Book Title: Bhagwan Mahavirswaminu Divya Jivan
Author(s): Purnanandvijay
Publisher: Jagjivandas Kasturchand Shah

View full book text
Previous | Next

Page 47
________________ ૩૪ ૩ છે ભગવાન મહાવીરસ્વામીનું ૭ દીવ્ય-જીવન જન્મ : દેવ તથા ઈન્દ્રોની અમરાવતી નગરીમાં ભેગપ્રધાન જીવેને જન્મ થાય છે. જ્યારે બિહાર પ્રાંતમાં આવેલા ક્ષત્રિયકુંડ નગરના મહારાજ સિદ્ધાર્થની રાણું ત્રિશલાની કુક્ષિથી ગિનાથ ભગવાનને જન્મ થયે છે. રાજા ખૂબ જ પવિત્ર, સૌમ્ય, સદાચારપૂર્ણ અને ભગવાન પાર્શ્વનાથના શાસનની મર્યાદામાં પૂર્ણ શ્રદ્ધા ધરાવનાર હતા. તીર્થકરોની શાસન-મયદાને સીધો સાદો અર્થ એ છે કેતેઓએ બતાવેલાં વ્રત–નિયમને આત્મસાત્ કરીને જીવનને ધન્ય બનાવવું. જ્યારે ત્રિશલા માતા વૈશાલી ગણતંત્રના અધિનાયક ચેટક મહારાજાના બહેન હતા; જેમની ખાનદાનીની પ્રત્યેક નસમાં, પ્રત્યેક રક્તબિન્દુમાં અને પ્રત્યેક શ્વાચ્છવાસમાં જૈન ધર્મની મર્યાદા હતી, એટલે સ્વાભાવિક છે કે માતાનું જીવન–આંતરજીવન ગૃહસ્થાશ્રમની મર્યાદાથી સંપન્ન હતું, તપ અને ત્યાગને કારણે ઘણું દુર્ગણેથી પર હતું. આવા રાજા-રાણીના ઘરે જ તીર્થકરને જન્મ થ સુસંગત છે. ભગવાન પાર્શ્વનાથના નિર્વાણ પછી થોડા જ વખત બાદ દેશમાં હિંસા-પ્રધાનતા અને અહિંસા-પ્રધાનતાને કારણે બે વિભાગ પડી ગયા હતા, જ્યારે દેશ તથા સમાજમાં પંડિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110