Book Title: Atmavishuddhi
Author(s): Kesharsuri
Publisher: Premji Hirji Shah Mumbai
View full book text
________________
રોગથી પીડાતા છતાં, યષ્ટિ મુષ્ઠિથી તાડના કરતાં છતાં અને દોરડાં પ્રમુખથી બંધાયા છતાં આત્મસ્વરૂપનું ચિંતન કરવાનું ભૂલવું નહિં. આત્માનું ચિંતન કરનાર ભૂખથી, ટાઢથી, તાપથી, તૃષાથી, અને આ તાપથી આર્તધ્યાન કરતો નથી, સ્તુતિ કરવાથી તેને હર્ષ થતો નથી, નિંદાથી તેને ખેદ થતો નથી, શુભાશુભ પર દ્રવ્યના આવવા કે જવાથી તેને રાગદ્વેષ થતો નથી, સંપત્તિમાં તેને પ્રમોદ જણાતો નથી ને વિપત્તિમાં તેને શોક થતો નથી.
નિરંતર શુદ્ધ આત્માનું સ્મરણ કરનાર બીજા લોકોના સમાગમમાં આવે છતાં તે પોતાનું આત્મભાન ભૂલે નહિ એ ભાન ભુલાવનાર કારણો-નિમિત્તો છે એમ જાણીને તેને પ્રસંગે વિશેષ જાગૃત રહે છે. આવા વિરોધી પ્રસંગોમાં જાગૃત રહેવાથી અનુકૂળ પ્રસંગમાં તેની જાગૃતિ ટકી રહે તેમાં આશ્ચર્ય નથી. હે મુમુક્ષો ! તમે એટલી બધી જાગૃતિ રાખો. આત્માનું સ્મરણ એટલું બધું વધારો કે કોઈ રોગથી, કલેશથી કે અનેક મનુષ્યોના સમાગમથી તમારા આત્માનું તમને વિસ્મરણ થાય નહિ.
૬૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103