોઈએ. પાઠસમીક્ષાનું એક અત્યંત સર્વસામાન્યપણે સ્વીકૃત સિદ્ધાંત-વાક્ય એ છે કે કઠિન પાઠને પસંદગી આપો' (Peter the harder reading). આને શાસ્ત્રીય પરિભાષામાં કઠિન અર્થાતુ દુર્બોધ પાઠ' (Lectio difficilior) કહે છે. જો કે આ સિદ્ધાંતવાક્ય સર્વત્ર નિરપવાદપણે માન્ય હોય એમ નથી. તેમ છતાં તે ઘણેખરે પ્રસંગે સાચું છે; ખાસ કરીને જ્યારે લહિયો પોતાની આદર્શ-પ્રતમાં જાણી જોઈને પરિવર્તન કરતો હોય ત્યારે આમ જ બનતું હોય છે, કારણ કે આવા પરિવર્તન પાછળનો આશય મુખ્યત્વે અર્થને સ્પષ્ટ કરવાનો હોય છે. આકસ્મિકતાને બાજુએ રાખીએ તો, આવાં વિચારપૂર્વકનાં પરિવર્તનથી પાઠ સામાન્યતઃ સમજવામાં સુગમ બને છે. પરંતુ જ્યાં અકસ્માત ભૂલ થઈ ગઈ હોય ત્યાં આ સિદ્ધાંત લાગુ પડી શકે નહિ, કારણ કે આવી આકસ્મિક ભૂલને પરિણામે ઉત્પન્ન થતો પાઠ, જો સમજી શકાય તેવો હોય તો, સાચા (મૂળ) પાઠ કરતાં સ્વાભાવિક રીતે વધુ કઠિન જ હોવાનો. ઉદાહરણ તરીકે, મહાભારતના સંચરિત પાઠમાં એવાં ઘણાં પાઠાન્તરો જોવા મળે છે કે જેમને પાઠના પુનર્નિર્માણની સામાન્ય પદ્ધતિઓથી સમજાવી Page #84 -------------------------------------------------------------------------- ________________ પાઠ-સમીક્ષાના કેટલાક અધિનિયમો o૫ ન શકાય. આ પાઠાન્તરોનું નિર્માણ કઠિન પાઠમાંથી જ થયું છે. આ કઠિન અર્થાત્ દુર્બોધ પાઠ આર્ષ પ્રયોગ, વ્યાકરણ દષ્ટિએ અશુદ્ધ પ્રયોગ અથવા સંચરણ કાળ દરમ્યાન સમય જતાં પ્રચલિત ન રહી હોય એવી કોઈ વિશિષ્ટ રચના સ્વરૂપે હોય છે. અને આવા દુર્બોધ અંશનું નિવારણ કરવાની અભિલાષામાંથી નવા પાઠાન્તરનું નિર્માણ થતું જોવા મળે છે. હસ્તપ્રતોના પરસ્પર આનુવંશિક સંબંધ પરત્વે સામાન્ય નિયમ એવો છે કે – “પાઠાન્તરોની તુલના કરવામાં આવે ત્યારે હસ્તપ્રતોનો વધુ મોટો સમૂહ વધુ પૂર્વેનું વિભાજન સૂચવે છે; અને નાનો સમૂહ પાછળનું વિભાજન દર્શાવે છે”. આ નિયમને સમજવા એક સાંખ્યિક ઉદાહરણ લઈએ : જો ૨૦ હસ્તપ્રતો તેમનાં પાઠાન્તરોની દષ્ટિએ ૯ અને ૧૧ એમ બે સમૂહમાં વહેંચાઈ જતી હોય, તો આપણે કહી શકીએ કે તે ૯ - હસ્તપ્રતોના સમાન પૂર્વજ પાસે એક પાઠ હતો અને બાકીની ૧૧ હસ્તપ્રતોના સમાન પૂર્વજ પાસે બીજો પાઠ હતો. આ પાઠાન્તરો આપણને જ્યાંથી સંચરણની બે પરિપાટીઓ વિભક્ત થઈ - વિપથગામી બની - તે બિન્દુ આગળ લઈ જાય છે. વળી, આ નવ હસ્તપ્રતોના સમૂહમાં પણ સંભવ છે કે ચાર હસ્તપ્રતોમાં એક પાઠ હોય અને પાંચમાં બીજો પાઠ હોય તથા બંનેના પાઠ પેલી ૧૧ હસ્તપ્રતોના પાઠથી તો ભિન્ન જ છે, તો આ હકીકત એમ સૂચવે છે કે સંચરણ-પંરપરામાં આગળ જતાં એ ચાર હસ્તપ્રતો અને પાંચ હસ્તપ્રતોના તરતના પૂર્વજો નવેય હસ્તપ્રતોના સમાન પૂર્વજમાંથી છૂટા પડ્યા - જુદા માર્ગોએ ફંટાયા. આ રીતે જ્યારે સંચરણની વિભિન્ન પરિપાટીઓ એકબીજાથી સ્વતંત્ર રહેતી હોય અથવા રહી હોય ત્યારે આ સિદ્ધાંત ગ્રંથની અધિકૃત વાચના માટે ઉપયોગમાં લીધેલી હસ્તપ્રતોનું વંશવૃક્ષ તૈયાર કરવા માટે નાના અને મોટા સમૂહમાં વહેંચાયેલી હસ્તપ્રતોનો સ્થાન-નિર્ણય કરવામાં મદદ કરે છે. " ગત પ્રકરણમાં આપણે પાઠ-સમીક્ષાના બે સંપ્રદાયોની વાત કરી હતી. એક તો રૂઢિવાદી (conservative) સંપ્રદાય, જે શાસ્ત્રીય અર્થઘટનને વધુ પડતું મહત્ત્વ આપે છે; અને બીજો ઉદારતાવાદી (liberal) સંપ્રદાય, જે અનુમાનાત્મક સંશોધનને પણ તેટલું જ મહત્ત્વ આપે છે. સંશયાત્મક પાઠોની બાબતમાં, પાઠ્યગ્રંથની અધિકૃત વાચનાના નિર્માણની આવશ્યકતાને કારણે, પ્રત્યેક પ્રસંગે કોઈ એક પ્રકારનો નિર્ણય લેવાનું અનિવાર્ય બને છે.. પરંપરાગત “સંશયાત્મક પાઠોને કેટલીકવાર ઉપલબ્ધ પ્રમાણોને આધારે સંશયાત્મક રીતે સ્વીકારવામાં આવશે અથવા તો સંશયાત્મક રીતે નકારવામાં આવશે અને પાઠ્યગ્રંથમાં તો સ્વીકૃત પાઠની સાથે જ મુકાશે. પરંતુ જેના વિષે પૂર્ણ ચોક્કસાઈ ન હોય એવા સંશોધનની બાબતમાં રૂઢિવાદી સમીક્ષકનું વલણ સ્પષ્ટપણે, જો કંઈક સ્થળ રીતે પ્રસ્તુત કરીએ તો, આ સિદ્ધાંત-વાક્ય દ્વારા રજૂ કરી શકાય : “ભલે મૂળ પાઠ ન હોય પરંતુ ઓછામાં ઓછું તેનો અવશેષ હોય એવા પાઠને સુધારવાને બદલે પાઠ્યગ્રંથમાં જેમને Page #85 -------------------------------------------------------------------------- ________________ ક ભારતીય પાઠ-સમીક્ષા તેમ રહેવા દેવો વધુ સારો છે. આ સિદ્ધાંત-વાક્ય એ માન્યતા પર આધારિત જણાય છે કે વિરોધી સંપ્રદાય દ્વારા સૂચિત અનુમાનાત્મક સંશોધન કરતાં આવા સંશયાત્મક પાઠનો મૌલિકતા-સંબંધી દાવો વધુ સબળ છે. ઉપર્યુક્ત સિદ્ધાંતની તદન વિરુદ્ધમાં સમીક્ષકોના બીજા સંપ્રદાય (ઉદારતાવાદી)નો મત એવો છે કે વિકૃત અથવા સંદિગ્ધ પાઠ ને બદલે અનુમાન પર આધારિત પાઠ વધુ પસંદ કરવા યોગ્ય છે (Stopgaps should be preferred to debris). બીજા શબ્દોમાં કહીએ તો જ્યારે સમીક્ષાત્મક સંસ્કરણ (અર્થાત્ અધિકૃત વાચના) નો પાઠ સંદેહાત્મક હોય ત્યારે લેખકે લખ્યો હોવાનું અશક્ય હોય તેવા પાઠ કરતાં તેણે લખ્યો હોવા સંભવ હોય તેવા પાઠને પ્રસ્તુત કરવો એ વધુ સારું છે. ઉદાહરણ તરીકે, મહાભારતમાં આપણે અગાઉ જોઈ ગયા છીએ કે જ્યારે ઉત્તર અને દક્ષિણની વાચનાઓ એવાં પાઠાન્તરો પ્રસ્તુત કરતી હોય કે જેથી આંતર સંભાવના તેમ જ બહિરંગ યા દસ્તાવેજીય સંભાવના સમાન રીતે સંતોષાતી હોય ત્યારે સુકથનકરે ઉત્તરીય વાચનાના પાઠોને કામચલાઉ અવેજી તરીકે પસંદ કર્યા છે. કારણ કે તે પ્રમાણમાં વધુ શુદ્ધ છે અને પાછળથી થયેલી અભિવૃદ્ધિઓ(પ્રક્ષેપો)થી મુક્ત છે. અહીં એવાં બે શક્ય પાઠાન્તરો વચ્ચે પસંદગી કરવાની હતી કે જેમના અધિકૃત વાચનામાં સમાવેશ અર્થાત્ પ્રવેશ માટે સરખી રીતે સબળ કારણો છે. જો આ પસંદગી, જેમ સુકથનકરે કર્યું છે તે પ્રમાણે, કોઈ નિશ્ચિત સિદ્ધાંતને આધારે ન કરવામાં આવે તો પરિણામે એવી સારગ્રાહી (વા સંકલિત). વાચના પેદા થશે જે કોઈ પણ પરિનિશ્ચિત સિદ્ધાંત પર આધારિત નહિ હોય પરંતુ વિવિધ પ્રકારના પાઠોનો દૂષિત સંગ્રહ (debris) હશે. સંશોધનની બાબતમાં તો આ સિદ્ધાંત વધુ સબળ રીતે લાગુ પડે છે. કારણ કે સંશયાત્મક પરંપરાગત પાઠ કદાચ સફળતાપૂર્વક સુધારી શકાય તેવો હોઈ શકે, જો તે અંતરંગ અને બહિરંગ (documental) સંભાવનાઓને પૂર્ણ રીતે સંતોષતો હોય તી; અને જ્યારે અનુમાન તદન સંભવિત હોય ત્યારે પણ તે લેખક ન લખી શક્યો હોય તે કરતાં તેના વડે લખી શકાયો હોય એવો પાઠ દર્શાવે છે, કેવળ અંતરંગ સંભાવનાને જ લક્ષમાં લેવામાં આવે તો પણ. આવા પ્રસંગોએ અશુદ્ધ પરંપરાગત પાઠ કરતાં કેવળ કામચલાઉ અવેજી (stopgap) તરીકે પણ સંશોધિત પાઠને વધુ પસંદ કરવો જોઈએ, પછી ભલે સંશોધનને પક્ષે બંને પ્રકારની સંભાવનાઓ (આંતરબાહ્ય) સમતોલ રૂપે સંતોષાતી ન પણ હોય. પાઠસમીક્ષાની એક સૌથી જટિલ સમસ્યા એ છે કે, પાઠની સ્વીકૃત અશુદ્ધિઓ (દોષ) યા અસંગતિઓને કેટલી હદ સુધી લહિયાની નહિ પરંતુ ગ્રંથકર્તાની જ ત્રુટિ તરીકે તેમાં રહેવા દેવી. આ બાબતમાં કોઈ સર્વમાન્ય સિદ્ધાંત પ્રાપ્ય હોય એમ જણાતું નથી. દરેક કિસ્સામાં તેની પોતાની વ્યક્તિગત) ગુણવત્તાને આધારે વિચારણા થવી Page #86 -------------------------------------------------------------------------- ________________ પાઠ-સમીક્ષાના કેટલાક અધિનિયમો : જોઈએ. અને આ માટેની સમીક્ષકની કાર્યપદ્ધતિ અનિવાર્યપણે સારગ્રાહી (eclectic) , હોય એ જરૂરી છે; જો કે પોસ્ટગેટના મત પ્રમાણે, આ વિશેષણ ઘણીવાર કટાક્ષ, ઉપાલંભના સૂર સાથે પ્રયોજાતું હોય છે, જેનું કારણ શોધી કાઢવું કઠિન છે. જો લેખકનો સ્વહસ્તલેખ ઉપલબ્ધ ન હોય તો લહિયાની અનૈચ્છિક ત્રુટિઓ અને લેખકની અનૈચ્છિક ત્રુટિઓ અર્થાત્ કલમ-દોષ(slips of the pen) વચ્ચેનો ભેદ પાડવાનું કોઈ સાધન આપણી પાસે નથી. વાસ્તવમાં આ બધી લહિયાની જ ભૂલો ગણાય, કારણ કે લેખક પોતે પણ પોતાનો લહિયો(લિપિકાર)જ છે. જે સ્થળોએ આવી અસંગતિઓ અને અશુદ્ધિઓ પ્રવેશી ન હોય તેવાં સ્થળોએ જો સદ્ભાગ્યે આપણને તેના પાઠમાં જ પ્રાચીન સમાંતરો(parallels) પ્રાપ્ત થાય તો સમસ્યાનો ઉકેલ કંઈક અંશે સરળ બને છે. કંઈક અંશે એટલા માટે કે જે પાઠને આપણે સ્પષ્ટપણે ભૂલભરેલો અને દોષયુક્ત સમજતા હોઈએ તે પાઠ એટલો જ સ્પષ્ટપણે લેખકને અભિપ્રેત પાઠ હોઈ શકે અને સમીક્ષકે તેમાં પરિવર્તન કરવાનું હોય નહીં. કોઈ પણ પાઠ (ક્ષતિ) કેટલી ચોક્કસાઈથી સુધારી શકાય તેમ છે તેના પર તે સંશોધિત પાઠની યથાર્થતાનો ઘણો આધાર છે. પરંતુ જ્યારે જયારે કોઈ ક્ષતિયુક્ત પાઠને એક કરતાં વધુ પ્રકારે યુક્તિસંગત રીતે સુધારી શકાતો હોય ત્યારે સામાન્ય સિદ્ધાંત એ છે કે તે પાઠને તેના મૂળ સ્વરૂપે જ રહેવા દેવો વધુ હિતાવહ છે. જયારે પાઠોનું સંચારણ મૂલાદર્શમાંથી એક કરતાં વધુ શાખાઓમાં વિભક્ત થઈ પ્રગતિ કરે ત્યારે વિભિન્ન શાખાઓનાં પાઠાન્તરો કોઈક વાર આપણને મૂળ પાઠ આપશે તો કોઈક વાર અમૌલિક – મૂળમાં ન હોય એવો – પાઠ આપશે. જ્યારે વિભિન્ન શાખાઓના પાઠ પરસ્પર મળતા આવે ત્યારે તે પાઠ ચોક્કસપણે મૂળ પાઠ હોવો જોઈએ. પરંતુ પરંપરાના વિભિન્ન પ્રવાહોમાં જ્યારે વિભિન્ન પાઠ જોવા મળતા હોય ત્યારે પરંપરાના પ્રથમ વિઘટન સમયે તેમાંનો એક પાઠ મૂળ પાઠ હશે, જ્યારે બીજો અ-મૌલિક પાઠ. હોવો જોઈએ. અને પાઠનું આ મૌલિક-અમૌલિકનાં વિભાજન વિભિન્ન પ્રવાહો (શાખાઓ)માં ગમે તે ક્રમ સુધી શક્ય છે. પરંપરાના આ પ્રવાહોમાં, સંચરણનો પ્રવાહ આગળ વધતાં, પ્રત્યેક શાખાનું વધુ ઉપશાખાઓમાં વિભાજન થવાની સંભાવના હોય છે. જે દલીલ આપણે પ્રથમ વિભાજન સંબંધે કરી છે, તે દ્વિતીય વિભાજનને પણ લાગુ પડે છે. પરંતુ આવે વખતે “મૌલિક' શબ્દનો પ્રયોગ તો કેવળ પ્રથમ વિઘટન (વિભાજન) સમયે જે મૂળ પાઠ હોય તેના પૂરતો જ મર્યાદિત રહેશે. સંચરણના સમગ્ર ઇતિહાસ તરફ પાછા આવતાં હવે આપણે કહી શકીએ કે સંચરણ-પરંપરા આગળ વધતાં મૂળ પ્રતમાંથી જેમ જેમ શાખાઓ અને ઉપશાખાઓ કૂટતી જશે તેમ તેમ આપણી પાસે પાઠનો કેટલોક અંશ એવો હશે કે જે ખરેખર મૌલિક (original) હશે; કેટલોક અંશ એવો હશે કે જે મૂલાદર્શની દષ્ટિએ અમૌલિક (unoriginal) હશે પરંતુ ઉપમૂલાદર્શની દૃષ્ટિએ મૌલિક Page #87 -------------------------------------------------------------------------- ________________ ભારતીય પાઠ-સમીક્ષા હશે; અને બાકીનો ભાગ એવો હશે કે જે મૂલાદર્શ અને ઉપમૂલાદર્શ એ ઉભયની દષ્ટિએ અમૌલિક હશે. ઉપમૂલાદર્શની દૃષ્ટિએ જે પાઠ મૌલિક હોય પરંતુ મૂલાદર્શની દૃષ્ટિએ અમૌલિક હોય તે પાઠને એ સંચારણ-શાખા (કુળ)ની હસ્તપ્રતોની “ગૌણ લાક્ષણિકતા' (secondary characteristic) કહી શકાય, આ શાખાનાં વિભિન્ન રૂપાન્તરો વચ્ચે આવાં અમૌલિક તત્ત્વોનું સામ્ય જે સંબંધ દર્શાવે છે તેને “ગૌણ' સંબંધ કહી શકાય. આ ગૌણ પારસ્પરિક સંબંધ પર બે પ્રકારે વિચારણા કરી શકાય. પ્રથમ પ્રકારની આપણે ઉપર વ્યાખ્યા આપી છે. બીજાની વ્યાખ્યા આ રીતે આપી શકાય : જ્યારે બે હસ્તપ્રતો (રૂપાંતરો) સંપૂર્ણ રીતે યા આંશિક રીતે મૂલાદર્શ પછીની કોઈ સામાન્ય મૂલકતમાંથી ઊતરી આવી હોય ત્યારે મૂલાદર્શની તુલનામાં આમની એ મૂલપ્રત ગૌણ હોવાથી આ હસ્તપ્રતો (રૂપાંતરો) પરસ્પર ગૌણ સંબંધ ધરાવે છે એમ કહેવાય. આ રીતે રૂપાન્તરોના મુખ્ય” અને “ગૌણ” સંબંધો વચ્ચે આ જે ભેદ પાડવામાં આવ્યો છે તે હસ્તપ્રતોના આનુવંશિક સંબંધના સિદ્ધાંતનો કેવળ ઉપસિદ્ધાંત છે. મૂલાદર્શના પાઠ અર્થાત્ સંચારિત પાઠનું પુનર્નિર્માણ કરવામાં તે ઉપયોગી છે. કારણ કે જ્યારે જુદી જુદી હસ્તપ્રતો (રૂપાંતરો) - પછી ભલે તેમના પાઠ શુદ્ધ હોય યા સંમિશ્રિત (conflated) - વચ્ચે ગૌણ પારસ્પરિક સંબંધ પ્રવર્તતા હોય ત્યારે આવા ગૌણ પારસ્પરિક સંબંધનું જ્ઞાન આપણને એ નિર્ણય કરવામાં સહાયક બનશે કે વિભિન્ન હસ્તપ્રતો (રૂપાંતરો) વચ્ચે જોવા મળતું પાઠોનું સામ્ય “મુખ્ય છે કે “ગૌણ'. આ પ્રકારના ગૌણ સંબંધનો નિર્ણય સામાન્ય રીતે નીચે દર્શાવેલ બે પ્રમાણોને આધારે કરી શકાય : પ્રથમ એ કે પ્રસ્તુત રૂપાંતરો સારી એવી સંખ્યામાં કેટલાંક મહત્ત્વનો અને ધ્યાન ખેંચે તેવાં સમાન લક્ષણો ધરાવતાં હોય, જે લક્ષણો મૂલાદર્શને લાગુ પડતાં હોય એવું તાર્કિક રીતે માની શકાય નહીં, તેમજ તેઓ જ્યાં દષ્ટિગોચર થાય છે તે જ સ્થળે સ્વતંત્રપણે અર્થાત્ પરસ્પર નિરપેક્ષ રીતે ઉમેરાયાં હોય કે ત્યાંથી દૂર કરવામાં આવ્યાં હોય એમ પણ માની શકાય તેમ ન હોય. વધારા યા ઘટાડા જેટલા વધુ લાંબા તેટલા આપણે તે હસ્તપ્રતો(રૂપાંતરો)ના પારસ્પરિક સંબંધ વિષે વધુ દૃઢતાપૂર્વક સ્થાપના કરી શકીએ. કારણ કે બે સંપાદકોએ મૂળ પાઠમાં એક જ સ્થળે એક જ પરિચ્છેદ કેવળ અકસ્માત દ્વારા પરસ્પર નિરપેક્ષ રીતે ઉમેર્યો યા કાઢી નાખ્યો હોય (સમાક્ષરલોપ ત્રુટિ (Haplography) સિવાય) એમ માનવું ઘણું કઠિન છે. બીજું એ પણ પ્રમાણ જરૂરી છે કે રૂપાંતરો એક જ કુળ (શાખા) સાથે સંકળાયેલાં હોય. આ માટે ઝીણી શાબ્દિક વિગતોમાં સતત અને દૂરગામી સમાનતાઓ હોવી જોઈએ, અને તે એટલી નિયમિત હોવી જોઈએ કે તેમનો પ્રભાવ ઘનિષ્ઠપણે વરતાય. ઉપર્યુક્ત બંને ધારણાઓની સબળતા પાઠના મોટા ભાગોમાં સામ્ય હોય ત્યારે સૌથી વધુ રહે છે. ટૂંકા પદ-સમૂહોનું સામ્ય હોય ત્યારે ઓછી, અને એકલવાયા શબ્દોમાં સામ્ય હોય ત્યારે સૌથી ઓછી રહે છે. બાકીનાં વિસંવાદી Page #88 -------------------------------------------------------------------------- ________________ પાઠ-સમીક્ષાના કેટલાક અધિનિયમો રૂપાતરોમાં કોઈ વિધેયાત્મક(નિશ્ચયાત્મક) સામ્યનો અભાવ હોય તો આ ધારણાઓને વધુ પુષ્ટિ મળે છે. હસ્તપ્રતોના ગૌણ પારસ્પરિક સંબંધને હસ્તપ્રતોના પાઠ-સંમિશ્રણ(conflation)થી. જુદો પાડવાનો છે. પ્રથમ (અર્થાત્ ગૌણ પારસ્પરિક સંબંધ)અમુક ઉપમૂલાદર્શમાંથી હસ્તપ્રતોનું પૂર્ણ રૂપે અથવા આંશિક રૂપે (અર્થાત્ જેટલા ભાગમાં તે ગૌણ સંબંધ સ્થાપિત થતો હોય તેટલા ભાગ પૂરતું) એકરૂપ અવતરણ દર્શાવે છે; જ્યારે બીજું (અર્થાત પાઠસંમિશ્રણ) આ સ્વતંત્ર પરંપરાઓના વિભિન્ન પ્રવાહોનું અવ્યવસ્થિત મિશ્રણ દર્શાવે છે.' આવાં આંતર-મિશ્રણમાં ગૌણ લાક્ષણિકતાઓ – એટલે કે મૂલાદર્શના પાઠની દૃષ્ટિએ 'મૌલિક ન હોય તેવાં તત્ત્વો - નો પણ સમાવેશ થઈ શકે. પરિણામે જ્યારે બે સ્વતંત્ર સંચરણ પરંપરાઓ (lines of transmission) વચ્ચે સંમિશ્રણ થાય ત્યારે આવાં ગૌણ તત્ત્વો પણ સંમિશ્રણમાં પ્રવેશી જવાની સંભાવના રહે છે. આથી સંપાદકે એવા સવિશેષ પ્રયત્ન કરવાની આવશ્યકતા રહે છે, જેથી સમીક્ષાત્મક સંસ્કરણ અર્થાત્ અધિકૃત વાચના શુદ્ધ કે મિશ્ર પરંપરાઓમાંની ગૌણ સમાનતાઓથી વેગળી રહે અને તેમાં કેવળ “મૌલિક સમાનતાઓ જ પ્રવેશ પામે. પાઠ્યગ્રંથનાં વિભિન્ન રૂપાંતરોનો અભ્યાસ કરીએ ત્યારે આપણને સંપૂર્ણ રીતે સચવાયેલાં રૂપાંતરોના વિસ્તાર – મર્યાદાની બાબતમાં ઘણીવાર તફાવત જોવા મળે છે; એમાંનું એક સૌથી નાનું હોય છે તો એક સૌથી મોટું હોય છે. આ બે આત્યંતિક (extreme) રૂપાંતરો વચ્ચે કેટલાંક નાનાં મોટાં અંતર્વર્તી રૂપાંતરો હોય છે. ટૂંકા રૂપાંતરને સામાન્યતઃ “સંક્ષિપ્ત વાચના' (textus simplicior) કહે છે; જ્યારે લાંબા રૂપાંતરને “વિસ્તૃત વાચના' (textus ormatior) કહે છે. પાઠ-સમીક્ષાનો એક સામાન્ય સ્વીકૃત નિયમ એવો છે કે વિસ્તૃત રૂપાંતરોને પાછળનાં માનવાં અને સંક્ષિપ્ત રૂપાંતરોને પ્રાચીન જાણવાં. પરંતુ પાઠ-સમીક્ષાના અન્ય સિદ્ધાંતોની જેમ આને પણ વધુ પડતું મહત્ત્વ આપવું જોઈએ નહીં. એને અવિચલ સિદ્ધાંત તરીકે સ્વીકારી કામ કરવા જતાં ભયજનક પરિસ્થિતિ સર્જાવાની સંભાવના રહે છે, કારણ કે સામાન્ય રીતે એવું કોઈ પણ રૂપાંતર હોતું નથી જેમાં ઘટાડા અને વધારા એ બંને ન થયા હોય, પછી ભલે તે લહિયાએ સ્વૈચ્છિક રીતે કર્યા હોય યા આકસ્મિક રીતે થયા હોય. કોઈકમાં એક દિશા તરફ વધુ ઝોક જોવા મળતો હોય છે, તો કોઈકમાં બીજી દિશા તરફ. પરંતુ કોઈ પણ રૂપાંતર સંપૂર્ણતઃ સુસંગત હોતું નથી. તેમ છતાં આ સિદ્ધાંત - વાક્યનું પોતાનું આગવું મહત્ત્વ છે, અને સંક્ષિપ્ત વાચના અને વિસ્તૃત વાચનાં આ બે પ્રકારના પાઠો - રૂપાંતરો - ને આધારે મૂળપાઠમાં થયેલ વધારા ઘટાડાનો સ્થાન - નિર્ણય કરવામાં આપણને સહાયરૂપ બને છે. ઉદાહરણ તરીકે મહાભારતનું s, Kરૂપાંતર “સંક્ષિપ્ત વાચના' દર્શાવે છે, અને જો કે તે કેટલાક ઉમેરાઓથી Page #89 -------------------------------------------------------------------------- ________________ 4. ભારતીય પાઠ-સમીક્ષા મુક્ત નથી, જે સ્પષ્ટ રીતે પ્રક્ષેપો હોવાનું હસ્તપ્રત-પ્રમાણને આધારે દેખાઈ આવે છે, તેમ છતાં તે મૂલાદર્શનો પાઠ-નિર્ણય કરવામાં અન્ય રૂપાંતરો કરતાં વધુ સારા પ્રમાણમાં મદદ કરે છે. તે જ પ્રમાણે દક્ષિણની વાચના આપણને ‘વિસ્તૃત વાચના' આપે છે અને વિપુલ પ્રમાણમાં ઉમેરાઓ (પ્રક્ષેપો) થી સભર હોવા છતાં જ્યારે ઉત્તરીય વાચના શંકાસ્પદ હોય છે ત્યારે અધિકૃત વાચનાના પાઠ-નિર્ણયમાં મહત્ત્વની બને છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૮ પાઠ-સંપાદન અંગે વ્યવહારુ સૂચનો પાઠ્યગ્રંથની ઉપલબ્ધ હસ્તપ્રતો અને તે વિષેની સહાયક સામગ્રીમાંથી પ્રાપ્ત થતાં પ્રમાણોને આધારે પાઠ્યગ્રંથનું સમીક્ષાત્મક સંપાદન કઈ રીતે કરવું અને અધિકૃત વાચના કેવી રીતે તૈયાર થાય એનો સામાન્ય પરિચય આપણે મેળવ્યો. પાઠ્યગ્રંથની બધી ઉપલબ્ધ હસ્તપ્રતોનો સ્થાન-નિર્ણય થાય કે તરત જ સંપાદકે તેમને પ્રાપ્ત કરવી જરૂરી બને છે. અને જો તે શક્ય ન હોય તો પોતાના સંપાદન - કાર્ય માટે તેમના ફોટોગ્રાફ, માઈક્રોફિલ્મ અને હસ્તપ્રતોની ફોટો-કૉપીઓ તેણે પ્રાપ્ત કરવાની રહે છે. જો તેમની પ્રતિલિપિ સંપાદકે જાતે નહિ, પરંતુ કોઈની સહાયથી તૈયાર કરાવી હોય, તો સંપાદકે શક્ય હોય ત્યાં સુધી જાતે જ તે પ્રતિલિપિને મૂળ સાથે સરખાવવી જોઈએ. અને લહિયાના વ્યક્તિત્વને કારણે તેમાં પ્રવેશતી લેખનગત યા અન્ય પ્રકારની અશુદ્ધિઓને સુધારી લેવી જોઈએ, કારણ કે આપણે અગાઉ જોઈ ગયા કે લહિયાનું વ્યક્તિત્વ ડગલે ને પગલે આપણને ડખલ કરતું હોય છે, અને તેની આદર્શપ્રતનો નિર્ણય કરવા માટે આપણે તેના વ્યક્તિત્વથી આગળ પહોંચવું પડે છે. આવી સામગ્રીમાંથી હસ્તપ્રતોનું સંતુલન (collation) શરૂ થશે, જે ક્રમશઃ હસ્તપ્રતોના ઊંડા અધ્યયન, તેમની વિશિષ્ટતાઓનો નિર્ણય, આનુવંશિક સંબંધ અને તેમની સાપેક્ષ વિશ્વસનીયતા, સમીક્ષાત્મક સંસ્કરણનું નિર્માણ અને શક્ય હોય ત્યાં પાઠના મૂળ સ્વરૂપની સ્થાપના તરફ દોરી જશે. પ્રસ્તુત પ્રકરણમાં સમીક્ષાત્મક સંપાદનમાં આવશ્યક એવી બાબતો વિશે કેટલાંક વ્યવહારુ સૂચનો આપવામાં આવશે. સંપાદકે પોતાની પ્રસ્તાવનાનો પ્રારંભ પોતાના સંપાદનકાર્ય માટે ઉપયોગમાં લીધેલી સમીક્ષાત્મક સામગ્રીના વર્ણનથી કરવો જોઈએ. આથી સર્વ પ્રથમ તો હસ્તપ્રતોનો સામાન્ય પરિચય આપવો જોઈએ, જેમાં પ્રકાશમાં આવી હોય તેવી હસ્તપ્રતોની સંખ્યા, સમીક્ષાત્મક સંપાદન માટે ખરેખર ચકાસેલી હસ્તપ્રતોની સંખ્યા, પૂર્ણતઃ યા આંશિક રૂપે સંતુલિત હસ્તપ્રતોની સંખ્યા અને આ પ્રકારના સંતુલન માટે પસંદ કરેલી હસ્તપ્રતોને પસંદ કરવા માટેનાં કારણોનો સમાવેશ થવો જોઈએ. સંપાદકે ઉપલબ્ધ હસ્તપ્રતોમાંથી જ Page #91 -------------------------------------------------------------------------- ________________ ભારતીય પાઠ-સમીક્ષા ઊતરી આવેલી હોય તે સિવાયની બધી જ વર્તમાન સ્વતંત્ર હસ્તપ્રતોનો સંપાદન - કાર્યમાં ઉપયોગ કરવો જોઈએ. ૮૨ સમીક્ષાત્મક સામગ્રીની પસંદગી કરવામાં કેટલીક બાબતો લક્ષમાં લેવી જોઈએ; જેમ કે હસ્તપ્રતો જે લિપિઓમાં લખાઈ હોય તે લિપિ અથવા તેઓ મૂળ જ્યાંથી પ્રાપ્ત થઈ હોય તે સ્થળો, તેમનો કાલક્રમ, અથવા કોઈ એક રૂપાંતરમાંની સામ્ય ધરાવતી હસ્તપ્રતોની તુલનામાં વિષમતા ધરાવતી અર્થાત્ અસંગત હસ્તપ્રતોને પ્રધાનતા ઇત્યાદિ. આ સામાન્ય પરિચયમાં સમીક્ષાત્મક સામગ્રીની પસંદગી માટેનાં આ બધાં કારણો સ્પષ્ટતાથી અને સંક્ષેપમાં જણાવવાં જોઈએ. ત્યારબાદ સંપાદકે તેણે કરેલા સંતુલનને આધારે હસ્તપ્રતોનું વાચનાઓમાં અને રૂપાંતરોમાં વર્ગીકરણ સંક્ષેપમાં દર્શાવવું જોઈએ. અને પછી આ વર્ગીકરણ પ્રમાણે તેની સમીક્ષા-સામગ્રીમાં સમાવાયેલી હસ્તપ્રતોની સૂચિ આપવી જોઈએ. આ સૂચિ દરેક હસ્તપ્રતનાં વાચના અને રૂપાંતરની નીચે આપવી જોઈએ. અહીં પ્રારંભમાં હસ્તપ્રતો માટેનું સાંકેતિક ચિહ્ન (siglum) યા સંક્ષિપ્ત રૂપ દર્શાવવું જોઈએ, જે દ્વારા સંપાદકે તેની સમીક્ષાત્મક સામગ્રી (apparatus criticus) માં તે હસ્તપ્રતના પાઠો જણાવ્યા હોય; અને ત્યાર પછી જ્યાં તે હસ્તપ્રત સચવાયેલી હોય તે સ્થળનું નામ, ગ્રંથાલયનું નામ અને તે ગ્રંથાલયની ગ્રંથસૂચિમાં તેને આપવામાં આવેલો ઓળખ ક્રમાંક (identification number) અને તેનો સમય (જો તેના ઉપર નોંધવામાં આવ્યો હોય તો) વગેરે વિગતો આપવી જોઈએ. હસ્તપ્રતને સાંકેતિક ચિહ્ન (siglum) આપતી વખતે સંપાદકે પોતાની મરજી મુજબનું ચિહ્ન ન આપવું જોઈએ. સાંકેતિક ચિહ્ન અર્થાત્ સંકેતમાં એવું કંઈક વિશિષ્ટ તત્ત્વ હોવું જોઈએ કે જેથી સમીક્ષાત્મક સામગ્રીમાં તે જે હસ્તપ્રત માટે પ્રયોજાયું હોય તેની આપણને યાદ અપાવે. આ સાંકેતિક ચિહ્નમાં જે સ્થળમાંથી તે હસ્તપ્રત પ્રાપ્ત થઈ હોય તેનો સંકેત હોઈ શકે. અથવા જો પાઠ્યગ્રંથ એક કરતાં વધુ લિપિઓમાં સચવાયો હોય તો હસ્તપ્રતને દર્શાવવા લિપિના નામનો નિર્દેશ કરી શકાય. જ્યારે કોઈ એક લિપિમાં એક કરતાં વધું હસ્તપ્રતો ઉપલબ્ધ હોય અથવા એક સ્થળેથી એક કરતાં વધુ હસ્તપ્રતો પ્રાપ્ત થઈ હોય ત્યારે તેમને એકબીજાથી જુદી પાડવા તેમના સાંકેતિક ચિહ્નની પાછળ નીચે નાના આંકડાનો પ્રયોગ કરી શકાય, જેમ કે 7,, ., ..... જો 7 ચિહ્ન લિપિનું સૂચક હોય તો " નો અર્થ ગ્રંથ લિપિમાં લખાયેલી ર્ હસ્તપ્રતો એવો થશે. જો TM ચિહ્ન પ્રાપ્તિસ્થાનનું દ્યોતક હોય તો આનો અર્થ ગ્વાલિયરમાંથી પ્રાપ્ત થયેલી ર હસ્તપ્રતો થશે. સાંકેતિક અક્ષર અને આંકડાના સંયોજનવાળા આ સાંકેતિક ચિહ્નને શાસ્રીય સ્વરૂપ અર્પવા માટે, આંકડાઓનો ક્રમ, તેઓ જે હસ્તપ્રત દર્શાવતા હોય તેમાં પ્રગટ થતી અશુદ્ધિના ' Page #92 -------------------------------------------------------------------------- ________________ 133 પાઠ-સંપાદન અંગે વ્યવહારુ સૂચનો ચડિયાતા ક્રમ પ્રમાણે ગોઠવી શકાય, જેમ કે હૈં, હસ્તપ્રત હૈં‚ કરતાં વધુ શુદ્ધ હશે, અને T, હસ્તપ્રત હૈં કરતાં વધુ શુદ્ધ હશે. આમ ઉત્તરોત્તર સમજી શકાય. ૩ આ પછી સૂચિમાં દર્શાવેલી હસ્તપ્રતોનો વિગતવાર પરિચય આપવો જોઈએ. આ પરિચય તે સૂચિમાં દર્શાવેલ હસ્તપ્રતોના ક્રમ પ્રમાણે આપવો જોઈએ. આમાં સર્વપ્રથમ તો હસ્તપ્રતનું સાંકેતિક ચિહ્ન અને ત્યાર બાદ જ્યાંથી હસ્તપ્રત પ્રાપ્ત થઈ હોય તે સ્થળનું નામ, ગ્રંથાલયનું નામ, ગ્રંથાલયમાં તેનો ક્રમાંક, પત્રસંખ્યા, પ્રત્યેક પત્રમાં પંક્તિઓની સંખ્યા, પ્રત્યેક પંક્તિમાં અક્ષરોની સંખ્યા, જેના ઉપર લખાઈ હોય તે (ભોજપત્ર, તાડપત્ર વગેરે) લેખન-સામગ્રી, અને તેના હસ્તાક્ષરોની પદ્ધતિ (Style) ઇત્યાદિનો પરિચય આપવો જોઈએ. આ બ્રાહ્ય વર્ણનમાં હસ્તપ્રતની વર્ણવિન્યાસ (લિપિ) સંબંધી વિશિષ્ટા, હસ્તપ્રતનાં સ્વરૂપ અને સ્થિતિ, ઉપાન્ત-ટિપ્પણી (હાંસિયામાં લખાયેલી નોંધ : marginalia) અને બે પંક્તિઓ વચ્ચે ક૨વામાં આવેલા સુધારા, પૃષ્ઠાંકનનું વૈશિષ્ટય, વિભાગોની સંખ્યા અને ક્રમાંક (જો હોય તો)ની માહિતી આપવી જોઈએ અને ગ્રંથની વચ્ચે વચ્ચે આવતી પુષ્પિકાઓ (colophons) વિષે પણ,ખાસ કરીને જ્યારે તે હસ્તપ્રતના સંચરણના ઇતિહાસ પર પ્રકાશ ફેંકતી હોય ત્યારે, માહિતી આપવી જોઈએ. આ સાથે હસ્તપ્રતનું પ્રતિલિપીકરણ જેના આદેશ અનુસાર કરવામાં આવ્યું હોય તે આશ્રયદાતાનું નામ, લહિયાનું નામ, પ્રતિલિપીકરણનું સ્થળ અને પ્રતિલિપીકરણનો સમય અથવા પ્રતિલિપિ ક્યારે તૈયાર કરવામાં આવી તે વિષે આનુષંગિક માહિતી પણ સંપાદકે, જ્યારે પણ સંપાદક દ્વારા આ માહિતી પ્રાપ્ત કરવાનું શક્ય હોય ત્યારે, અહીં આપવી જોઈએ. જો હસ્તપ્રતનાં એક કે વધુ શીર્ષક હોય તો આ વિસ્તૃત પરિચયમાં તે પણ દર્શાવવાં જોઈએ. લેખન-પદ્ધતિની ચર્ચા કરતી વખતે સંપાદકે એ પણ જણાવવું જોઈએ કે હસ્તપ્રત એક જ હસ્તાક્ષરમાં લખાયેલી છે કે પછી તેનું અનુલેખન જુદી જુદી વ્યક્તિઓ દ્વારા થયું છે. આ જ પ્રમાણે હસ્તપ્રતના હાંસિયામાં અથવા બે પંક્તિઓની વચ્ચે કરવામાં આવેલા સુધારાવધારા વિષે પણ જણાવવું જોઈએ. આપણે અગાઉ જોઈ ગયા છીએ કે પહેલી વ્યક્તિ વડે કરવામાં આવેલાં સંશોધન પાછળની વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ સંશોધન કરતાં ઘણાં વધારે મૂલ્યવાન હોય છે. આ પ્રકારની બધી જ માહિતી અહીં નોંધવી જોઈએ, જેથી વાચકને સમીક્ષાત્મક અધ્યયનની દૃષ્ટિએ હસ્તપ્રતની સ્થિતિ અને મહત્તા યોગ્ય રીતે સમજવામાં મદદરૂપ થાય. જે હસ્તપ્રતોની ઉપેક્ષા કરવામાં આવી હોય તેમને શા કારણે છોડી દેવામાં આવી છે તે પણ દર્શાવવું જ જોઈએ. તે જ પ્રકારે જો હસ્તપ્રતોની આંશિકરૂપે તુલનાત્મક ચકાસણી(સંતુલન) કરવામાં આવી હોય તો સંપાદકે આવા સંતુલનનો જ્યાંથી પ્રારંભ થતો હોય અને જ્યાં અંત આવતો હોય તે વિષે દરેક હસ્તપ્રતના વિસ્તૃત પરિચયમાં દર્શાવવું જોઈએ. Page #93 -------------------------------------------------------------------------- ________________ ભારતીય પાઠ-સમીક્ષા આ વિસ્તૃત પરિચયમાં બીજી પણ એક વસ્તુનો સમાવેશ થવો જોઈએ અને તે છે હસ્તપ્રતોની પ્રામાણિકતા વિષે લેવામાં આવેલો નિર્ણય શાને આધારે છે તેનું સ્પષ્ટીકરણ. ઘણી હસ્તપ્રતોમાં તે ગ્રંથના કોઈક વિભાગના પ્રારંભમાં લહિયા દ્વારા લખાયેલી પ્રશસ્તિઓ જોવા મળે છે. આ પ્રશસ્તિઓ ઘણીવાર કેટલીક ઐતિહાસિક માહિતી આપતી . હોય છે. પરંતુ પાઠ્યગ્રંથ સાથે તે સુસંગત હોતી નથી. આથી તેમનો સમાવેશ અહીં વિસ્તૃત અહેવાલમાં કરવો જોઈએ, સમીક્ષાત્મક સામગ્રીમાં નહિ. જ્યારે આંશિકરૂપે સંતુલન આપવામાં આવ્યાં હોય ત્યારે પાઠ્યગ્રંથના વિભિન્ન અંશો માટે જે હસ્તપ્રતોનું સંતુલન કરવામાં આવ્યું હોય તે દર્શાવતી સારણી (Table) આપવી જોઈએ. જેથી વાચક પાઠ્યગ્રંથ અને સમીક્ષાત્મક સામગ્રી સંબંધી નોંધનો અભ્યાસ કરતી વેળાએ આ માહિતી સહેલાઈથી પ્રાપ્ત કરી શકે. સારણીરૂપે ગોઠવણી કરી હોવાથી તેના સંદર્ભ(નિર્દેશ) સરળ બને છે અને વાચક ઘણી બિનજરૂરી મહેનતમાંથી ઊગરી જાય છે. હસ્તપ્રતોના વિસ્તૃત અહેવાલ બાદ સંપાદકે પાઠ્યગ્રંથની ઉપલબ્ધ તેમજ અધ્યયન માટે ઉપયોગમાં લીધેલી સહાયક સામગ્રી (testimonia) જેમ કે પ્રાચીન ટીકાઓ, સંક્ષેપો, રૂપાન્તરો, સુભાષિતસંગ્રહો વગેરેની વિગતવાર વિસ્તૃત માહિતી આપવી જોઈએ. ત્યાર પછી હસ્તપ્રતોનો વંશાનુક્રમ પ્રમાણે દર્શાવેલ પારસ્પરિક સંબંધ શક્ય હોય તો વંશવૃક્ષ (stema codicum) રૂપે પ્રસ્તુત કરવો જોઈએ. કેટલીક હસ્તપ્રતો આજે ભલે અનુપલબ્ધ હોય, પરંતુ વર્તમાન હસ્તપ્રતોના સાઠ્ય પરથી અમુક સમય દરમ્યાન તેમનું અસ્તિત્વ કલ્પી શકાતું હોય છે. આવી લુપ્ત હસ્તપ્રતોની સંચરણ-પરંપરાઓ દર્શાવવા એવી કોઈ પદ્ધતિ અપનાવવી જોઈએ, જેથી કરીને આ કાલ્પનિક લુપ્ત હસ્તપ્રતોને . નિશ્ચિતપણે જાણીતી, ઉપલબ્ધ યા અનુપલબ્ધ, હસ્તપ્રતોની સંચરણ-પરંપરાથી જુદી પાડી શકાય. આનો સૌથી સરળ માર્ગ એ છે કે આવી હસ્તપ્રતોના પ્રથમ પ્રકારને ટપકાં ટપકાં દ્વારા અને અન્ય પ્રકારને આડી સુરેખાઓ દ્વારા દર્શાવવું. જે હસ્તપ્રતો આજે ઉપલબ્ધ નથી પરંતુ વર્તમાન હસ્તપ્રતોનો પારસ્પરિક સંબંધ દર્શાવવા જેમનું ભૂતકાળમાં કોઈ સમયે અસ્તિત્વ કલ્પી લેવું પડે, એવી લુપ્ત હસ્તપ્રતોને ગ્રીક મૂળાક્ષર દ્વારા (d, B, ) અથવા ફુદડીવાળા અક્ષરો દ્વારા (A*, B*, C*, a*, b* c*) દર્શાવવી જોઈએ. કુદડીવાળા અક્ષરો વાપરવાની પદ્ધતિ ભાષાશાસ્ત્રમાં સજાતીય સહવર્ગીય શબ્દો (cognate vocables) વચ્ચેનો સંબંધ દર્શાવવા પ્રચલિત છે. તેની સાથે આનો મેળ બેસતો હોવાથી અહીં પણ તેને સ્વીકારી શકાય. Page #94 -------------------------------------------------------------------------- ________________ પાઠ-સંપાદન અંગે વ્યવહાર સૂચનો જ્યાં શક્ય હોય ત્યાં સંપાદકે તેની હસ્તપ્રતોનો સંભવિત યા નિશ્ચિતપણે - નોંધાયેલો સમય હસ્તપ્રત માટે પ્રયોજેલ સાંકેતિક ચિહ્ન (siglum)ની ઉપર આંકડા દ્વારા દર્શાવવો જોઈએ. તે આંકડો ઈ.સ.ની શતાબ્દી સૂચવે છે. જેમ કે ' સૂચિત કરે છે કે મ દ્વારા દર્શાવાયેલી હસ્તપ્રત ૧૧મી શતાબ્દીમાં કોઈક સમયે તૈયાર કરવામાં આવી હતી. તે જ રીતે ૩૪ નો અર્થ એમ થશે કે શું હસ્તપ્રતનો સમય ઈ.સ.ની ૧૩મી અને ૧૪મી શતાબ્દી વચ્ચે છે. જો નિશ્ચિત પ્રમાણોને આધારે ચોક્કસપણે સમય દર્શાવવો શક્ય ન હોય પરંતુ બહિરંગ પ્રમાણોને આધારે હસ્તપ્રતની ઉત્તર-મર્યાદાનો નિર્ણય થઈ શક્તો હોય તો તે મર્યાદા પણ તે જ રીતે આંકડાની સાથે ફુદડી જોડીને દર્શાવી શકાય, જેમ કે વ . ઉપર્યુક્ત પ્રકારે વંશવૃક્ષ તૈયાર કર્યા બાદ તરત જ વંશવૃક્ષમાં પ્રયોજાયેલાં સાંકેતિક ચિહ્નોનું સ્પષ્ટીકરણ કરવું જોઈએ, અને ત્યાર બાદ પાઠ્યગ્રંથની વાચનાઓ (recensions) અને તેમનાં રૂપાન્તરો(versions)ના સર્વેક્ષણની ચર્ચા કરવી જોઈએ. આ પ્રકારના સમીક્ષાત્મક સર્વેક્ષણમાં સંપાદકે પ્રથમ તો વિભિન્ન વાંચનાઓ વચ્ચે પ્રવર્તતી મુખ્ય સમાનતાઓ અને વિષમતાઓ દર્શાવવી જોઈએ. અને પછી પ્રત્યેક વાચનાનાં વિભિન્ન રૂપાંતરો વચ્ચે પણ જે સમાનતાઓ અને વિષમતાઓ હોય તેમની આ જ પ્રકારે ચર્ચા કરવી જોઈએ. જો પાક્યગ્રંથની સ્થાયી રૂપે સ્વીકારાયેલી (normalized) પ્રત મળતી હોય, જેને સામાન્ય રીતે પ્રચલિત પાઠ” (vulgate) કહેવામાં આવે છે, તો સંપાદક વાચનાઓ અને પ્રચલિત પાઠ (vulgate) વચ્ચેના મુખ્ય ભેદ દર્શાવવા જોઈએ. સમાન રીતે સતતપણે જોવા મળતા પાઠભેદ અને સંખ્યાબંધ વિવિધ પ્રકારની વિસંગતિઓ-ક્ષતિઓને કારણે વાચનાઓ એકબીજાથી જુદી પડી જાય છે. આથી આ અસમાનતાઓનું વર્ગીકરણ કરી તેમનો પ્રસ્તાવનામાં નિર્દેશ કરવો જોઈએ, કારણ કે આવી બાબતોને આધારે તો સંપાદક વાચનાઓની કલ્પના કરતો હોય છે. અને સમીક્ષાત્મક દૃષ્ટિએ પાઠ્યગ્રંથનો અભ્યાસ કરનાર વાચકની સામે સંપાદકે જે તારણ તારવ્યાં હોય તે પ્રસ્તુત થવાં જોઈએ. આ તારણો લિખિત પ્રમાણો દ્વારા સારી રીતે પ્રમાણિત થયેલાં હોવાં જોઈએ. વાચનાઓની ચર્ચા કર્યા બાદ સંપાદકનું પછીનું કાર્ય વિભિન્ન રૂપાંતરો અને તેમની હસ્તપ્રતોનાં સ્વરૂપ અને પારસ્પરિક સંબંધોનું મૂલ્યાંકન કરવાનું છે. અહીંના ઉલ્લેખો શક્ય તેટલા વધુ વિગતવાર હોવા ઘટે, જેથી હસ્તપ્રત – સામગ્રના વર્ગીકરણની તર્કસંગતતા પ્રતીત થાય. આ માટે સંપાદિત ગ્રંથમાંથી પ્રમાણો આપીને રૂપાન્તરોમાંની -વ્યક્તિગત હસ્તપ્રતો વચ્ચે પ્રવર્તતી સમાનતાઓ અને વિષમતાઓની યોગ્ય રીતે ચર્ચા કરવી જોઈએ. જ્યારે વાચના અને તેનું વિભિન્ન રૂપાન્તરોમાં વિભાજન એ બે વચ્ચે - ઉપવાચનાઓ અસ્તિત્વ ધરાવતી હોય ત્યારે ઉપવાચનાનું પણ તેટલું જ વિગતવાર ઊંડું Page #95 -------------------------------------------------------------------------- ________________ ભારતીય પાઠ-સમીક્ષા અધ્યયન કરવું જોઈએ અને તે તપાસનાં પરિણામ વાચક સમક્ષ પ્રસ્તુત કરવાં જોઈએ. સંપાદકે યાદ રાખવું ઘટે કે તેણે અહીં તેની અતિશય વિસ્તૃત વિગતભરી તપાસના કેવળ નમૂના પ્રસ્તુત કરવાના છે, અને આથી ઉદાહરણોની પસંદગીમાં કાળજી રાખવી જોઈએ, અને એવાં ઉદાહરણો પસંદ કરવાં જોઈએ, જે વૈશિસ્ત્રયુક્ત તેમજ મહત્ત્વપૂર્ણ હોય. આ રીતે તેણે બે હસ્તપ્રતો અર્થાત્ બે રૂપાન્તરોના કેવળ મૂળસ્રોતોનો માત્ર ઉલ્લેખ કરવાનો નથી, પરંતુ તેણે એ પણ અકાટ્ય પ્રમાણોને આધારે સાબિત કરવું જોઈએ કે એક હસ્તપ્રત બીજીની કેવળ પ્રતિલિપિ જ નથી પરંતુ તે સંચરણ-પ્રવાહમાં સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. તે જ રીતે વિભિન્ન રૂપાન્તરોમાં સંમિશ્રિત હસ્તપ્રતો (conflated manuscripts) મોજૂદ હોય તો આવા સંમિશ્રણના પ્રસંગો દર્શાવવા જોઈએ. અત્યાર સુધી તો સંપાદકે પોતે જે હસ્તપ્રતોની સામગ્રીનો ઉપયોગ કર્યો તેમનું સ્વરૂપ અને પાઠ-નિર્માણમાં તેમની તુલનાત્મક પ્રામાણિકતા વિષે કેવળ પોતાનો નિર્ણય દર્શાવ્યો છે. પરંતુ હવે તેણે તેની સમક્ષની સામગ્રીને સવિશેષ ખ્યાલમાં રાખી જે સમીક્ષા, સિદ્ધાંતોનું અનુસરણ ક્યું હોય તેમનું નિરૂપણ કરવું જોઈએ. આમ કરતાં સંપાદકે તેના પુસ્તકના આ ભાગને પાઠ-સમીક્ષાના સિદ્ધાંતોનું પાઠ્યપુસ્તક હરગીજ બનાવવાનું નથી, પરંતુ પ્રસ્તુત સંપાદનને લક્ષમાં રાખીને પાઠ-સમીક્ષાના જે સામાન્ય સિદ્ધાંતોનો વિનિયોગ કર્યો હોય તે જ કેવળ દર્શાવવાના છે. જો સંપાદક પાઠ-સમીક્ષાના સુપ્રતિષ્ઠિત પ્રશિષ્ટ સિદ્ધાંતોથી દૂર હટે, તો જે સામગ્રીને કારણે તેણે તેમ કરવું પડતું હોય તે સામગ્રીનું વિશિષ્ટ સ્વરૂપ તેણે સ્પષ્ટ કરવું જોઈએ. સિદ્ધાંતોને લાગુ પાડવામાં કોઈ મુશ્કેલીઓ હોય તો તે પણ તેણે દર્શાવવી જોઈએ. પોતે ઉપયોગમાં લીધેલી હસ્તપ્રતોનું મૂલ્યાંકન કર્યા બાદ સંપાદકે તેણે પાઠનું નિર્ધારણ કઈ રીતે કર્યું તે પણ જણાવવું જોઈએ. આ રીતે પ્રાપ્ત થયેલ “સંચરિત પાઠ” (મૂલાદર્શનો પાઠ : transmited text) માં જો તેણે સંશોધન કર્યું હોય તો જે કારણોને લીધે તેણે મૂળ પાઠને સ્થાને અનુમાનિત પાઠ સ્વીકારવો પડ્યો હોય તે કારણો દર્શાવવાં જોઈએ. જો પાડ્યગ્રંથમાં લંબાણભર્યા પ્રક્ષેપો હોય તો સંપાદકે અહીં પ્રસ્તાવનામાં તેમનો પાઠ્યગ્રંથમાં સમાવેશ ન કરવા માટેનાં પોતાનાં કારણો સ્પષ્ટપણે દર્શાવી તેમની ચર્ચા કરવી જોઈએ. ટૂંકા પ્રક્ષેપોની ખાસ ચર્ચા કરવી જરૂરી નથી. - પાઠ્યગ્રંથનાં બીજાં પણ સંપાદનો પૂર્વે થયેલાં હોય તો સંપાદકે તેણે પોતે ઉપયોગમાં લીધેલી સામગ્રીના પ્રકાશમાં તે પૂર્વસંપાદનોની મર્યાદાઓ દર્શાવી તેમની ચર્ચા કરવી ઘટે. બીજા શબ્દોમાં કહીએ તો તેણે તેમનું નિષ્પક્ષ રીતે મૂલ્યાંકન કરવું જોઈએ. જ્યારે પણ શક્ય હોય ત્યારે સંપાદકે આ પછી ગ્રંથલેખક અને તેની કૃતિ તથા તેને નામે ચડેલી અન્ય કૃતિઓના ઉપલબ્ધ ઇતિહાસનો ઉલ્લેખ કરવો જોઈએ. તે સાથે લેખકના સાહિત્યિક ગુણદોષ, તેની વિશિષ્ટતાઓ, તેની સ્વભાવગત લાક્ષણિકતાઓ આદિનું. Page #96 -------------------------------------------------------------------------- ________________ પાઠ-સંપાદન અંગે વ્યવહારુ સૂચનો મૂલ્યાંકન આપવું જોઈએ. ઉચ્ચતર સમીક્ષાની સમસ્યાને આપણે ચર્ચા ન હોવાથી લેખકે ઉપયોગમાં લીધેલા સ્રોતોના પૃથક્કરણ માટે પ્રયોજાતી પદ્ધતિઓનો આપણે અહીં નિર્દેશ નહીં કરીએ. પરંતુ સંપાદક એટલું તો જરૂર કરી શકે કે સમીક્ષાત્મક સામગ્રી (critical, apparatus) માં તે ઉચિત સ્થળે પાઠનાં સમાન્તર રૂપાન્તરોનો નિર્દેશ કરે અને પ્રસ્તાવનામાં તેમની સંક્ષિપ્ત રૂપરેખા આપે. ગ્રંથલેખકે પાઠ્યગ્રંથમાં જે જાણીતી કે અજાણી વિષયની અધિકારી વ્યક્તિઓ, લેખકો તેમજ તેમની કૃતિઓનો ઉલ્લેખ કર્યો હોય તથા ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી અન્ય માહિતી, જેમ કે વિશિષ્ટ રાજાઓનાં નામ, રાજવંશોનાં નામ, ઇત્યાદિ, જે પાઠ્યગ્રંથમાં વિભિન્ન સ્થળે પ્રાપ્ત થતી હોય, તે સર્વ સામગ્રીને સંપાદકે ખાસ મહેનત લઈ એકત્રિત કરવી જોઈએ. ગ્રંથલેખકે આપેલાં ઉદાહરણો જેમાંથી લેવામાં આવ્યાં હોય તે મૂળસ્રોતને યથાશક્ય શોધી કાઢવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને તે શોધનાં પરિણામ પ્રસ્તાવનામાં પ્રસ્તુત કરવાં જોઈએ. તે જ રીતે, પાઠ્યગ્રંથ પર ટીકાઓ લખવામાં આવી હોય તો સંપાદકે આ ટીકાકારોનો સંક્ષિપ્ત ઇતિહાસ પણ આપવો જોઈએ અને પાઠ્યગ્રંથને સમજવા માટે આ ટીકાઓની ઉપયોગિતાની મૂલવણી કરવી જોઈએ. તદુપરાંત સંપાદક તેના પાઠ્યગ્રંથને સાહિત્યિક દૃષ્ટિએ પણ ચર્ચવો જોઈએ અને તે રીતે લેખકનું તે વિશિષ્ટ સાહિત્ય-પ્રકારમાં પ્રદાન, તે વિષયમાં તેનું સ્થાન, તેના વિચારો અને અભિવ્યક્તિને ઘડનારાં પ્રભાવક તત્ત્વો અને તેના પછીના યુગમાં તેની અસરો આદિનો સંક્ષિપ્ત છતાં સમીક્ષાત્મક અહેવાલ અને મૂલ્યાંકન પ્રસ્તુત કરવાં જોઈએ. પાઠ્યગ્રંથ તરફ આવતાં, આ પ્રકારની અધિકૃત (સમીક્ષાત્મક) વાચનાઓને છાપવાની અનેકવિધ પદ્ધતિઓ જુદા જુદા સંપાદકો દ્વારા અપનાવાયેલી છે. પાઠનું ચાર પ્રકારે વર્ગીકરણ કરી શકાય : સ્વીકૃત, સંદિગ્ધપણે સ્વીકૃત, સંદિગ્ધપણે અસ્વીકૃત અને અસ્વીકૃત. આ વિભિન્ન સ્વરૂપવાળા પાઠોને અલગ દર્શાવવા માટે કોઈ નિશ્ચિત નિયમો બનાવવામાં આવ્યા નથી. સંપાદક જે કોઈ પદ્ધતિ અપનાવે તે તેણે તેની સંક્ષેપ (abbreviations) અને ધ્વનિચિહ્નો (diacitical signs) ની સૂચિમાં સ્પષ્ટપણે દર્શાવવી જોઈએ. સામાન્ય પદ્ધતિ એવી છે કે અનુમાનાત્મક સંશોધનને તે પ્રકારના સંશોધન પૂર્વે ફુદડી (*) દ્વારા દર્શાવવું. અન્ય બાબતોમાં કોઈ એક નિશ્ચિત પદ્ધતિ અપનાવવામાં આવેલી નથી. પૉલ માસ નિશ્ચિત પ્રકારો માટે નીચેનાં પ્રતિકો સૂચવે છે: (૧) અનુમાનાત્મક ઉમેરા (સંશોધન) માટે < >ચિહ્ન વાપરવું અને અનુમાનને આધારે ઉમેરેલી સામગ્રીને આ ચિહ્નની અંદર મૂકવી. અનુમાનને આધારે સ્વીકૃત પાઠને [0] આ પ્રકારના બેવડા કાટખૂણ કૌંસમાં લખવો.” (૨) Page #97 -------------------------------------------------------------------------- ________________ ભારતીય પાઠ-સમીક્ષા યાંત્રિક (અનૈચ્છિક) ક્ષતિઓને દૂર કરી શુદ્ધ કરેલા પાઠને કાટખૂણ કૌંસ 0માં મૂકવો. (૪) દોષયુક્ત સ્થાનિક વિકૃતિઓ (અશુદ્ધિઓ) ખંજરના ચિહ્ન દ્વારા દર્શાવવી. અહીં દર્શાવેલ <> અને બેવડા કાટખૂણ કૌંસ [0] એ બે ચિહ્નો વચ્ચેનો ભેદ મહત્વપૂર્ણ છે. પ્રથમ ચિહ્ન દર્શાવે છે કે લુખાંશ (acuna) અથવા અશુદ્ધિની પૂર્તિ અનુમાનને આધારે કરવામાં આવી છે. તથા બીજું ચિહ્ન (કાટખૂણ કૌંસો) જ્યારે પાઠનો અશુદ્ધ અંશ પૂર્વાપર સંદર્ભ દ્વારા પ્રમાણિત થતો હોય અને તેને દૂર કરવામાં આવે ત્યારે પ્રયોજાય છે. જયારે પરંપરા આદર્શપ્રતમાં અશુદ્ધિ હોવાનું સ્પષ્ટપણે પ્રતિપાદન કરતી હોય ત્યારે પણ આ ચિહ્નોનો પ્રયોગ થતો જોવા મળે છે. એડગરટન તેમના Pancatantra Reconstructed' માં જે પાક્યાંશની બાબતમાં તે શબ્દશઃ મૂળમાં હોવા વિષે શંકા હોય તેમને માટે ત્રાંસા અક્ષરો(italics)નો પ્રયોગ કરે છે, તથા જે પાક્યાંશ સામાન્ય દૃષ્ટિએ પણ મૂળમાં ન હોવાની સંબાવના હોય તેને કૌંસ () માં મૂકે છે સુકથનકર મૂળમાં હોવાનું નિશ્ચિત ન હોય એવા પાઠની નીચે તરંગાકૃતિ રેખા -નો પ્રયોગ કરે છે, અને અનુમાનાત્મક સંશોધન માટે ફુદડી * વાપરે છે.. એ એક હકીકત છે કે ગ્રંથનું પાઠનિર્ધારણ તેની પ્રત્યેક વાચનાનાં બધાં જ રૂપાંતરો (versions) નાં પ્રમાણોને આધારે થતું હોય છે. અને દરેક કિસ્સામાં તેને સંભાવના દ્વારા પુષ્ટિ મળવી જોઈએ. આથી હસ્તપ્રતોમાંનાં સઘળાં મહત્ત્વપૂર્ણ વિચલનો (અર્થાત્ પાઠાંતરો) સમીક્ષાત્મક સામગ્રી (critical apparatus) માં નોંધવાનાં રહે છે, જેથી કરીને પ્રત્યેક મર્મજ્ઞ (સમીક્ષક) વાંચક પાસે સમસ્ત સામગ્રી ઉપલબ્ધ બને, જેને આધારે તે પોતે પણ, જરૂર પડે તો નિર્ધારિત કરેલા પાઠનું નિયમન અને સંશોધન કરી શકે. પાઠનિર્ધારણ એ ન્યાયાલયમાં પક્ષ અને વિપક્ષમાં પ્રસ્તુત કરવામાં આવેલાં સર્વ પ્રમાણોને આધારે ન્યાયાધીશે લીધેલા નિર્ણય જેવું છે. પરંતુ જેમ જુદા જુદા ન્યાયાધીશો પ્રસ્તુત થયેલાં નોંધાયેલાં સાક્યો-પ્રમાણો-નું જુદી જુદી રીતે અર્થઘટન કરે એ સંભવિત છે, તે જ રીતે અહીં પણ એવા મર્મજ્ઞ વાચકો હોઈ શકે, જે કદાચ સંપાદક જેટલી જ ક્ષમતા ધરાવતા હોય, પરંતુ જેમને સમીક્ષાત્મક સંસ્કરણ માટેનાં સર્વ સાક્ષ્ય એકત્રિત કરવાની તક પ્રાપ્ત થઈ નથી, અને જે સંપાદકે નિર્ધારિત કરેલા પાઠો સાથે સંમત પણ થાય અથવા અસંમત પણ થાય. સમીક્ષાત્મક સંપાદન ખાસ કરીને તો આવા અધિકારી વાચક વર્ગને ઉદ્દેશીને તૈયાર થતું હોવાથી સંપાદકની એ ફરજ થઈ પડે છે કે તેણે પાડ્યગ્રંથની સાથે જોડેલી સમીક્ષાત્મક નોંધમાં હસ્તપ્રતોમાંનાં સર્વ મહત્ત્વપૂર્ણ વિચલનો (પાઠાંતરો)ની નોંધ કરવી. આમ, પાઠની નીચે ક્રમબદ્ધ રીતે નીચેની બાબતોનો સમાવેશ થવો જોઈએ: Page #98 -------------------------------------------------------------------------- ________________ પાઠ-સંપાદન અંગે વ્યવહારુ સૂચનો (૧) (૨) (૩) (૪) e જેમનો ગ્રંથના પાઠમાં ઉલ્લેખ ન થયો હોય એવા મૂલાદર્શથી જુદા પડતા પાઠોનો સંક્ષિપ્ત ઉલ્લેખ. લહિયાની ભૂલો સહિત, અસ્વીકૃત પાઠાંતરોનો ઉલ્લેખ. આ ઉલ્લેખનો હેતુ એ પાઠાંતરો પાઠ-નિર્ણય માટે લક્ષમાં લેવા યોગ્ય નથી એમ દર્શાવવાનો નથી, પરંતુ વાચકને જણાવવાનો છે કે અહીં આ જગ્યાએ પાઠ મૂલાદર્શ પર્યંત પહોંચતો નથી, પરંતુ સંચરણપરંપરાના એક નીચલા સ્તર સુધી જ પહોંચે છે. ઉપ-પાઠાંતરો (sub-variants) નો ઉલ્લેખ, જો તેઓ એકબીજાથી અથવા મુખ્ય પાઠાંતરોથી જુદાં પડી આવતાં હોય તો. વધુ પાઠભેદોવાળી હસ્તપ્રતો (variant-bearers) ના સમાન પાઠોનો ઉલ્લેખ. અમુક વ્યક્તિગત અર્થાત્ સ્વતંત્ર હસ્તપ્રતોમાં અથવા હસ્તપ્રતોના સમૂહમાં પ્રવેશેલા ટૂંકા પ્રક્ષેપોને પણ સમીક્ષાત્મક ટિપ્પણમાં સમાવી લેવા જોઈએ. લાંબા પ્રક્ષેપો માટે પરિશિષ્ટની યોજના કરી શકાય. કોઈ એકાદ હસ્તપ્રત અથવા બહુ નાના કે નગણ્ય હસ્તપ્રતસમૂહના પ્રમાણ ૫૨ આધારિત નાના પ્રક્ષેપો અથવા વધારાના પરિચ્છેદોનો સમાવેશ પણ પરિશિષ્ટમાં થઈ શકે. સમીક્ષાત્મક સામગ્રીની પાદટીપમાં પણ આવા વધારાના પરિચ્છેદો પાઠ્યગ્રંથમાં કયે સ્થળે આવેલા છે તે દર્શાવવું જોઈએ. આ રીતે, સમીક્ષાત્મક સામગ્રી અને લાંબા પ્રક્ષેપો તથા ઉમેરાઓ દર્શાવતાં પરિશિષ્ટો સાથે મળીને પાઠનિર્માણ અર્થે ઉપલબ્ધ સમસ્ત હસ્તપ્રત સામગ્રીનો પરિચય આપશે, અને સમીક્ષાત્મક સંસ્કરણની દૃષ્ટિએ સંપાદકનું કર્તવ્ય હવે સમાપ્ત થાય છે. તે પ્રસ્તાવનામાં પોતાના સમીક્ષા-કાર્ય માટે ઉપયોગમાં લીધેલી સામગ્રી વિષેની બધી જ પ્રસ્તુત માહિતી તથા પાઠ-નિર્ધારણમાં પ્રયોજેલા સિદ્ધાંતો રજૂ કરે છે, અને સમીક્ષાત્મક સંસ્કરણમાં નિર્ધારિત પાઠ ઉપરાંત તે પાઠ-નિર્ધારણ જે સંભાવનાઓને આધારે કરવામાં આવ્યું છે તે પણ સ્પષ્ટપણે દર્શાવે છે. તદુપરાંત તે ‘સમીક્ષાત્મક સામગ્રી’ (apparatus criticus) પ્રસ્તુત કરે છે. જેમાં સમસ્ત હસ્તપ્રત સામગ્રીને સુવ્યવસ્થિત રૂપે વર્ગીકૃત કરી નિશ્ચિત સિદ્ધાંતોને આધારે રજૂ કરવામાં આવી હોય છે. મર્મજ્ઞ વાચક સમક્ષ હવે સમગ્ર મહત્ત્વપૂર્ણ સામગ્રી પડેલી છે, જેને આધારે તે સંપાદકે નિર્ધારિત કરેલા પાઠ સાથે સંમત થાય અથવા તે જાતે જ પોતાના અનુભવના બળે અહીં પ્રસ્તુત કરાયેલ સામગ્રીને આધારે પોતાને મનપસંદ પાઠનું નિર્ધારણ કરે. હવે આપણે સમીક્ષાત્મક સંપાદનના એક બીજા પાસા તરફ આવીએ, જે વાસ્તવમાં તો પાઠ-સમીક્ષાનો ભાગ ન પણ ગણાય. તેમ છતાં જે કોશ-શાસ્ત્ર (lexicon) તેમ જ શૈલી Page #99 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ભારતીય પાઠ-સમીક્ષા શાસ્ત્ર (stylistics) ના અભ્યાસની દષ્ટિએ અત્યંત આવશ્યક છે. જે પરિશિષ્ટો અને સૂચિઓ (index) સંપાદકે આપવી હિતાવહ છે, તેમાં નીચેનાનો સમાવેશ થવો જોઈએ - (૧) પાઠ્યગ્રંથમાં આવતા સર્વ શ્લોકોની પાદ-સૂચિ. આ શ્લોકો નિર્ધારિત પાઠમાં હોય અથવા સમીક્ષાત્મક સામગ્રીમાં અથવા લાંબા પ્રક્ષેપો માટેના પરિશિષ્ટમાં હોય. સર્વ અપ્રચલિત શબ્દોની વર્ણાનુક્રમે સૂચિ, જો શક્ય હોય તો સંપૂર્ણ શબ્દસૂચિ. પાઠ્યગ્રંથ તેમજ સમીક્ષાત્મક સામગ્રીમાં આવતા બધા જ શબ્દોની સૂચિ. અહીં તે શબ્દ જ્યાં આવતો હોય તેવાં એકાદ બે સ્થળોનો જ ઉલ્લેખ કરવો. (૪) પાઠ્યગ્રંથમાં સમાયેલી સંપૂર્ણ ઐતિહાસિક અને ભૌગોલિક માહિતીની સૂચિ. આમાં વ્યક્તિવાચક નામોની સંપૂર્ણ સૂચિનો પણ સમાવેશ થવો જોઈએ. પાઠ્યગ્રંથમાં પહેલેથી અસ્તિત્વ ધરાવતાં વિભિન્ન મુદ્રિત સંપાદનોની અનુક્રમણિકા પણ હોવી જોઈએ, જેથી પ્રસ્તુત સંપાદનના સંદર્ભોને અન્ય સંપાદનોના સંદર્ભોમાં સહેલાઈથી રૂપાંતરિત કરી શકાય. આ સર્વે સમીક્ષાત્મક પાઠ-સંપાદનના આવશ્યક ઉપસિદ્ધાંતો છે. અન્ય ગ્રંથોમાં જો સમાંતર રૂપાંતરો ઉપલબ્ધ થતાં હોય તો સંપાદકે તેમની ચર્ચા એક અલગ પરિશિષ્ટમાં કરવી જોઈએ. આ રૂપાંતરોનું યથાર્થ અર્થઘટન ઉચ્ચતર સમીક્ષાનો વિષય બને છે, અને તેથી પ્રસ્તુત પુસ્તકમાં તેની ચર્ચા કરી નથી. આપણે અહીં જે ચર્ચા કરી છે તને “સામાન્ય પાઠ-સમીક્ષા' (Lower Criticism of the text)) (g{- Niedere Textkritik 24491 $74 Critique Verbale) sjalui આવે છે, જેમાં આપણે અનુસંધાન (Heuristic), સંસ્કરણ (Recensio) અને સંશોધન (Emendatio) એટલા વિષયોને જ આવરી લીધા છે. ઉચ્ચતર સમીક્ષાનો વિષય એક સ્વતંત્ર પુસ્તકમાં ચર્ચાય તે કદાચ વધુ હિતાવહ ગણાય. કારણ કે ભારતમાં અત્યાર સુધી તો તેના અભ્યાસ માટે સાનુકૂળ વાતાવરણ નથી, અને તે એ દષ્ટિએ કે એક તરફ અહીં ગ્રંથોના ચોક્કસ કાલાનુક્રમનો અભાવ છે, તો બીજી તરફ સાહિત્યના અમુક નિશ્ચિત યુગોના ગહન અધ્યયનનો પણ અભાવ છે. અંતમાં સમીક્ષાત્મક સામગ્રીને પ્રસ્તુત કરવાની વિવિધ પદ્ધતિઓ વિષે અહીં બે શબ્દો ઉમેરી શકાય. કેટલાક આ સામગ્રીને તાત્કાલિક તે જ પૃષ્ઠ પર આપવાનું પસંદ Page #100 -------------------------------------------------------------------------- ________________ પાઠ-સંપાદન અંગે વ્યવહારુ સૂચનો કરે છે; તેઓ મૂલનો પાઠ પૃષ્ઠના ઉપરના ભાગમાં અને સમીક્ષાત્મક સામગ્રી નીચેના ભાગમાં રજૂ કરે છે. બીજા કેટલાક આ સામગ્રીને ગ્રંથને અંત ‘પાઠાંતરો' (variant readings) તરીકે આપે છે. સમીક્ષાત્મક સામગ્રીની બાબતમાં ખરું પાંડિત્ય કેવળ પાઠાંતરો આપવા કરતાં કંઈક જુદું છે. પરંતુ ગમે તેમ તો પણ જે પૃષ્ઠ પર મૂલ પાઠ છપાયો હોય તે જ પૃષ્ઠ પર તે પાઠના નિર્ધારણ માટે ઉપયોગમાં લીધેલી સર્વ સામગ્રી પ્રસ્તુત કરવાથી વાચકને ઘણી સરળતા રહે છે. અને મોટા ભાગનાં સમીક્ષાત્મક સંપાદનોમાં આ જ પદ્ધતિ સમાન રીતે અપનાવવામાં આવેલી હોય છે. ૧ અહીં આપણે એક બાબતની વિચારણા કરી નથી. જ્યારે લેખકનો સ્વહસ્તલેખ અને તેની પ્રતિલિપિ (પછી ભલે તે તાત્કાલિક અર્થાત્ પ્રથમ પ્રતિલિપિ હોય કે પાછળનીમધ્યવર્તી પ્રતિલિપિ હોય) વચ્ચે સમયનો મોટો ગાળો ન હોય અને પ્રતિલિપિ પાઠ્યગ્રંથની બચેલી શ્રેષ્ઠ હસ્તપ્રત હોય તો સર્વોત્તમ પદ્ધતિ એ છે કે પ્રતને અલ્પતમ પરિવર્તન સાથે, પ્રતિલિપિકારની દેખીતી અને અનિવાર્ય ભૂલોને સુધારી લઈ છાપી દેવી અને અન્ય મહત્ત્વપૂર્ણ હસ્તપ્રતો તેનાથી જુદી પડતી હોય તેની નોંધ સમીક્ષાત્મક સામગ્રીમાં કરવી, જો કે આ પદ્ધતિ મર્યાદિત પ્રમાણમાં જ કાર્યક્ષમ છે અને તે છેલ્લાં સાતસો કે આઠસો વર્ષમાં થઈ ગયેલા લેખકોની કૃતિઓને જ લાગુ પડે છે. ઉદાહરણ તરીકે, જ્ઞાનેશ્વરીની એક પ્રતિલિપિ અસ્તિત્વમાં હોવાનું કહેવાય છે, જે જ્ઞાનદેવના મૂળ લિપિકાર (amanuensis) સચ્ચિદાનંદ બાબાના શિષ્યે શક સંવત ૧૨૭૨માં (ઈ.સ.૧૩૫૦)૧ સ્વહસ્તલેખ પછીના સાઠ વર્ષના જ ગાળામાં તૈયાર કરી હતી. આ કૃતિની એકનાથ પૂર્વેની અન્ય હસ્તપ્રતોના અભાવમાં સમીક્ષાત્મક સંપાદન કરનાર માટે એક જ રસ્તો ખુલ્લો છે અને તે એ કે કેવળ દેખીતી લેખનગત ભૂલોને સુધારી લઈ આ હસ્તપ્રતનો પાઠ છાપી દેવો અને અન્ય સર્વ હસ્તપ્રતો જેમના પર તેમનો સમય અંકિત કરવામાં આવ્યો હોય તથા જેમના ૫૨ સમયાંકન ન થયું હોય છતાં જે મહત્ત્વપૂર્ણ હોય અને પ્રાચીન દેખાતી હોય એવી સર્વ હસ્તપ્રતોનાં પાઠાન્તરો સમીક્ષાત્મક ટિપ્પણમાં નોંધવાં. જો આથી પણ વધુ પ્રાચીન સમયની કોઈ પ્રતિલિપિ મળી આવે અને આ હસ્તપ્રત સાથે તેની તુલના કરતાં આ નવી મળી આવેલી પ્રતિલિપિ ઉચ્ચતર જણાય તો હવે આપણું કાર્ય આ વધુ પ્રાચીન પ્રતિલિપિના પાઠને સ્વીકારવાનું અને બીજી હસ્તપ્રતની મદદથી તે પાઠની પ્રામાણિકતા ૧. આ હસ્તપ્રતની માઈક્રોફિલ્મ ડેક્કન કૉલેજ રિસર્સ ઇન્સ્ટિટ્યૂટમાં છે. હસ્તપ્રતના સમયનો બીજો આંકડો ભૂંસાઈ ગયો છે. પરંતુ તેના પાઠોને આધારે હસ્તપ્રત ઈ.સ. ૧૩૫૦માં લખાયેલી ખરેખરી મૂળ પ્રત નહિ તો પણ તે મૂળ પ્રત (સ્વહસ્તલેખ) પરથી જ તૈયાર કરેલી પ્રતિલિપિ હોવાનું અવશ્ય માની શકાય. આ હસ્તપ્રતની શોધ અને તેની માઈક્રોફિલ્મ આ ઇન્સ્ટિટ્યૂટના રજિસ્ટ્રાર ડૉ. આર.જી. હર્ષેની ધગશને આભારી છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ભારતીય પાઠ-સમીક્ષા ચકાસી લેવાનું તથા પહેલાંની જેમ જ સઘળાં પાઠાન્તરો સમીક્ષાત્મક ટિપ્પણમાં નોંધવાનું રહેશે. ઈ.સ.૧૨૦૦ પછી થઈ ગયેલા લેખકો માટે પાઠ-સમીક્ષાની સમસ્યા બહુ વિકટ નથી અને આપણી પ્રાચીનતમ તેમ જ શ્રેષ્ઠ હસ્તપ્રત તથા સ્વહસ્તલેખ વચ્ચેના સમયનો ગાળો ઘણો મોટો ન હોય તો આ પદ્ધતિ સ્વીકારી શકાય. ધાર્મિકતાને રંગે રંગાયેલી કૃતિઓમાં ઘણીવાર સંચરણ દરમ્યાન ઘણાં પરિવર્તન અનિવાર્યપણે પ્રવેશતાં હોય છે અને અહીં સૂચવેલી પદ્ધતિ તેમને લાગુ પાડી શકાશે નહીં. ઉદાહરણ તરીકે, લીલાશુક બિલ્વમંગલની રચના “કૃષ્ણામૃતમ્' બે વાચનાઓમાં પ્રાપ્ત થાય છે અને લાંબા સમય સુધી વ્યવસ્થિતપણે સંમિશ્રણ (conflation) ચાલ્યા કર્યું હોવાને કારણે સર્વોત્તમ વર્તમાન હસ્તપ્રતોના પાઠોને પ્રમાણભૂત ઠરાવીને તેના મૂળ પાઠ સુધી પહોંચવું શક્ય નથી. આવા કિસ્સાઓમાં અનુસંધાન (Heuristics), સંસ્કરણ (Recensio) અને સંશોધન (Emendatio)ની નિયમિત પદ્ધતિનો જ ઉપયોગ કરવો જોઈએ. કેટલીક મહત્ત્વની ન ગણાય તેવી રચનાઓની બાબતમાં બે કે ત્રણથી વધુ હસ્તપ્રતો અસ્તિત્વ જ ધરાવતી ન હોય એ સંભવ છે. અને અધિકૃત વાચનાની સમસ્યા અહીં ઘણી સરળ બની જાય છે. જો એક જ વાચના નજરે પડતી હોય તો સર્વોત્તમ હસ્તપ્રતને આદર્શ (norm) તરીકે સ્વીકારવાની રહેશે. જો બે વાચનાઓ અસ્તિત્વ ધરાવતી હોય તો વંશાનુક્રમ પદ્ધતિને આધારે અધિકૃત વાચના તૈયાર થઈ શકશે. સંપાદકને જ્યારે વૈદિકેતર પાઠ્યગ્રંથો - જેવા કે રામાયણ-મહાભારત અને પુરાણો - સાથે કામ કરવાનું હોય છે ત્યારે તેમનાં સમીક્ષાત્મક સંસ્કરણ તૈયાર કરવામાં ખરી મુશ્કેલી તેને અનુભવાશે. આવા સંપાદનનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ પૂનાના ભાંડારકર ઓરિયેન્ટલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા હાથ ધરવામાં આવેલ મહાભારતનું સમીક્ષાત્મક સંપાદન છે. આદિપર્વના તેમના સમીક્ષાત્મક સંપાદનમાં સુકથનકરે જેમનો પ્રયોગ કર્યો છે અને જેમને પરિપૂર્ણ બનાવ્યા છે તે સિદ્ધાંતો અને પદ્ધતિઓની અવગણના પુરાણો કે તેમના જેવી જ કઠિન અન્ય કૃતિઓનું આવા પ્રકારનું કામ હાથ ધરનાર કોઈ પણ સંપાદક કરી શકે નહિ. Page #102 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ ૯૩ પરિશિષ્ટ-૧ પાઠ - સમીક્ષામાં પ્રચલિત કેટલાક મહત્ત્વના પારિભાષિક શબ્દોની સૂચિ અક્ષરલોપ (Lipography અથવા Parablepsia) : કોઇપણ પ્રકારનો વર્ણ અથવા અક્ષરનો લોપ. અધિકૃત વાચના (Critical Recension) : પાઠ્યગ્રંથનું યથાશક્ય મૂલસ્વરૂપ. જુઓ - સમીક્ષાત્મક સંસ્કરણ. અનુમાન (Conjecture) : હસ્તપ્રતના પ્રમાણ કરતાં આગળ વધી સામાન્ય બુદ્ધિ દ્વારા થતા તર્કની પ્રક્રિયા દ્વારા પાઠ્યગ્રંથના અમુક પાઠનિર્ણય માટે માનવીય મેધાવિતાનો પ્રયોગ. આ પ્રકારે સંશોધિત પાઠને “અનુમાનાત્મક સંશોધન' (Conjectural emendation) કહે છે. અનુમાનિત સમાન પૂર્વજ (Hypothetical Common Ancestor) : જે હસ્તપ્રત આજે વર્તમાન ન હોય પરંતુ વર્તમાન હસ્તપ્રતોના પારસ્પરિક સંબંધને સમજાવવા માટે ભૂતકાળમાં કોઈ સમયે જેનું અસ્તિત્વ ધારી લેવું પડે તેવી હસ્તપ્રત. આ હસ્તપ્રતને આવી બધી જ હસ્તપ્રતોનો મૂલસ્રોત માનવામાં આવે છે. અનુલેખનીય સંભાવના (Transcriptional Probability): જુઓ - દસ્તાવેજીય સંભાવના. અનુસંધાન (Heuristics) : પાઠ-સમીક્ષા માટેની સામગ્રી (હસ્તપ્રતો, સહાયક સામગ્રી, વગેરે) એકત્રિત કરવી અને તેમનો પરસ્પર સંબંધ સ્થાપિત કરવો તે. અપપાઠઃ (Mislection) અશુદ્ધ પાઠ, દોષયુક્ત પાઠ. અર્થઘટન (Exegesis): સંશોધનનો આશ્રય લીધા વિના જ હસ્તપ્રતોના અભિસાક્ષ્ય પ્રમાણ) દ્વારા પ્રસ્તુત થતી સામગ્રીમાંથી બંધબેસતા અર્થની તારવણી. “સંશોધન' આ અભિસાશ્યથી આગળ જવાનો પ્રયાસ કરે છે. અશુદ્ધિ (Corruption) : ભૂલોને કારણે પેદા થતી વિકૃતિ - પાઠના કોઈ પણ શબ્દ યા પરિચ્છેદનું ક્ષતિયુક્ત અર્થાત્ દૂષિત સ્વરૂપ. અંતરંગ (આન્સર) સંભાવના (Intrinsic Probability) : પાઠના સંદર્ભ પર આધારિત સંભાવના. આન્તરિક અર્થાત્ આવશ્યક સંભાવના. આકસ્મિક (Accidental) : જે જાણી જોઈને યા ઈરાદાપૂર્વક ન કરવામાં આવ્યું હોય, જે Page #103 -------------------------------------------------------------------------- ________________ ભારતીય પાઠ-સમીક્ષા કેવળ અકસ્માતથી બન્યું હોય તે. ખાસ કરીને જ્યારે ઉમેરો, ત્રુટિઓ યા લોપ જાણીબૂઝીને ન થયાં ત્યારે આ શબ્દ પ્રયોજાય છે. આદર્શપ્રત (Exemplar) : જે હસ્તપ્રત આગળના પ્રતિલિપીકરણ માટેની “પ્રત’ બને, જે નમૂનાના મૂલસ્રોતમાંથી પ્રતિલિપિઓ તૈયાર કરવામાં આવે તે પ્રત. સરખાવો સંસ્કૃતમાં પુસ્તમ્ આનુમાનિક પાઠાન્તર (Presumptive variant) : સંમિશ્રિત હસ્તપ્રતમાંના એકલવાયા પાઠ. સામાન્ય સંયોગોમાં આવા પાઠને પાઠ-નિર્ધારણ માટે અવગણવામાં આવે છે. પરંતુ તે અશુદ્ધ હોવા સંબંધી પ્રમાણના અભાવમાં તે સ્વતંત્ર પાઠ તરીકેનું મહત્ત્વ ધરાવે છે અને આમ પાઠાન્તર તરીકે ગણાવાને હકદાર છે. આનુવંશિક પદ્ધતિ (Genealogical Method): જુઓ – વંશાનુક્રમ પદ્ધતિ. ઉચ્ચતર સમીક્ષા (Higher Criticism) : પાસમીક્ષાની પ્રશિષ્ટ પદ્ધતિ પ્રમાણે પાઠસમીક્ષાનું ચતુર્થ અર્થાત્ અંતિમ સોપાન. અહીં લેખક દ્વારા ઉપયુક્ત સ્રોતોનું પૃથક્કરણ છે. ઉપ-પાઠાન્તર (Sub-variant) : ઉપવાચનામાં યા રૂપાન્તરમાં નોંધાયેલ પાઠાન્તર, જેની સામાન્ય સંયોગોમાં મૂલાદર્શના પાઠ-નિર્ધારણ માટે ઉપેક્ષા કરવામાં આવે છે પરંતુ જે વાચનાના પાઠ-નિર્ધારણ માટે આવશ્યક બને છે. ઉપ-મૂલાદર્શ (Hyparchetypus અથવા Sub-archetype) : પાઠ્યગ્રંથના સંચરણમાં મૂલાદર્શ પછીનો વર્તમાન હસ્તપ્રતોનો કાલ્પનિક મૂલસ્રોત. સંચરણ-પરંપરામાં પ્રથમ વિઘટનનો પ્રારંભ મૂલાદર્શથી થાય છે; ઉપ-મૂલાદર્શ દ્વિતીય વિઘટન સૂચવે છે. ઉપ-વાચના (Sub-recension) : કોઈ પણ વાચના સંચરણ દરમ્યાન વિવિધ શાખાઓમાં વિભાજિત બને છે. આગળ જતાં આ શાખાઓ વધુ વિભાજનના સ્રોત બને છે. આ સ્રોતને ઉપ-વાચનાઓ કહે છે. ઉપાત્ત ટિપ્પણી (Marginalia) : હાંસિયામાં કરેલી નોંધ. ઘણીખરી હસ્તપ્રતોમાં તે જોવા મળે છે. ગૌણ (Secondary) : જે “મૂળ' (Original) અર્થાતુ લેખક દ્વારા અભિપ્રેત ન હોય, તેમ છતાં પાઠ-સંચરણના વિવિધ તબક્કાઓમાં જેને સ્થાન પ્રાપ્ત થાય તેને માટે પ્રયોજાતો શબ્દ. બે હસ્તપ્રતો યા રૂપાન્તરોનો ગૌણ સંબંધ એટલે સંચરણમાં મૂલાદર્શ પછીના કોઈ એક સમાન સ્રોત યા સ્રોતોમાંથી તે બંનેનું ઊતરી આવવું તે. ટિપ્પણ (Gloss) પાઠમાંના શબ્દને સમજાવવા હાંસિયામાં અથવા બે પંક્તિઓની વચ્ચે મૂકવામાં આવતો શબ્દ. Page #104 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ ૫ દસ્તાવેજીય સંભાવના (Documental Probability) : સંભાવનાનો એક પ્રકાર, જે દ્વારા એક શબ્દમાંના અમુક વર્ણોના બીજા શબ્દના વર્ણો સાથે દેખાવના સામ્યને આધારે એક શબ્દમાંથી બીજા શબ્દમાં પરિવર્તન કઈ રીતે થયું તે સમજાવી શકાય. પાઠ (Text, reading) : ગ્રંથનું (લિખિત) સ્વરૂપ, લિખિત અંશ. પાઠભેદ (Differentia) : પાઠોની ભિન્નતા, પાઠોની અસંગતિ, જે હસ્તપ્રતો અથવા રૂપાન્તરો (versions) સ્વતંત્ર હોવાનો સંકેત કરતી હોય. પાઠાન્તર (Variant) : વિવિધ પાઠોમાંનો એક પાઠ, જે પાઠ આપણે જે ગ્રંથનું પાઠ-નિર્ધારણ કરી રહ્યા છીએ તેનો પાઠ હોઈ શકે. પાઠાન્તર-ધારક (Variant-bearer) : જે હસ્તપ્રતના પાઠોને પ્રસ્તુત ગ્રંથના પાઠ-નિર્ધારણ માટે લક્ષમાં લેવામાં આવે તે હસ્તપ્રત. પારસ્પરિક પાઠ (Traditional reading) : જેને હસ્તપ્રતો અને સહાયક સામગ્રી એ બંનેનું અનુમોદન મળતું હોય તેવો પાઠ. પુનરાવૃત્તિ (Dittography) : જુઓ પુનર્લેખ પુનર્લેખ (Dittography) : કોઈ એક અક્ષર, શબ્દ યા શબ્દસમૂહને ‘આકસ્મિક’ રીતે બે વાર લખવા તે. પુષ્પિકા (Colophon) : હસ્તપ્રતનો અથવા તેના એક વિભાગનો અંતિમ અંશ, જેમાં કૃતિના એક વિભાગની, તેના એક ખંડની કે પછી સંપૂર્ણ કૃતિની પરિસમાપ્તિ દર્શાવવામાં આવી હોય. પોથી : છુટાં પાનાંની બનેલી હસ્તપ્રત (A manuscript volume). પ્રક્ષેપ : (Interpolation) : પાઠમાં (મૂળમાં ન હોય એવા) શબ્દો, પરિચ્છેદો પાછળથી ઉમેરવા તે. પ્રચલિત (લોકપ્રચલિત) પાઠ (Vulgate) : કોઈ પણ કૃતિનો સામાન્ય રીતે પ્રાપ્ત થતો સાધારણીકૃત (normalized) પાઠ. મૂળ તો vulgate શબ્દ ઇ.સ. ચોથી સદ્દીના અંતમાં જેરોમ દ્વારા તૈયાર કરાયેલ બાઈબલના લેટિન રૂપાંતર માટે પ્રયોજાતો હતો. પણ લક્ષણા દ્વારા તે કોઈ પણ ગ્રંથના ‘સમીક્ષિત પાઠ’ વિરૂદ્ધ ‘લોકપ્રસિદ્ધ અને બહુજનસ્વીકૃત પાઠ’ માટે પ્રયોજાય છે. (લેટિન : vulgate). પ્રતિલિપિ (Transcript) : આદર્શ પ્રતમાંથી બનાવેલી નકલ. પ્રશસ્તિ : પાઠ્યગ્રંથના પ્રારંભમાં અથવા પાઠ્યગ્રંથનાં પ્રકરણોના આરંભમાં જોવા મળતાં પ્રશંસાત્મક પદ્યો. બહિરંગ (બાહ્ય) સંભાવના (Extrinsic Probability) : આનો સંબંધ સંદર્ભીય અંતરંગ Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૬ ભારતીય પાઠ-સમીક્ષા સંભાવના સાથે નથી, પરંતુ પરિચ્છેદના અર્થ સિવાયની અન્ય બાહ્ય પરિસ્થિતિઓ સાથે છે. સરખાવો-દસ્તાવેજીય સંભાવના. બૃહત્ પાઠ (વાચના) (Textus Ornatior) : જુઓ વિસ્તૃત પાઠ (વાચના) મિશ્રપ્રત (Mische-codex) : જે હસ્તપ્રતમાં સ્વતંત્ર પરંપરાઓના વિભિન્ન પ્રવાહો ગૂંથાઈ ગયા હોય, ભળી ગયા હોય એવી પ્રત, સંમિશ્રિત હસ્તપ્રત. મૂલાદર્શ (Archetype) : મૂલ આદર્શપ્રત. કોઈ એક શાખા (કુળ) અર્થાત્ હસ્તપ્રત-સમૂહના કાલ્પનિક સમાન પૂર્વજ માટે પ્રયોજાતો શબ્દ. સામાન્ય રીતે હસ્તપ્રત-સમૂહના કોઈ પણ કાલ્પનિક સમાન પૂર્વજ માટે આ શબ્દ પ્રયોજાય છે. પછી ભલે તે સંચરણનું વિભિન્ન શાખાઓમાં વિભાજન થાય તે પૂર્વે સ્વહસ્તલેખમાંથી ઉદ્ભવેલી પ્રથમ હસ્તપ્રત હોય અથવા તો સંચરણમાં પ્રથમ વિભાજન થાય તે પછીની સંચરણમાંની મધ્યવર્તી કાલ્પનિક કડી હોય. પરંતુ વિશેષ ચોકસાઈની દૃષ્ટિએ જે હસ્તપ્રતમાંથી સંચરણ દરમ્યાન સર્વ પ્રથમ વિઘટનની પ્રક્રિયાનો પ્રારંભ થયો તે સઘળી ઉપલબ્ધ હસ્તપ્રતોના સમાન મૂલસ્રોત માટે આ શબ્દને આરક્ષિત રાખવો વધુ ઉચિત છે. સંચરણની દૃષ્ટિએ વચ્ચેની કડીઓ માટે ‘ઉપમૂલાદર્શ' (Hyparchetypus અથવા Sub-archetype) શબ્દ પ્રયોજી શકાય. રૂપાન્તર (Version) : ઉપ-વાચનામાંથી આગળ થતું વિભાજન, અને ઉપવાચના ન હોય તો વાચનામાંથી થતું વિભાજન. રોટોગ્રાફ (Rotograph): એક વિશિષ્ટ પ્રક્રિયા દ્વારા હસ્તપ્રતનાં એક યા વધુ પાનની કાળા પદાર્થ પર સફેદ છાપ. લઘુપાઠ (વાચના) (Textus Simplicior) : જુઓ સંક્ષિપ્ત પાઠ (વાચના) લુપ્તાંશ (Lucuna): હસ્તપ્રતમાંથી કેટલોક અંશ નષ્ટ થવાથી યા ભૂંસાઈ જવાથી ઉત્પન્ન થયેલી ખાલી જગ્યા. લોપ (Omisson) : ગમે તે પ્રકારે લખાણમાં કંઈક રહી જવું તે. વર્ણલોપ (Lipography) : જુઓ અક્ષરલોપ. વંશવૃક્ષ (Stemma Codicum) : હસ્તપ્રતોનો વંશાનુક્રમ વંશવૃક્ષ રૂપે દર્શાવવાની એક પ્રચલિત પદ્ધતિ. વંશાનુક્રમ (Pedigree) : વર્તમાન વિવિધ હસ્તપ્રતોના પારસ્પરિક સંબંધને વંશવૃક્ષ રૂપે દર્શાવવો તે. વંશાનુક્રમ પદ્ધતિ (Genealogical Method) : જે પદ્ધતિને આધારે હસ્તપ્રતોને પરસ્પર એવી રીતે સાંકળી શકાય કે જેથી તેમનું વંશવૃક્ષ તૈયાર થઈ શકે. આ પદ્ધતિ Page #106 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ દ્વારા વિભિન્ન હસ્તપ્રતોને તેમના મૂલસ્રોતોમાંથી ઊતરી આવેલી દર્શાવાય છે અને તેમનો પારસ્પરિક સંબંધ સ્પષ્ટ થાય છે. વાચના (Recension): આ શબ્દ સામાન્ય રીતે સંચરણ દરમ્યાન મૂલાદર્શમાંથી પાક્યગ્રંથના વિભિન્ન શાખાઓ – પરંપરાઓમાં થતા પ્રથમ વિભાજન માટે પ્રયોજાય છે. વાચનાના ક્રમશઃ ઉપશાખાઓમાં થતાં વિભાજનમાંથી આપણને “ઉપવાચના” પ્રાપ્ત થાય છે. તેમાંથી ઉત્તરોત્તર વિભાજન થતાં “રૂપાન્તર અને તેથી આગળ “ઉપરૂપાન્તર' પ્રાપ્ત થાય છે. વિસ્તૃત પાઠ (વાચના) (Textus Ornatior) : જેમાં પાઠ્યગ્રંથનો વિસ્તૃત પાઠ સચવાયેલો હોય તે વાચના યા રૂપાંતર યા હસ્તપ્રત. શોધપત્ર: કેટલાક પરિચ્છેદ શરૂઆતની પ્રતિલિપિમાં લહિયા દ્વારા અજાણતાં રહી ગયા હોય અથવા અન્ય હસ્તપ્રતોમાં તે મળતા હોય અને લહિયાએ, સંપાદકે યા હસ્તપ્રતોના માલિકે તેની પોતાની પ્રતિલિપિમાં ઉમેર્યા હોય. આવા પરિચ્છેદોને હસ્તપ્રતમાં એક વધારાના પાન પર લખવામાં આવે તેને શોધપત્ર કહે છે. સમવર્ણલોપ (સમાક્ષરલોપ) (Hypography): ગમે તે પ્રકારે લખાણમાં કંઈક રહી જવું તે. સમીક્ષાત્મક સંસ્કરણ (Critical Recension): પાઠ્યગ્રંથને શક્ય હોય ત્યાં સુધી તેના મૂળ સ્વરૂપ સુધી લઈ જવો તે. ‘મૂળ સ્વરૂપ”નો અર્થ આપણે લેખક દ્વારા અભિપ્રેત સ્વરૂપ' એમ ઘટાવીએ છીએ. સમીક્ષાત્મક સામગ્રી (Apparatus Criticus) : કોઈ એક મૂળ પાઠ્યગ્રંથની વિભિન્ન હસ્તપ્રતોના સંતુલનમાંથી તારવેલી સામગ્રી, જેને આધારે અધિકૃત વાચના તૈયાર થઈ શકે. સામાન્ય રીતે સ્વીકૃત પાઠની નીચે તેને વ્યવસ્થિત રૂપે રજૂ કરવામાં આવે છે. તે સિવાય અલગ પરિશિષ્ટ રૂપે પણ તેને રજૂ કરી શકાય. સહાયક સામગ્રી (Testimonium) : પ્રત્યક્ષ દસ્તાવેજીય પ્રમાણ (હસ્તપ્રતો) સિવાયનાં પરોક્ષ પ્રમાણો, જેમ કે ઉદાહરણો, ટીકાઓ, અનુવાદો, સંક્ષેપો, સારસંગ્રહો, પ્રતિકાવ્યો (Parody) આદિમાં પ્રાપ્ત થતાં પ્રમાણ, જે સંચરિત પાઠ(મૂળપાઠ)ની સ્થિતિનો નિર્ણય કરવામાં સહાયરૂપ બને. સંકેત (સાંકેતિક) ચિહ્ન (Siglum) : (હસ્તપ્રતનું) સંક્ષિપ્ત ઓળખ ચિહ્ન, સામાન્યત: વર્ણમાલાનો કોઈ અક્ષર અથવા કોઈ સંખ્યા અથવા બંનેનો સમન્વય, જે દ્વારા સમીક્ષાત્મક સામગ્રીમાં હસ્તપ્રતને દર્શાવવામાં આવે. સંક્ષિપ્ત પાઠ(વાચના) (Textus simplicior): જે વાચના, રૂપાંતર યા હસ્તપ્રતમાં વધુ ટૂંકો પાઠ સચવાયેલો હોય. સંચ(ચા)રણ (Transmission) : મૂળમત અથવા તે પછીની હસ્તપ્રતોમાંથી પ્રતિલિપીકરણની લાંબી પરંપરા દ્વારા પાઠ્યગ્રંથનું સંરક્ષણ. આ સઘળી હસ્તપ્રતો Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ભારતીય પાઠ-સમીક્ષા છેવટે તો એક જ સ્રોતમાં મળી જતી હોય છે.જેમાં પાઠ્યગ્રંથને કોઈ પ્રકારનું ‘સંરક્ષણ’ ન મળે તેવા સંચારણને અવ્યવસ્થિત સંચારણ કહે છે. આ પ્રકારમાં પરિણામે અશુદ્ધિ, મિશ્રણ, પ્રક્ષેપ આદિની તકો વધુ રહે છે. જેમાં પાઠની યોગ્ય સુરક્ષા માટે અનુકૂલ પરિસ્થિતિ પ્રવર્તતી હોય અને પ્રતિલિપિ કરવાનું કાર્ય અધિકારી વર્ગની દેખરેખ નીચે કરવામાં આવે, જેઓ લહિયાઓના કાર્યનું નિરીક્ષણ કરતા રહે, તેને સંરક્ષિત સંચારણ કહેવાય. સંચ(ચા)રિત પાઠ (Transmitted reading) : કેવળ હસ્તપ્રતો દ્વારા પ્રમાણિત પાઠ; મૂલાદર્શનો પાઠ. સંતુલન (Collation) : કોઈ એક હસ્તપ્રતના સ્રોત યા સ્રોતોમાં શું રહેલું હશે તેનો નિર્ણય કરવામાં ઉપયોગી બને તેવાં હસ્તપ્રતમાં સમાયેલાં સઘળાં પ્રમાણોને એકત્રિત કરવાં તે. સંભાવના (Probability): વિવિધ પ્રકારની સંભાવનાઓ વિષે જુઓ દસ્તાવેજીય સંભાવના, બહિરંગ સંભાવના, અંતરંગ સંભાવના. અનુલેખનીય સંભાવના. સંમિશ્રણ (Conflation): સ્વતંત્ર સંચરણ-પરંપરા (શાખા)ઓની વિભિન્ન હસ્તપ્રતોની પરસ્પર સરખામણી કરવામાં વિભિન્ન પરંપરાઓનું થતું મિશ્રણ યા એકીકરણ. આવા સંમિશ્રણને પરિણામે જે હસ્તપ્રત ઉત્પન્ન થાય તેને સંમિશ્રિત હસ્તપ્રત કહે છે. સંમિશ્રિત હસ્તપ્રત (Conflated manuscript) : જુઓ મિશ્રપ્રત. સંશોધક (Corrector) : જે વ્યક્તિ લહિયાએ તૈયાર કરેલી પ્રતિલિપિને ફરી વાંચી જાય અને આદર્શપ્રત સાથે તેને સરખાવી તેમાં પ્રવેશેલી લહિયાની ભૂલો સુધારી લે તે સંશોધક. ઘણીવાર તે લહિયો પોતે પણ હોઈ શકે. સંશોધન (Emendatio) : પાઠસમીક્ષાની પ્રશિષ્ટ પદ્ધતિ અનુસાર પાઠસમીક્ષાનું તૃતીય સોપાન, જે દ્વાસ સંચરિત પાઠને શક્ય હોય ત્યાં સુધી તેના મૂળ સ્વરૂપે - લેખકે લખ્યું હોય તે સ્વરૂપે પહોંચાડી શકાય. સંસ્કરણ (Recensio) : સમીક્ષાત્મક ચકાસણી. ઉપલબ્ધ પાઠને તેના મૂલાદર્શના પાઠ સુધી પહોંચાડવો તે. સારગ્રાહી (Eclectic): બધી સામગ્રીને લક્ષમાં લેવી, વિભિન્ન સ્રોતોમાંથી પસંદગી કરવી. સ્વહસ્તલેખ (Autograph) : પાઠ્યગ્રંથની મૂળપ્રત,જે લેખકે સ્વયં લખી હોય અથવા લેખકે પોતે વાંચી જઈ પોતાને હાથે સુધારી લીધી હોય. હસ્તપ્રત (Manuscript) : કોઈ પણ પાઠ્યગ્રંથની હસ્તલિખિત પ્રત. Page #108 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ પરિશિષ્ટ-૨ ભારત તથા અન્ય દેશોમાં સંસ્કૃત તથા અન્ય ભાષાઓની હસ્તપ્રતોની ગ્રંથસૂચિ બનાવવાના કાર્યના ઇતિહાસ અને વિકાસનો સંક્ષિપ્ત પરિચય (ઈ.સ.૧૮૦૦ થી ૧૯૪૧). લેખનકલાનો પ્રચાર થયો ત્યારથી માંડીને અત્યાર સુધી આપણા પૂર્વજોએ હસ્તપ્રતો પ્રત્યે અતિ સંમાનની ભાવના સેવી છે. તે સિવાય આપણાં જીવન અને સંસ્કૃતિને વ્યાપ્ત કરનાર વિપુલ વૈવિધ્ય ધરાવતા વિચારોનું સંચારણ અશક્ય બન્યું હોત. પેઢી દર પેઢી ચાલતા ગ્રંથોના મૌખિક સંચારણને, જેમ ઋગ્વદની બાબતમાં બન્યું છે તેમ, ઋષિઓના આ મહાન સર્જનને, ભૂfપત્ર તાલપત્ર (તાડપત્ર) અથવા આપણા પૂર્વજોને તે સમયે ઉપલબ્ધ અન્ય સાધનો દ્વારા લિખિત સ્વરૂપ આપવાના સર્વપ્રથમ પ્રયાસને લીધે ઠીક ઠીક સુગમતા સાંપડી હશે. ભારતમાં ઈ.સ. પૂર્વેના હસ્તપ્રતોના લેખનના ઇતિહાસનું પુનર્નિર્માણ કરવું કઠિન છે. પરંતુ ઈ.સ.ના પ્રારંભ પછીના હસ્તપ્રતના ઇતિહાસ વિષે ૧. મેક્સમૂલરે તેના History of Ancient Sanskrit Literature” (1859) માં લેખનકલાના પ્રારંભની સમસ્યા વિષે સત્તાવીસ જેટલાં પૃષ્ઠોમાં ચર્ચા કરી છે.(મેક્સમૂલરના ઇતિહાસના પાણિનિ ઓફિસે કરેલા પુનર્મુદ્રણનાં પૃષ્ઠ ૫૭ થી ૨૭૦), ચાલીસ વર્ષ પછી ડો. બૂલરે તેમનું Indian Palaeography નામનું પુસ્તક પ્રસિદ્ધ કર્યું. મેક્સમૂલરે તેમના ઇતિહાસના અંત ભાગમાં વિષયસૂચિ Index) ની પ્રસ્તાવનામાં ડૉ. બૂલરનો આભાર માન્યો છે. અહીં ડો. બૂલરનો ઉલ્લેખ પ્રોફેસર બેન્કેના વિદ્યાર્થી તરીકે કરવામાં આવ્યો છે. “The Dawn” નામના માસિકમાં (કલક્તા, જાન્યુઆરી-૧૯૦૧) સર જદુનાથ સરકારે (તે સમયે પટણા કૉલેજમાં અંગ્રેજીના પ્રાધ્યાપક) ન્યૂલરના “Indian Palaeography નો સારાંશ આપ્યો છે, જેમાં ઈ.સ.પૂ.૩૫૦થી માંડીને ઈ.સ.૧૩૦૦ સુધીનો ભારતીય વર્ણમાલાનો ઇતિહાસ આલેખવામાં આવ્યો છે. ૨. દ્રષ્ટવ્ય - એજન – પૃ.૨-૩ અને અને આ પુસ્તકનું પરિશિષ્ટ ૩. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ભારતીય પાઠ-સમીક્ષા એવું નથી. કારણ કે આ પાછળના સમયની બાબતમાં ઈ.સ.ની શરૂઆતની સદીઓમાં લખાયેલી કેટલીક હસ્તપ્રતો આપણને આ પ્રકારના અભ્યાસ માટે ઉપલબ્ધ છે. ભૂર્જપત્ર આદિ પર લખાયેલી આ હસ્તપ્રતો સિવાય તાજેતરમાં બ્રહ્મદેશમાં માઝામાં ખોદકામ દરમ્યાન ચાર્લ્સ દુરોઈઝલને એક હસ્તપ્રત મળી છે, જેમાં વીસ સુવર્ણપત્રો છે. દરેક પત્ર ૫૨ એક બાજુએ લખાણ કોતરવામાં આવ્યું છે. આ હસ્તપ્રતની લંબાઈ ૬- અને ૧ "" ર ૩. દ્રષ્ટવ્ય - Archeological Servey of India (1926-27) ના અહેવાલનું પૃષ્ઠ ૧૭૯. જ્યારે આ સુવર્ણ હસ્તપ્રત તૈયાર થતી હતી ત્યારે ચીનાઓ તેમની હસ્તપ્રતો માટે કાગળનો ઉપયોગ કરતા હતા. (જુઓ Journal of American Oriental Seciety Vol. 62, No. ૨, જૂન ૧૯૪૧, પૃ.૭૧-૭૬ પર એ.ડબલ્યુ હ્યુમ્નલનો “The Development of the Bank in China” પરનો લેખ. તેમાં ચીની પુસ્તકના ક્રમશઃ વિકાસ ઊન તથા વાંસની ચીપમાંથી રેશમના યા કાગળના વીંટામાં, વીંટામાંથી વાળેલા આલ્બમમાં અને આલ્બમમાંથી આધુનિક યુગના પૃષ્ઠાંકિત પુસ્તકમાં થયેલા વિકાસની કથા આપણને જોવા મળે છે.) અહીં ઘૂઘુમ્મલના અત્યંત વિદ્વતાપૂર્ણ અને માહિતીપ્રદ લેખમાંથી આપણે આ કલાના પ્રાચીન કાલાનુક્રમને નોંધીએ - ઈ.સ.પૂ.તેરમી અને ચૌદમી શતાબ્દીઓ - હોનાન પ્રાંતમાંથી ઈ.સ.૧૮૯૯માં શોધાયેલા અંદર કોતરેલા લખાણવાળા કોતરણીવાળા અસ્થિકલ્પિત પદાર્થો દર્શાવે છે કે આ સમયે (શાંગ વંશ) પુસ્તકો અસ્તિત્વ ધરાવતાં હતાં. આ હાડકાં પર તેમ જ પ્રાચીન કાંસા પર ‘ગ્રંથ’ માટેનું ચિત્રાંકન યા ચિત્રલેખ (pictograph) જોવા મળે છે. ઈ.સ.પૂ.પ્રથમ શતાબ્દી- ચીની તુર્કસ્તાનના રણની રેતીમાં હજારો પટ્ટીઓ મળી આવી, જેમાં લખાણ કોતરેલું છે. ઈ.સ.૯૬- શાસ્ત્રોની વિગતવાર યાદી ધરાવતી લાકડાની ૭૮ પટ્ટીઓ સ્વેન હેડીનની શોધયાત્રામાંના (આશરે દશ વર્ષ પૂર્વે) ફો બર્ગમેનને મધ્ય એશિયામાંથી મળી આવી. ઈ.સ.૧૦૩- કાગળના શોધક સલ્ફ' એઈલુનને પોતે તૈયાર કરેલી સામગ્રી રાજાને હવાલે કરી. ત્સઉઈ યુઆન નામના એક વિદ્વાને, જેનું મૃત્યુ કાગળ સર્વ પ્રથમ બનાવવામાં આવ્યો ત્યાર બાદ ૩૭ વર્ષ પછી થયું હતું, તેના એક મિત્રને નીચે પ્રમાણે લખ્યું છે - હું તમને તત્ત્વચિંતક હસૂની રચનાઓ દશ વીંટામાં મોકલું છું, રેશમ પરની પ્રત મોકલવા હું અસમર્થ હોવાથી મારે તમને કાગળ પર લખાયેલ પ્રત મોકલવી પડે છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ ૧૦૧ પહોળાઈ ૧” છે. તેમાં “અભિધમ્મ અને વિનયપિટકોમાંથી ટૂંકાં ઉદ્ધરણો આપ્યાં છે. પુરાલિપિશાસ્ત્રની દૃષ્ટિએ આ હસ્તપ્રત બ્રહ્મદેશમાંથી આજ સુધીમાં પ્રાપ્ત થયેલ સૌથી વધુ જ્ઞાનવર્ધક શોધ માનવામાં આવે છે. આ હસ્તપ્રતોના અક્ષરો તે જ સ્થળે શોધાયેલ અને તે જ સમયના (એટલે કે છઠ્ઠી યા સાતમી શતાબ્દીના પ્રારંભના) વિશાળ રજત સ્તૂપની ઉપરની અને નીચેની ધારોની ઉપર કોતરેલા લખાણના અક્ષરોને મળતા આવે છે. આ દુર્લભ આવિષ્કારો પ્રાચીન લોકો હસ્તપ્રતોનું કેટલું મહત્ત્વ આંકતા હતા તે દર્શાવે છે અને ઇતિહાસના પરિવર્તનશીલ યુગોમાં રાજકીય વિપર્યયો થવા છતાં જે પવિત્ર ભાવનાથી તેમનાં સંભાળ અને સંરક્ષણ કરતા હતા તે બતાવે છે. આ બધી સંભાળ અને પવિત્રતા છતાં તેમ જ ભારત અને બૃહત્તર ભારતમાં સચવાયેલ હસ્તપ્રતોની સમૃદ્ધિ છતાં પણ ભારતમાં બ્રિટિશ લોકોના આગમનના પ્રારંભિક સમય દરમ્યાન હસ્તપ્રતોનો વિનાશ ન કહીએ તો પણ ઉપેક્ષા તો સર્વસામાન્ય બાબત હતી. આનાં કેટલાંક કારણો હતાં, જેમને અહીં ચર્ચવાં જરૂરી નથી. આપણી હસ્તપ્રતોના સમીક્ષાત્મક અધ્યયનની બાબતમાં આપણે યુરોપના વિદ્વાનોના ઘણા ઋણી છીએ અને ભારતીય વિદ્યા(Indology)નો પ્રારંભિક ઇતિહાસ તેમના જીવન અને પરિશ્રમ સાથે ગાઢ રીતે સંકળાયેલો છે. સર વિલિયમ જોન્સ, ૪. એડવર્ડ મૂરે તેના ટીપુ સુલતાન સામેની કાર્યવાહીના બયાન(Narrative) માં (લંડન, ૧૭૯૪) કર્ણાટકી દસ્તાવેજો વિષે કેટલીક ટીપ્પણી કરી છે :- “અમારી માન્યતા પ્રમાણે, સાર્વજનિક તથા મહત્ત્વપૂર્ણ બાબતમાં કર્ણાટકી લોકો સામાન્ય કાગળ પર લખે છે. પરંતુ તેમના સામાન્ય હિસાબો અને લખાણો તેઓ સફેદ પેન્સિલથી કાળા કાગળ પર અથવા આપણા સ્લેટ પેપર જેવી રચનાવાળા કાપડ પર લખે છે. વળી તેમની પેન્સિલ ફ્રેંચ ચૉકને ઘણું મળતું આવતું જીવાશ્મ (પાષાણભૂત દ્રવ્ય : fossil) છે. મૂરને આ દસ્તાવેજોના નમૂના ડોરીડ્રગમાં આવેલાં એક બૌદ્ધ મંદિરમાં રાખવામાં આવેલ ઢગલાબંધ દસ્તાવેજોમાંથી પ્રાપ્ત થયા, પરંતુ આ બધા જ સ્પષ્ટપણે હિસાબના ચોપડા હતા. મહારાષ્ટ્રના સંત રામદાસે (સત્તરમી સદી) તેમના મહાગ્રંથ “દાસબોધ'માં લેખનનિરૂપણ' નામે એક ખાસ પ્રકરણ રાખ્યું છે, જેમાં દેવનાગરી લિપિમાં હસ્તપ્રતોના લખાણ તથા તેમના સંરક્ષણ વિષે વિગતવાર સૂચનાઓનો સમાવેશ થાય છે. ભારતીય પુરાલિપિશાસ્ત્રના વિદ્યાર્થીઓના લાભાર્થે અમે ભવિષ્યમાં તેનો અંગ્રેજી અનુવાદ આપવા ઈચ્છીએ છીએ. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ભારતીય પાઠ-સમીક્ષા મેક્સમૂલર, કોલબૂક અને અન્ય વિદ્વાનોના સમૂહે કરેલાં કાર્યોએ સામાન્યતઃ ભારતીય વિદ્યા અને વિશેષતઃ સંસ્કૃત અધ્યયનના ક્ષેત્રમાં સમીક્ષાત્મક અધ્યયનના પાયા નાખ્યા છે. ૫. ભારતીય વિદ્યામાં સંશોધન ક્ષેત્રો સમીક્ષાત્મક અધ્યયનનો સંબંધ ખાસ કરીને હસ્તપ્રતોના સંગ્રહ તથા તેમની યાદીઓ અથવા ગ્રંથસૂચિઓ (catalogues) છપાવવાના વિચાર સાથે સંકળાયેલ છે. આ વિચારના ઉદ્ભવ અને વિકાસની ચર્ચા ડૉ.એસ કે. બેલવલકરે Descriptive Catalogue of the Govt. MSS Library મુંબઈ, ૧૯૧૬ (હાલ ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, પૂનાના કબજામાં)ના પ્રથમ વોલ્યુમની પ્રસ્તાવના (આમુખ)માં પ્રશસ્ય રીતે કરી છે. આ ઉત્પત્તિ અને વિકાસનો પ્રારંભિક કાલાનુક્રમ આપણે અહીં નોંધીએ - આશરે ઈ.સ.૧૭૭૪ થી ૧૭૭૯ - સર રોબર્ટ ચેમ્બર્સ, જે સર વિલિયમ જોન્સ અને બર્કના મિત્ર હતા તથા કેટલાક સમય માટે બંગાળની “એશિયાટિક સોસાયટીના પ્રમુખ હતા, એક પુસ્તકાલય જેટલા ભારતીય ગ્રંથો એકત્રિત કર્યા હતા. (જુઓ વેબરની બર્લિન હસ્તપ્રતોની ગ્રંથસૂચિ, ૧૮૫૩ની “Vorrede” અર્થાત્ પ્રસ્તાવના) સંસ્કૃત હસ્તપ્રતોના તે અદ્વિતીય સંગ્રહને પાછળથી ઈ.સ. ૧૮૪૨માં પ્રશિયાની સરકારે ખરીદી લીધો હતો અને બર્લિનની ઈમ્પિરિયલ લાયબ્રેરીમાં રાખ્યો હતો. ૧૭૭૯ - સર વિલિયમ જોન્સ શાકુન્તલનું તેમણે કરેલું અગ્રેજી ભાષાન્તર પ્રસિદ્ધ કર્યું. ૧૭૮૨ - કર્નલ મેકેન્ઝીએ “મદ્રાસ એસ્ટાબ્લિશમેન્ટ'માં ઈજનેર તરીકે ભારતમાં પદાર્પણ કર્યું. ૧૭૯૬-૧૮૦૬ - મેકેન્ઝીને દક્ષિણની તપાસ કરવાનું કામ સોંપવામાં આવ્યું. પાછળથી તે ભારતના “સર્વેયર જનરલ' બન્યા હતા. તેમણે હસ્તપ્રતો, શિલાલેખો, પ્લાનો, નકશાઓ અને અન્ય પ્રાચીન સામગ્રી એકત્રિત કરી. તેમનો સંગ્રહ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ૧૦,૦૦૦ પાઉન્ડ આપી ખરીદ્યો હતો. ૧૮૨૮-મેકેન્ઝીના સંગ્રહની એચ.એચ. વિલ્સને તૈયાર કરેલી ગ્રંથસૂચિ પ્રસિદ્ધ થઈ. ૧૮૬૮ (દસમી મે) - લાહોર દરબારના મુખ્ય પંડિત પં. રાધાકૃષ્ણ, વાઈસરાય અને ભારતના ગવર્નર જનરલને એક પત્ર પાઠવ્યો, જેમાં ભારત સરકારને તેમણે ભારતના ઘણા પ્રદેશોમાં અસ્તિત્વ ધરાવતી સંસ્કૃત, અરેબિક અને પશિયન પુસ્તકોની ગ્રંથસૂચિ એકત્રિત કરવા આદેશ આપવા બદલ અભિનંદન આપ્યા હતા, અને ભારત તથા યુરોપમાં વર્તમાન બધી સંસ્કૃત હસ્તપ્રતોની ગ્રંથસૂચિ તૈયાર કરવાના કાર્યની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. Page #112 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ ૧૦૩ સમીક્ષાત્મક અધ્યયનનો ઇતિહાસ પ્રત્યેક ભારતીય વિદ્યાવિશારદ (Indologist) ને એટલો સુવિદિત છે કે આ ટૂંકી નોંધમાં તેનું પુનરાવર્તન કરવું અનાવશ્યક છે. અહીંની ચર્ચા ભારતમાં હસ્તપ્રતોની ગ્રંથસૂચિના ઇતિહાસ પૂરતી જ મર્યાદિત રહેશે; જો કે ભારતીય સંસ્કૃત વિદ્વાનોને જેનો પૂરો ખ્યાલ નથી તેવી એક હકીકત આપણે અહીં નોંધીએ, અને તે એ છે કે સંસ્કૃતમાં રસ પ્રદર્શિત કરનાર સર્વ પ્રથમ યુરોપીઅન એક જર્મન ઈસાઈ હતો. તેનો ઉલ્લેખ બર્નિયરે તેના પુસ્તક “Travels”માં તેના ચોથી ઓક્ટોબર ૧૯૬૭માં લખાયેલા પત્રમાં કર્યો છે. અને તેનું પૂરું નામ ફાધર હેનરિશ રોથ હતું. આ વિદ્વાને, યુરોપમાં કે બીજે ક્યાંય પણ પુસ્તકરૂપે કદી ન છપાયેલા યા કોતરાયેલા સંસ્કૃત ભાષાના પ્રથમ નમૂનાઓને બહાર આણ્યા. આ નમૂનાઓ યાન્સઝોન દ્વારા ૬. જુઓ – “Papers relating to the Collection and Preservation of the Recerds of ancient Sanskrit Literature of India” એ ઈ. ગફ, કલકત્તા, ૧૮૭૮. લેજિસ્લેટિવ કાઉન્સિલના મંત્રી શ્રી સ્ટૉક્સ હસ્તપ્રતોને એકત્રિત કરવા અને તેમની સૂચિ બનાવવાની યોજના તૈયાર કરી. આ યોજનાને ભારત સરકારે તેમના સીમલા, તા.૩૧૧-૧૮૬૮ના હુકમ નં.૭૩૩૮-૪૮ દ્વારા મંજૂરી આપી. ભારત સરકારના આદેશ અનુસાર મુંબઈ સરકારે ૧૮૬૮ની દસમી ડિસેમ્બરે ડૉ. કિલહોર્ન અને ડૉ.બૂલરને માટે હસ્તપ્રતોની ખરીદી કરવા તા.૧-૧૧-૧૮૬૮ના રોજ અમુક પૈસાની જોગવાઈ કરી હતી. આ પૈસાની મદદથી ડૉ. બૂલરે એકત્રિત કરેલી હસ્તપ્રતો અત્યારે ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં “સરકારી હસ્તપ્રત ગ્રંથાલય'ના ઈ.સ.૧૮૬૬-૬૮ના સંગ્રહરૂપે સચવાયેલી છે. હસ્તપ્રતોની શોધના ઇતિહાસની વધુ માહિતી માટે જુઓ અગાઉ ઉલ્લેખ કરેલ ડૉ. બેલવલકરની પ્રસ્તાવના (પરિચ્છેદ ૭ થી આગળ). ૭. કૉન્ટેબલનું સંપાદન, લંડન, ૧૮૯૧, પૃ.૩૨૯ પર બર્નિયર નોંધે છે – મારે ઈસાઈ રેવ. ફાધર રોઆ સાથે પરિચય હતો. જન્મથી તેઓ જર્મન હતા અને આગ્રામાં ધર્મપ્રચારક (Missionary) હતા. તેમણે સંસ્કૃતના અભ્યાસમાં અત્યંત પ્રવિણ્ય પ્રાપ્ત કર્યું હતું. તેમનું પુરું નામ ફાધર હેનરિશ રોથ, એસ. જે. હતું. તે ગોવા ધર્મ પ્રચારક મંડળ (Mission) સાથે સંકળાયેલા હતા. ઈ.સ.૧૬૫૦-૧૬૬૦માં તેઓ ગોવાથી આગ્રા તરફ આવ્યા અને આ વર્ષો દરમ્યાન સંસ્કૃતનો અભ્યાસ કર્યો. રોથ આશરે ઈ.સ.૧૬૬પમાં આગ્રાથી રોમ પાછા ગયા. તેઓ ફાધર કિર્ચર માટે અંદર કોતરેલા અક્ષરોવાળી પાંચ તકતીઓ લઈ ગયા. આ તકતીઓને કિચરે તેમના China Illustrata માં પ્રકાશિત કરી, જેનો ઉલ્લેખ બર્નિયરે (પૃ.૩૩૨)કર્યો છે. પ્રથમ ચાર તકતીઓમાં સંસ્કૃતની વર્ણમાળા અને મૂળતત્ત્વો (દેવનાગરી મૂળાક્ષરો) લેટિન ભાષામાં સમજાવવામાં આવેલાં છે. પાંચમી તકતીમાં નવા શિખાઉ માણસોને મહાવરો થાય તે માટે Our Lord's Prayer અને Ave Maria (બાઈબલમાંથી)ને સંસ્કૃત તથા લેટિનમાં પ્રસ્તુત કર્યા છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ભારતીય પાઠ-સમીક્ષા ઈ.સ.૧૬૬૭માં આસ્ટર્ડમમાં પ્રકાશિત થયેલા, એથેનિસિયસ કિચરા, એસ.જે.ના China Illustrata ના ૧૬૨ અને ૧૬૩ પાના વચ્ચે જોવા મળશે, જો કે, સંસ્કૃતના પ્રથમ નમૂના ઈ.સ.૧૬૬૭ જેટલા વહેલા છાપવામાં આવ્યા હતા, તેમ છતાં સંસ્કૃત હસ્તપ્રતોની સર્વપ્રથમ સૂચિ ઈ.સ.૧૮૦૭માં એટલે કે કિચરનું China Illustrata બહાર પડ્યું ત્યાર પછી ૨૪૦ વર્ષે પ્રકાશિત થઈ. ઈ.સ. ૧૮૦૭થી માંડીને ભારતમાંની તથા બહારની સંસ્કૃત અને અન્ય હસ્તપ્રતોની સૂચિ તૈયાર કરવાના કાર્યનો વિકાસ પ્રસ્તુત નોંધની પાછળ જોડેલા ગ્રંથસૂચિઓના સૂચિપત્રને આધારે તૈયાર કરેલી નીચેની સારણી પરથી સ્પષ્ટ થશે. :ઈ.સ. | લેખક યા સંગ્રહકર્તા હસ્તપ્રતોનું સંગ્રહસ્થાન | ગ્રંથસૂચિનું પ્રકાશન સ્થળ ૧૮૦૭ | 'Sir William Jone' Works” ના સંપાદક ૧૮૨૮] એચ.એચ. વિલ્સન ૧૮૩૮ ફોર્ટ સેન્ટ વિલિયમ કલકત્તા ૧૮૪૬ 1 ઓટો બોટલિગ સેટ પિટર્સબર્ગ સેટ પિટર્સબર્ગ ૧૮૫૩ એ. વેબર બલિન બલિન ૧૮૫૭ ] વિલિયમ ટેલર ફોર્ટ સેન્ટ જ્યોર્જ મદ્રાસ ૧૮૫૯ ફિટ્ઝવર્ડ હોલ લંડન લંડન કલકત્તા કલકત્તા ૮. જુઓ બર્નિયર કૃત "Travels', પૃ.૩૩ર, પાદટીપ ૧-૩. ૯. એજન, કિર્ચર (જન્મ : ઈ.સ.૧૬૦૨ અને અવસાન ઈ.સ.૧૬૮૦ રોમમાં) એકવાર યુટર્સબર્ગમાં પૌર્વાત્ય ભાષાઓનાં પ્રાધ્યાપક તરીકે રહ્યા હતા. ભારતીય ચિત્રકલાને અનુસરનારાં અન્ય વિશિષ્ટ કોતરકામો માટે જુઓ, China Illustrata પૃ.૧૫૬-૧૬૨. ઑફેટ તેમના Catalogus Catalogorum માં તુટર્સબર્ગમાં પ્રો.જુલિયસ જોલીનાં કબજામાં તથા યુટર્સબર્ગમાં યુનિવર્સિટીમાં રહેલી હસ્તપ્રતોનો ઉલ્લેખ કરે છે. (જુઓ Catalogue Catalogorum III 4.8) ૧૦. જુઓ Sir William Jones' Work લંડન, ૧૮૦૭નું વોલ્યુમ ૧૩, પૃ.૪૦૧૪૧૫. અહીં સર વિલિયમ જોન્સ અને લેડી જોન્સે પ્રસ્તુત કરેલી “સંસ્કૃત અને અન્ય પૌર્વાત્ય હસ્તપ્રતોની ગ્રંથસૂચિ' છાપવામાં આવી છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ પરિદિ૨ : ૧૦૫ ૧૮૬૪ ' ઈ.સ. | લેખક યા સંગ્રહકર્તા | હસ્તપ્રતોનું સંગ્રહસ્થાન ગ્રંથસૂચિનું પ્રકાશન સ્થળ ૧૮૬૧ ટી.એસ.કોન્સાસ્વામી અય્યર ફોર્ટ સેન્ટ જયોર્જ મદ્રાસ ૧૮૬૪ | ટી.એસ.કોન્ડા સ્વામી અય્યર | બનાસ બનારસ થિઓડોર ઓફેટ ઓક્સફર્ડ ઓક્સફર્ડ ૧૮૬૫ આર. ચોથા ટ્યૂબિન્ગન ટ્યુબિન્ગન - ૧૮૬૮ | આર. લોરેન્સ ખટમંડુ (હસ્તલિખિત સૂચિ) મુંબઈ ઈલાકો (પ્રેસિડેન્સી) | મુંબઈ ૧૮૬૯ | એફ. કલહોર્ન સધર્ન ડિવિઝન ૧૮૬૯ થિઓડોર ઓફેટ, કેબ્રિજ કેબ્રિજ ૧૮૭૦ | જેમ્સ ડી. એલવિસ સિલોન ૧૮૭૦ 1 એ.સી.બર્નલ લંડન ૧૮૭૧ જી. બ્યુલર ગુજરાત, કાઠિયાવાડ, કચ્છ, સિંધ, ખાનદેશ ૧૮૭૧ રાજેન્દ્રલાલ મિત્ર ક્લિકત્તા ૧૮૭૨ જી. બૂલર ગુજરાત સુરત ૧૮૭૪ એફ. કલહોર્ન મધ્યપ્રદેશ નાગપુર ૧૮૭૪ વાયવ્ય પ્રાંતો બનારસ જી. ન્યૂલર (૧૮૭૨-૭૩) મુંબઈ ૧૮૭૫ જે.એસ.નેસફિલ્ડ ઔદ્ય ૧૮૭૫ | .બૂલર (૧૮૭૪-૭૫) ગિરગામ (મુંબઈ). ૧૮૭૬ | જોર્જ ઓર્ટેરર મ્પોનમાં ડો. માર્ટિન | મ્યોના હોગના સંગ્રહો ૧૮૭૬ | ઈ.બી.કાઉવલ આજ ઈ.બી.કાઉવેલ અને |. જે. એલિગ , લંડન - - - લંડન ૧૮૭૬ | ..... - | ક્લિકત્તા બોન ૧૮૭૪ - Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ભારતીય પાસમીક્ષા ઈ.સ. | લેખક યા સંગ્રહકર્તા હસ્તપ્રતોનું સંગ્રહસ્થાન | ગ્રંથસૂચિનું પ્રકાશન સ્થળ કલકત્તા વાયવ્ય પ્રાંતો ૧૮૭૭ | રાજેન્દ્રલાલ મિત્ર ૧૮૭૭ થી કલકત્તા ૧૮૭૭ | જી.બૂલર વાયવ્ય પ્રાંતો કાશ્મીર, રાજપુતાના અને મધ્યભારત અવધ . મુંબઈ અલહાબાદ ૧૮૭૮ | પડિત દેવીપ્રસાદ ૧૮૭૮ જી.નેસફિલ્ડ અને દેવીપ્રસાદ ૧૮૭૮ | એ.ઈ.ગફ કલકત્તા ક્લકત્તા અવધ સંસ્કૃત સાહિત્ય અને તેની ગ્રંથસૂચિ સંબંધી લેખો વગેરે. અવધ (૧૮૭૯-૮૦) અલહાબાદ લાહોર લાહોર (૧૮૮૦-૮૧) તાજોર બિકાનેર લંડન ક્લિકતા મુંબઈ મદ્રાસ દક્ષિણ ભારત ૧૮૭૯ પીડિત દવાપ્રસાદ ૧૮૭૯ પંડિત કાશીનાથ કુટે ૧૮૮૦ - ૮૧ પંડિત કાશીનાથ કુંટે ૧૮૮૦ એ.સી.બનેલા ૧૮૮૦ રાજેન્દ્ર મિત્ર ૧૮૮૦ | આર.જી.ભાંડારકર ૧૮૮૦ | ગુસ્તાવ ઓપર્ટ -૮૫ ૧૮૮૧ પંડિત દેવીપ્રસાદ ૧૮૮૧ એફ. કીલોને ૧૮૮૧ | એફ. કલહોને (૧૮૭૭-૮૧) ૧૮૮૧ એ.સીસોમાં દ કોરોસ અને એમ.લિઓન ફી ૧૮૮૨ | જી. બ્યુલર ૧૮૮૨ પડિત કાશીનાથ કુટે અવધ મુંબઈ ઈલાકો મુંબઈ પૂના પિરિસ વાન વીન ગુજરાનવાલા, દિલ્હી અને | લાહોર પંજાબ Page #116 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ ૧૦ લેખક યા સંગ્રહકત હસ્તપ્રતોનું સંગ્રહસ્થાન ગ્રંથસૂચિનું પ્રકાશન સ્થળ લંડન લતા મુંબઈ મુંબઈ ઓક્સફર્ડ કેબ્રિજ મુંબઈ પુના ૧૮૮૨ | એચ. ઓલ્ડનબર્ગ , લંડન ૧૮૮૨ ! રાજેન્દ્રલાલ મિત્ર નેપાળ ૧૮૮૨ આર.જી.ભાંડારકર (૧૮૮૧-૮૨) ... ૧૮૮૨ | ભાઉ દાજી સંગ્રહ મુંબઈ ૧૮૮૩ / બીનાનજીઓ બૌદ્ધ ત્રિપિટકના ચીની અનુવાદની ગ્રંથસૂચિ ૧૮૮૩ | સેસિલ બેન્ડોલ કેમ્બ્રિજ ૧૮૮૩ [ પી. પિટર્સન (૧૮૮૨-૮૩) [ મુંબઈ સર્કલ ૧૮૮૪ ઈ.કીલહોર્ન અને આર.જી. પૂના ભાંડારકર (વિશ્રામબાગ સંગ્રહ) ૧૮૮૪ પી. પિટર્સન મુંબઈ સર્કલ ૧૮૮૪ આર.જી.ભાંડારકર મુંબઈ ઈલાકો ૧૮૮૬ એ. વેબર (વોલ્યુમ-૨). બલિન ૧૮૮૬ . પી.પીટર્સન મુંબઈ સર્કલ ૧૮૮૭ | આર.જી. ભાંડારકર મુંબઈ ઈલાકો ૧૮૮૭. એશ્લીંગ ઈન્ડિયા ઓફિસની હસ્તપ્રત] ૧૮૮૮ ] એસ.આર.ભાંડારકર પૂના ૧૮૯૦ -1 પંડિત દેવી પ્રસાદ ઔધ પ્રાંત મુંબઈ મુંબઈ બલિન મુંબઈ મુંબઈ લેન લંડન મુંબઈ અલહાબાદ - ૧૮૯૨ અલવર પી. પીટર્સન થિઓડોર ઓફેટ, ૧૮૯૨ ફલોરેન્સ બલિન મુંબઈ લિપઝિંગ બલિન ૧૮૯૨ ક્લક્તા કતા - ૧૮૯૨ ૧૮૯૩. હૃષિકેશ શાસ્ત્રી સરકારી પ્રાચ્ય હસ્તપ્રત ગ્રંથાલય .મદ્રાસ મદ્રાસ - ૧૮૯૩ | આર.જી. ભાડારકર | મુંબઈ ઈલાકો મુંબઈ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ઇ.સ. 22 લેખક યા સંગ્રહકર્તા ૧૮૯૩ ૧૮૯૪ ૧૮૯૪ ૧૮૯૪ આર.જી. ભાડાકકર ૧૮૯૫ પી.પિટર્સન ૧૮૯૫ હરપ્રસાદ શાસ્ત્રી ૧૮૯૫ – | દૃષિકેશ શાસ્ત્રી અને ૧૯૦૨ શિવચંદ્ર ગુઇ ૧૮૯૫ ઈ.હુલ્સ પી. પિટર્સન ૧૮૯૬ - એ.એફ.આર.હોર્નલ એમ.એ.સ્ટેઇન પી. પિટર્સન ૧૮૯૭ આર.જી.ભાંડારકર ૧૮૯૮ હરપ્રસાદ શાસ્ત્રી ૧૮૯૮ જી. ડ્યૂલર ૧૮૯૮ સંસ્કૃત અને તામિલ હસ્તપ્રતો ૧૮૯૯ રિચાર્ડ ગાર્બે ૧૮૯૯ પી. પિટર્સન ૧૯૦૦ ૧૯૦૧ ૧૯૦૧ -- ૧૯૩૯ ૧૮૯૯ - પંડિત કુંજવિહારી ન્યાયભૂષણ ૧૯૦૧ ૧૯૦૦ ૧૯૦૦ રાજેન્દ્રલાલ મિત્ર પી.કોર્ડીઅર (હસ્તલિખિત સૂચિ) હરપ્રસાદ શાસ્ત્રી થિડોર ઓફ્રૂટ એસ કુપ્પુસ્વામી અને અન્ય અન્ય (વોલ્યુમ નં.૧થી ૨૭) હસ્તપ્રતોનું સંગ્રહસ્થાન મધ્ય એશિયા જમ્મુ મુંબઇ સર્કલ | મુંબઇ ઇલાકો મુંબઇ સર્કલ બંગાળ કલકત્તા દક્ષિણ ભારત મુંબઇ સર્કલ મુંબઇ ઇલાકો બંગાળ ટ્યૂબિન્ગન દક્ષિણ ભારત ટ્યુબિન્ગન મુંબઈ સર્કલ કલકત્તા બંગાળ બંગાળ ભારતીય પાઠ-સમીક્ષા ૧૮૯૫-૧૯૦૮નો અહેવાલ લિપઝિગ મદ્રાસ ગ્રંથસૂચિનું પ્રકાશન સ્થળ ક્લકત્તા કલકત્તા મુંબઇ મુંબઈ મુંબઈ ક્લકત્તા કલકત્તા મદ્રાસ મુંબઇ મુંબઈ કલકત્તા વીન મદ્રાસ ૯૯ ટ્યુબિન્ગન મુંબઈ લકત્તા લકત્તા લિપઝિગ મદ્રાસ Page #118 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ઠ-૨ ઇ.સ. ૧૯૦૧ ૧૯૦૧ ૧૯૦૨ ૧૯૦૨ ૧૯૦૨ ૧૯૦૨ ૧૯૦૪ ૧૯૦૫ ૧૯૦૫ ૧૯૧૫ લેખક યા સંગ્રહકર્તા ૧૯૧૬ એ.વી.કાઠવટે એ.કેલિઆતન વ્હીશનું સંકલન જૈન શ્વેતાંબર પરિષદ એમ.દ.ઝેડ. વિક્રમસિંઘે સેસિલ બેન્ડોલ રાજેન્દ્રલાલ મિત્ર એમ.વિન્ટરનિટ્સ અને એ.બી.કીથ હરપ્રસાદ શાસ્ત્રી અને સી. બેન્ડોલ ૧૯૦૬ ૧૯૦૭ ૧૯૦૭ ૧૯૦૭ ૧૯૦૮ ૧૯૦૮ ૧૯૦૮ ૧૯૦૯ ૧૯૦૯ પી.કોડીઅર ૧૯૧૨ એમ.એ.સ્ટેઈન ૧૯૧૨ એ.કેલિઆતન ૧૯૧૩ - એસ.કુપ્પુસ્વામી શાસ્રી અને ૩૯ હરપ્રસાદ શાસ્ત્રી રાજેન્દ્રલાલ મિત્ર એ.કેલિઆતન એસ.આર. ભાંડારકર (જૈન હસ્તપ્રતો) સતીશચંદ્ર વિદ્યાભૂષણ એસ.વિદ્યાભૂષણ થિઓડોર ઑફ્રેસ્ટ અન્ય પી.કોર્ડીઅર એ.એફ.આર.હોર્નલે હસ્તપ્રતોનું સંગ્રહસ્થાન મુંબઈ ઈલાકો પેરિસ (દક્ષિણ ભારત) લંડન ભારતમાંની જૈન હસ્તપ્રતો લંડન લંડન બંગાળ ઑક્સફર્ડ નેપાળ બંગાળ પેરિસ રાજપુતાના અને મધ્યભારત કલકત્તા બૌદ્દગ્રંથો તિબેટ ન્યૂન્શન પેરિસ ઑકસફર્ડ પેરિસ મદ્રાસ પેરિસ પૂર્વ તુર્કસ્તાન ગ્રંથસૂચિનું પ્રકાશન સ્થળ મુંબઈ ... લંડન મુંબઈ લંડન લંડન લકત્તા ઑક્સફર્ડ કલકત્તા કલક્તા કલકત્તા પેરિસ મુંબઈ કલકત્તા કલક્તા લકત્તા મ્યુન્શન પેરિસ લંડન પેરિસ મદ્રાસ ૧૦૯ પેરિસ ઑક્સફર્ડ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ભારતીય પાઠ-સમીક્ષા , .સ. | લેખક યા સંગ્રહકતાં હસ્તપ્રતોનું સંગ્રહસ્થાન ગ્રંથસૂચિનું પ્રકાશન સ્થળ પૂના કિલકત્તા પેટ્રોગ્રાડ આરા બનારસ કાકાનાડા. વડોદરા મૈસૂર બનારસ વડોદરા ૧૯૧૬ | સંસ્કૃતના પ્રાધ્યાપકો, ડેકન પૂના કૉલેજ, પુના ૧૯૧૭ હરપ્રસાદ શાસ્ત્રી કલકત્તા . ૧૯૧૮ | એન.ડી.મિરોનોફ | પેટ્રોગ્રાડ ૧૯૧૯ | સુપાર્શ્વદાસ ગુપ્તા આરા. ૧૯૧૯ | ગવર્નમેન્ટ સંસ્કૃત લાયબ્રેરી બનારસ (૧૮૯૭-૧૯૧૯) ૧૯૨૦ તેલુગુ એકેડેમી કોકાનાડા ૧૯૨૧ આર.એ.શાસ્ત્રી (કવીન્દ્રાચાર્ય તાલિકા) ૧૯૨૨ -ગવર્નમેન્ટ ઓરિએન્ટલ લાયબ્રેરી | મૈસૂર ૧૯૨૩ | ગોપીનાથ કવિરાજ બનારસ ૧૯૨૩ સી.ડી.દલાલ અને જેસલમેર એલ.બી.ગાંધી ૧૯૨૩ હરપ્રસાદ શાસ્ત્રી કલકત્તા ૧૯૨૩ હરપ્રસાદ શાસ્ત્રી, (ઇતિહાસ કલક્તા અને ભૂગોળ) ૧૯૨૪ જેક્સ બેકોટ પેરિસ ૧૯૨૫ એસ.ડી.વેલનકર ૧૯૨૫ જી.કે.શ્રીગોડેકર અને | વડોદરા કે.એ.રામસ્વામી શાસ્ત્રી ૧૯૨૫ હરપ્રસાદ શાસ્ત્રી કલકત્તા ૧૯૨૫ | હરપ્રસાદ શાસ્ત્રી કલકત્તા ૧૯૨૫ ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ | પૂના. ઈન્સ્ટિટ્યૂટ ૧૯૨૬ હીરાલાલ મધ્યપ્રદેશ અને વરાડ કલકત્તા કલકત્તા પેરિસ | મુંબઈ મુંબઈ વડોદરા કલકત્તા કલકત્તા પૂના નાગપુર Page #120 -------------------------------------------------------------------------- ________________ પરિશિ૭-૨ ઈ.સ. | લેખક યા સંગ્રહકર્તા | | હસ્તપ્રતોનું સંગ્રહસ્થાન ગ્રંથસૂચિનું પ્રકાશન સ્થળ હેરી | આડયાર પટના તાંજોર મૈસૂર આડયાર તાજેર ત્રિવેન્દ્રમ ૧૯૨૬ | આડયાર લાયબ્રેરી આડયાર ૧૯૨૭ કે.પી.જયસ્વાલ અને મિથિલા અનંતપ્રસાદ શાસ્ત્રી ૧૯૨૮ | પી.પી.એસ. શાસ્ત્રી | | તાંજોર - ૧૯૨૮ | ગવર્નમેન્ટ ઓરિએન્ટલ લાયબ્રેરી | મૈસૂર ૧૯૨૮ | આદ્યાર લાયબ્રેરી. આક્યાર ૧૯૨૯ | મરાઠી હસ્તપ્રતો તાંજોર, ૧૯૨૯ કે.સામ્બશિવ શાસ્ત્રી ત્રિવેન્દ્રમ ૧૯૩૦ આર. ફિક ગોટિન્ગન ૧૯૩૦ હેમચંદ્ર ગોસ્વામી આસામ ૧૯૩૦ | ટી.આર.ગેબીઅર પેરી ઓક્સફર્ડ ૧૯૩૦ - ઓતાની ગેંગાકુ લાયબ્રેરી ક્યોતો ૩૧ ૧૯૩૧ | હપ્રસાદ શાસ્ત્રી લક્તા ૧૯૩૧ માર્સલ લાલોલ પેરિસ ૧૯૩૨ ] પંજાબ વિશ્વવિદ્યાલય લાહોર ૧૯૩૩ - એસ.એસ.દેવા બલિન ક્લત્તા લંડન જ્યોતો (જાપાન) ક્લકત્તા પેરિસ લાહોર ધલિયા , ધૂલિયા -૩૮ મિથિલા પટણા ઝલરાપાટણ ક્લરાપાટણ ૧૯૩૩ ] કે.પી. જયસ્વાલ ૧૯૩૩ | શ્રી ઐલક પન્નાલાલ દિગમ્બર જૈન સરસ્વતી ભવન ૧૯૩૪ | જીન ફિલિયોત્સાત ૧૯૩૫ ચિન્તાહરણ ચક્રવર્તી પેરિસ પેરિસ ક્લકત્તા ૧૯૩૫ એચ.આર.કાપડિયા પૂના : પૂના લંડન ૧૯૩૫ ઓક્સફર્ડ એ.બી.કીથ અને એફ. ડબલ્યુ. થોમસ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ઈ.સ. ૧૯૩૬ ૧૯૩૬ ૧૯૩૬ ૧૯૩૭ લેખક યા સંગ્રહકર્તા ૧૯૩૮ ૧૯૩૮ ૧૯૩૯ ૧૯૪૦ ૧૯૪૦ ઓરિએંટલ મેન્ચુસ્ક્રિપ્ટ્સ લાયબ્રેરી એચ.આર.કાપડિયા પી.કે.ગોડે એલ.બી.ગાંધી તથા સી.ડી. દલાલ એચ.આઈ.પોલમેન એસ.કે.બેલવલકર હસ્તપ્રતોનું સંગ્રહસ્થાન એચ.ડી.શર્મા પી.કે.ગોર્ડે ઉજ્જૈન પૂના પૂના પાટણ ભારતીય પાઠ-સમીક્ષા ગ્રંથસૂચિનું પ્રકાશન સ્થળ ઉજ્જૈન અમેરિકા તથા કેનેડા ન્યુ હેવન પૂના પૂના પૂના પૂના પૂના પૂના એચ.આર.કાપડિયા પૂના પૂના ઉપર્યુક્ત સારણી ભારતમાં યા પરદેશમાં સચવાયેલી સંસ્કૃત અને અન્ય ભાષાની હસ્તપ્રતોની ગ્રંથસૂચિના ઇતિહાસ અને વિકાસનું વિહંગાવલોકન કરાવે છે. આ ઇતિહાસ ૧૮૦૭ થી ૧૯૪૧ના આશરે ૧૩૫ વર્ષના ગાળાને આવરી લે છે. અહીં દર્શાવેલી પ્રકાશિત ગ્રંથસૂચિઓની યાદી કોઈ રીતે સંપૂર્ણ નથી. કારણ કે હસ્તપ્રતોની બધી જ પ્રકાશિત સૂચિઓ વિષે વિગતવાર માહિતી કોઈ એક સ્થળેથી પ્રાપ્ય ન હતી. તદુપરાંત આ નોંધો ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, પૂનામાં ઉપલબ્ધ એવી આમાંની કેટલીક ગ્રંથસૂચિઓના જ પરીક્ષણ પર આધારિત છે. જેનું ખરેખર પરીક્ષણ કર્યું નથી તેવી ગ્રંથસૂચિઓની નોંધો ઑફ્રેટના Catalogus Catalogorum(૩ ભાગ)માંથી અને ૧૯૩૭માં મદ્રાસ યુનિવર્સિટીએ પ્રકાશિત કરેલા New Catalogus Catalogorum · માંના Provisional Fasciculusમાંથી લેવામાં આવી છે, જો કે આ ગ્રંથસૂચિની પ્રસ્તુત યાદી કામચલાઉ-જ છે, તેમ છતાં તે યુરોપના ભારતીય વિદ્વાનોએ તૈયાર કરેલ ભારતીય હસ્તપ્રતોની ગ્રંથસૂચિના ઇતિહાસ અને વિકાસથી વાચકને પરિચિત કરવા પૂરતી છે. આ વિકાસ છતાં, જેને લીધે ભારતીય વિદ્વાનોને તેમની અમર રાષ્ટ્રીય સંપત્તિનું મહત્ત્વ સમજાયું છે તે હસ્તપ્રતોની વિસ્તૃત સૂચિઓ (Descriptive Catalogue) પ્રકાશિત કરવાના કાર્યમાં જેટલું ધ્યાન આપવું જોઈએ તેટલું અપાયું નથી. ભારતીય વિદ્યા (Indology) ના ક્ષેત્રમાં થનારું સર્વ પ્રકારનું સંશોધન આ હસ્તપ્રતો ૫૨ આધારિત છે અને આપણા ઇતિહાસ અને સંસ્કૃતિના આ ક્ષીણ થતા સ્રોતોનો આપણે જેટલો વહેલો લાભ ઉઠાવીશું તેટલું આપણા સાહિત્ય અન ઇતિહાસને સમૃદ્ધ બનાવવાનું કાર્ય વધુ સારી રીતે પાર પૂના પૂના વડોદરા Page #122 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ ૧૧૩ પડશે. આથી એવી સબળ અપેક્ષા રાખવી જોઈએ કે પ્રાંતીય સરકારો, ભારતીય રાજ્યોના રાજાઓ, વિદ્વાનોની મંડળીઓ અથવા સાર્વજનિક ગ્રંથાલયો, જેમના કબજામાં ભારતમાંના હસ્તપ્રત-સંગ્રહો રહેલા છે, પોતાની સર્વ શક્તિ, સંપત્તિ અને ધ્યાન સામાન્ય રીતે તેમની હસ્તપ્રતોની સૂચિ તૈયાર કરવામાં તથા વિશેષ રીતે વિસ્તૃત સૂચિઓ'' તૈયાર કરવામાં કેન્દ્રિત કરશે. ૧૧. જુઓ Festchrift Prof. PV Kane. (૧૯૪૧)નાં પૃ.૭૩-૮૧. અહીં કલકત્તાના પ્રો.ચિન્તાહરણ ચક્રવર્તીએ હસ્તપ્રતોના અધ્યયન' વિષે લખ્યું છે અને હસ્તપ્રતોની ઉચિત દેખરેખ અને તેમની શાસ્ત્રીય ઢબે ગ્રંથસૂચિ માટે સરકારને હાર્દિક અપીલ કરી છે. વળી હસ્તપ્રતોની નફાખોરી બદલ શિક્ષા કરવા નવો કાયદો ઘડવાનું પણ તેમણે સૂચન કર્યું છે. “Modern Review (સપ્ટેમ્બર, ૧૯૪૧)માં પ્રો. ચક્રવર્તીનાં કેટલાંક સૂચનોને ક્યારનુંય અનુમોદન આપવામાં આવ્યું છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ ભારતીય પાઠ-સમીક્ષા ગ્રંથસૂચિઓની કાલક્રમાનુસાર યાદી ૧૮૦૭ Catalogue of Sanskrit and Other Oriental Manuscripts 242 ala4h અને લેડી જોન્સ દ્વારા રોયલ સોસાયટીને અપાયેલી ભેટ, (Sir William Jones, Works, લંડન, ૧૮૦૭, વોલ્યુમ ૧૩, પૃ.૪૦૧-૪૧૫). ૧૮૨૮ Descriptive Catalogue of the Oriental Manuscripts collected by the late Lieut - Col. Colin Mackenzie - એચ.એચ. વિલ્સન, કલકત્તા, ૧૮૨૮. - ૧૮૩૮ ' સૂરિપુરત (ફોર્ટ વિલિયમ, કલકત્તાની એશિયાટિક સોસાયટી આદિની હસ્તપ્રતોની સૂચિ) કલકત્તા, ૧૮૩૮. ૧૮૪૬ Verzeichniss der auf Indien bezuglichen Handschriften und Holzdrucke in Asiatischen - Museum ઓટો બોટલિંગ (ડો. બર્ન ડોર્ન સેન્ટ પિટર્સબર્ગમાં “Das Asiatische Museum માં પ્રકાશિત કર્યું), સેન્ટ પિટર્સબર્ગ, ૧૮૪૬. Codices Indici bibliothecae Regiae Haviencis enumeratiet descript એન.એલ. વેસ્ટગાર્ડ, હેવની, ૧૮૪૬. ૧૮૫૩ Handschriften-Verziechnisse Koniglichen Bibliothek si.2012, બર્લિન, ૧૮૫૩ (વોલ્યુમ ૧) ૧૮૫૭ Catalogu eraisonne of Oriental MSS in the Library of the College, Fort Saint George, now in charge of the Board of Examiners - 29. Call44 ટેલર. વોલ્યુ ૧, મદ્રાસ, ૧૮૫૭. Page #124 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ ૧૧૫ ૧૮૫૯ Contribution towards an Index to the Bibliography of the Indian Philosophical Systems - એફ. હોલ, કલકત્તા, ૧૮૫૯. હોલ આ સૂચિને “a tolerably complete indication of extant Hindu Sophistics’ 4223 assà cò. ૧૮૬૧ Alphabetical Catalogue of the Oriental Manuscripts in the Library of the Board of Examiners - ટી. એસ. કોંડા સ્વામી અય્યર, મદ્રાસ, ૧૮૬૧. ૧૮૬૪ Catalogue of MSS in the Library of Benares Sanskrit College (Pandit Vol. II-IX, બનારસ, ૧૮૬૪-૭૪,ની પુરવણીરૂપે પ્રકાશિત) Catalogus Codicum Sanscriticorum Bibliothecae Bodleianae, કૉનફેસિટ થિયોડોર ઓફેટ, ઓક્સોનુ, ૧૮૬૪. ૧૮૬૫ Verzeichniss Indischer Handshriften der Königlischen 'Universitāts - Bibliothek in Tubingen - ટ્યૂબિન્શનમાંની રજવાડી યુનિવર્સિટી - ગ્રંથાલયમાં સંગ્રહાયેલી ભારતીય હસ્તપ્રતોની સૂચિ) પરિશિષ્ટ. ટુટગાર્ટના રજવાડી સાર્વજનિક ગ્રંથાલયમાં સંગ્રહાયેલી ભારતીય હસ્તપ્રતો – આર. રોથ, ટ્યૂબિન્ગન, ૧૮૬૫. ૧૮૬૮ List of Sanskrit Works Supposed to be rare in the Nepalese Libraries of Khamandoo, (નીચે સહી કરનાર) આર. લોરેન્સ, રહેવાસી - નેપાલ રેસિડન્સી, ૨ ઑગસ્ટ, ૧૮૬૮. ૧૮૬૯ A Classified and Alphabetical Catalogue of Sanskrit Manuscripts in the Southern Division of the Bombay Presidency - એફ. કલહોર્ન, વિભાગ૧, મુંબઈ, ૧૮૬૯. Catalogue of Sanskrit Manuscripts in the Library of Trinity College, કેમ્બ્રિજ, - થિઓડોર ઓફેટ, કેમ્બ્રિજ, ૧૮૬૯. . ૧૮૭૦ A Descriptive Catalogue of Sanskrit Pali and Sinhalese Library Works of Cylon - જેમ્સ ડી. એલ્વિસ, ૧૮૭૦. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ભારતીય પાઠ-સમીક્ષા Catalogue of a Collection of Sanskrit MSS - એ.સી. બર્નેલ, ભાગ-૨ (વૈદિક હસ્તપ્રતો), લંડન, ૧૮૭૦.. ૧૮૭૧ Catalogue of Sanskrit MSS, contained in the Private Libraries of Gujarat, Kathiawad, Kachchha, Sindh and Khandesh, ભાગ-૧ થી ૪, ૧૮૭૧૭૩, જી. બૂલર. Notices of Sanskrit MSS - રાજેન્દ્રલાલ મિત્ર, કલકત્તા, વોલ્યુમ ૧ થી ૯ (૧૮૭૧ થી ૧૮૯૫). ૧૮૭૨ • Report on the result of the Search for Sanskrit Manuscripts in Gujarat during 1871-72, જી.બૂલર, સૂરત, ૧૮૭૨. ૧૮૭૪ Catalogue of Sanskrit Manuscripts existing in the Central Provinces - એફ. કલહોર્ન, નાગપુર, ૧૮૭૪. Catalogue of Sanskrit MSS in Private Libraries of the North-West Provinces, ભાગ-૧, બનારસ, ૧૮૭૪. ૧૮૭૫ Report of Sanskrit Manuscripts 1872-73, જી. બૂલર, મુંબઈ, ૧૮૭૪. A Catalogue of Sanskrit Manuscripts existing in Oudh 304 સપ્ટેમ્બર, ૧૮૭૫ સુધી – જે.એસ. નેસફિલ્ડ. - ૧૮૭૬ Report on Sanskrit Manuscripts 1874-75, જી. બ્લર, ગિરગાંવ, ૧૮૭૫. Verzeichniss der orentadschen aus dem Nachlasse des Professor Dr Martin Haug in Munchen (સ્પેન્શનમાં પ્રો.ડૉ. માર્ટિન હોગની ભારતીય ગ્રંથોની સૂચિ) - ડો. જોર્જ ઓર્ટરકર, યૂન્શન, ૧૮૭૬. Catalogue of Buddhist, Sanskrit MSS in the R.A.S. London (હોગ્સનનો સંગ્રહ) – ઈ.બી. કોવેલ અને જે.એગલિંગ, જર્નલ ઓફ રોયલ એશિયાટિક સોસાયટી, એન.એસ.૧૮૭૬ . Page #126 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથસૂચિઓની કાલક્રમાનુસાર યાદી Catalogi Librorum Manuscriptorum Orintalium a loanne Guildemeistero adorneti, ગુચ્છ ૭મું, બોન, ૧૮૭૬. ૧૮૭૭ Descriptive Catalogue of Sanskrit MSS in the Library of the Asiatic Society of Bengal, ભાગ-૧ (વ્યાકરણ) - રાજેન્દ્રલાલ મિત્ર, કલકત્તા, ૧૮૭૭. ૧૦ Catalogue of Sanskrit MSS in Private Libraries in the North Western Provinces, ભાગ ૧ થી ૧૦ (૧૮૭૭ થી ૧૮૮૬). Detailed Report of a Search of Sanskrit Manuscripts made (in 1875-76) in Kashmir, Rajputana and Central India - જી. બ્યૂલ૨. (વધારાનો ક્રમાંક ૩૪એ, વોલ્યૂમ ૧૨, રોયલ એશિયાટિક સોસાયટીની મુંબઈ શાખાનું જર્નલ) મુંબઈ, ૧૮૭૭. ૧૮૭૮ List of Sanskrit MSS discovered in Oudh during the year 1877 - પંડિત દેવીપ્રસાદ, અલાહાબાદ, ૧૮૭૮. List of Sanskrit MSS discovered in Oudh during the year, 1876, - તૈયાર કરનાર જ્હોન નેસફીલ્ડ, સહાયક પંડિત દેવીપ્રસાદ, કલકત્તા, ૧૮૭૮. Papers Relating to the Collection and Preservation of the Records of Ancient Sanskrit Literature - એ. ઈ. ગફ, કલકત્તા ૧૯૭૮. " ૧૮૭૯ List of Sanskrit MSS discovered in Oudh (૧૯૭૯ દરમ્યાન) - પંડિત દેવીપ્રસાદ, અલાહાબાદ, ૧૮૭૯. Report on the Compilation of a Catalogue of Sanskrit MSS for the year 1979-80, પંડિત કાશીનાથ કુન્ટે, લાહોર. ૧૮૮૦ Report on Sanskrit MSS for the 1880-81, પંડિત કાશીનાથ કુન્દે, લાહોર. Classified Index to the Sanskrit MSS in the Palace of Tanjore - એ.સી. બર્નેલ, લંડન, ૧૮૮૦. Catalogue of Sanskrit Manucripts in the Library of H.H. the Maharaja of Bikaner - રાજેન્દ્રલાલ મિત્ર, કલકત્તા, ૧૮૮૦. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ભારતીય પાસમીક્ષા - A Report on 122 Manuscripts - આર.જી. ભાંડારકર, મુંબઈ, ૧૮૮૦. Lists of Sanskrit MSS in Private Libraries of Southern India - ગુસ્તાવ ઓપર્ટ, વોલ્યુમ-૧ (૧૮૮૦), વોલ્યુમ-૨ ૧૮૮૫, મદ્રાસ. ૧૮૮૧ Catalogue of Sanskrit MSS existing in Oudh - દેવીપ્રસાદ, ગુચ્છ ૩ થી ૧૩ (૧૮૮૧ થી ૧૮૯૦). Report on the Search for Sanskrit Mánuscripts in the Bombay Presidency during 1880-8l. એફ. કલહોર્ન, મુંબઈ, ૧૮૮૧. Lists of Sanskrit Manuscripts purchased for Government during the years 1877-78 and 1869-78 and a List of the Manuscripts purchased from May to November 1888 - એફ. કીલોને, પૂના, ૧૮૮૧. Annales du Musee Guimet, વોલ્યુમ-૨, પેરિસ, ૧૮૮૧. તાન્જોરનું વિશ્લેષણાત્મક નિરૂપણ એ. કોસ્મા દ. કોરસ અને એમ. લિઓન ફીર દ્વારા કરાવામાં આવ્યું છે અને તાન્જોર સંબંધી સામગ્રીનો સંક્ષેપ કોમા દ. કોરોસે કર્યો છે. ૧૮૮૨ Uber eine kurzlich für die Wiener Universitat erworbene Sammlung von Sanskrit und Prakrit - Handscriften, - જ્યોર્જ બૂલર, વીન, ૧૮૮૨. Statement showing the old and rare MSS in Gujranwala and Delhi Districts Punjab . આ તપાસ ઈ.સ. ૧૮૮૧-૮૨ દરમ્યાન પંડિત કાશીનાથ કન્ટેએ હાથ ધરી હતી. લાહોર, ૧૮૮૨. | Catalogue of Pali Mss in the India Office Library -એચ. ઓલ્ડનબર્ગ,. લંડન, ૧૮૮૨ (પાલી ટેક્સ્ટ સોસાયટીના જર્નલનું પરિશિષ્ટ, ૧૮૮૨). The Sanskrit Buddhist Literatre of Nepal- રાજેન્દ્રલાલ મિત્ર, કલકત્તા, ૧૮૮૨. A Report on the Search of Sanskrit Manuscripts during 1881-82 - આર.જી. ભાંડારકર, મુંબઈ, ૧૮૮૨. Catalogue of Mss and Books belonging to the Bhau Daji. Memorial, Bombay, 1882. 1883 A Catalogue of the Chinese Translation of the Buddhist Tripitaka - બી. નાન્જિઓ, ઑક્સફોર્ડ, ૧૮૮૩. “ ” Page #128 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથસૂચિઓની કાલકામાનુસાર યાદી : ૧૧૯ Catalogue of the Buddhistic Manuscripts in the University Library, Cambridge - સેસિલ બેન્ડોલ, કેબ્રિજ, ૧૮૮૩. A Report on the Search of Sanskrit Manuscripts in the Bombay Circle, August 1882 to March 1883.પી. પિટર્સન, રોયલ એશિયાટિક સોસાયટીની મુંબઈ શાખાના જર્નલ, વોલ્યુમ ૧૬નો વધારાનો ક્રમાંક ૪૧, મુંબઈ, ૧૮૮૩. ૧૮૮૪ . Catalogue of Sanskrit MSS in Mysore and Coorg - Ysa 21Sal, બેંગલોર, ૧૮૮૪, A Catalogue of the Sanskrit Manuscripts in the Library of the Deccan College, (બે વિશ્રામબાગ-સંગ્રહોની સૂચિ) ભાગ-૧, એફ. કલહોનના નિરીક્ષણ નીચે તૈયાર કરવામાં આવ્યો. ભાગ-૨ અને સૂચિ (Index) આર. જી. ભાંડારકરના નિરીક્ષણ નીચે તૈયાર કરવામાં આવ્યાં. ૧૮૮૪. · A Second Report of Operations in Search of Sanskrit Manuscripts in the Bombay Circle, April-1883 to March 1884 . પી.પીટર્સન, રોયલ એશિયાટિક સોસાયટીની મુંબઈ શાખાના જર્નલ, વોલ્યુમ ૧૭નો વધારાનો ક્રમાંક ૪૪, મુંબઈ, ૧૮૮૪. A Report on the Search for Sanskrit Manuscripts in the Bombay Presidency during 1882-83, આર.જી.ભાંડારકર, મુંબઈ, ૧૮૮૪. ૧૮૮૬ Verzeichniss der Sanskrit and Prakrit Handschriften (derk oniglichen Bibliothek in Berlin) - એ. વેબર, બર્લિન, ૧૮૮૬. (આ ગ્રંથસૂચિ ૧૮૫૩માં પ્રકાશિત થયેલ વોલ્યુમના અનુસંધાનમાં છે અને તેમાં ક્રમાંક ૧૪૦૫૧૭૭૨નું વર્ણન છે.) ૧૮૮૭. A Third Report of Operations in Search of Sanskrit Manuscripts in the Bombay Circle April 1884 to March 1886. પી. પીટર્સન, રોયલ એશિયાટિક સોસાયટીના મુંબઈ શાખાના જર્નલ, વોલ્યુમ ૧૭નો વધારાનો ક્રમાંક ૪૫, મુંબઈ, ૧૮૮૭. A Report on the Search for Sanskrit Manuscripts in the Bombay : Presiency during 1883-84 . આર.જી.ભાંડારકર, મુંબઈ, ૧૮૮૭. . . Page #129 -------------------------------------------------------------------------- ________________ ભારતીય પાઠ-સમીક્ષા Catalogue of Sanskrit MSS in the Library of the India Office ભાગ-૧ (વૈદિક) ૧૮૮૭ ભાગ-૬ (કાવ્ય સાહિત્ય, રામાયણ ભાગ-૨ (વ્યાકરણ વગેરે) ૧૮૮૯ મહાભારત, પૌરાણિક સાહિત્ય) ભાગ-૩ (અલંકારશાસ્ત્ર) ૧૮૯૧ ૧૮૯૯, ભાગ-૪ (દર્શન વગેરે) ૧૮૯૪ ભાગ ૭ (કાવ્ય, નાટક) ૧૯૦૪ ભાગ-૫ (વૈદક વગેરે) ૧૮૯૬ ૧૮૮૮ Catalogue of the Collections of MSS deposited in the Deccan College - એસ.આર. ભાંડારકર, મુંબઈ, ૧૮૮૮. ૧૮૯૦ : Catalogue of Sanskrit MSS existing in Oudh Province for the year 1888 - પંડિત દેવીપ્રસાદ (વિભાગ ૨૦ થી ૨૨), ૧૮૯૦ થી ૧૮૯૩, અલાહાબાદ. ૧૮૯૨ Catalogue of the Sanskrit MSS in the Library of H.H. the Maharaja of Uwar - પી. પીટર્સન, મુંબઈ, ૧૮૯૨. Florentine Sanskrit MSS - પરીક્ષક : થિઓડોર ઑફેટ, લિપઝિગ, ૧૮૯૨. Handschriften - Verzeichniss der Koniglichen Bibliothek Zu Berlin, II, 3, બર્લિન, ૧૮૯૨. " Descriptive Catalogue of Sanskrit MSS in the Library of the Calcutta Sanskrit College. - હૃષીકેશ શાસ્ત્રી. ભાગ ૧ થી ૯, કલકત્તા, ૧૮૯૨. ૧૮૯૩ Alphabetical Index of MSS in the Govt. Oriental MSS Library, Madras, મદ્રાસ, ૧૮૯૩. : Lists of Sanskrit MSS in Private Libraries in the Bombay Presidency - આર.જી. ભાંડારકર, ભાગ-૧, મુંબઈ, ૧૮૯૩. - The Weber Manusripts, મધ્ય એશિયામાંથી પ્રાચીન હસ્તપ્રતોનો બીજો સંગ્રહ, સંગ્રહકર્તા એ. એફ.આર. હર્નલે (JASB વોલ્યુમ ૬૨, ભાગ ૨, ૧૮૯૩, માંથી પુનર્મુદ્રણ). " Page #130 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથસૂચિઓની કાલક્રમાનુસાર યાદી Catalogue of Sanskrit Manusripts of Jammu-એમ.એ. સ્ટેઈન, નિર્ણય સાગર પ્રેસ, મુંબઈ, ૧૮૯૪. ૧૮૯૪ A Fourth Report of Operations in Search - of Sanskrit Manusripts in the Bombay Circle, એપ્રિલ ૧૮૮૬ થી માર્ચ ૧૮૯૨- પી. પિટર્સન, રોયલ એશિયાટિક સોસાયટીની મુંબઈ શાખાના જર્નલના વોલ્યુમ ૧૮નો વધારાનો ક્રમાંક ૪૯એ, મુંબઈ, ૧૮૯૪. A Report on the Search for Sanskrit Manuscripts in the Bombay Presidency during 1884-87 . આર.જી.ભાંડારકર, મુંબઈ, ૧૮૯૪. : ૧૮૫ An Alphabetical Index of Manuscripts purchased upto 1891 (Notices of Sanskrit Manuscripts"ને અંતે મુદ્રિત) - મહામહોધ્યાય હરપ્રસાદ શાસ્ત્રી, વોલ્યુમ ૧૧, કલકત્તા, ૧૮૯૫ (આ સૂચિમાંની હસ્તપ્રતોનો વર્ણનાત્મક પરિચય મ.મ. હરપ્રસાદ શાસ્ત્રીએ એશિયાટિક સોસાયટી બંગાળના Descriptive Catalogueનાં વોલ્યુમોમાં આપ્યો છે.) Descriptive Catalogue of Sanskrit MSS in the Library of the Calcuta Sanskrit College - હૃષિકેશ શાસ્ત્રી અને શિવચંદ્ર ગુઈ, વોલ્યુમ ૧ (૧૮૯૫), વોલ્યુમ ૨ (૧૮૯૮), વોલ્યુમ ૩ (૧૯૦૦), વોલ્યુમ ૪ (૧૯૦૨), વોલ્યુમ ૫, ગુચ્છ ૧, કલકત્તા Report on Sanskrit MSS in Southern India - ઈ.બુ ટ્સ. ક્રમાંક ૧, મદ્રાસ, ૧૮૯૫. ક્રમાંક ૨ મદ્રાસ, ૧૯૦૩? A Fifth Report of Operations in Search of Sanskrit Manuscripts in the Bombay Circle, એપ્રિલ ૧૮૯૨ થી ૧૮૯૫, પી.પિટર્સન, મુંબઈ, ૧૮૯૬. ૧૮૯૬ Fifth Report of Operations in Search of Sanskrit Manuscripts in the Bombay Circle . પી.પીટર્સન, મુંબઈ, ૧૮૯૬, Sixth Report, મુંબઈ, ૧૮૯૯ ' ૧૮૯૮ A Report on the Search of Sanskrit Manuscripts in the Bombay Precidency during 1887.9ી. આર.જી. ભાંડારકર, મુંબઈ, ૧૯૯૭: Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨ · Notices of Sanskrit MSS (2nd Series) – મ.મ. હરપ્રસાદ શાસ્ત્રી, વોલ્યુમ ૧ અને ૨, કલકત્તા, ૧૮૯૮. Sitzungsberichte des Kais. Akademie der Wissenschaften in Wien. Philosophisch - Historische Classe (કેઈસનો અહેવાલ, વીનની સાહિત્ય એકેડેમી, દર્શન-ઇતિહાસ વિભાગ), વોલ્યુમ ૧૩૭, વિભાગ-૪. Die Tubinger KathaHandschriften and Ihre Beshung Zum Taittiriyāranyaką, L. Von Schroeder. એક પરિશિષ્ટ સહિત આનું સંપાદન જી. ડ્યૂલરે કર્યું. વીન, ૧૮૯૮. ભારતીય પાઠ-સમીક્ષા Report on a Search for Sanskrit and Tamil MSS for the year 189697 and 1893-94, ક્રમાંક ૧ (૧૯૯૮), ક્રમાંક ૨ (૧૮૯૯), મદ્રાસ. ૧૮૯૯ Verzeichniss der Indischen Handschiften der Königlichen. Universitats - Bibliothek (રજવાડી યુનિવર્સિટી ગ્રંથાલયમાં સંગ્રહાયેલી ભારતીય હસ્તપ્રતોની સૂચિ) (ઈ.સ. ૧૮૬૫-૧૮૯૯ વર્ષના ગાળા દરમ્યાન) રિચાર્ડ ગાર્બે, ટ્યૂબિન્ગન, ૧૮૯૯, ભારતીય હસ્તપ્રતોની સૂચિ. A Sixth Report of Operations in Search of Sanskrit Manuscripts in the Bombay Circle, એપ્રિલ ૧૮૯૫ થી માર્ચ ૧૯૯૮- પી.પિટર્સન, મુંબઈ, ૧૮૯૯. (આમાં (૧૮૯૮-૯૯માં પ્રો. પિટર્સને ખરીદેલી હસ્તપ્રતોની સૂચિનો પણ સમાવેશ થાય છે.) Catalogue of Printed Books and MSS in Sanskrit belonging to the Oriental Library of the Asiatic Society of Bengal, પંડિત કુંજવિહારી ન્યાયભૂષણ, ૩ ગુચ્છ, કલકત્તા, ૧૮૯૯-૧૯૦૧. (જાન્યુઆરી ૧૮૯૮અને ૧૯૦૦). શાસ્ત્રી. ૧૯૦૦ Notices of Sanskrit MSS - આર.મિત્ર,વોલ્યુમ ૧, કલકત્તા,૧૯૦૦ List of non-medical MSS collected by Dr. P. Cordier in Bengal Report for the Search of Sanskrit MSS (1895-1900) હરપ્રસાદ ૧૯૦૧ - Katalog der Sanskrit-Handschriften der Universitats Bibliothek in Leipzig — થિઓડોર ઓફ્રેસ્ટ, લિપઝિગ. ૧૯૦૧. Page #132 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથસૂચિઓની કાલક્રમાનુસાર ચાદી ૧૨૩ Descriptive catalogue of the Sanskrit MSS of the Govt. Oriental Library Madras, વોલ્યુમ ૧ થી ૨૭ (૧૯૦૧ થી ૧૯૩૯) A Report on the Search for Sanskrit Manuscripts in the Bombay Presidency during 1891-95, – એ.વી. કાથવટે, મુંબઈ, ૧૯૦૧. Bibliotheque Nationale, Catalogue Sommaire des Manuscripts Sanscrits et Palis, પેરિસ,૧૯૦૧. (નેશનલ લાયબ્રેરી, સંસ્કૃત અને પ્રાકૃત હસ્તપ્રતો ની સંક્ષિપ્ત સૂચિ). પ્રાકૃત હસ્તપ્રતો ક્રમાંક II,2 e. કર્તા- એ. કેલિઆટન. ૧૯૦૨ Catalogue of South Indian Sanskrit MSS (especially those of the Whish Collection in the Royal Asiatic Society, London, 1902. Jaina Granthavali : પ્રકાશક જૈન શ્વેતાંબર પરિષદ, મુંબઇ, ૧૯૦૨ (જૈન ગ્રંથોની સૂચિ) Catalogue of the Late Prof. Fr. Max Müller's Sanskrit MSS-Nues, -એમ. દ. ઝેડ. વિક્રમસિંધે, જર્નલ ઑફ રોયલ એશિયાટિક સોસાયટી, પૃ.૬૧૧-૬૬૫. A Catalogue of the Sansksrit Manuscripts in the British Museum - સેસિલ બેન્ડોલ, લંડન, ૧૯૦૨. ૧૯૦૪ Notices of sanskrit MSS - આર. મિત્ર, વોલ્યુમ ર, કલકત્તા, ૧૯૦૪. ૧૯૦૫ Catalogue of Sanskrit Manuscripts in the Berlin Library, ayu ૨, આનો પ્રારંભ ડૉ. એમ. વિન્ટરનીટ્સે કર્યો અને તેની સમાપ્તિ ડૉ. એ.બી.કીથે કરી, ઑક્સફર્ડ, ૧૯૦૫. A Catalogue of Palm-leaf and Selected Paper Manuscripts belonging to the Darbarubrary, Nepal,-એમ એસ. હરપ્રસાદ શાસ્ત્રી એમ.એ., આની ઐતિહાસિક પ્રસ્તાવના પ્રો. સી. બેન્ડોલે લખી. કલકત્તા, ૧૯૦૫. ૧૯૦૬ Report of the Search of Sanskrit Manuscripts- એમ.એમ. હરપ્રસાદ શાસ્ત્રી, ૧૯૦૬. ૧૯૦૭ Notices of Sanskrit MSS - આર. મિત્ર, કલકત્તા, ૧૯૦૭, વોલ્યુમ ૩. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ભારતીય પાઠ-સમીક્ષા Bibliotheque Nationale, Department des Manuscripts Catalogue, - Somnaire des Manuscripts, Sanskrits et alis, (નેશનલ લાયબ્રેરી, હસ્તપ્રતવિભાગ, સંસ્કૃત અને પ્રાકૃત હસ્તપ્રતોની સંક્ષિપ્ત સૂચિ). કર્તા - એ. કેલિઆટન, પેરિસ સંસ્કૃત હસ્તપ્રત ક્રમાંક ૧, ૧૯૦૭. Report of Second Tour in Search of Sanskrit Manuscripts made in Rajputana and Central India, in 1904-05 and 1905-06 – એસ.આર. ભાંડારકર, એમ.એ., ૧૯૦૭. ૧૯૦૮ Alphabetical List of Jain MSS belonging to the Govt. in the Oriental Library of the Asiatic Society, Bengal, golc Bus Olullas સોસાયટી, બંગાળ, ૧૯૦૮. (પૃ.૪૦૭-૪૪૦). Descriptive List of Works on Mādhyamika Philosophy - 4. Hel. ડૉ. સતીશચંદ્ર વિદ્યાભૂષણ, જર્નલ ઓફ એશિયાટિક સોસાયટી, ૧૯૦૮, (પૃ.૩૬૭૩૭૦). :: Descriptive List of Some Rare Sanskrit Works on Grammar, Lexicography and Prosody, recovered from Tibet - મ. મ. ડૉ. સતીશચંદ્ર વિદ્યાભૂષણ, જર્નલ ઑફ એશિયાટિક સોસાયટી, ૧૯૦૮, (પૃ.૫૮૩-૫૯૮). ૧૯૦૯ Die Sanskrit-Handschriften der K. Hof und Statsbibliothek in Muanchen - થિઓડોર ઑફેસ્ટ, યૂશન, ૧૯૦૯, વોલ્યુમ-૧, વિભાગ-૫. હસ્તપ્રત ગ્રંથાલયની હસ્તપ્રતોની સૂચિ. Catalogue du Fonds Tibetain de la Bibliotheque Nationale - (નેશનલ લાયબ્રેરીમાંના તિબેટના સંગ્રહની સૂચિ) – પી. કોર્ડિયર, પેરિસ, ૧૯૦૯, ભાગ ૨. ૧૯૧૨ Catalogue of the Stein Collection of Sanskrit Manuscripts from Kasmir – (આ હસ્તપ્રતોનો સંગ્રહ એમ.એ. સ્ટેઈને કર્યો હતો અને હાલ તેને ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ, ઓકસફર્ડમાં રાખવામાં આવેલ છે) - જી. એલ.એમ. કલેન્સન, જર્નલ ઑફ રોયલ એશિયાટિક સોસાયટી, ૧૯૧૨ (પૃ.૫૮૭-૬૨૭). Bibliotheque Nationale, Catalogue Soinmaire des Manuscripts. Page #134 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથસૂચિઓની કાલક્રમાનુસાર યાદી ૧૫ (નેશનલ લાયબ્રેરીની હસ્તપ્રતોની સંક્ષિપ્ત સૂચિ), પેરિસ, ૧૯૧૨. ક્રમાંક ૩, ભારતીય હસ્તપ્રતો ઇત્યાદિની સંક્ષિપ્ત સૂચિ તૈયાર કરનાર - એ કેલિઆટન. - ૧૯૧૩ મું Triennial Catalogue of MSS - ગવર્નમેન્ટ ઓરિયેન્ટલ મેન્યુસ્ક્રિપ્ટ લાયબ્રેરી, મદ્રાસ, વોલ્યુમ ૧ થી ૮ (૧૯૧૩-૧૯૩૯) ૧૯૧૫ Catalogue de Fonds Tibetain de La Bibliotheque Nationale - U. કોર્ડિયર, પેરિસ, ભાગ-૩, ૧૯૧૫. ૧૯૧૬ Manuscript Remains of Buddhistic Literature found in East Turkestan - એ. એફ. આર. હોર્નલ, ઓક્સફર્ડ, ૧૯૧૬. Descriptive Catalogue of the Government Collections of Manuscripts deposited in Bhandarkar O.R. Institute, Poona, al44-4 (વૈદિક સાહિત્ય), ૧૯૧૬. . ૧૯૧૭ A Descriptive Catalogue of Sanskrit Manuscripts in the Government Collections under the care of the Asiatic Society of Bengal, - એમ.એમ. હરપ્રસાદ શાસ્ત્રી, વોલ્યુમ ૧ (બૌદ્ધ સાહિત્ય), કલકત્તા, ૧૯૧૭. - ૧૯૧૮ Catalogue of Indian Manuscripts Library Publication Department - ઈ.પી. મિનેન અને કેટલાક મિત્રોનો સંગ્રહ, સંકલન કરનાર- એન.ડી. મિરોનોફ, ભાગ-૧, પ્રકાશક – રશિયન એકેડેમી ઓફ સાયન્સીઝ, પેટ્રોગ્રાડ, ૧૯૧૮. ૧૯૧૯ A Catalogue of Samskyta, Prakrta and Hindi Works in the Jain Siddharta Bhavan, Arrah - સંપાદક- સુપાર્શ્વદાસ ગુપ્તા, બી.એ., આરા, ૧૯૧૯. À Catalogue of Manuscripts acquired for Government Sanskrit ibrary સરસ્વતી ભવન, બનારસ, ૧૮૭૯-૧૯૧૯ (૧૯૦૭ અને ૧૯૦૮ની સૂચિ અપ્રાપ્ય). Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ - ભારતીય પાઠ-સમીક્ષા ૧૯૨૦ List of Manuscripts in the Telugu Academy, Cocanada, 24354-11 જર્નલમાં તેલુગુ લિપિમાં ૧૯૨૦માં પ્રકાશિત (૩૦૪ હસ્તપ્રતો). ૧૯૨૧ - Kavindrācārya List : પ્રસ્તાવના સહિત સંપાદન કરનાર - અનંતકૃષ્ણ શાસ્ત્રી, ગા.ઓ.સી. ૧૭, ૧૯૨૧ (એક વખત જે હસ્તપ્રતો બનારસમાં કવીન્દ્રાચાર્યના પુસ્તકાલયમાં હતી તે હસ્તપ્રતોની સૂચિ). ૧૯૨૨ Catalogue of Sanskrit Manuscripts in the Government Oriental Library મૈસૂર, ૧૯૨૨ (કેવળ ગ્રંથોની નામ સૂચિ). ૧૯૨૩ Descriptive Catalogue of Sanskrit Manuscripts deposited in the Government Sanskrit Library, Sarasvati Bhavan, બનારસ, વોલ્યુમ-૧, પૂર્વમીમાંસા, અ.મ. ગોપીનાથ કવિંરાજ, એમ.એ., ૧૯૨૩, ચૂંટી કાઢેલી હસ્તપ્રતોમાંથી ઉદ્ધરણો સહિત સૂચિ). A Catalogue of Manuscripts in Jesalmer Bhandaras, ગા.ઓ.સી.૨૧, વડોદરા, ૧૯૨૩. Descriptive Catalogue of MSS (A.S.B.) – મ. મ. હરપ્રસાદ શાસ્ત્રી, વોલ્યુમ-૨ (વૈદિક), કલકત્તા, ૧૯૨૩. * Descriptive Catalogue of MSS (A.S.B.), વોલ્યુમ-૪ (ઈતિહાસ અને ભૂગોળ), કલકત્તા, ૧૯૨૩. ૧૯૨૪ La Collection Tibetain Schillong von Canstadt a la Bibliotheque de l' Institut - જેક્સ બેકોટ, જર્નલ એશિયાટિક ક્રમાંક ૨૦૫, ૧૯૨૪, પૃ.૩૨૧૩૪૮. * . ૧૯૨૫ • Descriptive Catalogue of Sanskrit and Prakrit MSS in the Library of the Bombay Branch of Asiatic Society, વોલ્યુમ ૧ થી ૪ - એચ.ડી. વેલણકર, મુંબઈ, ૧૯૨૫ થી ૧૯૩૦. ! Page #136 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથસૂચિઓની કાલરામાનુસાર યાદી * ૧ર૦ Catalogue of Manuscripts in the Central Library, Baroda, alc44૧ (વૈદિક) – જી.કે. શ્રીગોંડેકર, એમ. એ. અને કે.એસ. રામસ્વામી શાસ્ત્રી, શિરોમણિ, ગા.ઓ.સી. ૨૭, ૧૯૨૫. ( આ સૂચિમાં પસંદ કરેલી હસ્તપ્રતોમાંથી લીધેલાં ઉદ્ધરણો પણ પરિશિષ્ટરૂપે આપવામાં આવ્યાં છે.). Descriptive Cataloue of MSS (A.S.B.), વોલ્યુમ-૫ (પુરાણ), એચ.પી.શાસ્ત્રી, કલકત્તા, ૧૯૨૫. Descriptive Catalogue of MSS (A.S.B.), HELHETULBULU GRUZE શાસ્ત્રી, વોલ્યુમ-૩ (સ્મૃતિ), કલકત્તા, ૧૯૨૫. Lists of manuscripts Collected for the Government Manuscripts Library- સંગ્રહકર્તા : ડેક્કન કૉલેજ અને એલ્ફિન્સ્ટન કૉલેજના સંસ્કૃતના પ્રાધ્યાપકોતેમાં નીચે પ્રમાણેના સંગ્રહો છે : (૧) ૧૮૯૫-૧૯૦૨ (૨) ૧૮૯૯-૧૯૧૫ (૩) ૧૯૦૧-૧૯૦૭ (૪) ૧૯૦૭-૧૯૧૫ (૫) ૧૯૧૬-૧૯૧૮ (૬) ૧૯૧૯-૧૯૨૪ (૭) ૧૮૬૬-૧૮૬૮, પ્રકાશક - ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ, પૂના, ૧૯૨૫. ૧૯૨૬. Catalogue of Sanskrit and Prakrit Manuscripts in the Central Provinces, and Berar – રાય બહાદુર હીરાલાલ, બી.એ., નાગપુર, ૧૯૨૬ (ગ્રંથસૂચિ). A Catalogue of Sanskrit Manuscripts in the Adyar Library (3qu નામોની સૂચિ). તૈયાર કરનાર - આડડ્યાર ગ્રંથાલયના પંડિતો, ભાગ-૧, (આડયાર,૧૯૨૬). ૧૯૨૭ Descriptive Catalogue of Manuscripts in Mithild, પ્રકાશક – બિહાર ઍન્ડ ઓરિસા રિસર્ચ સોસાયટી, પટણા, ભાગ-૧ (મૃતિ હસ્તપ્રતો), ડો. કે.પી. જયસ્વાલ અને ડૉ. અનન્ત પ્રસાદ શાસ્ત્રી, ૧૯૨૭. ૧૯૨૮ Descriptive Catalogue of Sanskrit MSS in the Sarasvati Library, Tanjore - પી.પી.એસ. શાસ્ત્રી, શ્રીરંગ, વોલ્યુમ ૧ થી વોલ્યુમ..., ૧૯૨૮ થી.... A Supplemental Catalogue of Sanskrit Manuscripts Secured for the Govt. Oriental Library મૈસૂર, ૧૯૨૮ (કેવળ નામસૂચિ). Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨. ભારતીય પાઠ-સમીક્ષા A Catalogue of Sanskrit Manuscripts in the Adyar Library, 3412 ગ્રંથાલયના પંડિતો, (કેવળ નામોની સૂચિ), ભાગ-૨, આડ્યા૨, ૧૯૨૮. ૧૯૨૯ Descriptive Catalogue of Marathi MSS and Books in the Sarasvati Mahal Library, Tanjore, વોલ્યુમ ૧ થી વોલ્યુમ. તાજો૨, ૧૯૨૯ થી... Revised Catalogue of the Palace Granthappura (ગ્રંથાલય), ત્રિવેન્દ્રમ, કે. સાશિવ શાસ્ત્રી, ૧૯૨૯ (હસ્તપ્રતો અને મુદ્રિત પુસ્તકોની પણ સૂચિ). ૧૯૩૦ Nachrichten von der Geselleschaft der Wissenschaften Zu Göottingen, (ગોટિન્ગનમાંના વિનયન-વિભાગના મંડળનો રિપોર્ટ), દર્શન ઇતિહાસ વિભાગ, ૧૯૩૦, વોલ્યુમ ૧, પૃ. ૬૫ થી આગળ, કીલહોર્નનો હસ્તપ્રત-સંગ્રહ : લેખક - આર. ફિક, બર્લિન, ૧૯૩૦. Descriptive Catalogue of Assamese MSS – હેમચન્દ્ર ગોસ્વામી, પ્રકાશક -આસામ સરકાર તરફથી કલકત્તા યુનિવર્સિટી, ૧૯૩૦ (આ ગ્રંથના બીજા ભાગમાં સંસ્કૃત હસ્તપ્રતોનું વર્ણન છે). A Catalogue of Photographs of Sanskrit Manuscripts purchased for the Administrators of Max Muller's Memorial Fund, સંકલનકર્તા ટી. આર. ગેમ્બિયર-પેરી, એમ.એ., ઑક્સફર્ડ યુનિ. પ્રેસ, લંડન, ૧૯૩૦. ૧૯૩૧ A Complete Analytical Catalogue of the Kanjur Division of the Tibetan Tripitaka, આ ગ્રંથનું સંપાદન કઆન્ગ-સીના સમયમાં પેકિંગમાં કરવામાં આવ્યું અને અત્યારે ઓટાની ટૈગાકુના ગ્રંથાલય, ક્યોટોમાં તેને રાખવામાં આવેલું છે. પ્રત્યેક સૂત્રના વિચાર - વસ્તુનું સંતુલન (Collation) વર્તમાન સંસ્કૃત પાલી, ચીની વગેરેમાં પ્રાપ્ત તત્સંબંધી ભાગ સાથે કરવામાં આવ્યું છે. પ્રકાશક-ઓટાની દૌગાકુ ગ્રંથાલય, ક્યોટો, જાપાન : ભાગ-૧ (૧૯૩૦), ભાગ-૨ (૧૯૩૧). Descriptive Catalogue of MSS (A.S.B.), વોલ્યુમ-૬ (વ્યાકરણ) એંચ.પી.શાસ્ત્રી, કલકત્તા, ૧૯૩૧. Catalogue du Fonds Tibetain de la Bibliotheque Nationale. ( લાયબ્રેરીમાં તિબેટના સંગ્રહની સૂચિ) - માર્સેલે લાલૌ, ચોથો ભાગ, પેરિસ, ૧૯૩૧. Page #138 -------------------------------------------------------------------------- ________________ ગાંથસૂચિઓની કાલક્રમાનુસાર યાદી ૧૨૯ Catalogue of Sanskrit Manuscripts in the Punjab University Library વોલ્યુમ-૧, ૧૯૩૨, (કેવળ સૂચિ), લાહોર. ૧૯૩૩ શ્રી મદ્રાસી સંશોધન (ઉં-૨-૨), – એસ.એસ.દેવ, મંત્રી, સત્કાર્યોત્તેજક સભા, ધુલિયા (શક સં. ૧૮૫૫ - ઈ.સ. ૧૯૩૩). આ ગ્રંથસૂચિમાં શ્રી સમર્થ વાઝેવતા મંદિર, ધુલિયાના સંગ્રહની ૧૮૭૫ મરાઠી તથા સંસ્કૃત હસ્તપ્રતોનો સમાવેશ થાય છે. પ્રથમ ખંડ-૧૯૩૩, દ્વિતીય ખંડ – ૧૯૩૮. Descriptive Catalogue of Manuscripts in Mithila, si. g.u. જયસ્વાલ, પ્રકાશક - બિહાર એન્ડ ઓરિસ્સા રિસર્ચ સોસાયટી, પટણા, વોલ્યુમ ૨ (સાહિત્ય, છંદશાસ્ત્ર અને અલંકારશાસ્ત્ર), ૧૯૩૩, . A Catalogue of Sanskrit Manuscripts and other Books in Sri Ailak Pannalal Digambar Jain Sarasvati Bhavan, Jhalrapatan, Blloj AS E - ગ્રંથનામાવલી'), ૧૯૩૩. . ૧૯૩૪ Bibliotheque Nationalé, Departmet des Manuscripts Etat des Manuscripts etc. de la Collection Palmyr Cordier, et les rezul cald (Journal Asiatique ના જાન્યુ. માર્ચ ૧૯૩૪ના અંકમાંથી ઉદ્ભત), પેરિસ, ૧૯૩૪. ૧૯૩૫. Descriptive Catalogue of Sanskrit MSS in the Bangiya Sahitya Parisat, Calcutta, – ચિન્તાહરણ ચક્રવર્તી, એમ. એ., કલકત્તા, ૧૯૩૫ (સૂચિ). Descriptive Catalogue of the Government Collections of Manuscripts (ભાંડારકર ઓરિ. રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, પૂના), વોલ્યુમ ૧૭, ભાગ-૧ (જૈન સાહિત્ય અને દર્શન)- એચ.આર.કાપડિયા, એમ.એ., ૧૯૩૫. Catalogue of Sanskrit and Prakrit MSS in the Library of the Indim Office, વોલ્યુમ-૨ (બ્રાહ્મણધર્મીય અને જૈનધર્મીય હસ્તપ્રતો), – એ.બી. કથ; બૌદ્ધધર્મીય હસ્તપ્રતોના પરિશિષ્ટ સહિત - એફ. ડબલ્યુ. થોમસ, ઓક્સફર્ડ, ૧૯૩૫, (બે ભાગમાં). ૧૯૩૬ A Catalogue of Oriental Manusripts collected till the end of March 1935, and preserved in the Oriental MS$ Library ( 4 de due), Ujjain, ૧૯૩૬ (કેવળ સૂચિ). Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ભારતીય પાઠસમીક્ષા Descriptive Catalogue of the Government Collections of Manuscripts (ભાંડારકર ઓ. રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, પૂના), વોલ્યુમ-૧૭, ભાગ-૧, (જૈન સાહિત્ય અને દર્શન) - એચ.આર. કાપડિયા, એમ.એ., ૧૯૩૬. Descriptive Catalogue of Government Collection of Manuscripts (ભાંડારકર ઓ. રિ. ઈન્સ્ટિટ્યૂટ, પૂના), વોલ્યુમ -૧૨, (અલંકાર, સંગીત અને નાટ્ય) . -પી.કે. ગોડે, એમ.એ. ૧૯૩૭. Oriental Manuscripts of the John Frederick Lewis Collection in the Free Library of Philadelphia, - મહંમદ અહમદ સિંગર, એચ.એમ., એમ.બી.એ., ડી.સી.એસ., ફિલાડેલ્ફીઆ, ૧૯૩૭, પૃ. ૧૭૮-૧૮૩માં આઠ સંસ્કૃત હસ્તપ્રતોનું વર્ણન છે. Descriptive Catalogue of Government Collections of Manuscripts (ભાંડારકર ઓરિ. રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, પૂના), વોલ્યુમ-૧૪(નાટક) પી.કે. ગોડે, ૧૯૩૭. Descriptive Catalogue of Manuscripts in the Jain Bhanda ras at Patan, ભાગ-૧ (તાડપત્રીય હસ્તપ્રતો), ગા.ઓ.સી, વડોદરા, ૧૯૩૭. આનું સંપાદન એલ.બી. ગાંધીએ સ્વ. સી.ડી. દલાલની નોંધોને આધારે કર્યું છે. ૧૯૩૮ A Census of Indic Manuscripts in the United States and Cantada - એચ.એ. પોલમેન, અમેરિકન ઓરિએન્ટલ સિરીઝ, વોલ્યુમ-૧૨, અમેરિકન , ઓરિએન્ટલ સોસાયટી, ન્યુ હેવન, કનેક્ટીક્ટ, યુ.એસ.એ., ૧લ્હ૮. Descriptive Catalogue of Government Collections of Manuscripts (ભો.ઓ. રિ. ઈન્સ્ટિટ્યુટ, પુના), વોલ્યુમ-૨, ભાગ-૧ (વ્યાકરણ) - એસ.કે. બેલવલકર, એમ.એ., પીએચ.ડી., ૧૩૮. ૧૯૩૯ Descriptive Catalogue of Government Collections of Manuscripts (ભા.ઓ.રિ. ઇન્સ્ટિટ્યૂટ, પુના), વોલ્યુમ-૧૬, ભાગ-૧, (વૈદક) - એચ.ડી. શર્મા, એમ.એ., પીએચ.ડી., ૧લ્ડ૯. ૧૯૪૦ Descriptive Catalogue of Government Collections of Manuscripts (ભા.ઓરિ. ઇન્સ્ટિટ્યુટ, પૂના). વોલ્યુમ-૧૩, ભાગ-૧ (કાવ્ય), - પી.કે.ગોડે, એમ.એ., ૧૯૪૦. Page #140 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથસૂચિઓની કાલક્રમાનુસાર ચાદી ૧૦ Descriptive Catalogue of Government Collections of Manuscripts (ભા.ઓ.રિ. ઇન્સ્ટિટ્યુટ, પૂના), વોલ્યુમ-૧૭, ભાગ-૩, (જૈન સાહિત્ય અને દર્શન) - એચ.આર. કાપડિયા, એમ.એ., ૧૯૪૦. - પી.કે. ગોડ વધારાની સૂચિ અગાઉની સૂચિનું મુદ્રણકાર્ય પૂરું થયું તે પછી નીચેનું સૂચિપત્ર તૈયાર કરવામાં આવ્યું છે : A Printed Catalogue of 114 Sanskrit MSS in the Private Library of Maharaja, Tanjore Castle, કલકત્તા. Descriptive Catalogue of the Sanskrit Manuscripts in the Tanjore Maharaja Sarfoji's Saraswati Mahal Library, Tanjore. આ સૂચિ ૧૯ વોલ્યુમોમાં પી.પી. એસ. શાસ્ત્રી બી.એ.(ઓક્સ.), એમ.એ. દ્વારા તૈયાર કરવામાં આવી. ઓગણીસમા વોલ્યુમમાં કૃતિઓનાં નામોની કેવળ સૂચિ જ આપવામાં આવી છે. Catalogue of Sanskrit Manuscripts Collected by the Curator of the Department for the publication of Sanskrit Manuscripts, Trivandrum, - ટી. ગણપતિ શાસ્ત્રી, (૭ભાગમાં). Lists of MSS collected by the Curator for the publication of Sanskrit MSS, Trivandrum, 31 PA 211981512 2184-11 વાર્ષિક વહીવટી અહેવાલો (Annual Administrative Reports) નાં પરિશિષ્ટો રૂપે પ્રગટ કરવામાં આવી છે. Annual Reports of the Sri Ailak Parinatal Digambar Jain Sarasvati Bhavan Sukhānānd Dharm śālā, 1948 (uiz ભાગમાં). Descriptive Catalogue of Sanskrit Manuscripts in the Government Oriental Library, Mysore. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩e ભારતીય પાઠ-સમીક્ષા ૧૧. Descriptive Catalogue of Sanskrit Manuscripts in the Government Oriental MSS Library, Madras, Bull-ti ac44૨૦ થી ૨૭ પ્રો.એસ. કુષ્પસ્વામી શાસ્ત્રી (એમ.એ.)એ તૈયાર કર્યા. Descriptive Catalogue of Sanskrit Manuscripts in the Governement Oriental MSS Library, Madras. આનાં વોલ્યુમ૧૬, ૧૭, ૧૯ પ્રો.એમ.રંગાચાર્ય, એમ.એ.અને પ્રો. એસ. કુખ્ખસ્વામી શાસ્ત્રી, એમ.એ. દ્વારા તૈયાર કરવામાં આવ્યાં: Descriptive Catalogue of Sanskrit Manuscripts in the Government Oriental MSS Library, Madras. 44- ell.94 અને ૧૮ પ્રો. એમ. રંગાચાર્યે તૈયાર કર્યા. Descriptive Catalogue of Sanskrit Manuscripts in the Government Oriental MSS Library, Madras, ale44-9, વિભાગ-૨ અને ૩ પ્રો.એમ.શેષગિરિ શાસ્ત્રી, એમ.એ. અને પ્રો.એમ.રંગાચાર્ય, એમ.એ., દ્વારા તૈયાર કરવામાં આવ્યા. Descriptive Catalogue of Sanskrit Manuscripts in the Government Oriental MSS Library, Madras. alc44-9, વિભાગ-૧, પ્રો.એમ.શેષગિરિ શાસ્ત્રી, એમ.એ. વડે તૈયાર કરવામાં આવ્યો. A Catalogue of the Manuscripts in the Mandlik Library, "ફર્ગ્યુસન કૉલેજ, પૂના. A List of Thirty Sanskrit MSS in KämarUpa, g {Ct zuis આસામ રિસર્ચ સોસાયટી, વોલ્યુમ-૩, વિભાગ-૪. A List of Buddhistic Logic Works- રેવ. રાહુલ સાંકૃત્યાયન, જર્નલ ઓફ ધ બિહાર એન્ડ ઓરિસ્સા રિસર્ચ સોસાયટી, વોલ્યુમ૨૨, વિભાગ-૧.. . A Supplementary Catalogue of Sanskrit Works in the Sarasvati Bhandaram Library of H.H. the Maharaja of Mysore. આ સૂચિ પર એફ. કિલહોર્ને સહી કરેલી છે. A few Original MSS now preserved in the University Library, of strassburg - ગોલ્ડસ્ટકર. 92. 23. ૧૪. Page #142 -------------------------------------------------------------------------- ________________ - ગ્રંથસૂચિઓની કાલક્રમાનુસાર યાદી 90. 96. ૧૯. 20. ૨૧. Die Sanskrit Handscriften der Universitats - Bibliothek zu Göttingen (ગોટિન્ગનની યુનિવર્સિટી-લાયબ્રેરીમાં સંગ્રહાયેલી સંસ્કૃત હસ્તપ્રતો). Alphabetical list of MSS in the Indian Institute, Oxford - એ.બી. કીથ. A List of Tibetan Buddhist Manuscripts - રેવ. રાહુલ સાંકૃત્યાયન, જર્નલ ઓફ ધ બિહાર એન્ડ બિહાર એન્ડ ઓરિસ્સા રિસર્સ સોસાયટી, વોલ્યુમ-૨૩, વિભાગ-૧. A List of 69 MSS from the Private Collection of MSS with Pandit Dharmanath Shastri (મંગલદાઈ, આસામની ગર્વમેન્ટ હાઈસ્કૂલમાં સંસ્કૃત શિક્ષક). આ સૂચિ આસામી દૈનિકમાં પ્રસિદ્ધ કરવામાં આવી. Liste der indischen Handschriften im Besizte des Prof. H. Jacobi (પ્રો. યાકોબીની માલિકીની ભારતીય હસ્તપ્રતોની સૂચિ) • (ZDMG વોલ્યુમ-૩૩, ૬-૩, માં પ્રકાશિત). Uber eine Sammlung indischer Handschriften und Inschriften (ભારતીય હસ્તપ્રતો અને શિલાલેખોના સંગ્રહ વિષે) - ઈ.હુટ્સ (ZDMG, વોલ્યુમ-૪૦,૧ માં પ્રકાશિત) Two lists of Sanskrit MSS, – 3.442 (ZDMG qeyd ૪૨, પ૩૦ માં પ્રકાશિત) A Consolidated Catalogue of the Collections of Manuscripts deposited in the Deccan College (from 1868-1884) - એસ. આર. ભાંડારકર દ્વારા તૈયાર કરાયેલ નામસૂચિ (Index) સહિત. De Codicibus nonnullis Indiscis qui in Bibliotheca Universitatis Lundensis asservantur Scripsit Hjmar Edgren. Lunds Uni. Aarskrift, ક્રમાંક - ૧૯ (૧૫ હસ્તપ્રતો). A Partial list of rare MSS belonging to the Adyar Library (૬) કૃતિઓ). List of Fifteen MSS in the Edinburgh University Library - પ્રો. એગલિંગ. ૨૨.. ૨૩. ૨૪. ૨૫. ૨૬. ૨૭. Page #143 -------------------------------------------------------------------------- ________________ 138 ભારતીય પાઠ-સમીક્ષા 26. MSS in the possession of Prof. Julius Jolly at_Wurzburg and at the Wurzburg University Library. Tod Mss in the Royal Asiatic Society, London. Page #144 -------------------------------------------------------------------------- ________________ વધારાની રુચિ ૧૩૫ . પરિશિષ્ટ-૩ કેટલીક મહત્ત્વપૂર્ણ હસ્તપ્રતો અને સમીક્ષાત્મક - સંપાદનો પ્રસ્તુત પુસ્તકની રચના વિશેષરૂપે ભારતીય વિશ્વવિદ્યાલયોમાં અભ્યાસ કરતા અને પ્રાચીન અથવા મધ્ય યુગની પ્રશિષ્ટ (Classical) રચનાઓના સમીક્ષાત્મક સંપાદનનું કાર્ય હાથ ધરવાની ઈચ્છા રાખતા અનુસ્નાતક વિદ્યાર્થીઓ તેમ જ સામાન્યરૂપે ભારતીય પાઠ્યગ્રંથોની પાસમીક્ષા સંબંધી મૂલ તત્ત્વોમાં પારંગતતા જેમણે હજી પ્રાપ્ત નથી કરી તેવા અન્ય વિદ્વાનોને અનુલક્ષીને કરવામાં આવી છે. આથી આ પરિશિષ્ટમાં કેટલીક મહત્ત્વપૂર્ણ હસ્તપ્રતો તથા કેટલાંક સમીક્ષાત્મક સંપાદનો વિષે અલ્પ માહિતી આપવા ધાર્યું છે, જેમનું જ્ઞાન તેમની આ વિષયની સામાન્ય સજ્જતામાં અભિવૃદ્ધિ કરશે. જે હસ્તપ્રતો અને સમીક્ષાત્મક આવૃત્તિઓને અહીં પસંદ કરવામાં આવી છે તેમની માહિતી સાંગોપાંગ સંપૂર્ણ બને કે તેમની આ પસંદગી સર્વ પ્રકારોને આવરી લેતી વ્યાપક બને એવો કોઈ પ્રયાસ કર્યો નથી. એવી આશા છે કે અહીં જે સંક્ષિપ્ત માહિતી આપવામાં આવી છે તે વાચકોને જાતે જ આ અતિ રસપ્રદ ક્ષેત્રમાં વધુ અન્વેષણ કરવા અને ભારતીય પાઠ્યગ્રંથોના આપણા જ્ઞાનમાં કંઈક નિશ્ચિત અને મૌલિક યોગદાન આપવા પ્રોત્સાહિત કરશે. વાસ્તવમાં પ્રસ્તુત પુસ્તકોનો આ જ મુખ્ય આશય છે. અ. હસ્તપ્રતો બક્ષાલી હસ્તપ્રત : ઈ.સ. ૧૮૮૧માં ભારતની વાયવ્ય સરહદે મર્દન નજીક બાલીમાં ભૂર્જપત્ર પર લખાયેલ ગણિત-વિષયક પુસ્તક મળી આવ્યું હતું. આ હસ્તપ્રત પ્રાચીન યુગમાં લખાયેલી હોવાની ધારણા હતી. આ હસ્તપ્રત પોલીસ ઈન્સ્પેકટર મિયાં અન્-વાનુઉદીનના ખેડૂતને મળી આવી હતી. અન-વા-ઉદીન આ હસ્તપ્રત મર્દાનના આસિસ્ટન્ટ કમીશનર પાસે લાવ્યો. હસ્તપ્રતના શોધકનો દાવો હતો કે હસ્તપ્રત તેને બક્ષાલી નજીકના એક ટેકરા પરના ખંડિયેર પથ્થરના વાડામાં ખોદકામ કરતાં મળી હતી. પરંતુ આ અહેવાલ બરાબર સંતોષકારક નથી. જેમણે ઈસ. ૧૯૨૭માં ભારત સરકાર વતી આનું સંપાદન કર્યું છે, તે શ્રી કાના મતાનુસાર તે અહેવાલ બિલકુલ વિશ્વસનીય નથી. પાછળથી હસ્તપ્રત પંજાબના લેફટનન્ટ ગવર્નરને મોકલવામાં આવી, જેણે જનરલ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ભારતીય પાઠ-સમીક્ષા કનીંગહામની સલાહથી ડૉ. હોર્નલેને મોકલાવી હતી. ઈ.સ.૧૯૦૨માં ડૉ. હોર્નલેએ આ હસ્તપ્રત બોડલેના ગ્રંથાલયને ભેટ આપી. ત્યાં તે ભારતીય હસ્તપ્રતોના સૌથી મૂલ્યવાન સંગ્રહનો એક ભાગ બનેલી છે. તેમાં ભૂર્જવૃક્ષની છાલમાંથી બનાવેલાં ૭૦ પત્ર છે. પરંતુ આમાંનાં કેટલાંક પાન તો કેવળ ટુકડા જ છે. પત્રોનું સરેરાશ માપ ૭” X ૪” છે. હસ્તપ્રત શારદા લિપિમાં લખાયેલી છે. તેની ભાષા લૌકિક (popular) સંસ્કૃત છે, જેમાં ઈન્ડો-આર્યન લાક્ષણિકતાઓ પણ દૃષ્ટિગોચર થાય છે, જેને શરૂઆતમાં વિદ્વાનો ‘ગાથા બોલી’ એવું નામ આપવા પ્રેરાયા હતા. પરંતુ લખવાની પદ્ધતિ એકરૂપ નથી અને ઘણા લહિયાઓ દ્વારા કામ થયેલું દેખાય છે. આ ગ્રંથની શોધ પછી તરત જ કેટલાક મુદ્દાઓને આધારે વિદ્વાનોએ ધારણા કરી કે તે હસ્તપ્રત ઈ.સ.ની બીજી શતાબ્દીની હતી, જો કે ડૉ. હોર્નલેને મતે તે ઈ.સ. ની દશમી શતાબ્દીથી મોડી હોઈ શકે નહિ. લિપિની પરિશ્રમપૂર્વક ચકાસણી કર્યા બાદ શ્રી કાયે એવા નિર્ણય પર આવેલા કે તે હસ્તપ્રતનો સમય ઈ.સ.ની બારમી શતાબ્દી હતો. આ હસ્તપ્રતનું સંપાદન અને પ્રકાશન ભારતના પુરાતત્ત્વીય સર્વેક્ષણ (Archaeological Survey) દ્વારા New Imperial Series વોલ્યુમ - ૪૩; ભાગ ૧-૨, ૧૯૨૭ અને ભાગ-૩, ૧૯૩૩ માં કરવામાં આવ્યું છે. બાવર હસ્તપ્રત : જ્યારે લેફ્ટનન્ટ બાવર કાગિરિયામાં કુચારમાં હતા ત્યારે કોઈ એક માણસે તેમને એક ભૂગર્ભમાં સમાયેલું નગર બતાવવાનું માથે લીધું. તેની શરત એ હતી કે તેમણે અડધી રાતે ત્યાં આવવું. તે જ માણસે તેમને ભૂર્જપત્ર પર લખાયેલી પ્રાચીન હસ્તપ્રતોનું એક બંડલ આપ્યું, જે આ ભૂગર્ભમાં સમાયેલા નગરની તદ્દન બહારની બાજુએ આવેલી વિચિત્ર જૂની ઈમારતોમાંની એકમાંર્થી ખોદી કાઢવામાં આવ્યું હતું. આ હસ્તપ્રતનાં ૫૬ પાનાં છે. કેટલાંકની જાડાઈ એકવડી છે તો કેટલાંકની જાડાઈ બેવડીથી ચોવડી છે. ઘણુંખરું પાનાંની બન્ને બાજુએ લખેલું લખાણ કાળી શાહીથી લખેલું છે અને એક કરતાં વધુ હાથો વડે લખાયેલું છે. કેટલાંક પાનાં સંપૂર્ણ રીતે તાજાં અને સ્પષ્ટ દેખાય છે, તો બીજાં અત્યંત વિવર્ણ બનેલાં છે. બધાં જ પત્રો અતિશય બરડ અને કોમળ છે. આ હસ્તપ્રતની સર્વપ્રથમ નોંધ બંગાળની ‘એશિયાટિક સોસાયટી'ની નવેમ્બર, ૧૮૯૦ની ‘કાર્યવાહી’ (Proceedings) માં લેવામાં આવી જણાય છે. ફરી એપ્રિલ ૧૮૯૧માં પણ તેની નોંધ લેવાઈ છે. ઈ.સ. ૧૮૯૧માં JASBમાં હોર્નલે પુરાલિપિશાસ્ત્રીય પ્રમાણને આધારે આ હસ્તપ્રતનો સમય ઈ.સ.ની પાંચમી શતાબ્દી હોવાનું પોતાનું તારણ રજૂ કરે છે. આ હસ્તપ્રતના ઓછામાં ઓછા પાંચ સ્પષ્ટ વિભાગો પડે છે, જે આ પ્રમાણે છે : (૧) પાન ૧ થી ૩૧, આ વૈદકશાસ્રીય નિબંધ છે. (૨) પાન ૩૨ થી ૩૬, આમાં સુભાષિતોનો સંગ્રહ છે. (૩) પાન ૩૭ થી ૪૦, અહીં ભગવાન બુદ્ધે આનંદને # Page #146 -------------------------------------------------------------------------- ________________ વધારાની સૂચિ ૧૩૭ સર્પદંશની અસર મટાડવાનો મંત્ર કેવી રીતે આપ્યો તે કથા નિરૂપાયેલી છે. (૪) પાન ૪૧ થી ૪૬, ફરી એક વાર સુભાષિતોનો સંગ્રહ અને (૫) પાન ૪૨ થી ૫૧, અહીં બીજો વૈદકશાસ્ત્રીય નિબંધ શરૂ થાય છે. બાકીનાં પાન છુટાં છે. આખી હસ્તપ્રત વાયવ્ય પ્રાન્તીય “ગુપ્ત' લિપિમાં લખાયેલી છે. તેનું સંપાદન હોર્નલેએ કર્યું છે અને ભારતીય yudtal4 HdHel Bisl'(Archaeological Survey of India Series) Hi 3431 LL LLL ત્રણ ટુકડે તે પ્રકાશિત થયેલ છે. હસ્તપ્રત K ૫ (Codex K 5): અવેસ્તા પાઠના પુનરુદ્ધાર માટે શ્રેષ્ઠ (અને સંપૂર્ણ) હસ્તપ્રત તરીકે ઈરાની અભ્યાસક્ષેત્રમાં તે પ્રસિદ્ધ છે. અત્યારે તે કોપેનહેગન ગ્રંથાલયમાં હસ્તપ્રતોના રાસ્કના સંગ્રહમાં તે સંગ્રહાયેલી છે. આ પ્રાચીન પ્રતમાં યાર્ન અને તેનું પહલવી ભાષાંતર છે. આ પાઠની બધી જ હસ્તપ્રતોમાં તે સર્વશ્રેષ્ઠ અને પ્રાચીનતમ છે. તેમાં ૩૨૭ પાનાં છે. પાનાની સંખ્યા દેવનાગરી અંકોમાં લખેલી છે. પાનનું પરિમાણ ૧૦ ૪૮ છે. દરેક પાનામાં ૧૭ પંક્તિઓ છે. ૩૨૬મા પત્રની બીજી બાજુએ (અંતે) પહલવ અને સંસ્કૃત બંને ભાષાઓમાં બેવડી પુષ્પિકા છે. તે અનુસાર હર્બેદ મિત્રો-આપાન-કાઈખુન્નોવો મિત્રો-આપાન પેદાદ-મિત્રો-આપાને મઝપાન બહરામે આ હસ્તપ્રતની પ્રતિલિપિ ખંભાતમાં હર્બદ રૂસ્તમ મિત્રો-પાનની હસ્તપ્રતમાંથી તે જ શહેરમાંના કાહીલ સંગમને માટે તૈયાર કરી; આની સમાપ્તિ પારસી વર્ષ ૧૯૨, સંવત ૧૭૭૯માં દેન’ માસના “આસ્માન” દિવસના રોજ (નવેમ્બર ૧૭, ૧૩૨૩ ઈ.સ.) કરવામાં આવી. જ્યારે વેસ્ટરગાર્ડ અવેસ્તાનું સંપાદન કર્યું ત્યાં સુધી પત્ર ૭૦-૭૭નું અસ્તિત્વ હતું. પરંતુ જયારે ગેડનરે પોતાના સંપાદન માટે તે પત્રોનો ઉપયોગ કર્યો ત્યારે તે અત્યંત ખરાબ દશામાં હતાં. ત્યાર પછીથી આ હસ્તપ્રતની પ્રતિલિપિ કોપનહેગન રોયલ લાયબ્રેરીએ રંગીન ફોટોગ્રાફી (Chromophotography) દ્વારા તૈયાર કરી છે. તુર્કાનમાં પ્રાપ્ત થયેલા ભારતીય સાહિત્યના અંશો ઈ.સ. ૧૯૦૨માં ગ્રનવેડલ અને હથના નેતૃત્વ હેઠળ યોજાયેલી એક જર્મન શોધયાત્રામાં તુફનના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈ.સ.૧૯૦૪ થી ૧૯૦૭. દરમ્યાન લી કોક અને ગ્રુનવેડલની રાહબરી નીચે રાજ્યના સહકારથી બીજી બે વધારાની શોધ યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સાહિત્યિક અવશેષો તેમણે શોધી કલ્યા તેમને બર્લિન મોકલવામાં આવ્યા અને “Koniglich Preussiusche Turfan - Expedition' ના આશ્રયે 'Kleinere Sanskrit Texte' નામની સીરીઝમાં તેમનું પ્રકાશન કરવામાં આવ્યું, તેમનું સંપાદન યૂડર્સે અત્યંત કુશળતાથી કર્યું હતું. સશોધનમાંનું Page #147 -------------------------------------------------------------------------- ________________ ભારતીય પાઠ-સમીક્ષા એક સૌથી મહત્ત્વપૂર્ણ પ્રકાશન ડ્યૂડર્સે પોતે જ આ શ્રેણીમાં પ્રથમ મણકા તરીકે ઈ.સ. ૧૯૧૧માં ‘Bruchstuecke Buddhistischer Dramen' નામે સંપાદિત કર્યું છે. તાડપત્ર પર લખાયેલી આ હસ્તપ્રતોના અંશો લી કોકને મિન્ગાઈના એક ગુફા-મંદિરમાંથી મળી આવ્યા હતા. આ અંશોમાં કુલ ૧૪૪ ટુકડા હતા. તાડપત્રની લેખન સામગ્રી નિશ્ચિતપણે દર્શાવે છે કે આ અંશો ભારતમાંથી આવ્યા છે, જ્યાંથી તેઓ તુર્કાનમાં લઈ જવામાં આવેલા. લિપિના અભ્યાસ પરથી જણાય છે કે તેમની લિપિ ઉત્તરના ક્ષત્રપો અને કુશાનોના શિલાલેખોમાં જોવા મળતી લિપિથી અભિન્ન છે. આ રીતે આ અંશો વાસ્તવમાં આપણને પ્રાપ્ત થતા તાડપત્ર પરના સૌથી પ્રાચીન દસ્તાવેજો છે. અહીં સંપાદન થયેલા અંશોમાં અશ્વઘોષે રચ્યાં હોવાનું માનવામાં આવતાં બે નાટકોના અંશોનો સમાવેશ થાય છે. ગિલગિટ હસ્તપ્રતો : આ હસ્તપ્રતો ગિલગિટ પાસેના એક સ્તૂપમાં કોઈ ગોવાળિયાને અકસ્માત મળી આવેલી. ગિલગિટના વજીરે તેમનો કબજો લીધો તે પહેલાં તે હસ્તપ્રતોનો સારો એવો ભાગ અને હસ્તપ્રતો પરનાં બધાં જ રંગીન આવરણો સાહસિકોને હાથ લાગી ચૂક્યાં હતાં. આ રીતે નુકસાન (ક્ષતિ) પામેલાં પત્રોનો સમૂહ અત્યારે કાશ્મીરના દરબારના કબજામાં છે અને સરકારી સંરક્ષણમાં છે. પુરાલિપિશાસ્ત્રીય પ્રમાણોને આધારે આ હસ્તપ્રતોનો સમય સાતમી શતાબ્દીથી મોડો હોઈ શકે નહિ અને આથી ભારતમાંથી શોધાયેલી હસ્તપ્રતોમાં એ સૌથી પ્રાચીન છે. આ હસ્તપ્રતો સ્તૂપના ઘુમ્મટમાં જ મૂકવામાં આવેલી હતી. જે ભાષામાં આ હસ્તપ્રતોની રચના થઈ છે તે ‘મહાવસ્તુ’, ‘લલિતવિસ્તર’ ઇત્યાદિમાં જોવા મળતી ભાષા જેવી જ છે. એડગરટન આને ‘બૌદ્ધ સંસ્કૃત' એવું નામ આપે છે. આ હસ્તપ્રતોની મુખ્ય વિશેષતા એ છે કે એક પુસ્તકની પરિસમાપ્તિ અને બીજાના પ્રારંભ વચ્ચે સહેજ પણ જગ્યા છોડવામાં આવી નથી. આ વિશિષ્ટતાની દૃષ્ટિએ તેમને તિબેટનાં લાકડાંનાં કોતરકામ સાથે સરખાવી શકાય. આ હસ્તપ્રતોની શોધની સર્વપ્રથમ જાહે૨ાત ૨૪મી જુલાઈ, ૧૯૩૧માં ‘Statesman’ માં સર ઔરેલ સ્ટેઈને કરી હતી. ત્યાર બાદ એમ. હેકીને એ સ્થળની મુલાકાત લીધી અને ઈ.સ. ૧૯૩૨માં (JA 14-15) તેમના પર લેખ લખ્યો. ‘Gilgit Manuscripts' એ શીર્ષક હેઠળ આ હસ્તપ્રતો પર આધારિત સર્વપ્રથમ ગ્રંથનું સંપાદન કાશ્મીર સરકાર તરફથી ડૉ. નલિનાક્ષ દત્તે પ્રો.ડી.એમ. ભટ્ટાચાર્ય અને વિદ્યાવારિધિ શિવનાથ શર્માની સહાયથી ઈ.સ.૧૯૩૪માં કર્યું છે. ગોડ્સે હસ્તપ્રતો : આ હસ્તપ્રતોને ગોડફ્રે હસ્તપ્રતો એટલા માટે કહે છે કે આ હસ્તપ્રતો લડાખના બ્રિટિશ જોઈન્ટ કમિશ્નર કેપ્ટન એસ.એચ. ગોફ્રેને કેટલાક પઠાણ વેપારીઓ પાસેથી ૧૩૮ Page #148 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૩ ૧૩૯, મળી હતી, જેમને તેણે જુલાઈ, ૧૮૯૫માં કારગીલમાં લેહના જળબંબાકાર થયેલ વ્યવહાર . માર્ગને પસાર કરવામાં સહાયતા કરી હતી. આ હસ્તપ્રતો કુચાર નજીક કોઈ એક જમીનમાં દટાઈ ગયેલા પ્રાચીન શહેર પાસે ખોદકામ કરતાં મળી આવી હતી એવો તેમનો દાવો હતો. આ સંગ્રહમાં કાગળ પર લખાયેલી ૭૧ હસ્તપ્રતોના અંશો છે, જેમાંના ઘણાખરા ખંડિત છે. હોર્નલેએ ૧૮૯૭ના JASB માં આમને અંશતઃ પ્રસ્તુત કર્યા હતા. હોરિયુઝી હસ્તપ્રત ઃ ઈ.સ. ૧૭૨૭માં ઝાકુમિયો નામના ધર્મગુરુ વડે સંપાદિત Thousand Sanskrit and Chinese Words' નામની ચીની-સંસ્કૃત-જાપાની શબ્દકોષની પ્રસ્તાવનામાં આ પ્રમાણે નોંધ જોવા મળે છે - “યામાટોમાં હૉરિયુઝીના મઠમાં, મધ્ય ભારતમાંથી ઊતરી આવેલ બે તાડપત્ર પર લખાયેલ “પ્રજ્ઞાપારમિતાહૃદયસૂત્ર” અને “સંશિયો-ધારિણી', સંરક્ષિત છે. એમને અંતે “સિમ'(વર્ણમાળા)ના ચૌદ ધ્વનિઓ લખવામાં આવેલા છે. આધુનિક લહિયાઓમાં પ્રચલિત વર્ષોથી જેમને અલગ ન પાડી શકાય એવા વર્ગો સિવાય પ્રસ્તુત સંપાદનની વર્ણમાળામાં તાડપત્રોની વર્ણમાળાનું અનુસરણ કરવામાં આવ્યું છે.” આથી નિર્ણયાત્મક રીતે પ્રમાણિત થાય છે કે હોરિયુઝીના મઠમાં સંસ્કૃત સૂત્રો જેમના પર લખાયેલાં છે તેવા તાડપત્રો છેક ૧૭૨૭ સુધી સચવાયેલાં હતાં. આ મઠ રાજકુમાર ઉમયાદો (અવસાન ઃ ઈ.સ. ૬૨૧)એ સ્થાપેલા અગિયાર મઠોમાંનો એક છે. આ હસ્તપ્રતો સંબંધી પરંપરા સૂચવે છે કે તે ચીનના હાન્ગ (કો) પ્રાન્તમાં નાન-યો નામના પર્વત પર આવેલા મઠમાં રહેતા કેટલાક ચીની ધર્મગુરુઓના કબજામાં હતી. રાજકુમાર મિયાદો જ્યારે ૩૭મા વર્ષમાં હતો ત્યારે એટલે કે ઈ.સ. ૬૦૯માં, જાપાનના શહેનશાહનો , ઈમાકો નામનો હજૂરિયો તેમને જાપાનમાં લઈ આવ્યો. મેકસમૂલરે તેમના Anecdota - Oxon1 ii ની પ્રસ્તાવનામાં (પૃ.૧૦) નીચેની માહિતી નોંધી છે :- હોરિયુઝી -યામાટોનો પ્રાન્ત, મુખ્ય ધર્મગુરુ શિયોકિયો કિબાયા, “પ્રજ્ઞાપારમિતાહૃદયસૂત્ર' અને “ઉષ્ણીષધારિણી અત્યારે સાર્વભૌમ (Imperial) સરકારને સોંપાયેલાં છે. ૧૭૨૭માં તે ગ્રંથો હોરિયુઝીમાં હતા. ત્યારે ઝાકુમિયોએ તેમને જોયા હતા. સત્તરમી શતાબ્દીમાં તેમની પ્રતિલિપિ ઝિઓગોને બનાવી હતી. ઈ.સ. ૬૦૯માં તે ગ્રંથોને જાપાન લાવવામાં આવ્યા. તે બોધિધર્મ (ઈ.સ.પ૨૦)ના ગ્રંથો હોય તે સંભવિત છે. અને તે કાશ્યપ-રચિત હોવાનું મનાતું હતું. આ ગ્રંથોનું સંપાદન મેક્સમૂલર અને નાનજિઓએ Anecdota Ozon, i માં કર્યું છે. આના પરિશિષ્ટમાં બૂલરે હોરિયુઝીની તાડપત્રીય હસ્તપ્રતો પર પુરાતત્ત્વશાસ્ત્રની દૃષ્ટિએ નોંધ લખી છે, જેમાં તે જણાવે છે કે “આ હસ્તપ્રત સ્પષ્ટ રીતે ભારતીય લહિયાએ લખી છે અને તેનો સમય છઠ્ઠી સદીના પૂર્વાર્ધથી મોડો હોઈ શકે નહિ. તાડપત્રોનું પરિમાણ લંબાઈમાં ૧” અને પહોળાઈમાં ર” થી ૧” છે. દરેક પત્રમાં બે નાનાં છિદ્રો છે. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ભારતીય પાઠ-સમીક્ષા આ છિદ્રો બંને છેડેથી ત્રણ ઈંચને અંતરે પાડવામાં આવેલાં છે. અને તે પાનની ટોચ અને તળિયા એ બંનેની વચ્ચે મધ્યમાં છે. પરિણામે પાનની ચોથી લીટીના ત્રણ ભાગ પડે છે. પહેલા તાડપત્રમાં સાડા છ પંક્તિઓ અને બીજા તાડપત્રમાં સાત પંક્તિઓ છે. આની લિપિ ગુપ્ત યુગની લિપિ સાથે મળતી આવે છે. આ પ્રમાણને આધારે બ્લર આ હસ્તપ્રતોને છઠ્ઠી શતાબ્દીના પૂર્વાર્ધમાં મૂકે છે. ખરોષ્ઠી ધમ્મપદઃ - આને “પ્રાકૃત ધમ્મપદ' અથવા “દુલૂઈલ દ રીન્સ હસ્તપ્રત' પણ કહે છે. આમાં ભૂર્જપત્ર પર લખાયેલી હસ્તપ્રતના મહત્ત્વપૂર્ણ અવશેષો છે. આની પ્રાપ્તિ એમ. દુત્રઈલ દ. રીન્સ નામના દુર્ભાગી ફ્રેન્ચ પ્રવાસીને પોતાનમાં ઈ.સ.૧૮૯૨માં થઈ હતી. આ અવશેષોનો ઘણો મોટો ભાગ કાશ્મીરના રશિયન “કોન્સલ જનરલ એમ. પેટ્રોવસ્કીએ ક્યારનોય મેળવી લીધો હતો. તેની જ મધ્યસ્થીને કારણે તેમને સેન્ટ પિટર્સબર્ગની “ઈમ્પીરિયલ એકેડેમીને મોકલવામાં આવ્યા. આ અવશેષોનું નિયત પ્રાપ્તિસ્થાન હજુ જણાયું નથી, પરંતુ ગોઈંગ ટેકરા પરની કોહમારી ગુફામાંથી ત્યાંના કેટલાક આદિવાસીઓને આ અંશોની પ્રાપ્તિ થઈ એમ દાવા સાથે કહેવામાં આવે છે. જેણે આ સ્થળની સર્વપ્રથમ મુલાકાત લીધી અને અંશો પ્રાપ્ત કર્યા તે દુzઈલ દ રીન્સ અને જેણે એ સ્થળની મહિના પછી મુલાકાત લીધી અને જેને તે હસ્તપ્રતનો અવશિષ્ટ અંશ માનતો હતો તે ભાગ પ્રાપ્ત કરનાર ગ્રેનાડ – એ બંને આ હસ્તપ્રતના યથાર્થ પ્રાપ્તિ સ્થાનથી અજ્ઞાત હતા. સ્ટેઈનના મત પ્રમાણે આ બાબતનો અંતિમ નિર્ણય ક્યારેય કંઈ શકશે નહિ, કારણ કે પ્રસ્તુત ગુફાની તેણે લીધેલી મુલાકાતમાં તેને જણાયું કે ગુફાની દીવાલોમાં ક્યાંય તાજેતરમાં કોઈ ખોદકામ થયું હોવાનાં ચિહ્ન ન હતાં. દુzઈલ દ. રીન્સ હસ્તપ્રત હાલ પેરિસમાં છે; જ્યારે તેનો મોટો ભાગ સેન્ટ પિટર્સબર્ગમાં છે. આ અવશેષોનો સમય ઈ.સ. ૨૦૦ની આસપાસ હોવાનું માનવામાં આવે છે. તેમનું સંપાદન સેનાટૅ ૧૮૯૮માં કર્યું છે અને પ્રાકૃત ધમ્મપદ' એ શીર્ષક નીચે કલકત્તા યુનિવર્સિટી તરફથી બરુઆએ તેમનું ફરીથી સંપાદન કર્યું છે. કોહમારી અને ગોઇંગ ટેકરીને એક જ માની હોવાને કારણે રાઈસ ડેવિસે આ હસ્તપ્રતને ગોસિંગ ખરોષ્ટી હસ્તપ્રત કહી છે. (JRAS૧૮૯૯,૪૨૬). . મેકાર્ટનીના અંશાત્મક સંગડો . આમાં કેટલીક હસ્તપ્રતોના અવશેષો છે. આ અવશેષો કાગરના બ્રિટિશ એજન્ટ મકાઈનીને તે શહેરના ચીની વિદેશ વ્યાપારના વ્યવસ્થાપકે ભેટ આપ્યા હતા અને એ કુચાર પાસેના ટેકરીમાંથી ખોદી કાઢવામાં આવ્યા હતા એમ માનવામાં આવે છે. પરંતુ હોર્નલે માને છે કે જે સ્થળમાંથી બાવર અને વેબર હસ્તપ્રતો પ્રાપ્ત થઈ હતી, તે જ Page #150 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૩ ૧૪૧ સ્થળમાંથી આ અવશેષો પણ મળ્યા હતા. આ અવશેષોની સામગ્રી ત્રણ જુદા જુદા પ્રકારની છે ઃ તાડપત્ર, ભૂર્જપત્ર, અને કાગળ. આમાં કુલ ૧૪૫ ખંડિત પત્રો છે; તેમાંના ૧૩ ભૂર્જપત્ર, ૯ તાડપત્ર અને બાકીના કાગળ છે. તેમની લિખિત સામગ્રીને બાજુએ રાખીએ તો તેમના પર બે જુદા જુદા પ્રકારની બાહ્મી લિપિમાં અક્ષરો કોતરવામાં આવ્યા છેઃ ઉત્તર ભારતીય (ગુપ્તયુગીન) અને મધ્ય એશિયાઈ. હોર્નલેએ આનો કેટલોક ભાગ JASB, ૧૮૯૭માં પ્રકાશિત કર્યો હતો. મેકાર્ટની હસ્તપ્રતો : આ હસ્તપ્રતો જી.મેકાર્ટનીને પ્રાપ્ત થઈ હતી. મેકાર્ટની કાશ્મીરમાંના બ્રિટીશ એલચી (રેસીડન્ટ) લેફ્ટ. કર્લન સર એ.સી. ટેલબોટનો કાશ્મર ખાતે ચીન સાથેના કાર્ય-વ્યાપાર માટેનો ખાસ મદદનીશ હતો. આ હસ્તપ્રતોના છ વર્ગ છે : પ્રથમ વર્ગની હસ્તપ્રતો જ્યાંથી ‘બાવર હસ્તપ્રત’ મળી હતી તે જ સ્થળેથી પ્રાપ્ત થઈ છે, અને અહીં મળેલી એક બીજી હસ્તપ્રતનો ‘વેબર હસ્તપ્રત'માં પણ સમાવેશ થઈ જાય છે. લિપિ બે પ્રકારની છે મધ્ય એશિયાઈ અને ઉત્તર ભારતીય બાહ્મી (ગુપ્ત). ચોથો વર્ગ ગુમાથી આશરે પચાસ માઈલ પૂર્વમાં આવેલા કારકુલ મઝાં ખોજાંમાંથી પ્રાપ્ત થયેલ છે. બીજો વર્ગ ખોતાનની ઈશાન બાજુએ અફિલમાંથી મળી આવ્યો છે. ત્રીજો વર્ગ ખોતાનથી ઈશાન તરફ ૫૦ થી ૬૦ માઈલને અંતર આવેલા જાબુ કુમમાં મળી આવ્યો છે. પાંચમો વર્ગ કુક ગુમ્બઝના રણમાં પ્રાપ્ત થયો હતો. ગુમાથી કુક ગુમ્બઝ જવા માટે પાંચ દિવસ ચાલવું પડે છે. આની પ્રાપ્તિ ત્રણ ફૂટ ઊંચી પાકી ઈંટોની ગોળાકાર દીવાલ પાસેથી થઈ હતી. આ ગોળ દીવાલ એક બીજી દીવાલની અંદર આવેલી હતી, જેમાં પૂરી નાખેલું એક બાકોરું નજરે પડ્યું હતું. છઠ્ઠો વર્ગ કુક ગુમ્બઝમાં જમીન પર પડેલો મળી આવ્યો હતો. હોર્નલેના મત પ્રમાણે હસ્તપ્રત સંભવતઃ ઈ.સ.ની બીજી શતાબ્દીની છે. આ હસ્તપ્રત b ઘેરા રંગના મુલાયમ જાતના કાગળ પર લખાયેલ છે. હસ્તપ્રતનું પૃષ્ઠાંકન પાનની આગળની બાજુએ કરવામાં આવ્યું છે. (જુઓ પ્રસ્તુત પુસ્તકનું પૃ.૧૩). આ હસ્તપ્રતોનાં કેટલાંક પાનાં JASB ૧૮૯૭માં પ્રકાશિત કરવામાં આવ્યાં છે. મહાભારતની ભૂર્જપત્ર પર લખાયેલી હસ્તપ્રત : આ હસ્તપ્રત શરાદાલિપિમાં લખાયેલી છે. તેમાં આદિપર્વ અને વનપર્વના અંશો તથા સંપૂર્ણ સભાપર્વ સચવાયેલ છે. કાશ્મીરમાં બ્લ્યૂલરે મુંબઈ સરકાર તરફથી આને ખરીદી હતી.ક્રમાંક ૧૫૯ (૧૮૭૫-૭૬). સભવતઃ તે સોળમી યા સત્તરમી સદીની છે. આ એક અદ્વિતીય અને મૂલ્યવાન હસ્તપ્રત છે. તેમાં ૧૧૪ પાના છે, જેમાંના કેટલાંક ખંડિત છે. પૂનાના સમીક્ષાત્મક સંપાદનની સમીક્ષાત્મક સામગ્રી (Critical Apparatus)માં તેનું સાંકેતિક ચિહ્ન (siglum) s` છે. તે મહાભારતનો સંક્ષિપ્ત પાઠ (textus - Page #151 -------------------------------------------------------------------------- ________________ ભારતીય પાઠ-સમીક્ષા simplicior) પ્રસ્તુત કરે છે, કારણ કે જાણીતાં રૂપાંતરોમાં તે સૌથી ટૂંકું છે. વધુ વિગતો માટે જુઓ સુકનકર Prolegomena, પૃ.૧૦-૪૦, ૪૭-૪૮. આદિપર્વની સૌથી પ્રાચીન ઉપલબ્ધ હસ્તપ્રત : આ હસ્તપ્રત તાડપત્ર પર લખાયેલી છે. તે તાજેતરમાં નેપાળના રાજગુરુ હેમરાજ પંડિતજૂને પ્રાપ્ત થઈ છે. તે ૭૦૦ વર્ષ પહેલાની છે. લખાણ આદિથી અંત સુધી ઝાંખી પડી ગયેલી જૂની શાહીથી લખાયેલું છે. તેમાં કેવળ આદિપર્વનો સમાવેશ થયો હોવા છતાં તે સ્વતઃ સંપૂર્ણ છે અને તેમાં એક પણ પાન ખૂટતું નથી. પાનનું સરાસરી માપ ૧૪૨ 21"×2" છે; અને દરેક પાન પર સાત પંક્તિઓ છે. નમૂનાના ફોટોગ્રાફ પરથી સુકથનકરે તેની લિપિને બ્યૂલરના ‘Paleographische Tafeln' સાથે સરખાવી છે અને દર્શાવ્યું છે કે તે Tafel VI, નં.૪૦ (કેમ્બ્રિજ હસ્તપ્રત નં.૧૬૯૧) ઈ.સ. ૧૧૭૯ની લિપિને ઘણી મળતી આવે છે. મહાભારતની આ પ્રાચીનતમ નેપાળી હસ્તપ્રતનું સંપૂર્ણ વર્ણન, આદિપર્વ માટે સંપૂર્ણ સંતુલન સહિત, સુકથનકરે તેમના Epic Studies ·VII, (Annals of BORI 19, પૃ.૨૦૧-૨૬૨)માં આપ્યું છે. પૈપ્પલાદ હસ્તપ્રત : અથર્વવેદની આ હસ્તપ્રત મૂળ તો જમ્મુ અને કાશ્મીરના નરેશ સ્વર્ગસ્થ મહારાજા રણવીરસિંહના પુસ્તકાલયમાં સંગ્રહાયેલી હતી. ઈ.સ. ૧૮૭૫માં મહારાજાએ આ હસ્તપ્રત તે સમયના લેફ્ટેનન્ટ ગવર્નર સર વિલિયમ મૂરને મોકલાવી અને તેમણે (મૂરે) તે હસ્તપ્રત જર્મનીના પ્રો. રોથને મોકલાવી આપી. ઈ.સ.૧૮૯૫માં રોથનું અવસાન થતાં તે હસ્તપ્રત ટ્યૂબિંગન યુનિવર્સિટીની પાસે આવી. અથર્વવેદની કાશ્મીરી વાચનાની દૃષ્ટિએ આ હસ્તપ્રત, એક માત્ર અને અદ્વિતીય પ્રત હોવાથી સર્વથા અમૂલ્ય છે. તેમાં બંને બાજુએ લખાયેલાં ભૂર્જપત્રનાં ૨૭૫ પાનાં છે અને તે આશરે ૪૫૦ વર્ષ જૂની છે. તે શારદા લિપિમાં લખાયેલી છે. પાનાનું મા૫ ૨૫ સે.મિ. x ૨૦ સે.મિ. છે. લખાણ ૨૦ સે.મિ. ૪ ૧૫ સે.મિ.ના માપમાં ભેજ અને પાણીની જેને કંઈ જ અસર ન થાય તેવી ન ભૂંસાય તેવી શાહીથી લખાયેલું છે. પ્રોફેસર એમ. બ્લૂમફિલ્ડ અને આર. ગાર્બેએ આ અપૂર્વ હસ્તપ્રતની ક્રોમોફોટોગ્રાફી દ્વારા પ્રતિકૃતિ તૈયાર કરાવી અને ઈ.સ.૧૯૦૧ માં તેને બાલ્ટીમોરમાં પ્રકાશિત કરી. પેટ્રોવસ્કી હસ્તપ્રત : આ ‘દુસુઈલ દ રીન્સની હસ્તપ્રત'ની પૂરક હસ્તપ્રત છે, અને વાસ્તવમાં જેતે આજે આપણે ‘ખરોષ્ઠી ધમ્મપદ’ અથવા ‘પ્રાકૃત ધમ્મપદ’ તરીકે ઓળખીએ છીએ, તેનો જ તે એક મોટો ભાગ છે. જે માણસોએ દુઝુઈલ દ રીન્સ અને ગ્રેનાર્ડ - એ બે ફ્રેન્ચ Page #152 -------------------------------------------------------------------------- ________________ • પરિશિષ્ટ-૩ પ્રવાસીઓને તે કિંમતી પત્રો વેચ્યાં હતાં. તેઓએ એ હકીકત કાળજીપૂર્વક છુપાવી હતી કે તેમણે કાશ્મરમાંના રશિયન કોન્સલ એમ. પેટ્રોવસ્કીના એજન્ટોને તે ખંડિત સામગ્રીનો વધુ મોટો ભાગ વેચી દીધો હતો. એમ. પેટ્રોવસ્કીની દરમ્યાનગીરીને લીધે આ સંગ્રહને પાછળથી સેન્ટ પ્રિટર્સબર્ગ મોકલવામાં આવ્યો અને ત્યાં રશિયન વિદ્વાન સર્જ ડી’ઓલ્ડનબર્ગે આ અવશેષોનું સંપાદન કર્યું. આમનો સંબંધ સર્વપ્રથમ એમ. પેટ્રોવસ્કી સાથે હોવાને કારણે આ હસ્તપ્રત એના નામથી ઓળખાવા લાગી. વેબર હસ્તપ્રતો : ૧૪૩ મોરેવિઆના રહેવાસી ધર્મગુરુ રેવ. એફ.વેબરને લડાખમાંના લેહમાં એક અફઘાન વેપારી પાસેથી કેટલીક હસ્તપ્રતો પ્રાપ્ત થઈ. એ વેપારીને આ હસ્તપ્રતો, જમીનમાં દટાયેલા ખજાનાની શોધ કરતાં, કુઈગર નામના સ્થળની નજીકમાં એક ખંડિયર મકાનમાંથી મળી આવી હતી. કુઈગર ચીનની સરહદની અંદર યારખંડની લગભગ ૬૦ માઈલ દક્ષિણે આવેલું છે. આ હસ્તપ્રતોમાં નવ (સંભવતઃ અગિયાર) જુદી જુદી હસ્તપ્રતોના જૂથનો સમાવેશ થયેલો જણાય છે. સઘળી હસ્તપ્રતો બે પ્રકારના કાગળ પર લખાયેલી છે. હસ્તપ્રતો બે વર્ગમાં વહેંચાઈ જાય છેઃ ભારતીય (નં. ૧ થી ૪) અને મધ્ય એશિયાઈ (નં. ૫ થી ૯). ભારતીય વર્ગની હસ્તપ્રતો બાવર હસ્તપ્રતની જેમ વાયવ્ય પ્રાન્તીય ગુપ્ત લિપિમાં લખાયેલી છે. જ્યારે મધ્ય એશિયાઈ વર્ગની હસ્તપ્રતો મધ્ય એશિયાઈ નાગરી લિપિમાં લખાયેલી છે. હોર્નલેના મત અનુસાર આ હસ્તપ્રતોનો કોઈ પણ ભાગ આશરે ઈ.સ.૭૦૦થી મોડો હોઈ શકે નહિ. તેમાં જોવા મળતા ત્રિપાંખિયા ‘ય’ પરથી હોર્નલ તેમનો સમય ઈ.સ.૫૦૦ની આસપાસ હોવાનું માને છે; અર્થાત્ આ હસ્તપ્રતો બાવર હસ્તપ્રતની સમકાલીન અથવા સહેજ પૂર્વવર્તી છે. ' બ. સમીક્ષાત્મક સંપાદનો - હરિવંશપુરાણ - (પુષ્પદન્તવિરચિત)- સંપાદક - લુડવિગ આલ્સડોર્ફ, ૧૯૩૬. આ સંપાદન A: B', અને C એ ત્રણ હસ્તપ્રતોને આધારે કર્યું છે. ગ્રંથ બે વાચનાઓમાં વિભક્ત છે A હસ્તપ્રત એક વાચના દર્શાવે છે, B અને C બીજી વાચના દર્શાવે છે. શાકુન્તલ (કાલિદાસ-વિચરિત)- (બંગાળી વાચના) સંપાદકઃ આર. પીશલ, પ્રથમ આવૃત્તિ ૧૮૭૭, દ્વિતીય આવૃત્તિ ૧૯૨૨. પ્રથમ આવૃત્તિ Z8, S'', N, R, I‰ હસ્તપ્રતો, ચંદ્રશેખરની ટીકા, C, Ca, અને શંકરની ટીકા S ને આધારે તૈયાર કરવામાં આવી હતી. આ બધી જ હસ્તપ્રતો બંગાળી લિપિમાં છે. બીજા અંકના પ્રારંભ સુધીના અંશ પૂરતી દેવનાગરી હસ્તપ્રત D ને પણ ઉપયોગમાં લીધી હતી. આ ઉપરાંત Y (ચેઝી ૧૮૩૦), B (શક, ૧૭૮૬), ‘B’ (સંવત ૧૯૨૬) અને B (શકે ૧૮૯૨) હસ્તપ્રતોનો Page #153 -------------------------------------------------------------------------- ________________ ભારતીય પાઠસમીક્ષા પણ લાભ લેવાયો હતો. દ્વિતીય આવૃત્તિ સમયે બે વધારાની હસ્તપ્રતો A અને B ની પણ ચકાસણી (સંતુલન) કરવામાં આવી હતી. H નો ઉપયોગ બીજા અંકના પ્રારંભ પૂરતો જ ' મર્યાદિત હતો. 1 કપૂરમંજરી (રાજશેખરવિરચિત) સંપાદક - સ્ટેન કોનો, ૧૯૦૧, અગિયાર હસ્તપ્રતોના આધારે સંપાદન : A B C N 15 (જૈન વર્તુળ), N19 09 Pl9 (નાગરી), R (કાશ્મીરી), S T U(ગ્રંથ) – બર્નેલના મતાનુસાર આ હસ્તપ્રત s ની પ્રતિલિપિ છે. પરંતુ કોનોએ તે U માંથી ઊતરી આવેલી હોવાનું અને જ્યાં સુધારા દેખાય છે ત્યાં કદાચ s ની અસર નીચે હોવાનું જણાવ્યું છે. જૈન હસ્તપ્રતોમાં B અને w અન્યની અપેક્ષાએ વધુ પ્રાચીન છે. તેમાં પણ B તો અત્યંત અશુદ્ધ છે. P આધુનિક પ્રતિલિપિ છે. N, O અને R પણ સાવ આધુનિક છે અને જૈન વર્તુળ સાથે સામ્ય ધરાવે છે, S T U સાથે નહિ. 0 R અને A 0 પરસ્પર વધુ ગાઢ સંબંધ ધરાવે છે. મનમોહન ઘોષે તેમના ઈ.સ. ૧૯૩૯ના સંપાદનમાં આ ઉપરાંત આઠ બીજી નવી હસ્તપ્રતોનો ઉપયોગ કર્યો હતો. તેમાંની ચાર દક્ષિણની લિપિમાં તથા ચાર દેવનાગરીમાં આ પ્રમાણે હતી : દેવનાગરીમાં D9 G I. J, તેલગુમાં XY, મલયાલમમાં Z અને ગ્રંથમાં V દક્ષિણી વાચના ઉત્તરીય વાચના કરતાં ઊતરતી કક્ષાની છે. આ સઘળી હસ્તપ્રતોમાં જ સર્વોત્તમ છે. D હસ્તપ્રત 0 સાથે, G હસ્તપ્રત N સાથે, અને I હસ્તપ્રત R સાથે મળતી આવે છે. J દેવનાગરી લિપિમાં હોવા છતાં કોઈ દક્ષિણ ભારતીય હસ્તપ્રતની તાજેતરની પ્રતિલિપિ હોય એમ જણાય છે અને T U સાથે સામ્ય ધરાવે છે. ઉત્તરીય વાચના બે રૂપાન્તરોમા વિભાજિત બને છે: (૧) AC, B, P, W અને (૨) O R (D I) N (G). દક્ષિણી વાચના S, U T (J XYV) માં વિભાજિત થાય છે. Z હસ્તપ્રત આંશિકરૂપે બધા સાથે મળતી આવે છે. મહાભારત : સમીક્ષાત્મક સંપાદન કરનાર ડૉ. વી.એસ.સુકથનકર – તેમનું આ કાર્ય અન્ય વિદ્વાનોના સહયોગથી સંપાદિત થયું છે. વિગતો માટે જુઓ Prolegomena. આ સંપાદન ઓછામાં ઓછી દશ હસ્તપ્રતો પર આધારિત છે. પરંતુ ઘણાં પર્વો તો વીસ જેટલી હસ્તપ્રતોના સંતુલન (collation) દ્વારા, કેટલાંક પર્વો ત્રીસ અને કેટલાંક તો ચાલીસ જેટલી હસ્તપ્રતો દ્વારા તૈયાર કરવામાં આવ્યાં છે. આદિપર્વના પહેલા બે અધ્યાયો તો સાઠ જેટલી હસ્તપ્રતોના સંતુલન દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. આ હસ્તપ્રતોમાં મુખ્યતઃ શારદા, શારદા લિપિમાં લખાયેલી હસ્તપ્રતોની દેવનાગરી પ્રતિલિપિ, નેપાલી, મૈથિલી, બંગાળી, દેવનાગરી, તેલગુ, ગ્રંથ અને મલયાલમ લિપિ જોવા મળે છે. આ હસ્તપ્રતો મુખ્યતઃ બે વાચનાઓમાં વિભાજિત થાય છે. અને આ પ્રત્યેક વાચના આગળ જતાં વધુ નાના વર્ગો – ઉપશાખાઓમાં વિભાજિત બને છે. ઉત્તરીય વાચના વાયવ્યય અને મધ્ય પ્રદેશીય શાખામાં વિભાજિત થાય છે. જે અનુક્રમે Page #154 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૩ ૧૪૫ શારદા લિપિ (તેની દેવનાગરી પ્રતિલિપિઓ સહિત, જે અનુક્રમે 6' અને “K' સાંકેતિક ચિહ્ન દ્વારા દર્શાવાયેલી છે, તથા નેપાળી (N), મૈથિલી (V) બંગાળી (B) અને દેવનાગરી (D) માં લખાયેલી છે. દક્ષિણી વાચના ઍક તરફ તેલગુ (T) તથા ગ્રંથ (G) અને બીજી તરફ મલયાલમ (M) એમ બે ઉપશાખાઓમાં વિભક્ત થાય છે. ડ વર્ગ સંક્ષિપ્ત વાચના (textus simplicior) દર્શાવે છે. માં શ્રેષ્ઠ દક્ષિણી રૂપાંતર દર્શાવે છે. આ ઉપરાંત અર્જુનમિશ્ર (Da), નીલકંઠ (Dn). રત્નગર્ભ (Dr) નાં દેવનાગરી રૂપાંતરોનો પણ ઉપયોગ કર્યો છે. આદિપર્વની દિનાંકિત હસ્તપ્રતોમાં નીચેની ઉલ્લેખનીય છે : Ko 1739, K, 1783, K 1638,K, 1519,K, 1694, N, 1511, , 1528, 8, 1740, B, 1759, B, 1786, Da, 1620, Dr 1701, , સોળમી કે સત્તરમી શતાબ્દીની છે અને એમાં રાજા જયસિંહરાજની પ્રશસ્તિ છે. તેના આદેશ અનુસાર આ પ્રતિલિપિ તૈયાર કરવામાં આવી હતી અને એમ તેની રચનાનો સમય નેપાલી સવંત ૧૧૬ અથવા ઈ.સ. ૧૩૯૫ દર્શાવે મહાપુરાણ - (પુષ્પદન્તવિરચિત) - આદિ પુરાણ, ઈ.સ. ૧૯૩૭માં . પી.એલ.વૈદ્ય દ્વારા સંપાદિત આ સમીક્ષાત્મક સંપાદન પાંચ હસ્તપ્રતો પર આધારિત છે : GS, K, M9, Bl,P અને એક ટીકા T16*. આ હસ્તપ્રતોમાં G (ઈ.સ.૧૫૧૮) સર્વશ્રેષ્ઠ છે. આ હસ્તપ્રતો બે વાચનાઓમાં વિભક્ત બને છે - ** અને *Y • G , *K, K. (આશરે ૧૫૦૦) અને K (આશરે ૧૬૦૦) હસ્તપ્રતો *X વાચના દર્શાવે છે જ્યારે બાકીની ત્રણ હસ્તપ્રતો P, B અને M *Y વાચના દર્શાવે છે. મહાવીરચરિત (ભવભૂતિ - વિરચિત) - સંપાદક ટોડરમલ, ઈ.સ. ૧૯૨૮. બધી મળીને ૧૮ હસ્તપ્રતોનું સંતુલન (collation) કરવામાં આવ્યું છે. T, ફક્ત પ્રથમ અંક માટે; KE M Sc I અને Mr હસ્તપ્રતો સંપૂર્ણ છે; I,AIw, અને Md પાંચમાં અંકે સમાપ્ત થાય છે; Cu Mt Mg પાંચમાં અંકના બેંતાલીસમાં શ્લોક આગળ અટકી જાય છે; Bમાં કેવળ અંતિમ અંક જ પ્રાપ્ત થાય છે. લિપિઓ તેલગુ (Mt T, T), ગ્રંથ (Mg Mr T T), કાશ્મીરી (K) અને દેવનાગરી (બાકીની બધી હસ્તપ્રતોમાં) – ઉત્તરીય વાચના નીચે પ્રમાણે ચાર નાના વર્ગમાં વિભક્ત થાય છે - (૧) 11 Bo (૨) w૯, Ca૯] ૧૯ (૩) AlwMd અને (૪) Ca K B E. દક્ષિણી વાચનાનું નિર્માણ T, Mt Mr. Mઇને આધારે કરવામાં આવ્યું છે. માલતીમાધવ (ભવભૂતિ-વિરચિત) : સંપાદક-આર.જી.ભાંડારકર, પ્રથમ આવૃત્તિ ૧૮૭૬, દ્વિતીય આવૃત્તિ ૧૯૦૫. પ્રથમ આવૃત્તિ માટે નીચેની હસ્તપ્રતોનું સંતુલન કરવામાં આવ્યું હતું : (A) B, C, D, E, G અને N A હસ્તપ્રત કૌલાસચન્દ્ર દત્તની કલકત્તાની પ્રત છે. એ તેલગુ લિપિમાં છે. બાકીની દેવનાગરીમાં છે. (A) C Nનું Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ ભારતીય પાઠ-સમીક્ષા - સંતુલન આદિથી અંત સુધી, B નું કેવળ દશમા અંકના મધ્યભાગ સુધી જ; D નો ઉપયોગ છઠ્ઠા અંકના મધ્ય સુધી જ કરવામાં આવ્યો છે અને ત્યાર બાદ તેને સ્થાને E નો ઉપયોગ કર્યો છે. G નો ઉપયોગ આઠમા અંકમાં (Eનો આ ભાગ નષ્ટ થયેલો છે) અને દશમા અંકમા (જ્યાં B ખંડિત થાય છે) થયો છે. બધી હસ્તપ્રતો પરસ્પર સ્વતંત્ર છે, તેમ છતાં AD અને B C ના અલગ વર્ગો બનતા જણાય છે. N હસ્તપ્રતનો B C સાથે વધુ મેળ બેસે છે અને E નો A D સાથે. આમ અહીં બે મુખ્ય વર્ગ બને છે - A D E અને B C N. G ને આ બંનેની મધ્યમાં મૂકી શકાય. દ્વિતીય આવૃત્તિ માટે નીચેની વધારાની હસ્તપ્રતોનો ઉપયોગ કરવામાં આવ્યો છે : Bh, K^, K (શારદા લિપિમાં) અને ૦૧૭ - આમ સંતુલન (A), C, N, B, D (E, G), Bh, K. K, O એ નવ હસ્તપ્રતોને આધારે થયું છે. ભાંડારકરના મત પ્રમાણે આ નવેય હસ્તપ્રતો સ્વતંત્ર છે અન વંશવૃક્ષરૂપે એમની ગોઠવણી થઈ શકે તેમ નથી. તેમ છતાં K, K N O નો નાના વર્ગોમાં સમાવેશ થાય છે તથા K ૢ K, NO અને A B Bh C D મોટા વર્ગોમાં જગદ્ધરની ટીકા : Cj૧૮. આને આધારે આ હસ્તપ્રતોના વંશાનુક્રમની સ્થાપના શક્ય બનવી જોઈએ. પરમાત્મપ્રકાશ (યોગીન્દુ-વિરચિત) : સંપાદક-એ. એન. ઉપાધ્યે, ૧૯૩૭. નીચેની હસ્તપ્રત સામગ્રીને આધારે સંપાદન - A* B૧૮ C૧૭ P૧૯ Q R૧૯ S T K M. *K' સંક્ષિપ્ત વાચના દર્શાવે છે જેમાંથી T(M) અને K ઊતરી આવેલી છે. *P વિસ્તૃત વાચના દર્શાવે છે, જેમાંથી એક તરફ P (R હસ્તપ્રત K અને બ્રહ્મદેવના પાઠ સાથે સંમિશ્રિત છે) અર્થાત્ બાલચંદ્રની ટીકાનો પાઠ તથા બીજી તરફ B C અને S અર્થાત્ બ્રહ્મદેવનો પાઠ ઊતરી આવેલ છે. અહીં છુ એ K અને B C S માંથી ઉતરી આવેલી મિશ્રપ્રત છે. રામાયણ : આ મહાકાવ્યની અધિકૃત વાચના સાથે સંકળાયેલા પ્રશ્નોની સર્વપ્રથમ ચર્ચા સ્વ. પ્રો.યાકોબીએ કરી હતી અને તાજેતરમાં ડૉ. રુબેને તેમના ‘Studien’ માં તેની ચર્ચા કરી છે. લાહોરમાં International Academy of Indian Culture ના ડૉ. રઘુવીર આનું સમીક્ષાત્મક સંપાદન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને પ્રયોગરૂપે તેનું આંશિક પ્રકાશન કરવામાં આવ્યું છે. તેમાં પ્રસ્તાવના (Prolegomena) કે સમીક્ષાત્મક સામગ્રીના તથા મહાકાવ્યની વિવિધ વાચનાઓના આંતર સંબંધના સાદા વિવરણનો પણ સમાવેશ કર્યો નથી. કદાચ છેલ્લા વોલ્યુમમાં તેનો સમાવેશ કરવા ધાર્યું હોય એ સંભવિત છે. વાયવ્યીય વાચનાનું સમીક્ષાત્મક સંપાદન લાહોરની ડી.એ.વી. કૉલેજના અધિકારી વર્ગ દ્વારા કરવામાં આવ્યું છે. પરંતુ સુકથનકરે તેમના પાશ્ચાત્ય ટીકાકારોજેમનું સૂચન એવું હતું કે તે મહાકાવ્યની અંતિમ વાચનાનું નિર્માણ કરવાનો પ્રયાસ Page #156 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૩ ૧૦ કરતાં પહેલાં તે ગ્રંથનાં બધાં જ રૂપાન્તરો અને વાચનાઓનું સમીક્ષાત્મક સંપાદન કરેલું હોવું જોઈએ - ને જે ઉત્તર આપ્યો હતો તે અહીં પણ લાગુ પડે છે. આવા સમીક્ષાત્મક સંપાદનોમાં સ્વાભાવિક રીતે જ ઘણા ગૌણ પાઠોનો સમાવેશ થશે અને તેમને શોધી કાઢવાનું કામ કઠિન છે, સિવાય કે જુદી જુદી વાચનાઓ અને રૂપાન્તરો સંબંધી સઘળી ઉપલબ્ધ હસ્તપ્રતોને લક્ષમાં લેવામાં આવે. રૂબેનનાં તારણોનો સારાંશ અહીં પ્રસ્તુત કરી શકાય. મહાભારતની જેમ, રામાયણની હસ્તપ્રતો પણ બે વાચનાઓમાં વિભક્ત બને છે : ઉત્તરી વાચના અને દક્ષિણી વાચના. આ બંને વાંચનાઓ આગળ જતાં બે રૂપાન્તરોમાં વહેંચાય છે. આ પ્રમાણે ઉત્તરી વાચના વાયવ્યીય રૂપાન્તર અને ઈશાનીય રૂપાન્તરની બનેલી છે અને દક્ષિણી વાચના ‘અમૃતકતક ટીકા’ના રૂપાન્તર અને રામાનુજની ટીકાના રૂપાન્તરની બનેલી છે. રુબેન માને છે કે મહાભારત માટે જે શક્ય છે તે પ્રકારનું લિપિઓને આધારે હસ્તપ્રતોનું વર્ગોમાં વિભાજન રામાયણની હસ્તપ્રતો માટે શક્ય નથી. ગોરેઝિયોએ ઈ.સ. ૧૮૪૩માં આ પાઠ્યગ્રંથના પછી સંપાદન(editio princeps)માં બંગાળી રૂપાન્તર પ્રકાશિત કર્યું હતું. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ઉપક્રમે વડોદરાના ઓરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટે આ ગ્રંથના સમીક્ષાત્મક સંપાદનનું જે નવું કામ હાથ ધર્યું છે તે રામાયણની પાઠસમીક્ષા માટે ઘણું સારું છે. રામાયણ (વાલ્મીકિ-વિરચિત) (તેની વાયવ્યીય વાચનામાં) : સુંદરકાંડ, સંપાદક : વિશ્વબંધુ શાસ્ત્રી, લાહોર, ૧૯૪૦. આમાં દશ હસ્તપ્રતોનો આધાર લેવામાં આવ્યો હતો - B†, A૧૬, F, A', C, L ૧૯, L ૧૯, P૧૯, R૯ અને M. સંપાદકના મત અનુસાર આ સર્વ હસ્તપ્રતો એક જ પ્રકારનું રૂપાન્તર દર્શાવે છે, પરંતુ કેટલી હદ સુધી આ એકરૂપ અને અસંમિશ્રિત (શુદ્ધ) રૂપાન્તર છે તે પ્રશ્નની સ્પષ્ટતા પ્રસ્તુત સંપાદનમાંથી પ્રાપ્ત થતી નથી. સંપાદકે તેમની પ્રસ્તાવનામાં શરૂઆતના અંશોના ડૉ.એસ.કે. ડે એ કરેલા ‘અવલોકન’ (review) વિષે પોતાના પ્રત્યાઘાતો દર્શાવ્યા છે. પરંતુ જે સંમિશ્રણથી સદંતર મુક્ત નથી એવાં કોઈ પણ રૂપાન્તરોના સમીક્ષાત્મક સંપાદન વિષે સુકથનકરની ટીકાનું હાર્દ તેઓ ચૂકી ગયા છે. સુવર્ણભાસોત્તમસૂત્ર : સંપાદક : યોહાનસ નોબેલ, લિપિઝિગ, ૧૯૩૭. આ સંપાદન સાત હસ્તપ્રતોને આધારે કરવામાં આવ્યું – A, B, C, D, Eo, F અને G પ્રથમ છ હસ્તપ્રતો નેપાળી લિપિમાં કાગળ પર લખાયેલી છે અને G હસ્તપ્રત તે જ લિપિમાં તાડપત્ર પર લખાયેલી છે. કાગળ પર લખાયેલી સર્વ હસ્તપ્રતોમાં જે સમાન દોષો અને સમાન સુધારાઓ જોવા મળે છે તે પરથી તેઓનું એક જૂથ બને છે, અને G નું બીજું જૂથ. મુખ્ય જૂથમાં પણ C અને F પરસ્પર વધુ નિકટતાથી સંકળાયેલી છે અને ઘણાં પ્રસંગોએ આ ગ્રંથ ઓરિ. ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સાત ભાગ (Volume) માં પ્રકાશિત થયો છે. - અનુ. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ - ભારતીય પાઠ-સમીક્ષા c F જૂથ B D E થી જુદું પડે છે. ગ્રંથના શીર્ષકની બાબતમાં પણ B D E માં સુવર્ણપ્રમાસોત્તમસૂત્રના શીર્ષક જોવા મળે છે, જ્યારે A C F (અને G) – માં સુવf()માસોતમજૂરાગ શીર્ષક છે. તદુપરાંત મધ્ય એશિયામાંથી મળી આવેલા સંસ્કૃત ગ્રંથોના અંશોમાં આપણા આ પુસ્તકનો ભાગ મળે છે, જે પાઠનિર્ધારણની દૃષ્ટિએ તેમના સમય અને વિશેષ શુદ્ધિને કારણે અત્યંત મૂલ્યવાન છે. પ્રકરણ ૧૩ અને ૧૪ના અંશો માટે ઈ.સ. ૧૯૦૬-૦૮ દરમ્યાન સેનેટર, ઓટો ડોનર શોધી કાઢેલા અને જે.એન. રોટરે સંપાદિત કરેલા અંશ; હોર્નલેના Manuscript Remains of Buddhist Literature found in Eastern Turkestan, Vol. 1 માં એફ. ડબલ્યુ થોમસે સંપાદિત કરેલ અન્ય અંશ જે પાંચમા અને તેરમા પ્રકરણના અંશોને આવરી લે છે; ત્રીજા, છઠ્ઠા, સાતમા અને આઠમા પ્રકરણના અંશોને આવરી લેતા એન.ડી.મીરોનોવ દ્વારા સંપાદિત અંશો; આમને માટેનું સાંકેતિક ચિહ્ન અનુક્રમે R, H અને M છે. H M R સારા એવા પ્રમાણમાં G સાથે ઐક્ય ધરાવે છે. સહાયક સામગ્રી (testimonia) તરીકે સંપાદકે ચીની તથા તિબેટી અનુવાદોનો ઉપયોગ કર્યો છે : (૧) ચીની અનુવાદ – અનુવાદક : ધર્મક્ષેમ (ઈ.સ. ૪૧૪-૪૩૩ આશરે), ઈન્સિગ (આશરે ઈ.સ.૭00), (૨) તિબેટી અનુવાદ – તિબેટ ૧ (ઈ.સ. ૭૦૫-૫૫ના ગાળામાં),તિબેટ ર અને તિબેટ ૩ (૮૦૪-૧૬ના ગાળામાં). આ ઉપરાંત તુર્કીન હસ્તપ્રતોના બર્લિન સંગ્રહમાં સ્ટેન કોનો દ્વારા સંપાદિત ખોતાન-શક ભાષાન્તરનો અંશ પ્રાપ્ત થાય છે. “પાઠનિર્માણ'(constitutio textus)અર્થે આ સર્વ અભિસાઢ્યો (પ્રમાણો)ની મૂલવણી વિષે વધુ વિગતો નોબેલની પાંડિત્યપૂર્ણ પ્રસ્તાવનામાંથી પ્રાપ્ત કરી શકાય. Page #158 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૩ ૧૪૯ સંક્ષિપ્ત સંદર્ભસૂચિ આ સૂચિનો હેતુ વિભિન્ન સાહિત્ય-પ્રકારો સાથે સંકળાયેલ વિવિધ પ્રકારની સમસ્યાઓના ઉકેલ અર્થે વિકસિત થયેલી પાઠસમીક્ષાની પદ્ધતિઓના અધ્યયન કાર્યમાં કેવળ પથપ્રદર્શક બનવાનો છે, તેથી આ સૂચિને સ્વતઃસંપૂર્ણ બનાવવાનો પ્રયાસ કર્યો નથી. આ રીતે, ઉદાહરણ તરીકે, આમાં બાઈબલના અભ્યાસને લાગુ પાડીને થયેલા પાઠ-સમીક્ષાના ફલદાયી વિકાસનો કોઈ ઉલ્લેખ નથી. એડગરટન એફ. : Panchtantra Reconstructed ૧૯૨૪, ન્યૂ હેવન, American Oriental Series Nos. 3-4, આ એક ઉપયોગી પુસ્તક છે. અને ખાસ કરીને અમુક પ્રકારની સમસ્યાઓ માટે - જે સામાન્ય રીતે ગ્રીક અને લેટિન પ્રશિષ્ટ કૃતિઓ (Classics) માં જોવા મળતી નથી - પાઠસમીક્ષાના સિદ્ધાંતોનો પ્રયોગાત્મક વિનિયોગ શી રીતે કરવો તે વિષે પથપ્રદર્શક ગ્રંથ, સારાં ઉદાહરણોથી સમૃદ્ધ પુસ્તક. સ્વાભાવિક રીતે જ અહીં તારવેલા નિષ્કર્ષ વિવાદાસ્પદ હોવા છતાં મહત્ત્વપૂર્ણ છે. ખાસ કરીને Pancatantra (હાર્વર્ડ ઓરિએન્ટલ સિરીઝ, ૧૧-૧૪)માં હર્ટલનાં તારણોથી એ વિરુદ્ધ છે. જેબ, સર રિચાર્ડ સી. : લિઓનાર્ડ વ્હિલ્વે દ્વારા સંપાદિત A Companion to Greek Studies (કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ, ૧૯૧૬)માં પ્રગટ થયેલ Textual Criticism નામનો લેખ (પૃ.૭૨૦-૭૩૩), વિષયનો સુંદર પરિચય, અંગ્રેજી વાચકો માટે અનિવાર્ય. પોસ્ટગેટ જે.પી. : (૧) સર જહોન એડવિન સેન્ડિસ દ્વારા સંપાદિત A Companion to Latin Studies (કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ ૧૯૧૩)માં પ્રગટ થયેલ Textual Criticism (પૃ.૭૯૧-૮૦૫) નામનો લેખ, (૨) Encyclopaedia Britannica વોલ્યુમ-૨, પૃ.૬-૧૧માં “Textual Citicism' પરનો લેખ અંગ્રેજી ભાષામાં પાઠસમીક્ષાનો કદાચ સૌથી વધુ ઓજસ્વી છતાં સંક્ષિપ્ત પરિચય. બર્ટ, થિયોડોર : Kritik und Herimeneutik, યુ ન, ૧૯૧૩ (Ivan Von Muller's Handbuch der Altertunswissenschft 1). ગ્રીક અને લેટિન ભાષાના પ્રશિષ્ટ ગ્રંથો સાથે સંકળાયેલી પાઠસંબંધી સમસ્યાઓની ઘણી વિગતવાર ચર્ચા કરતો એક અત્યંત વ્યવસ્થિત નિબંધ, તે ખાસ કરીને વિષયના ઉચ્ચતર પાઠસમીક્ષકોની દષ્ટિએ લખાયેલ છે. - Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ભારતીય પાઠ-સમીક્ષા માસ, પોલ: Textkritik, લિપિઝિગ, ૧૯૨૭. (Einleitung in die Altertumswissenschaft herausgegeben, von Alfred Grecke and Eduard Norden I) આ વિષય પર સૌથી વિશદ અને શ્રેષ્ઠ પુસ્તકોમાંનું એક. તેમાં વિષયના બધા મૂળભૂત સિદ્ધાન્તો સંક્ષેપમાં અને બીજગણિત જેવાં સૂત્રોમાં પ્રસ્તુત કર્યા છે. અંતમાં ચૂંટી કાઢેલાં ઉદાહરણોથી તે સમજાવવામાં આવ્યા છે. ઘણું ઉપયોગી અને સૂચક પુસ્તક. રુબેન, વોલ્ટર: Studien zur Textgeschichte des Ramayana, ટુટગાર્ટ ૧૯૩૬, (Bonner Orientalistische Studien Heft 19) અહીં સુકથનકરે મહાભારત માટે જે પદ્ધતિ અખત્યાર કરી છે તેમનું ઝીણવટપૂર્વક અનુસરણ કરી રામાયણના પાઠ સંબંધી ઇતિહાસમાં તેમનો વિનિયોગ કર્યો છે. રામાયણ મહાભારતના સમીક્ષાત્મક અભ્યાસીઓ માટે અનિવાર્ય પુસ્તક. સુકથનકર વી.એસ. : મહાભારતના આદિપર્વના સમીક્ષાત્મક સંપાદનની પ્રસ્તાવના - Prolegomena, અતિમહત્ત્વનો ગ્રંથ, જેમાં યુરોપની પ્રશિષ્ટ રચનાઓમાં પ્રયુક્ત પાઠસમીક્ષાના મૂળભૂત સિદ્ધાંતોને નવેસરથી ભારતીય દષ્ટિબિંદુથી ચર્ચા છે અને જેમનો પાશ્ચાત્ય પાઠસમીક્ષકોને અનુભવ નથી થયો તેવી પરિસ્થિતિઓ સંબંધે હંમેશને માટે નિર્ણય બાંધ્યો છે. ભારતીય પ્રશિષ્ટ કૃતિઓ પર વધુ કામ કરવા માટે પાઠસમીક્ષાનું પાયારૂપ પુસ્તક. સુકથનકર વી.એસ. Epic studiesI-VII, (JBBRAS (NS), , ૧૫૭-૭૮, Annals of BORI ૧૧, ૧૬૫-૧૯૧; ૧૬, ૯૦-૧૧૩; ૧૭, ૧૮૫-૨૦૨; ૧૮, ૧-૭૬; ૧૯, ૨૦૧-૨૬૨; Kane Festschrift પૃ.૪૭૨-૪૮૭; Epic Questions, I Bulletin DCRI ૧, ૧-૭. આ અભ્યાસપૂર્ણ લેખોમાં સુકથનકરે. તારવેલા સિદ્ધાંતો અને વિશિષ્ટ સંદર્ભમાં તેમના પ્રયોગ સામે જે મૂળભૂત ટીકાઓ કરવામાં આવી હતી, તેમને અત્યંત ચોક્કસાઈપૂર્વક અને વિગતવાર રદિયો આપવાનો પ્રયાસ છે અને પરિણામે પાઠસમીક્ષાના 'વિદ્યાર્થીઓને માટે તે અમૂલ્ય રીતે ઉપકારક છે. આ લેખો મુદ્દાસર અને પ્રાસાદિક રીતે લખાયેલા છે અને તેમાં વિષયના જે મુદ્દાઓ Prolegomena માં સમુચિતપણે વિગતવાર ચર્ચા શકાયા ન હતા તેવા ઘણા અસ્પષ્ટ મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. હવેટ, એલ. : Manual de critique verbale appliguééax textes latins, પેરિસ, ૧૯૧૧, લેટિન પાઠસમીક્ષા પર આ મહત્ત્વનું પુસ્તક છે; અને તેમાં પાઠસમીક્ષાના ઘણાખરા કિંમતી સિદ્ધાન્તોનો સમાવેશ થાય છે, જે Page #160 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૩ ૫૧ ઉદાહરણોના રાશિ નીચે દબાઈ જાય છે અને આથી તે કેવળ સવિશેષ મર્મજ્ઞ વાચકો માટે જ છે. હૉલ, એફ.ડબલ્યુ. : Companion to Classical Texts, ઑક્સફર્ડ, ૧૯૧૩. આ પુસ્તક વિષયની ઉત્તમ પ્રસ્તાવનારૂપ છે. આમાં ગ્રીક અને લેટિન ગ્રંથોના ઇતિહાસનો વિગતવાર પરિચય આપવામાં આવ્યો છે, અને એ ગ્રંથોને લાગુ પડતા પાઠસમીક્ષાના સિદ્ધાંતોની ચર્ચા પૃ.૧૦૮ થી ૧૯૮માં કરવામાં આવી છે. બ. ઉપર ‘અ’માં ઉલ્લેખેલી કૃતિઓ ઉપરાંત પ્રસ્તુત પુસ્તકને તૈયાર કરવામાં નીચેના ગ્રંથોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે - કોનો, સ્ટેન. : Karpurmanjari, હાર્વર્ડ, ૧૯૦૧ (હાર્વર્ડ ઓરિયેન્ટલ સિરીઝ ૪) ડે,એસ.કે. : Udyogaparvan (મહાભારતના સમીક્ષાત્મક સંપાદનમાં), પૂના, ૧૯૩૯-૪૦. પીશલ આર. : śakuntala - દ્વિતીય આવૃત્તિ, હાર્વર્ડ, ૧૯૨૧ (હા.ઓ.સી.૧૬) બ્યૂલર, જી. : Indische Palaeographie, સ્ટ્રાસબર્ગ, ૧૮૯૬. આનું ફલીટ દ્વારા સંશોધિત અંગ્રેજી ભાષાન્તર Indian Antiquary, ૧૯૦૪માં પૂરવણીરૂપે પ્રસિદ્ધ થયું છે, જોકે એમાં ‘Plate’ આપી નથી. ભાંડારકર, આર.જી. : Mahavimadhava, દ્વિતીય આવૃત્તિ, મુંબઈ, ૧૯૦૫. મલ્લ, ટોડર. : Mahaviracrita, ઑક્સફર્ડ, ૧૯૨૮. વિન્ટરનિટ્ઝ : History of Indian Literature, કલકત્તા. Page #161 -------------------------------------------------------------------------- ________________ અનુવાદક પરિચય : ડૉ. કે.એચ. ત્રિવેદી (જન્મ : ૨-૬-૧૯૩૩) માધ્યમિક શિક્ષણ : મહેસાણાની ટી.જે. હાઈસ્કૂલ દ્વારા એસ.એસ.સી. પરીક્ષા પ્રથમ વર્ગમાં પ્રસાર કરી. સંસ્કૃતમાં સર્વાધિક ગુણ માટે મુંબઈ યુનિવર્સિટી દ્વારા એન.આર.બીડકર પારિતોષિક અપાયું. . | ઉચ્ચ શિક્ષણ : ગુજરાત કૉલેજ, અમદાવાદમાં સંસ્કૃત વિષય સાથે બી.એ. (૧૯૫૪)માં પ્રથમ વર્ગ પ્રાપ્ત કરી દક્ષિણા ફેલોશિપ મેળવી. ૧૯૫૬માં એમ.એ. પરીક્ષા પસાર કરી, ડૉ. વી.એમ.કુલકર્ણીના માર્ગદર્શન હેઠળ રામચંદ્ર - ગુણચંદ્ર - રચિત નાટ્યદર્પણ ઉપર મહાનિબંધ લખી પીએચ.ડી. (૧૯૬૨) પ્રાપ્ત કરી. ૧૯૫૭ થી વલ્લભવિદ્યાનગરમાં સંસ્કૃતપ્રાકૃતના અધ્યાપન કાર્યમાં જોડાયા. ત્યાંની નલિની-અરવિંદ આર્ટ્સ કૉલેજમાં સંસ્કૃતના પ્રાધ્યાપક તથા વિભાગાધ્યાક્ષ તરીકે પ્રદીર્થ સેવાઓ આપી હાલ વયોચિત નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે. તેમના સંશોધન-લેખો પૂનાના ભાંડારકર ઓરિ. રિચર્સ ઈન્સ્ટિટ્યૂટ, વડોદરાનાં ઑરિ. ઈન્સ્ટિટ્યૂટ વગેરેનાં જર્નલોમાં પ્રકાશિત થયા છે. વિદ્યાર્થીઓને ઉપયોગી અનેક પુસ્તકોનું સંપાદનસહસંપાદન કર્યું છે. તેમના મહાનિબંધ લાદ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર (અમદાવાદ) દ્વારા પ્રકાશિત થયો છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ ભારતીય પાઠ-સમીક્ષા ' 'પુસ્તક પરિચય પ્રાચીન હસ્તપ્રતોને આધારે ગ્રંથનું સંપાદન ભારતીય વિદ્યાના અભ્યાસી માટે ઘણીવાર જટિલ સમસ્યારૂપે હોય છે. આ સંપાદન કાર્યમાં સંપાદકને પક્ષે જે સાવધાની તથા સજ્જતા અપેક્ષિત છે તે અંગે જરૂરી માર્ગદર્શન આ લઘુગ્રન્થમાં આપવામાં આવ્યું છે. ડૉ. એસ. એમ. કત્રે ભારતીય વિદ્યાના નામાંકિત અને યશસ્વી વિદ્વાન છે. તેમનું Introduction to Indian Textual Criticism આ વિષયની વિશદ છણાવટ કરતું આધારભૂત પુસ્તક છે. આ માનદ્ ગ્રંથનો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. પાઠ સમીક્ષાનો વિષય ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓમાં અનુસ્નાતક કક્ષાએ નિયત થયેલો છે. આ વિષયના વિદ્યાર્થીઓને આ પુસ્તક ઉપયોગી થશે તેવી ધારણા છે. ભારતીય પાઠ-સમીક્ષા 1364 કિંમતઃ રૂા. 50-00 આવરણ : રાજ ગ્રાફીક્સ અમદાવાદ. મો: 9879027600