Book Title: Anekantjaipataka Part 02
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 402
________________ ६१७ अनेकान्तजयपताका (તૃતીયઃ धर्मत्वात्, अवगमस्य च कारणान्तरापेक्षत्वात् । अर्थो हि यथाधर्माभ्यासमवगमं जनयति, यथाऽङ्गनार्थः सन्निधानाविशेषेऽपि परिव्राटप्रभृतीनां कुणपाद्यवगमम्, प्रत्यासत्तितो वा यथा जनकाध्यापकः सुतस्य जनकावगमं, प्रकरणापेक्षो वा यथा वैद्यादिः तत्कथायां न्धिनः कारणान्तरापेक्षत्वात् तत्तद्धर्माभ्यासादि कारणान्तरमिति । अत एवाह-अर्थो यस्माद् यथाधर्माभ्यासमवगमं जनयति, यस्य यथा धर्माभ्यासो यथाधर्माभ्यासम् । निदर्शनमाहयथाऽङ्गनार्थ:-स्त्र्यर्थः सन्निधानाविशेषेऽपि सति परिवाटप्रभृतीनां, परिव्राट्-कामुक-शुनामित्यर्थः, कुणपाद्यवगमं कुणप-कामिनी-भक्ष्यावगमं प्रत्यासत्तितो वा अर्थो ह्यवगमं जनयति । निदर्शनमाह-यथा जनकाध्यापकः सुतस्य जनकावगमं नाध्याप्यान्तरस्येवोपाध्यायावगमम्, यतस्तमायान्तं दृष्ट्वा एक एवमाह-'तात आगच्छति', अपरः पुनः 'उपाध्याय आगच्छति' इति । અનેકાંતરશ્મિ .... ઉત્તર : કારણ એ જ કે, વસ્તુ અનેકધર્માત્મક છે.. અને જ્ઞાન, તે તે ધર્મના અભ્યાસરૂપ બીજા (પદાર્થ સિવાયનાં) કારણોની અપેક્ષા રાખે છે... એટલે કે, અનેકધર્મક વસ્તુ વિશે પણ, જે પ્રમાતાને જે ધર્મનો અભ્યાસ હોય, તે પ્રમાતાને તે અભ્યાસિત ધર્મરૂપે જ વસ્તુનો બોધ થાય છે... એટલે જ, પદાર્થ તે બધાને સર્વાશે જ્ઞાન નથી કરાવતો, પણ જે પ્રમાતાને જે ધર્મનો અભ્યાસ હોય, તે પ્રમાતાને તે જ ધર્મપૂર્વક જ્ઞાન કરાવે છે... પદાર્થના સંનિધાનમાં પણ યથાભ્યાસ જ બોધ થાય” – એ વાતને દષ્ટાંતથી સમજાવે છે – (૧) અંગના=સ્ત્રીરૂપ એક જ પદાર્થનું સંનિધાન છે, છતાં પણ, જુદા જુદા પ્રમાતાને પોતાના અભ્યાસ પ્રમાણે જુદી જુદી રીતે બોધ થાય છે. જુઓ; (ક) પરિવ્રાજકને તે શબરૂપ=મડદારૂપ દેખાય છે, કારણ કે તેમને અશુચિ ભાવનાનો અભ્યાસ છે, (ખ) કામી વ્યક્તિને તે કામિની (=રૂપાળી સ્ત્રી) દેખાય છે, કારણ કે તેને ભોગનો અભ્યાસ છે, અને (ગ) જંગલી કૂતરાદિને ભક્ષ્યરૂપ દેખાય છે, કારણ કે તેને ખાવાનો અભ્યાસ છે... અથવા (૨) પ્રયાસત્તિ=સંબંધથી એક જ અર્થ જુદી જુદી રીતે બોધ કરાવે છે... એક જ વ્યક્તિ પુત્રનો જનક (પિતા) પણ હોય ને તેનો અધ્યાપક પણ હોય - આમ તેમાં જનકત્વ - અધ્યાપકત્વાદિ અનેક ધર્મો છે... પણ તેમાં જનત્વ એ નજીકનો સંબંધ હોવાથી, તે પદાર્થને આશ્રયીને પુત્રને જનકરૂપે જ જ્ઞાન થાય છે, પણ બીજા વિદ્યાર્થીની જેમ અધ્યાપકરૂપે નહીં... અને એટલે જ તે વ્યક્તિને દેખીને (ક) પુત્ર “જનક આવે છે” એમ બોલે છે, અને (ખ) વિદ્યાર્થી “અધ્યાપક આવે છે” એમ બોલે છે... અથવા તો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438