Book Title: Bhagwan Mahavirswaminu Divya Jivan
Author(s): Purnanandvijay
Publisher: Jagjivandas Kasturchand Shah

View full book text
Previous | Next

Page 98
________________ ભગવાન મહાવીરસ્વામીનું દીવ્ય-જીવને ૭ ૮૫ નીચે દેશ પૂરેપૂરે જાગૃત થયે તથા શસ્ત્રપૂર્ણ અંગ્રેજ સતનતને સાત સમુદ્ર પાર કરી દીધી અને છ-સાત શતાબ્દિથી પરાધીન બનેલે ભારતદેશ પૂર્ણરૂપે સ્વતંત્ર બન્યો. આજે તે પ્રાપ્ત થયેલી સ્વતંત્રતાને પણ ૩૦-૩૧ વર્ષ પૂરાં થઈ ગયાં છે, પરંતુ ખેદ છે કે આજ સુધી સમાજવાદનાં સૂત્રે જ પોકારાતાં રહ્યાં છે અને ગરીબ વધારે ગરીબ બન્ય છે, મધ્યમ વર્ગની કડી સ્થિતિ યથાવત ચાલુ જ છે, ખાવાનું અનાજ પણ પરદેશથી મંગાવવામાં આવે છે. સાથે સાથે વિદ્ય – જ્ઞાન-વિજ્ઞાન – વિનય-વિવેક – સચ્ચરિત્રતા-ખાનદાનીધર્મ–પવિત્રતા આદિ આત્મિક ધર્મનું સર્વથા અવમૂલ્યન થઈ ચૂકયું છે. વિદ્યાના ક્ષેત્રમાં તથા ન્યાયના ક્ષેત્રમાં પણ અસભ્યતા તથા ભ્રષ્ટાચાર એટલે વધી ગયે છે કે સદ્વિદ્યા તથા સાચે ન્યાય મળવાં પણ મુશ્કેલ બની ગયાં છે. આવી પરિસ્થિતિમાં ભારત દેશને એક વાર ફરી મુંઝવણમાં મૂકાવું પડયું છે. આવું બધું શા માટે અને કેવી રીતે થયું ? બેશક ! આ સમયે સામ્રાજ્યવાદના શ્વાસોચ્છવાસ પૂર્ણ રુપે સમાપ્ત થઈ ગયા છે અને ગણતંત્રને શ્વાસ જોરથી ચાલી રહ્યો છે તથાપિ ગણતંત્રના અધિનાયક-નેતાઓ તથા રાજ્યકારભાર સંભાળનારા મોટા માણસના દિલ અને દિમાગમાં જ્યાં સુધી સમાજવાદ પિતાને પાયે જમાવી શકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110