Book Title: Atmavishuddhi
Author(s): Kesharsuri
Publisher: Premji Hirji Shah Mumbai

View full book text
Previous | Next

Page 54
________________ પડતી નથી, દેશાટન કરવાની જરૂર નથી, ચિંતા કરવી પડતી નથી અને કાંઈ ખરચ પણ કરવું પડતું નથી. ફક્ત એક વિચારની દિશા બદલાવવી પડે છે. જેને મારું માન્યું છે તેને મારું નથી, એવું મનને મનાવો કે તરત જ નિર્મમતા આવીને ઊભી રહે છે. નિમમતામાં કમને આવવાની જગ્યા નથી, અશુભ કર્મનો બંધ નથી, આત્મદ્દષ્ટિનું પોષણ થાય છે, ઉપયોગની તીવ્રતા વધે છે, નિસ્પૃહતા સ્વાભાવિક આવે છે, જ્ઞાનવાનું બને છે, સંયમી થાય છે, અને તપ ન કરવા છતાં ખરો તપસ્વી તે થાય છે. જેમ જેમ નિમિતા વૃદ્ધિ પામે છે તેમ તેમ રાગદ્વેષાદિ દોષો નાશ પામે છે, માટે આત્માર્થી જીવોએ જેમ બને તેમ મમતા અને અહંકારનો ત્યાગ કરવા પ્રયત્ન કરવો. આ પ્રમાણે વિચાર કરીને જે જીવો અહંકાર મમકારનો ત્યાગ કરે છે તે જીવો શુદ્ધ આત્માના ધ્યાનને અવશ્ય પામે છે. ૪૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103