________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના : ૨૫ લક્ષણ વડે આત્માને ઓળખવો. સર્વ પ્રકારના લક્ષણવડ અનુમાનથી -યુક્તિથી આત્માને દેહાદિથી જુદો ને રાગાદિથી જુદો જ્ઞાનદર્શનસ્વરૂપ નકી કરવો.
ચિત્તની એકાગ્રતા-અનુભવઃ આગમથી અને યુક્તિથી જે જ્ઞાનસ્વરૂપ આત્માનો નિર્ણય કર્યો તેમાં એકાગ્ર થઈને તેનો સાક્ષાત્ અનુભવ કર્યો,-આવા અનુભવપૂર્વક સમ્યક પ્રકારે બરાબર જાણીને હું ભિન્ન આત્માનું સ્વરૂપ બતાવીશ કોને? કે જે આત્માના આનંદનો અભિલાષી છે તેને.
આ રીતે આગમથી, યુક્તિથી ને અનુભવથી શુદ્ધ આત્માનું સ્વરૂપ કહેવાની પ્રતિજ્ઞા કરી. સુખના અભિલાષી જીવો બહુમાન પૂર્વક તેનું શ્રવણ કરો. (૩)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com