Book Title: Bhagwan Mahavirswaminu Divya Jivan
Author(s): Purnanandvijay
Publisher: Jagjivandas Kasturchand Shah

View full book text
Previous | Next

Page 80
________________ ભગવાન મહાવીરસ્વામીનું દીવ્ય-જીવને ૭ ૬૭ ક્ષમાશીલતાના અદૂભૂત આરાધક ભગવાન છટ્વસ્થ જીવન ગમે તેટલું ઉચ્ચતર બની જાય, તથાપિ કેવળજ્ઞાનની ભૂમિકા પ્રાપ્ત કરવા માટે ભગવાન એક ભયંકર વનમાં ધ્યાનસ્થ રહ્યા. ત્રિપૃષ્ટ વાસુદેવના ભવને તે શય્યાપાલક, જેના કાનમાં વાસુદેવે ગરમાગરમ સીસું રેડાવ્યું હતું, તે મહાવીરને વેરી બનીને, હવે ગવાળના રૂપમાં પિતાની જમીન ખેડવા માટે વનમાં આવ્યું હતું. બપરની સખત મજૂરી કર્યા પછી, સાંજે પિતાના બળદોને ભગવાનની પાસે છેડીને તે ઘરે ગયે. ભેજન વગેરે કરી લીધા પછી લાંબા સમય બાદ ફરી તે જ સ્થાન પર આવ્યું; પરન્તુ બળદને તેમના સ્થાન પર નહીં જેવાથી, જંગલમાં શોધવા માટે ચાલે ગયે. ભવિતવ્યતા કંઈક એવી હતી, જેથી બળદ પિતાની જાતે જ ચરતાં ચરતાં મૂળ સ્થાને આવી ગયા હતા અને બેઠા બેઠા આરામથી વાગોળવાનું કામ કરી રહ્યા હતા. આખી રાત વનમાં શેધવા છતાં પણ જ્યારે તે ગવાળને બળદો દેખાયા નહિ, ત્યારે થાક્યો પાક્યો ફરી ભગવાનની પાસે આવ્યું અને બળદોને ત્યાં જ બેઠેલાં જોઈને, તેને ભગવાન પ્રત્યે અપાર રેષ આવ્યું અને રેષાંધ બને તે ભગવાનના બંને કાનમાં લાકડાના ટુકડાઓ ઠેકી દે છે અને બહાર રહેલા ભાગને કાપી નાખે છે. કથાનકથી આપણે જાણી શકીએ છીએ કે આવા મોટા ઉપસર્ગને ભગવાને અપૂર્વ ક્ષમતાપૂર્વક સહન કર્યો, જે બીજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110