Book Title: Bhagwan Mahavirswaminu Divya Jivan
Author(s): Purnanandvijay
Publisher: Jagjivandas Kasturchand Shah

View full book text
Previous | Next

Page 94
________________ ભગવાન મહાવીરસ્વામીનું - દીવ્ય-જીવન @ ૮૧ એથી મહાવીર સ્વામીને ઉપાસક અહિંસક ભાવનાવાળા હોવા છતાં પણ દુષ્ટોને દંડ દેવામાં એને બાધ આવતો નથી. અહિંસક મનુષ્ય કર્મઠ, સશક્ત તથા પિતાની જવાબદારી પ્રત્યે સદા જાગરુક રહે છે. બેશક ! જે નિરપરાધી ત્રસ જીવે છે, જેવા કે-સાપ, વિંછી, વાઘ, સિંહ, માકડ, જૂ, તથા ઘેટાં, બકરાં, ગાય, ભેંસ, બળદ વગેરે જાનવરો સર્વથા નિર્દોષ તથા નિરપરાધી હેવાથી તેઓને મારવાને ઈરાદે મહાવીરસ્વામીને ઉપાસક ક્યારેય રાખી શકતું નથી. નિરપરાધી જીવોમાં પણ પોતાનાં બહેન–બેટી, પુત્રપુત્રી, દાસ-દાસી વગેરે ધાર્મિક–જીવન વિરુદ્ધ ચાલનારા હોય, તે તેઓને સાપેક્ષ બુદ્ધિથી દંડ દેવે ગૃહસ્થને માટે સર્વથા અનિવાર્ય હોવાથી, યદ્યપિ તેઓ નિરપરાધી છે, તથાપિ દંડનીય છે. આ બધાં વિવેચનથી ગૃહસ્થાશ્રમી અહિંસાને સીધે સાદો અર્થ એ છે કે, “અપરાધ વિનાના ત્રસ જીવેને મારવાની બુદ્ધિ, વૈરબુદ્ધિ, હિંસાબુદ્ધિ તથા ઈષ્યબુદ્ધિથી મારવા નહિ.” આટલી મર્યાદાવાળી અહિંસા જ ગૃહસ્થાશ્રમીને માટે પર્યાપ્ત છે, જેથી પિતાના વ્યવહારમાં ક્યાંય પણ બાધા આવી શકતી નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110