Book Title: Bhagwan Mahavirswaminu Divya Jivan
Author(s): Purnanandvijay
Publisher: Jagjivandas Kasturchand Shah

View full book text
Previous | Next

Page 49
________________ છે ભગવાન મહાવીરસ્વામીનું ૩૬ ૭ દીવ્ય-જીવન તથા ભવા સ્થાને તપ-ત્યાગની રેખા સ્પષ્ટ તથા અસ્પષ્ટ રુપે ઉપસવા લાગે છે. બીજના ચંદ્રમાની જેમ વૃદ્ધિ પામતા ભગવાનની આસપાસ સંસારની માયાવી ચકમાં શંકાશીલ બનેલા રાજકુમારે, રાજકુમારિકાઓ, શ્રીમતે, પંડિતે, મહાપંડિતે તથા રાજ્ય સત્તાધારી વગનું જૂથ જામવા લાગ્યું અને બધાને એક આશ્વાસન મળી ગયું કે વર્ધમાનકુમાર જ આપણું માટે એક દિવસ “તિન્ના-તારા”નું સ્થાન ગ્રહણ કરનારા થશે, એટલા માટે જ માનવતાને પરમ પૂજારી ભગવાન દ્રવ્યથી તથા ભાવથી અજાતશત્રુ જેવા બની ગયા. ગૃહસ્થ જીવનની અદ્વિતીય વિશેષતાઓ ધર્મના નામે અત્યન્ત અધઃપતન પામેલ મનુષ્ય માતાપિતાની ભક્તિથી સર્વથા દૂર રહે છે-જે જીવનના અમૂલ્ય તત્વને બરબાદ કરનારે ભયંકર દુર્ગુણ છે. લકત્તર મહાપુરુષેનું જીવન-કવન દયાત્મક હોવા છતાં પણ પ્રેરણાત્મક હોય છે. એથી કુક્ષિમાં રહેતા, “મારી માતાને મારા હલનચલનથી પીડા ન થાય” એ માટે ભગવાને પોતાના શરીરને સંકેચી લીધું. આ પ્રમાણે માતૃવત્સલ ભગવાન સંસારના જીને જાણે કહી રહ્યા છે - હે ભાગ્યશાળીએ! આ સંસારમાં જીવન ઉત્થાનના મૂળમાં માતૃભક્તિ સર્વથા અનિવાર્ય છે. એનાથી શારીરિક તથા આધ્યાત્મિક જીવન સુંદર, સ્વચ્છ તથા સદાચારી બને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110