Book Title: Agam Deep 34 Nisihim Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 49
________________ 145 કસો-૧૯, સૂત્ર-૧૩પ૭ [1357] જે સાધુ-સાધ્વી, આચાર્ય-ઉપાધ્યાય કે રત્નાધિક દ્વારા વાચના દેવાયા સિવાય કે તેની આજ્ઞા સિવાય પોતાની મેળે જ અધ્યયન કરે. અધ્યયન કરવા કહે કે અધ્યયન કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [1358-1369] જે સાધુ-સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ - - પાસસ્થા- - અવસન - કુશીલ, -. નીતિય કે, * * સંસક્ત ને વાચના આપે- અપાવે- આપનારને અનુમોદ, - - અથવા તેઓ પાસેથી સૂત્રાર્થ ભણે–સ્વીકારે સ્વીકારવા કહે. સ્વીકારનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. (નોંધઃ- પાસન્હા, અવસગ્ન, કુશીલ, નીતિય અને સંસક્તનો અર્થ-વ્યાખ્યા ઉદ્દેસા-૧૩ ના સૂત્ર 830 થી 847 માં અપાયેલી છે ત્યાંથી જાણી-સમજી લેવી.) એ પ્રમાણે ઉદેસા- 19 માં જણાવેલા કોઈપણ દોષનું સેવન સ્વયં કરે, બીજા પાસે કરાવે છે તેમ કરનારની અનુમોદના કરે તો ચાતુમાસિક પરિહારસ્થાન ઉદ્ઘાતિક પ્રાયશ્ચિત્ આવે જેને “લઘુચૌમાસી’ પ્રાયશ્ચિતું પણ કહે છે. ઓગણીસમા ઉદેસાની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ ઉિસો-૨૦) નિસીહ સૂત્રના આ ઉદ્દેસામાં 1370 થી 1420 એ રીતે કુલ-૫૧ સૂત્રો છે. આ ઉદેસામાં પ્રાયશ્ચિતુ ની વિશુદ્ધિ માટે પ્રાયશ્ચિતું શું કરવું? તે જણાવેલ છે. [1370-1374] જે સાધુ-સાધ્વી એક માસનું એકમહિને નિર્વર્તન યોગ્ય પરિહાર સ્થાન એટલેકે પાપ અથવા પાપજનક સાવધ કમનુષ્ઠાન સેવીને ગુરુ સમીપે પોતાનું પાપ પ્રકાશે અથવુ આલોચના કરે ત્યારે માયા-કપટ કર્યા સિવાય એટલે કે નિઃશલ્ય આલોચના કરે તો એક માસનું જ પ્રાયશ્ચિતું આવે પણ જો માયા-કપટ પૂર્વક એટલે કે શલ્યયુક્ત આલોચના કરી હોય તો તે પ્રાયશ્ચિત્ બે માસનું આવે. એજ રીતે બે-ત્રણ-ચાર- પાંચ માસે નિર્વર્તન યોગ્ય પાપજનક સાવઘ કમનુષ્ઠાન સેવ્યા પછી ગુરુ સમક્ષ આલોચના કરે ત્યારે નિષ્કપટ આલોચના કરે તો તેટલાં જ માસનું અને શલ્ય યુક્ત આલોચના કરે તો 1-1 અધિક માસનું પ્રાયશ્ચિતું આવે, જેમકે બે માસે નિર્વતન પામે તેવા પાપની નિષ્કપટ આલોચના-બે માસનું પ્રાયશ્ચિતુ, સશલ્ય આલોચના ત્રણ માસનું પ્રાયશ્ચિત્ - પરંતુ છ માસ કરતાં વધુ પ્રાયશ્ચિતું કયારેય આવતું નથી. સશલ્ય કે નિઃશલ્ય આલોચનાનું મહતમ પ્રાયશ્ચિત છ માસ જ જાણવું. [1375-1379] જે સાધુ-સાધ્વી અનેકવાર (એક નહીં, બે નહીં પણ ત્રણ-ત્રણ વખત એક માસે નિવતન પામે તેવું પાપ-કમનિષ્ઠાન સેવીને ગુરુ સમક્ષ આલોચના કરે ત્યારે પણ ઋજુ ભાવે આલોચના કરે તો એકમાસ અને કપટ ભાવે આલોચના કરે તો બે માસનું પ્રાયશ્ચિત આવે. એ જ રીતે બે-ત્રણ ચાર-પાંચ માસે નિર્વતિન યોગ્ય પાપ માટે નિઃશલ્ય આલોચના થી તેટલું જ અને સશલ્ય આલોચના થી એક-એક માસ વધારે પ્રાયશ્ચિતુ અને છ-માસ ના પરિહારસ્થાન સેવન માટે નિશલ્ય કે સશલ્ય ગમે તે આલોચનાનું 10 For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53