________________
મને જણાવતાં આનંદ થાય છે કે ગુજરાત રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓમાં વિનયન વિદ્યાશાખાના ભાષા-સાહિત્ય વિષયના અધ્યયનઅધ્યાપનમાં ઉપયોગી પ્રમાણભૂત ગ્રંથો પ્રાપ્ય બની રહે તેવી બોર્ડની યોજનાના અનુસરણમાં આ વિષયના તજ્જ્ઞ ડૉ. એસ.એમ. કેગે લિખિત અને ડૉ.કે.એચ.ત્રિવેદી અનૂદિત ભારતીય પાઠ-સમીક્ષા ની તૃતીય આવૃત્તિ(સંશોધિત) બોર્ડ પ્રગટ કરી રહ્યું છે.
લઘુગ્રંથની પ્રથમ બે આવૃત્તિને જેવો પ્રતિસાદ સાંપડ્યો છે તેટલો જ ઉમળકાભર્યો આવકાર આ આવૃત્તિને પણ મળશે એવી શ્રદ્ધા છે.
આ લઘુગ્રંથ વિદ્યાર્થીઓ, સંસ્થાઓને તો ખરો જ સાથે આ વિષયમાં અભિરુચિ ધરાવનાર જિજ્ઞાસુઓને પણ એટલો જ ઉપયોગી થઈ પડશે એની ખાતરી છે.
'
આ ગ્રંથના પ્રકાશન ટાણે, લેખકશ્રી તથા જેઓએ નેપથ્ય રહીને આ લઘુગ્રંથને સુલભ બનાવવા સહકાર આપ્યો છે તે સૌનું ઋણ હું સ્વીકારું છું.
યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ ગુજરાત રાજ્ય, અમદાવાદ-૬. ડિસેમ્બર-૨૦૦૯
શ્રીમતી જયંતી રવિ
ઉપાધ્યક્ષ