Book Title: Agam Deep 34 Nisihim Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 15
________________ ઉદ્દેશો-૧, સૂત્ર-૪૯ [49 જે સાધુ-સાધ્વી અવિધિએ વસ્ત્ર સીવે, સીવડાવે કે સીવનારની અનુમોદના કરે. (તેમ કરવાથી પ્રતિલેખના બરાબર થતી નથી. માટે પ્રાયશ્ચિત) પ૦-પપ જે સાધુ-સાધ્વી (ફાટેલા વસ્ત્રને સાંધી શકાય તેમ હોય તો પણ ) વિના કારણ. એક ગાંઠ લગાવે. ફાટેલા વસ્ત્ર હોવાથી કે પરિસ્થિતિ વશ ગાંઠ લગાવવી પડે તો પણ ત્રણથી વધુ ગાંઠ લગાવે...ફાટેલા બે વસ્ત્રોને એક સાથે જોડે ફૂટેલા વસ્ત્રને કારણ હોય ત્યારે પરસ્પર ત્રણથી વધુ સાંધા લગાવે.... અવિધિએ વસ્ત્રોના ટુકડાંને જોડ...જૂદા જૂદા પ્રકારના વસ્ત્રો ને પરસ્પર જોડે. આ બધું સ્વયં કરે, અન્ય પાસે કરાવે કે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. આ પદ જે સાધુ-સાધ્વી અધિક વસ્ત્રને ગ્રહણ કરે, અને તે ગ્રહણ કરેલ * વસ્ત્રોને દોઢમાસ કરતા વધુ સમય રાખે, રખાવે કે જે રાખે તેની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત પિ૭ જે સાધુ-સાધ્વી જે ઘરમાં રહયા હોય ત્યાં અન્ય-તીર્થિક કે ગૃહસ્થ પાસે ધુમાડો કરે, કરાવે કે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. સાધુ-સાધ્વી (આધાકમદિ મિશ્રિત એવો) પૂતિકર્મ યુક્ત આહાર (વસ્ત્ર, પાત્ર, શય્યા વગેરે) સ્વયં ઉપભોગ કરે, અન્ય પાસે કરાવે કે કરનારની અનુમોદના કરે. તો પ્રાયશ્ચિત્ત - હસ્તકર્મ દોષથી લઈને આ પૂતિકર્મ સુધીના જે દોષ કહયા તેમાંથી કોઈપણ દોષનું સેવન કરે- કરાવે કે અનુમોદે તો તે સાધુ કે સાધ્વીને માસિક પરિહારસ્થાન અનુદ્યાતિક નામનું પ્રાયશ્ચિતું આવે. જેને માટે બીજા ઉદ્દેશાના આરંભમાં કહેવાયેલ ભાષ્યમાં ગુરુમાસિક પ્રાયશ્ચિત્ શબ્દ પ્રયોજેલ છે. પ્રથમ ઉદેશા ની મુનિ દીપરત્ન સાગરે કરેલ “ગુર્જર છાયા” પૂર્ણ થઈ. (ઉદ્દેશો-૨) નિસીહ” સૂત્રના આ બીજા ઉદેશામાં પ૯થી 117 એ રીતે કુલ-૫૯ સૂત્રો છે. આ દરેક સૂત્રમાં જણાવેલ દોષનું ત્રિવિધ સેવન કરનારને ૩પતિ નામનું પ્રાયશ્ચિત આવે તેમ ઉદેશાને અંતે જણાવેલ છે. બીજા ઉદ્દેશાની શરૂઆતમાં આવેલ ભાષ્ય ગાથા મુજબ તેને મારૂં પ્રાયશ્ચિતથી ઓળખાવાય છે. [૫૯]જે સાધુ સાધ્વી લાકડાના દેડ વાળું પાદપ્રીંછનક કરે. અર્થાત્ નિષદ્યાદિ બે વસ્ત્ર રહિત એવું માત્ર લાકડાની દાંડી વાળે રજોહરણ કરે. આવું રજોહરણ પોતે કરે નહીં કરાવે નહીં, કરનારની અનુમોદના ન કરે. ૦િ-૬૬]જે સાધુ-સાધ્વી આ રીતે નિષઘાદિ બે વસ્ત્ર રહિતનું માત્ર લાકડાની દાંડી વાળું પાદપ્રીંછનક અર્થાતુ રજોહરણ ગ્રહણ કરે... ધારણ કરે અથતુ રાખે.. વિતરણ કરે એટલે કે બીજાને આપી દે; . પરિભોગ કરે એટલે કે તેનાથી પ્રમાર્જનાઆદિ કાર્ય કરે . કોઈ વિશેષ કારણ કે સંજોગોને કારણે આવું રજોહરણ રાખવું પડેલ હોય તો પણ દોઢ માસથી વધારે રાખે,... તડકો દેવા માટે ખોલીને અલગ રાખે. આ સર્વે દોષ સ્વયં સેવે, અન્ય પાસે સેવરાવે કે સેવનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53